________________
/WW.
'
',
-
છે
It
:/
. ' .
Se
૬. આશા શાહ.
મેવાડના સિંહાસન પર વિરાજતા સમરસિંહ ભૂપનું મૃત્યુ થયું. રાજગાદીને વારસ એ વેળા પારણામાં ઝૂલતો હતો એ તકનો લાભ લઈ અનૈરસ રાજકુમાર વનવારે રાજ્યમાં એવી તે ધાક બેસાડી દીધી કે સાચા વારસના રક્ષણમાં કઈ અધિકારીઓ ઊભા રહેવાની હિંમત ન દાખવી શકયા. આ વાત રાણીવાસમાં પ્રસરતાં જ રાજકુંવરની માતા કંપી ઊઠી. પાસે બેઠેલી દાયણ પન્નાએ હિંમત આપતાં કહ્યું કે
રાણીમાતા જરા પણ ગભરાશે નહીં. મેં તમારું લૂણ ખાધું છે અને મારા જીવનના ભાગે હું લૂણ હલાલ કરી રાજપુત્રનું રક્ષણ કરીશ.” આ વાત પૂરી થઈ ત્યાં તે સમાચાર આવ્યા કે વનવીર ઊઘાડી તલવાર સાથે કુંવરનું શીર છેદવા રાણીવાસમાં આવી રહ્યો છે. પન્ના દાઈ તરત જ કુમારને સુવર્ણ જડિત પારણામાંથી ઉઠાવી લઈ બહાર દોડી ગઇ અને અલ્પ સમયમાં પાછી ફરી. કુંવરના સ્થાને પોતાના પુત્રને સુવાડી હાલા ગાવા લાગી ગઈ. વિકરાળ ચહેરાવાળે વનવીર આવી જુસ્સાથી બોલ્યા.
દાસી! ક્યાં છે બાળ રાજકુંવર?” પન્ના કંઈ પણ બેલ્યા વિના નત મસ્તકે પારણાની દેરી ખેંચી રહી. રાણું કંઈ બોલે તે પૂર્વે પારણામાં સૂતેલ બાળક