________________
s,
-- , * * * - *, * *',
K
D R
ai -
૫. પશ્ચિમના મંડલિક આભુ
સંવત્ ૧૩૦૦ થી ૧૩૪૦ આશરેના સમયમાં આ ગૃહસ્થ થારાપદ્રયાને (થરાવ?) થરાદ નગરમાં થયેલા છે. તેઓ શ્રીમાળી જ્ઞાતિમાં શિરમણ હતા એટલું જ નહીં પણ રાજ્યમાં મંત્રીશ્વરના માનવંતા અધિકાર ઉપર હોઈ, રાજા પ્રજાની પ્રીતિનું એટલી ઉચ્ચ કક્ષાએ ભાજન બન્યા હતા કે આસપાસના પ્રદેશમાં પશ્ચિમના મંડલિકના બિરુદથી ઓળખાતા. તેમની પાસે પૂર્વજોના વારસામાં મળેલ, તેમજ પોતાના આપબળે કમાઈ પ્રાપ્ત કરેલ કોડે ગમે દ્રવ્ય હતું. પ્રધાન પદના માનવંતા હોદ્દા પર આવતાં પૂવે એક નામીચા શાહ સેદાગર અને લાખાના વ્યવહારી તરીકે વ્યાપારી સમાજમાં જાણીતા હતા. સત્તાના સૂત્રે હાથમાં ધારણ કર્યા પછી સ્વબુદ્ધિબળ અને અડગ હિમ્મતના જોરે થોડા સમયમાં સારાયે રાજ્યમાં એવી સુંદર છાપ બેસાડી દીધી કે પ્રજાને ન તો ચાર લૂંટારાને ભય કે પરરાજ્યને ચઢી આવવાનો ભય રહો. શાંતિ એટલી હદે પથરાઈ અને સ્થિર બની કે વેપારવણજ સારા પ્રમાણમાં વધી પડ્યા અને થારાપદ્રની ગણના ધંધાના ધીકતા ધામમાં થવા માંડી.
પાછલી અવસ્થામાં મંત્રીશ્વરે લક્ષમીને સદુપયોગ કરી આત્મશ્રેય સાધવાના ઈરાદાથી શ્રી શત્રુંજય મહાતીર્થને છરી પાળા સંઘ કાઢ્યો. સંઘમાં સાત સે જિનમંદિર, ચાળીશ હજાર ગાડાં, પંદર સે ઘેડા, બાવીસ સે ઊંટ આદિની સામગ્રી