Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 62
________________ ગૌરવગાથા [ ૧૭ ] યેગશાસ્ત્ર, ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર, દ્વયાશ્રય, શબ્દાનુશાસન વિ૦ તેમના વિદ્વાન શિષ્ય રામચંદ્ર કેટલાક પ્રખ્યાત નાટકો આ સમયમાં જ રચ્યાં. એ કાળે શ્રી પાળ રાજકવિ તરીકે અને સોલાક પ્રખ્યાત સંગીતવિશારદ તરીકે જાણીતા હતા. રાજવીએ જુદાજુદા એકવીશ સ્થાને પુસ્તકાલય સ્થાપ્યા અને જૂના ગ્રંથોનું શોધન કરી, નવી પ્રત તૈયાર કરવા સારુ સંખ્યાબંધ લહીઆઓ રોક્યા. કુમારપાળ ભૂપને પલદેવી રાણીથી થયેલી એક કુંવરી હતી. એનું નામ લીલાવતી હતું. તેણીને પ્રતાપમલ્લ નામા પુત્ર હતો. આ રીતે નૃપની ગાદી પર એક તરફ ભત્રિજા એવા અજયપાળને અને બીજી તરફ પ્રતાપમલ્લને હક હતો. અજયપાળ શિથિલ આચારને તેમ પૂર અને વ્યસની હોવાથી રાજવી તેમજ અન્ય સલાહકારોની નજર પ્રતાપમલ્લને ગાદીએ આણવાની હતી. ભવિતવ્યતાના કારણે એ શક્ય ન બન્યું. શ્રી હેમચંદ્રસૂરિના સં. ૧૨૨૯ માં સ્વર્ગગમનથી રાજાને ઘણે આઘાત થયા અને પછી છ માસમાં તેમનું મૃત્યુ થયું. અજયપાળ ગાદીએ આવ્યું. રાજ્ય વફાદારો પ્રત્યે વૈર લીધું અને ત્રણ વર્ષમાં કમોતે મર્યો. ટાંક મહાશયના નિમ્ન શબ્દ ટાંકી આ પ્રખ્યાત રાજવીની જીવનઝાંખી પૂર્ણ કરવામાં આવે છે– Kumarpal belonged to that class of rulers whose best-known representatives among the Jainas are Samprati, Amoghavarsh & Kharavella. He managed to combine in him the benevolence of a monk with the wisdom of a statesman. He was just impartial and laborious pure and above reproach in his private life, simple and frugal in his habits, regid and strick in the observance of bis religious vows. Kumarpal was a perfect model of Jaina purity and piety. - (P. 12-13 Some Distinguished Jains ).

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154