________________
૩૨
સાધુતાની જ્યોત અતિશય–જ્ઞાનીઓના વિરહમાં શાસ્ત્ર–વાંચન એજ આમેદ્ધારને પરમ માર્ગ છે.
શાસ્ત્રનું વાંચન પંક્તિઓ લગાવવા પૂરતું ન રહેવું જોઈએ. પણ જીવનમાં વણી લેવું જોઈએ,
રોજ ૫૦૦ શ્લેક–પ્રમાણ જરૂર વાંચવું. ૫ કેટલા લોક કંઠસ્થ કર્યા?
શાસ્ત્રના શ્લોક યા ગાથા કે ગદ્ય કંઠસ્થ રાખવાથી વિરાગ્ય શુદ્ધ થાય છે. જ્ઞાનાવરણય-કર્મન લોપશમ થાય છે, છ મહિને પણ એક ગાથા થાય તે પણ ગોખવાનું જારી રાખવું
રોજ ૧ કલાક તો ગોખવું. બપ્પભટ્ટસૂરિ રોજ ૭૦૦ શ્લોક ગેખતા હતા. ૬ કેટલે વખત સત્સંગ કર્યો?
સત્સંગનો પ્રભાવ અચિંત્ય છે, જ્ઞાની, ધ્યાન, ત્યાગી કે યોગી એવા ગુણીજનને સમાગમ મહાન લાભ આપે છે. પુણ્યવાનને જ તેને સમાગમ થાય છે. સંગ થયા પછી પણ તેને લાભ થડા જ આત્માએ લઈ શકે છે. સત્સંગને એક ક્ષણ પાપી–આત્માને ઉદ્ધારનારો થાય છે. તેમની સેવા, વચન, ઉપદેશશ્રવણ કષાયથી સળગતાને શાંત કરે છે. તેવા સત્સંગને સાક્ષાત્ લાભ ન મળે ત્યારે તેમના પુસ્તકનું વાંચન-મનન પણ લાભદાયી છે.
૭ કેટલે વખત સદુપદેશ સાંભળ્યો?
સદુપદેશ એ આત્માની આધ્યાત્મિક–પ્રગતિમાં અસાધારણ કારણું છે.
હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં નિવૃત્તિ કરાવનાર સદુપદેશ છે.