________________
ગૌરવગાથા
[ ૯૫ ]
આચાર્યશ્રી પાસે આવી એણે સપરિવાર જૈનધર્મ અંગીકાર કર્યાં. યથા રાજા તથા પ્રજા' એ વાકય અનુસાર કિવા ‘ચમકાર ત્યાં નમસ્કાર’ એ લેાકેાક્તિ મુજબ સંખ્યાબંધ કુટુ એ જૈનધર્મ સ્વીકાર્યાં. આ સર્વ આસવાળ તરીકે પ્રસિદ્ધ થયા. દિવસે જતાં ઉવકેશા નગરી ૮ આસિયા ’ના રૂપમાં એળખાવા માંડી.
ઉહુડે આ નગરીમાં શ્રી મહાવીર પ્રભુના પ્રાસાદ મંધાવી સૂરિજીના હસ્તે પ્રતિષ્ઠા કરાવ્યાની નોંધ ઉપલબ્ધ થાય છે. રામસિંહ મહેતા આ પ્રતિષ્ઠાસંપન્ન આસવાલ જ્ઞાતિમાં ઉત્પન્ન થયેલ છે.
અઢાઇ દિન કા ઝાંપડા.
·
અજમેરના પશ્ચિમ ભાગમાં એક અતિ પ્રાચીન જૈન મંદિર છે. કાઇ કારણથી આ મદિર યવાના અત્યાચારથી મુક્ત રહ્યું છે. આ મંદિરનું નામ અઢાઇ દિન કા ઝોપડા' છે. આ મંદિરના સબંધમાં એક એવી જનશ્રુતિ પ્રચલિત છે કે જૈન શિલ્પીઓએ કાઇ અદ્ભૂત મંત્રની શક્તિથી માત્ર અઢી દિવસમાં આ મંદિર બાંધી દીધું' હતું, અને એ જ કારણથી તેને ઉપર મુજબ નામ આપવામાં આવ્યું છે.
ભારતના ત્રણ પ્રધાન પવિત્ર સ્થાના પર જૈન લેાકેાએ જે ચિત્તાકર્ષક મંદિરે બાંધ્યા છે તે પરથી જૈન શિલ્પીએની યાગ્યતા ઉત્તમ રીતે પ્રકટ થાય છે. એમ જણાય છે કે યથેચ્છ સામગ્રી મળવાથી ‘અઢા’ દિન કા ઝૌ’પદ્મા નું બાંધકામ અતિશીઘ્ર પરિસમાપ્ત થયું હશે. આ મંદિરની ચારે તરફ ક્રાટ છે. આ કાટની પ્રાચીનતા અને શિલ્પકાય તપાસતાં મને શ્રદ્ધાપૂર્વક લાગે છે કે ભારતવર્ષ પર યવનાની સાથી પ્રથમ સત્તા સ્થાપનાર ધારીવશના પાદશાહેાના શાસનકાળમાં જ આ મંદિર બંધાયું હશે. મંદિરના ઉત્તર તરફના ભાગમાં સિંહદ્વાર અને પગથિયાં વિદ્યમાન છે......
–ટાડે રાજસ્થાન, ભા. ૧, પા. ૪૭.