________________
સંયમની સાધનારૂપ પગદડીઓ
: ૨૨૭ :
૭૦ પિતાની મરજી મુજબ ચાલનાર સાધુ કદી પણ સંયમની મર્યાદાઓ જાળવી શકતું નથી. .
૭૧ “મને આમ લાગે છે માટે હું તે આમજ કરીશ” એ કદાગ્રહ ન રાખતાં પૂ. ગુરુદેવને જે એગ્ય લાગે તે રીતે જ કામ કરવાનો આગ્રહ રાખવો.
.. ૭૨ સ્ત્રી સાથે વાવચીત, બહુ કે વારંવાર વિગઈને વ૫રાશ, શરીરની શેભા-ટાપટીપ આ ત્રણે સાધુ માટે તાલપુટ ઝેર સમાન ભયંકર છે.
૭૩ જે સંસારને દુ નથી અને પાપથી ભરેલો જાણી ત્યાગ કર્યો, હવે તે સંસારની કુલામણીમાં ફરીથી ન ફુલાઈ જવાય તે માટે સાવધ રહેવું ઘટે.
૭૪ સાધુને જે સુખ સંયમના અનુભવથી મળે છે તે દેવેન્દ્ર કે ચક્રવર્તીને પણ નથી મળતું.
૭૫ સંયમમાં દુખ ઓછું સુખ વધારે-સંસારમાં સુખ ઓછું, દુઃખ વધારે–આ એક નક્કર હકીકત છે! ભલે બાહ્યદૃષ્ટિથી આપણને વિપરીત લાગતું હોય કે–“સંયમમાં દુઃખ વધારે છે અને સંસારમાં સુખ વધારે છે.” ખરેખર આ ભ્રમાત્મક અનુભવ છે.