________________
સંયમની સાધનારૂપ પગદંડીએ
: ૨૨૫ :
૫૧ સાધુને ચિંતા હોય તે એક જ કે “ભવભ્રમણથી શી રીતે બચાય?” અને તે માટે જરૂરી સંયમની પાલના માટે ગુરુ ચરણે પૂર્ણપણે સમર્પિત થઈ જવાની તમન્ના સાધુના માનસમાં અહોનિશ જાગતી હોય છે. પરદીનતા સાધુનું મેટામાં મોટું દૂષણ છે.
૫૩ મેટા બેરિસ્ટરે કે વકીલ ગિની-સેનામહોરોના હિસાબે મિનિટની કિંમત વાત કરનાર અસીલ સાથે આંકતા હોય છે, તો તેના કરતાં પણ સંયમી જીવનને એકેક ક્ષણ અમૂલ્ય છે તેથી નિષ્પાજન વાતે કે મનુપયેગી પ્રવૃત્તિઓમાં જરા પણ સમય વ્યર્થ ન ગુમાવો જોઈએ. - ૫૪ જે સાધુ ઈન્દ્રિયોના વિકારેને પિષવામાં કપડાં–શરીરની ટાપટીપ કે માનપાનમાં ફુલાઈ જાય છે, તેનું જીવન અગામી જ બને છે.
પપ સાધુએ ખાસ કામ વિના આસનેથી ઉઠવું ન જોઈએ. નિપ્રયોજન જ્યાં ત્યાં ફરવાની ટેવ સાધુને છાજતી નથી.
૫૬ સાધુએ ચંચલતા છાંડી દરેક ક્રિયામાં સ્થિરતા કેળવવી.
૫૭ ભણતી વખતે કે લખતી વખતે ટટાર બેસવું જોઈએ જેથી શરીરમાં રોગ ન થાય.
૫૮ સવારમાં ચાર વાગ્યા પછી સૂવું ન જોઈએ, કેમકે તે વેળાએ મન ધર્મધ્યાનમાં જલ્દી વળી શકે છે.
૫૯ સ્વાધ્યાય કે ખાસ જરૂરી કામ સિવાય મૌન રહેવા પ્રયત્ન કરે,
૧૫