________________
ગૌરવગાથા
[૨૩] વનવીરની અસિને ભેગ બન્ય. આ રીતે સાચા હકદારને ઉખેડી નાંખ્યાનો આનંદ માનતો વનવીર તરત ત્યાંથી પાછા ફર્યો.
રાણીથી બેલી જવાયું–“પન્ના! તું ખરેખર દાસી નથી પણ દેવી છે. પોતાના પુત્રના ભાગે તે મહારાણાના વંશને લીલ રાખે, બહેન ! તારા આ અપૂર્વ બળિદાનનો બદલે હું શો આપું ?”
કુંવર મેટ થઈ ગાદીએ બેસશે ત્યારે એ વાત વિચારીશું. હજુ સામે ભયની પરંપરા ખડી છે. તમે હિંમત રાખી જે થાય તે જોયા કરે. હું કુંવરને સુરક્ષિત સ્થળે મૂકી આવું. વનવરની નજરે એ મરી ગયેલ છે એટલે મારું કાર્ય પાર ઉતારવામાં તાત્કાલિક અગવડ નહીં ઊભી થાય.”
પન્ના દાસી સાથમાં વિશ્વાસુ ભીલને લઈ, પુષ્પના કરંડકમાં કુંવરને સંતાડી, વનવારના રક્ષકેની ચકી વટાવી અરવલ્લી પહાડને દુર્ગમ માર્ગમાં ચાલી નીકળી. શૈલમાળાને વટાવતી અને ફૂટ માર્ગોને ઓળંગતી કેટલાયે મંડલિકેના ગામમાં ભ્રમણ કરી વળી! વનવીરના કપરા ભયથી એક પણ મંડળિકે કુંવરને ગુપ્તપણે પોતાના પ્રદેશમાં રાખી ઉછેરવાનું સાહસ ન કર્યું. પૈસાની અને બીજી ત્રીજી મદદ આપવાની હા ભણી પણ રક્ષણ આપવા સંબંધમાં તે સ્પષ્ટ ના સંભળાવી!
નારી જાતિમાં રત્ન સમી દાસી પન્ના ક્ષત્રિયામાંથી–રાજપુત વંશમાંથી આટલી હદે ક્ષાત્રતેજ નષ્ટ થયેલું નિરખી હતાશ બની! શરણે આવેલાને રક્ષણ આપવામાં ધર્મ માની ધન-સંપત્તિ અને રાજ્ય સુદ્ધાં ખુવાર થવા દેનાર રાજવીઓ
ક્યાં અને અત્યારના આ ભીરુ મંડળિકે કયાં? કેટલું અધઃપતન ! આવી ડરપકતા આ રાજસ્થાનમાં ઘર ઘાલતી જોઈ એ બહુ મુંઝાઇઆમ છતાં હિંમત ન હારી રાજકુમારને