________________
૧૫. રતનસિંગ ભંડારી.
વીરમગામના અધિકારી ભાવસિંગને રતનસિંગ જોડે મેળ ન હતા એ વાત છૂપી નહાતી, કેમ કે તે મારવાડીએને ધિક્કારતે હતે. એક તરફ તિરસ્કાર અને બીજી તરફ વેર વાળવાની વૃત્તિએ, તેને પોતાના ઉપરી અધિકારી પ્રત્યે બહુમાન રાખવાની ફરજ ભૂલાવી. તે મરાઠા નાયક સાથે મળી ગયો અને એ મરાઠા નાયકને તેણે છૂપી રીતે શહેરમાં દાખલ થવા દીધો. આ રીતે મરાઠા નાયક દામાજીએ વીરમગામનો કબજો લઈ લીધો અને મારવાડી વહીવટદાર કલ્યાણને હાંકી કાઢ્યો. એને બદલે પિતાને વિશ્વાસુ માણસ રંગજીને તેની જગ્યાએ મૂક્યો અને પોતે સોરઠ પ્રતિ આગળ વધ્યું. ઈ. સન ૧૭૩૬ની સાલમાં અર્થાત્ કબજે લીધે તે પછીના વર્ષમાં જ રાજી બાવળા સુધી આવી ગયા અને ત્યાં તેણે લૂંટ ચલાવી. રતનસિંગથી આ જોયું શી રીતે જાય? તરત જ તે સામે ગયે અને રંગેજીને વીરમગામ પાછા ફરવાની ફરજ પાડી. પૂંઠ પકડીને તેને કેટલોક સામાન પણ લઈ લીધો, છતાં તેને શહેરમાંથી કાઢી શકશે નહીં. છેવટે તેણે વીરમગામને ઘેરો નાંખે. દરમિયાન મરાઠાઓએ વીરતાભ હલે આયે. દામાજીને ભાઈ પ્રતાપરાવ દશ હજાર ઘોડેસ્વાર લઈ સીધો અમદાવાદ તરફ ધસી આવ્યા આ સમાચાર રતનસિંગના કાને પડ્યા પણ તેણે તે ખરા ન માન્યા.