________________
ગૌરવગાથા
[ ૧૭ ] યેગશાસ્ત્ર, ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર, દ્વયાશ્રય, શબ્દાનુશાસન વિ૦ તેમના વિદ્વાન શિષ્ય રામચંદ્ર કેટલાક પ્રખ્યાત નાટકો આ સમયમાં જ રચ્યાં. એ કાળે શ્રી પાળ રાજકવિ તરીકે અને સોલાક પ્રખ્યાત સંગીતવિશારદ તરીકે જાણીતા હતા. રાજવીએ જુદાજુદા એકવીશ સ્થાને પુસ્તકાલય સ્થાપ્યા અને જૂના ગ્રંથોનું શોધન કરી, નવી પ્રત તૈયાર કરવા સારુ સંખ્યાબંધ લહીઆઓ રોક્યા. કુમારપાળ ભૂપને પલદેવી રાણીથી થયેલી એક કુંવરી હતી. એનું નામ લીલાવતી હતું. તેણીને પ્રતાપમલ્લ નામા પુત્ર હતો. આ રીતે નૃપની ગાદી પર એક તરફ ભત્રિજા એવા અજયપાળને અને બીજી તરફ પ્રતાપમલ્લને હક હતો. અજયપાળ શિથિલ આચારને તેમ પૂર અને વ્યસની હોવાથી રાજવી તેમજ અન્ય સલાહકારોની નજર પ્રતાપમલ્લને ગાદીએ આણવાની હતી. ભવિતવ્યતાના કારણે એ શક્ય ન બન્યું. શ્રી હેમચંદ્રસૂરિના સં. ૧૨૨૯ માં સ્વર્ગગમનથી રાજાને ઘણે આઘાત થયા અને પછી છ માસમાં તેમનું મૃત્યુ થયું. અજયપાળ ગાદીએ આવ્યું. રાજ્ય વફાદારો પ્રત્યે વૈર લીધું અને ત્રણ વર્ષમાં કમોતે મર્યો.
ટાંક મહાશયના નિમ્ન શબ્દ ટાંકી આ પ્રખ્યાત રાજવીની જીવનઝાંખી પૂર્ણ કરવામાં આવે છે–
Kumarpal belonged to that class of rulers whose best-known representatives among the Jainas are Samprati, Amoghavarsh & Kharavella. He managed to combine in him the benevolence of a monk with the wisdom of a statesman. He was just impartial and laborious pure and above reproach in his private life, simple and frugal in his habits, regid and strick in the observance of bis religious vows. Kumarpal was a perfect model of Jaina purity and piety.
- (P. 12-13 Some Distinguished Jains ).