________________
શ્રમણ ધમાં કેવા ?
: ૮૫ :
પરપરાને ઉપજાવનાર તમામ સામગ્રીથી દૂર રહી રાગ-દ્વેષની જંજાળમાં ન ફસાય તેવા વાતાવરણમાં રહી મનને અશુભ સંકલ્પાથી દૂર રાખી કે આત્મસ્વરૂપાવગાહી મનાવવા પ્રય– નશીલ થવું.
વચનસિ—ઈશારા આદિ પણ કર્યા વિના સ'પૂર્ણપણે વચનેાચ્ચારની સાવદ્ય-પ્રવૃત્તિથી અટકવું.
કાયસિ—ગમે તેવા ઘાર પરીષહ-ઉપસર્ગાદિ પ્રસંગે પણ શરીરને પાપમય-પ્રવૃત્તિ તરફ઼ે પ્રવવા ન દેવું, અથવા સંયમના અનુષ્ઠાના અગર શરીરધર્મની ચેષ્ટાઓમાં નિયમિત રહેવું, ચંચલતા દોષના પરિહાર કરવા.
આ સમિતિ-ગુપ્તિનું યથાસ્થિત પાલન સંયમી આત્માને ક્રમિક આત્મવિકાસ સાધનાના પંથે આગલ ધપાવી સમ્યગ્દર્શીન-જ્ઞાનચારિત્રના પુનિત સમવાયસ્વરૂપ વિશુદ્ધ આરાધકભાવને કેળવી અત્યુત્તમ મુક્તિપદની પ્રાપ્તિ શીઘ્ર કરાવે છે.
આમાં મુનિએ લક્ષ્ય તરીકે ગુપ્તિને રાખવાની જરૂર છે. જેમ બને તેમ મન-વચન-કાયાની પ્રવૃત્તિ માત્ર અલ્પ બનતી જાય અને જ્ઞાનાદિ ગુણાની શુભ વિચારણા એવ' તદ્દનુકૂલ શુભ પ્રવૃત્તિ વધે તે રીતે વર્તવાની જરૂર છે. ગુપ્તિમાં વધુ સમય ન ટકાય અને પ્રવૃત્તિ કરવાના અવસર આવે ત્યારે સમિતિના પરિપાલન માટે સાવધ બની પ્રવૃત્તિ કરવી. આમ ગુપ્તિ-સમિતિને પરમાર્થ સમજી ચેાગ્ય-પ્રવૃત્તિ કરનાશ જ વાસ્તવિક સાધનાના પરમેાચ્ચ લને મેળવી શકે છે.