________________
: ૨૧૬ :
સચમની સાધનારૂપ પગદંડીઓ
૬૦ સાધુની ભાષા મીઠી-મધુર ન્યાયેાપેત નિરવદ્ય અને પ્રભુની આજ્ઞાનુસારી હાવી જોઇએ.
૬૧ ગુરુમહારાજના ઠપકા મિષ્ટાન્ન કરતા પણ વધારે મીઠા લાગવા જોઈએ.
૬૨ સારૂં બ્રહ્મચર્ય પાળનાર પ્રાયઃ રાગી બનતા નથી. ૬૩ બ્રહ્મચર્ય ભગથી ખાકીના ચાર મહાવ્રતાના પણ ભગ થઈ જાય છે.
૬૪ સાધુને શરીર કરતાં આત્માની ચિંતા વધારે હોય અને આલેાક કરતાં પરલેાકની ચિંતા વધુ હોય છે.
૬૫ સાધુ-સાધુ વચ્ચે ખટપટો કરાવે કે નારવિદ્યા કરી પેાતાને હાંશિયાર માને તે સાધુ ન કહેવાય.
૬૬ દરેક ધર્મક્રિયાઓ કરતાં ભગવાનને યાદ કરવા જોઈએ કે—અહો નિષ્કારણુ કરુણાભુ પરમાત્માએ ભવાધિતારક ક્રિયાઓ કેવી સરસ નિર્દેશી છે ?
૬૭ સવારમાં રાજ ઉઠતાં જ વિચારણા કરવી ઘટે કે— “હું સાધુ છુ...! મારે પાંચ મહાવ્રત પાળવાનાં છે! મારૂં કર્તવ્ય હું શું નથી કરતા ? મ્હેં કેટલી સંયમની સાધનામાં પ્રગતિ કરી ? તપમાં શક્તિ ગેાપવું છુ કે કેમ ? ” આદિ.
૬૮ ગુરુમહારાજની ઈચ્છાને અનુકુલ રહેવું તે સંયમીનું પ્રધાનકર્તવ્ય છે.
૬૯ ગુરુમહારાજની કોઇપણુ આજ્ઞાને આત્મહિતકર માની હૃદયના ઉલ્લાસથી અમલી બનાવવા પ્રયત્ન કરવા.