________________
૧૬૪
સાધુતાની જાત ૪ વૈરાગ્યવાહી-ગ્રંથેનું વાંચન-મનનાદિ
જેમકે શ્રી અધ્યાત્મ- કલપક્રમને બીજે પાંચ આઠમ, નવમે, અગિયારમે, તે રમે, અને પંદરમે અધિકાર, શ્રી પ્રશમરતિ, શ્રીજ્ઞાનસાર, શ્રી અધ્યાત્મ સાર, શ્રીઉપદેશ માલા, શ્રી શાંતસુધારસગ્રંથ, શ્રીરત્નાકરપચીશી, શ્રી હૃદયપ્રદીપ-છત્રીશી, શ્રી કુમારપાલ ભૂપાલ રચિત સાધારણજિન સ્તવન વગેરે ગ્રંથો. ૫ દ્રવ્યાનુયોગને પ્રાથમિક અભ્યાસ
ચારે અનુગમાં પ્રધાન ચરણ-કરણાનુગની મહત્તાસફલતા દ્રવ્યાનુયેગની સાપેક્ષ-વિચારણા પર અવલંબે છે, માટે પ્રાથમિક-કક્ષામાં વત્તતા બાલ-જીવોને માટે ચરણકરણનુયોગ અમુક-ક્રિયાઓના શુભ આસેવનના બલે આમિક સંસ્કારોના ઘડતરની ભૂમિકા તૈયાર કરે છે, પણ સાધુજીવનમાં તો તે તૈયાર થયેલું પ્રાથમિક-ભૂમિકા ઉપર ગ્ય–સંસ્કારોનું મજબૂત મંડાણ કરવાનું હોય છે, તેથી દ્રવ્યોનુગની સાપેક્ષ પ્રધાનતા (પોતાના માટે) જરૂરી છે. માટે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ (શક્તિ-ક્ષપશમ આદિની અનુકૂળતા હોય તે છ કર્મગ્રંથ, નહિ તે પાંચથી સામાન્ય ખ્યાલ આવી રહે છે.) શ્રીતનવાર્થ સૂત્ર, શ્રીનકણિકા શ્રી પ્રમાણુનયતત્ત્વાકાલંકાર અને શ્રી દ્રવ્યગુણપર્યાયને રાસ, સમકિતના ૬૭ બેલની સઝાય - દષ્ટિની સજઝાય વગેરે તાત્વિક–વિચારના પ્રાથમિક-ગ્રંથનું અધ્યયન જરૂરી છે.