________________
ગૌશ્યગાથા
[ ૫૯ ]
લેખાય. તેથી જ જૈનધર્મમાં જે અણુમૂલું મહત્ત્વ શ્રી તી કરા કે કેવલી ભગવાને છે તે અન્ય છદ્મસ્થને નથી જ. સાચું પરાક્રમ કે ખરી બહાદુરી તા એ પુણ્યશ્ર્લેાક આત્માઓની જ કહેવાય. તેમના માર્ગ નિ:શસ્ત્ર રહી, ઊઘાડી છાતીએ પરિસહાના સામના કરી કેવલ દયાવર્ડ જનતાના પ્રેમ જીતવાના, એને સાચા રાહ બતા વવાના અને આત્મસાક્ષાત્કાર કરવાના છે. એટલા માટે જ તેઓ આરાધનાને પાત્ર બન્યા છે. જ્યાં અહિંસાને આટલી હદે ગૌરવભર્યું સ્થાન હેાય ત્યાં હિ સાદ્વારા સમરાંગણમાં પરાક્રમ ફૈારવનારને કે શસ્ત્રો મારફત અન્યના પ્રાણ હરનારને વીરાની કક્ષામાં મૂકી આ જાતના ગુણુકીત ન કેમ કરી શકાય એ પ્રશ્ન સહજ સભવે.
એના ઉત્તર એ છે કે–ચાલુ યુગની દષ્ટિએ જૈનધમ હિં સાજનક કાર્યાંમાં વીરતા માને છે તે વાત જ નથી. અહીં તે! આ જાતના ઉલ્લેખા એટલા સારુ કરવામાં આવે છે કે જેએ એક કાળે એમ કહેતા હતા અને હજુ કેટલાક કહી રહ્યા છે કે હિંદની કિવા ગુજરાતની પરાધીનતામાં જૈનધર્મની અહિંસા કારણભૂત છે, અને જૈના દયાના હિમાયતી હાઇ યુદ્ધો. ખેડવામાં કે સમરાંગણમાં ઝૂઝવામાં કાયર અન્યા તેને લીધે ગુલામી ઘર કરી બેઠી છે, તેમને ઉઘાડી આંખે જોવા મળે કે એક કાળે જે શૂરાતનની વાતા બહુમાનપૂર્વક ગવાતી ને પાના પુસ્તકે નોંધાતી કિવા જે પરાક્રમ માટે આજે પણ મહારાણા પ્રતાપ કે શૂરવીર શિવાજીનાં નામ જનતામાં માનની નજરે જોવાય છે, તેવું શૌર્ય દાખવવામાં જૈન ધર્મનું પાલન કરનાર સમૂહમાં પણ વીરા પાકયા છે. અને એમણે જે ભાગ ભજવ્યેા છે એ જૈનધર્મના સિદ્ધાંતની નજરે અવશ્ય દોષપૂર્ણ હાવા છતાં પ્રજાકલ્યાણ કે દેશસ રક્ષણની નજરે કાયરતામાં લેખાય કે ગુલામીની મેડી મજબૂત કરનારા ગણાય, એમ છે જ નહિં એ હકીકત વાંચતા જ ઢીવા જેવી દેખાય છે.