Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala
Catalog link: https://jainqq.org/explore/022994/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ వాడు Poooooooo ત્યોત Folden 28/28:Gusaugalernae Page #2 -------------------------------------------------------------------------- ________________ A> > > પ્રી મહાનિશીથ-સૂત્રમાં વર્ણવેલ જયણુનું સ્વરૂપ % અઢાર હજાર શીલાંગ સત્તર પ્રકારને સંયમ ચૌદ જીવ – સ્થાને તેર ક્રિયા - સ્થાને બાર પ્રકારનો બાહ્ય-અત્યંતર તપ બાર પ્રકારની ભિક્ષુ-પ્રતિમા દશ પ્રકારને શ્રમણ- ધર્મ નવ બ્રહ્મચર્ય – ગુતિ આઠ પ્રવચન – માતા સાત પિડેષણ છ જવનિકાય <> <> ~> મહાવ્રત-અને <> > >>><> <> ત્રણ ગુપ્તિ થાવ –સમ્ય-દર્શન સભ્ય જ્ઞાન અને સમ્ય-ચારિત્રની તમામ આસેવના ભયંકર વિષમ-અટવી, હડહડતો દુકાળ કે પ્રાણુત-કષ્ટદાયી બિમારીના ભયાવહ અસાધ્ય પ્રસંગે ઘડી-બે ઘડીમાં પ્રાણ ચાલ્યા જવાની કપરી કસોટી ટાણે પણ મનથી ખંડન-વિરાધના થવા દીધા વિના ભાવશુદ્ધિ અચૂક નભાવવી તેમજ કરણ, કરાવણ કે અનુમોદનાને સૂક્ષ્મ પણ ભાંગે લગાડ્યા વિના પ્રાણના ભેગે પણ આરાધક ભાવની દૃઢતા કેભવવી તેનું નામ જયણા) » ΧΟ>«0» »»»»«»xos <> <> <>>> Page #3 -------------------------------------------------------------------------- ________________ XXXXXKXELLES श्री वर्धमानस्वामिने नमः । સાધુતાની જયોત સાધુ જીવનને શાસ્ત્રીય રીતે સુસંયમી બનાવનાર શાસ્ત્રીય-મર્યાદાઓને ટુંક સંગ્રહ. સામાચારી-સંપન્નઃ સાધુ: G:LXXXXXXXXXXXXXXXX XXXXXXXXXXXXX – પ્રકાશક - બાબુભાઈ સાકરચંદ ટોપીવાળા મુંબઈ વીર નિ. સં. ૨૫૦૮ પ્રથમવૃત્તિ ૧૦૦૦ ૨૦૩૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક પ્રાપ્તિસ્થાન શ્રી વર્ધમાન જૈન પેઢી જૈન આગમ મંદિર પાસે પાલીતાણા-૩૬૪૨૭૦ પં. રતીલાલ ચી. દેશી ૧૩૮૯ મામુનાયકની પાળ કાળુપુર અમદાવાદ આ ર્થિ ક સ હ ય કે ૨૦૦૧-૦૦ શકરીબેન જૈન ઉપાશ્રય જ્ઞાનખાતામાંથી જ હ. લાલભાઈ પરીખ અમદાવાદ. ૧૫૦૧-૦૦ પૂજ્ય મુનિશ્રી સમ્યગુરત્નસાગરજીની પ્રેરણાથી સુરતના એક સદગૃહસ્થ તરફથી. પૂ. મુનિશ્રી દર્શનવિજયજી મ. ના સદુઉપદેશથી..... શ્રી માટુંગા જૈન . મૂ. પૂ. તપાગચ્છ સંઘ હ. જીવણભાઈ અમુલખદાસ કવાડીયા મુક તરફથી આ પુસ્તકના પ્રકાશનમાં કાંતિલાલ ડી. શાહ રૂ. ૨૫૦૧-૦૦ મળ્યા છે. ભરત પ્રિન્ટરી દાણાપીઠ પાછળ પાલીતાણા-૩૬૪૨૭૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક તરફથી.. દેવ-ગુરુ કૃપાએ “અપક્ષ-માઇઝની પ્રાચીન સૂત્ર વિષચક-વ્યાખ્યાને અનુસરતા ગંભીર–અર્થવાળા ટૂંકા-માર્મિક લખાણોવાળું આ લઘુ પુસ્તક શ્રીશ્રમણ-સંઘની પુનિત-સેવામાં રજૂ કરતાં અપૂર્વ ધન્યતા અનુભવ થાય છે. કેમ કે અનંત-પુણ્યના ઉદયે દેવ-દુલભ આરાધનાની સામગ્રીવાળો વિશિષ્ટ માનવભવ મળવા છતાં તેની સફળતા સર્વવિરતિ–દ્વારા ન કરી શકવાની પશ્ચાત્તાપમય-સ્થિતિમાં વિશિષ્ટ આશ્વાસનરૂપે શ્રમણ-સંઘની કાળબળે આવેલ ઝાંખપને ઘટાડી ઉજજવળતામાં વધારો કરનારા શાસ્ત્રીય ટૂંકા પણ માર્મિક લખાણે, જેનાથી કે શાસ્ત્રાનુસારી-સંયમની પદ્ધતિનું રસગ્રાહી દર્શન મેળવી આરાધક પુણ્યવાને જીવનને તેજસ્વી પંથે વધારવા ઉજમાળ બની શકે તેવા પણ અણમોલ ઝવેરાતની પેટી જેવા દેખાવમાં નાનકડા પણ અર્થથી મહાન આ પુસ્તકને પ્રકાશિત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. તે અહેભાગ્યની વાત છે. આગમચર્તિધર આગમર્દષ્ટા આગમસમ્રા ધ્યાનસ્થ સ્વર્ગત ૫. આગામે દ્ધારકઆચાર્યદેવશ્રીના પટ્ટપ્રભાવક પૂજ્ય આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજીના પરમ-વિનય Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉગ્ર–તપસ્વી સયમમૂર્તિ સવેગી—શિરામણુ શાસન-જ્યાધિર પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરજી મ. શ્રીએ પૂ. ઉપાધ્યાયશ્રીની સયમ નિષ્ઠાને શ્રીશ્રમણ-સ`ઘમાં પ્રસારિત કરવા વિશિષ્ટ શાસ્રીય પદ્ધતિએ જે મહત્ત્વના પાંચ પુસ્તકા લખ્યા તે બધામાં શિરામણિરૂપ આ પુસ્તક પ્રકાશિત કરવાના લાભ પૂજ્યશ્રીએ અમાને આપ્યા છે, તે બદલ અમેા ખરા અંતઃકરણથી તેના ઋણી–કૃતજ્ઞ છીયે. છેવટે આના પ્રકાશનમાં લાભ લેનારાઓના ધમ પ્રેમની અનુમેાદના સાથે છદ્મસ્થતાવશ કે મુદ્રણની ખામીથી કંઈ ખ લના થઇ હોય તેા તે બદલ હાર્દિક મિથ્યાદુષ્કૃત માંગુ છુ. વીર, નિ. સં. ૨૫૦૮ વિ. સં. ૨૦૩૮ ચૈ. સુદ. ૫ સામવાર રિકાઈનરી બિલ્ડીંગ ધનજી સ્ટ્રીટ, મુંમા ૩. નિવેદક બાબુલાલ સચક ટાપીવાલા સાધુ જીવનના સ્થલા * સમી છત્રન–મર્યાદા આ સામાચારી-પાલન * સહનશીલતા * આત્મનિરીક્ષણ ગુણાનુરાગ-દૃષ્ટિ Page #7 -------------------------------------------------------------------------- ________________ श्री वर्धमान - स्वामिने नमः * સાધુતાની જ્યોત ( સાધુજીવનને સફળ બનાવનાર મહત્ત્વની જરૂરી–માખતાના સંગ્રહ) મહામ‘ગલકારી જિનશાસનની પ્રાપ્તિ આ પાઁચમ-આરામાં પ્રકૃષ્ટ-પુણ્યના ઉદયે થયા પછી તેને સફળ બનાવવાના વિશિષ્ટ પ્રયત્ના વિવેકી પુણ્યવાનાએ જ્ઞાની નિશ્રાએ કરવા ઘટે. આ માટે ‘સંયમ ’–શબ્દના વ્યુત્પત્તિ-અને ધ્યાનમાં રાખી વૃત્તિઓને થાયેાગ્ય રીતે સૌંસ્કારાની દિશામાંથી વાળી જ્ઞાનીઓની આજ્ઞા તરફ વાળવાના પ્રયત્ના માટે ભગીરથ પુરુષાર્થની દિશામાં પ્રથમ પગલું ભરવું ઘટે. વર્તમાનકાળે કાળ-ખળથી સંયમ—સંબંધી ગ્રહણુશિક્ષા અને આસેવન-શિક્ષાના લગભગ વિરહ થયેલ છે. તેથી સચમ-પથે ઉમંગ-પૂર્વક આવનારા પણુ પુણ્યાત્માએને સંયમ એટલે શું?” એની સ્પષ્ટ સમજણુ મળવી દુર્લભ થઈ પડી છે. 66 પરિણામે ગતાનુગતિક-ન્યાયે “આત્મા માટે કઇક કરી છુટવા’'ની અપૂર્વ-તમન્ના સાથે આવનારા સ ́વેગી– ૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની ન્યતા મુમુક્ષુ આત્માઓ પણ લૌકેષણા-પ્રધાન જીવનના આડ-રસ્ત ચડી જાય છે. એટલે ભાવદયાથી પ્રેરાઈને વર્ષો સુધી કરેલ આગમને અભ્યાસ, અનુપ્રેક્ષા, ચિતન આદિ બળે મેળવેલ સંયમસંબંધી આગેમિક-પદાર્થોની મલાઈરૂપ મુદ્દા-સમું આ લઘુપુસ્તિકામાં સંગ્રહિત કર્યું છે. જે કે વિવેકી–સંયમીઓને ખૂબ જ અગત્યનું માર્ગદર્શક નિવડશે, એવી ખાત્રી છે. તેમ છતાં આ પુસ્તિકામાં જણાવાયેલ શાસ્ત્રીય બાબતને જ્ઞાની–ગુરુના ચરણોમાં વિવેક-વિનયથી બેસી સમજી અમલમાં મૂકવા પ્રયત્ન કરવા ખાસ ભલામણ છે. LET સંયમનું વિશુદ્ધ-પાલન કરવા માટે જરૂરી સાધને ૧ ગીતાર્થ, જ્ઞાની અનુભવી ( ૯ સ્વાધ્યાય. * સદ્ગુરુની નિશ્રા. ૧૦ શાસ્ત્રીય-મર્યાદાનું વ્યવસ્થિત ૨ સુવિહિત ગચ્છ. જ્ઞાન. ૩ શુદ્ધ વસતિ. ૧૧ ગુરુ-આજ્ઞાધીનતા. * સાંગિક-સાધર્મિક સાધુને ૧૨ મિથ્યાદિ ભાવે. સહવાસ–પરિચય. ૧૩ આત્મ-નિરીક્ષણ. પ નિર્દોષ આહાર–પાણ. ૧૪ ગુણાનુરાગ. ૬ શકય તપશ્ચર્યા. ૧૫ ભૂલની કબૂલાત. ૭ આત્યંતરતપનું વિશિષ્ટ પાલન. | ૧૬ વિનય-શિસ્તનું પાલન ૮ યોગ્ય સંયમોપકરણે. Page #9 -------------------------------------------------------------------------- ________________ લાલસા ઉપર કાબુ મેળવવા તથા તપ-ધર્મના સફલ-આસેવન માટે કલ્યાણકર સૂચના अस्स्वाण रसणी कम्माण मोहणी, वयाण तह चेव बंभवयं । गुत्तीण मणगुत्ती , चउरो दुक्खेहिं जिप्पन्ति ॥ १ ॥ પાંચે ઇંદ્રિયામાં રસનેન્દ્રિય, આઠે કર્મામાં મેહનીય ક્રમ, પાંચે મહાત્રતામાં બ્રહ્મચમ ત અને ત્રણે ગુપ્તિમાં મનેાગુપ્તિ અતિ દુય છે. ખરેખર વ્યવહાર–ષ્ટિએ જગતના વ્યવહારાથી અલગ થયેલા મુનિને લેાકલજજાદિ–કારણે પણ અન્યઇન્દ્રિયાના. વિષયા છેાડવા પડે છે, પણ રસનેન્દ્રિયના ભાગ લેાથી પ્રચ્છન્નપણે થઈ શકે છે, તેમજ પૂર્વના મહાપુરુષાએ ઉગ્રસાધનાના બળે મેળવેલી મુનિપણાની છાપના ઓઠા તળે રસનાને પેાષક સ સામગ્રીએ મલવી સુલભ બનતી હાવાથી રસનેન્દ્રિયને પોષક ઉપભેાગ-સામગ્રી સ્વચ્છ દર્પણું ભાગવી શકાય છે. મેળવી આ કારણે જ જે આ વિષયમાં દુર્લક્ષ્ય રાખે છે, તેઓનું મુનિપણુ... નિઃસાર બની જાય છે, તેથી મુનિપણામાં Page #10 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની જ્યોત સાધવા લાયક સ્વભાવ–પરિણતિ–દશાને આસ્વાદ પણ મેળવી શકાતું નથી. | માટે નીચે સુજબ જણાવેલ ઉપાયથી રસનાના સંયમને મેળવી શાસ્ત્રોક્ત-મુનિપણના આનંદનો અનુભવ મેળવો જોઈએ. ૧. સંયમ અને તપના અનન્ય–સાધનભૂત શરીરના પિષણ વખતે રસના-વાસનાને પોષણ ન મળી જાય, તેનું સતત લક્ષ્ય રાખવું જોઈએ. ૨. આગાઢ-કારણે શરીરાદિના ઉપવૃંહણ માટે લેવાતે પદાર્થ પણ સ્વાદ કે રસમયતા વડે ઇન્દ્રિયોનાં વિકાર પેદા કરે તે રીતે તે ન જ લે, પણ પ્રકારાંતરે તેના મૂલ રસસ્વરૂપને બદલી પેષણનું તત્વ મળી રહે અને લાલસા-વૃત્તિ ન પિવાય, તે માટે જયણાશીલ-પ્રવૃત્તિ રાખવી. ૩. તથા સંયોજિત કરેલા રસનું અગર એક સાથે બીજા રસનું આસ્વાદન ન થાય, તેનું પણ પૂર્ણ ધ્યાન રાખવું. ૪. વળી નીચે જણાવેલ ભેજનના પ્રકાર તથા તેને હેપાય-વિભાગ લક્ષ્યમાં રાખવો. { fઉંદમકન–એક જ બાજુથી વાપરવું તે. ૨ બતભેગર–જેવું લીધું તેવું વાપરવું તે. . રૂ તિમોગર–ઉપેક્ષાભાવથી વાપરવું તે. જ જમના–ચૂંથીને વાપરવું તે. ૯ શુક્રમોના–જ્યાં-ત્યાંથી વાપરવું તે. Page #11 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણકર સૂચના આ પ્રકારામાં પ્રથમના ત્રણ ઉપાદેય છે; ખાકીના હૈય છે, અર્થાત્ હાથીની જેમ ઉપેક્ષાભાવે કે સિંહની જેમ એક બાજુથી જ ભાજન કરવું તે રસનાને જીતવાના પ્રખલ ઉપાય છે. ટૂંકામાં—જે રીતે રાગ-દ્વેષ ન થાય, તે રીતે વાપરવું શ્રેષ્ઠ છે. વળી ઈન્દ્રિયાની વાસના-લાલસા ઘટાડવા પ્રત્યેક વસ્તુના ઉપભાગ કરતી વેળાએ તેના ઉપયાગ કરવાના હેતુઓની સમીક્ષા કરા ! જરૂરીયાત છે? સગવડના લાભ લેવા છે? કે શાખ છે? પ્રત્યેકમાં આ ત્રણ વિકલ્પા ઘટી શકે છે. હવે આમાં નીચે મુજબ વિવેક કરવા. જો જરૂરીઆતવાળી ચીજોથી નભી શકતુ· હેાય તા સગવડ ખાતર કે શાખ માટે વપરાતી ચીજોને ત્યાગ કરવા. તે છતાં કદાચ જરૂરીઆત ઉપરાંત સ્હેજે મળી આવેલ સગવડના લાભ લેવા મન લલચાઈ જાય તેા પણ શેખને ખાતર તેા ઉપભાગની પ્રવૃત્તિ ન જ કરવી. આને દૃઢ-નિશ્ચય જરૂર રાખવે. ઉપર મુજબની હિતશિક્ષા ધ્યાનમાં રાખી પ્રત્યેક મુમુક્ષુ પ્રાણીએ અનતા–પ્રયત્ને ઇન્દ્રિયાની દૃઢમૂળ બનેલી વાસનાને જડમૂળથી ઉખેડી નાંખનારા તપના આસેવનમાં વધુ પ્રયત્ન કરવાની જરૂર છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની ન્યાત તપનું આસેવન ન થવામાં શરીર-મૂર્છા, સુખ-શીલતા, આળસ, પ્રમાદ અને વીય ની ફારવણીના અભાવ મુખ્યતઃ કારણરૂપ હાય છે, પણ વિવેકી-આત્માએ નીચેનું સુવર્ણ વાકય હૃદયપટમાં કાતરી રાખવું ઘટે, જેથી શકય પ્રયત્ને મળી શકતા તપના અપૂર્વ લાભ મેળવવામાં આપણે કમનસીખ ન નિવડીએ. તપમાં— વીય છુપાવવાથી વીયાંતરાય— સુખશીલતાથી અસાતાવેદનીય— આલસ-પ્રમાદથી ચારિત્રમાહનીય દેહમૂર્છાથી પરિગ્રહનું' પાપ અને શક્તિ-સામગ્રી છતાં તપ ન કરવાથી માયા-પ્રયાગાદિ –અનેક દાષા અને કર્માનુ બંધન થાય છે. તપથમના યથાશક આદરપૂર્વક–આસેવનથી પૂર્વોક્ત સ અનર્થો દૂર થઈ ઉત્તમાત્તમ કમનિજ રાદિ—લાલા થાય છે. આવા વિવેકપૂર્વક આસેવેલા તાધમની આરાધનાથીચિંતા ઘટે છે. વિકલા શમે છે. દેહાધ્યાસ મટે છે. - વિકાર ઘટે છે. વાસના નાશ પામે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણુકર સૂચના સંજ્ઞાઓ પર કાબૂ મેળવાય છે. કષાયે કૃશ થાય છે. ભાવનાઓ નિમલ થાય છે. પરિણતિ શુદ્ધ થાય છે. વિચારે ઉપર કાબૂ આવે છે. અનાદિકાલના સંસ્કારોથી સુદઢ-મૂળ બનેલી વાસનાઓના પણ પાયા હચમચી ઉઠે છે. પરિણામે કર્મ-નિજ રાના ઉત્તમ ફલ મેળવી પરમ-નિધાન મક્ષ હથેલીમાં આવી રહે છે. સેનેરી શિખામણ * આવી પડતા દુઃખ, પરિષહ કે પ્રતિકૂલ-સંગોને હસતે-મુખે સ્વરછાથી સહન કરવાની તત્પરતામાં સંયમનું સાચું રહસ્ય છે. * જે સાધુને અનુકૂલતા ગમી તે સાધુતાને પાયે હચમચવા લાગે છે, એમ જાણવું. * આપત્તિ અને અગવડને સહવાની ભાવના ન હોય તેનું સંયમ ટકે નહિં, ટકે તો દીપે નહિં. Page #14 -------------------------------------------------------------------------- ________________ આત્મકલ્યાણના ભાગને સરળ બનાવવા ઉપચોગી સૂચના આત્મકલ્યાણ-સાધનાના પુનિત પંથે વિહરી શ્રેષ્ઠ આદર્શ સંયમી-જીવનની સાર્થક સિદ્ધિ મેળવવા ઈચ્છનાર મુમુક્ષુ પ્રાણીએ મુખ્યતા પિતાના જીવનના બન્ને પાસાને તપાસી નીચે જણાવેલ દોષમાંથી જણાતા કોઈ પણ દેશને પહેલી તકે દૂર કરવા ઉજમાલ થવું ઘટે. ૧. આહારની લાલસા | ૧૫. નિર્દયતા ૨. ચિત્તની ચંચલતા ૧૬. કદાગ્રહ ૩. આલસ્ય-સુસ્તી. ૧૭. અશ્રદ્ધા ૪. પ્રમાદ ૧૮. પરનિંદા ૫. પુરુષાર્થહીનતા ૧૯. પરચર્ચા ૬. અશ્રદ્ધા ૨૦. બાહ્યાડંબર ૭. કતક ૨૧. વાદ-વિવાદ ૮. ઉતાવળિયાપણું ૨૨. બીજાને ઉતારી પાડ૯. વહેમીપણું વાની ઈચ્છા ૧૦. અસંયમ ૨૩. શરીર સુકુમાલતા ૧૧. અસહિષ્ણુતા ૨૪. વિલાસિતા ૧૨. અસહૃવત્તન પ્રતિ ૨૫. બીજા પાસે કામ ધૃણાને અભાવ - કરાવવું ૧૩. પ્રખ્યાતિની ઈચ્છા ૨૬. લોકરંજન ૧૪. માન-સત્કારે છા ૨૭. ખરાબ સેબત Page #15 -------------------------------------------------------------------------- ________________ આત્મકલ્યાણની ઉપગી સૂચના ૨૮. આત્મ-કલ્યાણની ૩૭. બ્રહ્મચર્ય—ખંડન સાધનાથી વિરુદ્ધ ૩૮. પ્રતિકુલ– સંગમાં સાહિત્યનું વાંચન દીનભાવ ૨૯. ગુરુજન-તિરસ્કાર ૩૯. અનુકૂલ-સંગોમાં ૩૦. મહાપુરુષો પર છકી જવું અવિશ્વાસ ૪૦. સ્થાન કે વસ્તુ વિશેષ ૩૧. ધાંધલિયાવૃત્તિ પર મહત્ત્વ ૩૨. લેભ–સંચયવૃત્તિ ૪૧. નામ અમર કરવાની ૩૩. દ્રોહ-અપકાર વૃત્તિ ૩૪. ચીડિયાપણું ૪૨. જુગુપ્સા-દુગ૨છા ૩૫. ઉત્કટ કષાય ૪૩. દ્વેષ ૩૬. ધર્મી તરીકે અભિમાન ૪૪. અનુપયોગી પ્રવૃત્તિ આ નાના સ્વરૂપમાંથી અણધારી રીતે વિરાટ સવરૂપ પકડી સમર્થ, જ્ઞાની, આરાધકને પણ આત્મ-કલ્યાણની સાધનાના માગથી બલાત્કારે ભ્રષ્ટ કરે છે, માટે જીવનશુદ્ધિ કરી સંયમનું પ્રજજવલ ફલ મેળવવા માટે ઉપરોક્ત દોષને સમૂલ દૂર કરવા પ્રયત્નશીલ બનવું. ઘેલછા * સાધુપણું એટલે શરીરના સુખને ભૂલી જવું. સંયમનું ઉપકરણ મહત્પાદક ન હોવું જોઈએ, નહીં તો સંયમના બદલે મેહનું ઉપકરણ થવા સંભવ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ હેચોપાદેય-વિભાગ દિવ્ય-સાધનાના સાધક એક મહાપુરુષે નક્કી કરેલા નીચેના હે પાદેય-વિભાગને લક્ષ્યમાં રાખી તદ્દનુસાર આચરણ કરવાથી કલ્યાણ-સાધનાને પંથ બહુ સરલ અને શુભાવહ નિવડે છે. ઉપાદેય આત્મલાઘા આત્મનિંદા પરનિંદા પરસ્તુતિ અનૌચિત્ય ઔચિત્ય અવિવેક વિવેક અવિનય પરોપકાર પરોપકાર કાર્ય ઔદાય તરછતા ગાંભીય માત્મય માય અસંબદ્ધ–પ્રલાપ પ્રિય-હિતકારી વાક્ય ઉપર મુજબના વિભાગને ખ્યાલમાં રાખી ગ્ય જીવનલક્ષી પ્રવૃત્તિ કરવાથી આત્મ-કલ્યાણની સાધના સરલ થાય છે. વિનય * સાધુ જે આવતા દુઃખને સ્વછાથી સહે અગર ઉદીરણ કરીને પણ યથાશકય સહન કરે તે કર્મની પરાધીનતા જલ્દી દૂર થાય. Page #17 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણકારી હિતશિક્ષા જીવનમાં જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે આરાધનાના મહત્તવની સુવ્યવસ્થિત ગોઠવણી માટે જરૂરી ભૂમિકાનું ઘડતર નીચે જણાવાતા અનુભવસત્ય નકકર જીવન-સિદ્ધાંતોના સક્રિય પાલનથી થાય છે, માટે દરેક વિવેકીએ મનનપૂર્વક વાંચી અમલ કરવો જરૂરી છે. ૧. પ્રતિદિન પિતાની જરૂરીયાતને ઓછી કરવી. ૨. જે સમયે જેવી પરિસ્થિતિમાં હોઈ એ કે આવી પડીએ તે સમયે પ્રચંડ મહાવાતના કેરાથી સ્વયં નમી જતા તૃણની જેમ સમજ વિવેક-પૂર્વક તે પરિસ્થિતિને અનુકૂળ બની વર્તવું, પણ પરિસ્થિતિને અનુકૂળ બનાવવાની નાહક ગડમથલ ન કરવી. ૩. કોઈ પણ વસ્તુ પર મેહ-રાગદષ્ટિ ન કેળવવી. ૪. જે કંઈ આપણી પાસે હોય તેમાંથી બીજાને ભાગીદાર બનાવો, એટલે તેમાંથી થોડું-ઘણું પણ નિરાશસભાવે ત્યાગ કરવાની બુદ્ધિ કેળવવી. ૫. કેઈની પણ સેવા કરવા માટે સદા લાલાયિત તત્પર રહેવું, પણ તેમાં આત્મભાવ કે ગુણાનુરાગના લક્ષ્ય સિવાય સ્વાર્થ, કીર્તિ-લાલસા કે કઈ જાતની આશંસાનું લક્ષ્ય રાખવું નહિ. એ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૨. સાધુતાની જ્યાત ૬. શુદ્ધ—નિશ્ચયનયની દૃષ્ટિના આપેક્ષિક-અભ્યાસ કરી આત્માના અકતૃત્વ અને સાક્ષીભાવરૂપ-સ્વભાવને જાગૃત રાખવા અહર્નિશ પ્રયત્ન કરવા. ૭. પરિમિત, મધુર, સ્વ-પર-હિતકર અને સમયેાચિત માલવાના અભ્યાસ રાખવા. ૮. આધ્યાત્મિક-માગ ખાંડાની ધારની જેવા વિષમ છે, માટે તેમાં ચેાગ્ય–સદ્ગુરુની નિશ્રાની ખાસ જરૂર છે, ભૂલેચૂકે પશુ ચેાગ્ય–નિશ્રાને અવગણવાની ધૃષ્ટતા કરવી નહિ. ૯. દરેક કામમાં ધૈયદ અને ગાંભીયની સીમા જાળવી રાખવી. ૧૦. સારા કામને શરૂ કર્યા પછી એક દિવસ પણ તેને અંધ ન રાખવું, મંદ-ઉત્સાહે પણ ચાલુ રાખવુ. ૧૧. જીવન થાડું છે, મૃત્યુ અણધાર્યુ કયારે અને કેવા સંજોગામાં આવી ઝડપશે ? તે નિશ્ચિત નથી, માટે ચેાગ્ય આરાધનાની તૈયારી માટે જરા પણ પ્રમાદશીલ ન રહેવું. ૧૨. આધ્યાત્મિક-જીવનની પ્રગતિ અને વિશુદ્ધિ માટે હમેશા સારા કે ખાટા દરેક કાર્યોની નોંધ માટે એક રાજનેશી રાખવી. તેમાં મનની પવિત્રતા જાળવી સારા કે ખાટા વતન, ઉચ્ચાર કે આચારાની સાચી માંધ રાખી વિવેકદૃષ્ટિથી સમાલેાચના કરવી. ૧૩ શુદ્ધાત્મઇશાની નિરંતર–વિચારણાના દૃઢ–સસ્કારાના મળે સાંસારિક–માહ-માયાના વિચારાને દૂર કરતાં શીખવુ.. Page #19 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણકારી હિતશિક્ષા ૧૪. પેાતાની આત્મશક્તિઓની આપમેળે બડાઈ મારવાની કુટેવને તિલાંજલિ આપવી. હમેશાં સાદા ને નમ્ર રહેવું. ૧૫. પેાતાને અનાવશ્યક પદાર્થા પ્રતિ ઉપેક્ષાભાવ કેળવવા, તે માટે સંચયવૃત્તિપર કાબૂ મેળવવા, નિઃસ્પૃહ-દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા. ૧૬. સમૂહ–સ’ગઠન, ચર્ચા તેમજ નકામી વાતા વિકથા આદિથી દૂર રહેવુ. ૧૭. વિવેક દૃષ્ટિ અને પ્રકૃષ્ટ-વૈરાગ્ય દ્વારા ચિત્તવૃત્તિ ઉપર નિયંત્રણ રાખી દરેક સમ કે વિષમ સયેાગેામાં મનનુ સમતાલપણુ' રાખવું. ૧૮. યથાશકથ–પ્રયત્ને એાલવાનું બહુ જ ઓછું રાખવું, ખેાલતાં પહેલાં પરિણામના ખૂબ વિચાર કરવા. ૧૯, ઈર્ષ્યા, પરદ્રોહ, પરનિંદા, ચાડી ખાવી, અસૂયા, આદિ ભયકર મંદીએથી ખચવા બિનજરૂરી-કામેામાં માથું મારવાનું છેાડી દેવું. ૨૦. ગુણાનુરાગની દૃષ્ટિ કેળવી ખીજાના સત્તન પર જ લક્ષ્ય કેન્દ્રિત કરવું, બીજાના કરેલ ખાટા વત્તનાને ભૂલી જવા ઉદાર–ક્ષમાશીલ બનવા પ્રયત્ન કરવા. ૨૧. આત્મ-હિતની સાધના માટે દત્ત-લક્ષ્ય બની સ પ્રયત્ને તેની સાધના માટે સાકાંક્ષ રહેવું, તેમજ અણુછાજતુ કંઇ પણ વિચાર ક્રુ વર્તન ન થઈ જાય, તેની પૂર્ણ સાવચેતી રાખવી. Page #20 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની જ્યાત ૨૨. વૈરાગ્ય-ભાવની દૃઢતા અને આત્મ-કલ્યાણના ધ્યેયની ચાક્કસાઇ માટે પૂર્વના મહાપુરુષાના સારભૂત ઉપદેશામૃતનુ નિરંતર નિરીક્ષણપૂર્વક અવગાહન કરવું, તેમજ પેાતાની વ્યક્તિગત-ક્ષતિઓનું ભાન કેળવવું, તે દૂર કરવા સજાગ રહેવું. ૨૩. સંસારના પદાર્થોની આપાત-રમણીયતાનું સાહજિક સંવેદ્દન મેળવી વિશ્વા-મૂત્રાદિની જેમ તેને ત્યાજ્ય સમજી તેનાથી લેશ માત્ર પણ સુખ-શાંતિ મેળવવાની ઘેલછા ૨ ફગાવી દેવી, ૧૪ ૨૪. વિષય-વિકારની વાસના મનેભૂમિકામાં અલ્પ પણુ પેઢા ન થવા પામે, તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું, અતિક્રમની કક્ષાથી જ તેના મૂલને સર્વથા નષ્ટ કરવા ઉદ્ધૃત બનવું. ૨૫. છતી શક્તિએ છતે–સાધને આત્મકલ્યાણના હિતકર મામાં નહિ પ્રવનારા તેમજ અજ્ઞાનાદિઢાષથી ભયંકર પાપાચરણ કરનારા પ્રતિ ઉપેક્ષાભાવ કેળવવા, તેની કર્માધીન વિચિત્રદ્રશા વિચારી તે પ્રતિ કરુણા-રસ-પ્લાવિત હૃદયવાળા ખનવું, ૨૬. ગુણુ અને ગુણી અને તરફ બહુમાન—આદર—ભાવ કેળવવા, પશુ દેાષા તરફ ઘૃણા અને તિરસ્કાર વૃત્તિ જ રાખવી ઘટે, દોષવાળી વ્યક્તિ પ્રતિ ધૃણાભાવ કે તિરસ્કારભર્યું વત્તન કદાપિ ઉચિત નથી. ર૭. વાસનાઓની તૃપ્તિ ખળતણના સમૂહથી કે ઘાંસલેટના છંટકાવથી આગ બુઝાવવાની જેમ સાવ અશકય દુધટ છે, ઉલટુ પરિણામે અનેકાનેક દુઃખાની વૃદ્ધિ થાય છે, માટે સદા સંતાષી રહેવુ. Page #21 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણકારી હિતશિક્ષા ૧૫ ૨૮. વિચા૨ા ઉપર ધીરે ધીરે એવા કામૂ મેળવેા કે તમારી પેાતાની ઇચ્છા કે પ્રેરણા વિના સકલ્પ જ પેઢા ન થાય, આ અવસ્થાએ પહેાંચતાં સુધી આટલી તે સાવચેતી અવશ્ય રાખવી કે જેથી કાઈ દુર્વિચાર તા પેઢા ન થાય, આ માટે સદા જાગૃત–સાવન રહેવુ, ૨૯. કાઈ અપમાન કરે, ટાણું મારે કે અપશબ્દો સભળાવે તા તેથી ઉત્તેજિત ન બનવું, પણ વિચારવું કે—આ બધી શબ્દ-લીલા છે, મિથ્યા-જ્ઞાનના વિલાસ છે. ૩૦, ઇન્દ્રિયા અને ચિત્તવૃત્તિને કાય શૂન્ય ન થવા દેવી, કાઇ પણ શુભ-પ્રવૃત્તિમાં રેાકી રાખવી, છેવટે શ્રી નવકારમહામત્રના સ્મરણના અભ્યાસ વધુ પડતા રાખી કાર્યશૂન્ય દશામાં તેનું રટણ ચાલુ રાખવું. ૩૧. સ્પ, દૃષ્ટિ, આચાર અને વિચાર–આ ચાર વિકાર-વાસનાના ઉત્પત્તિસ્થાના છે, માટે તે ચારેને સયમિત રાખી શુભમાં પ્રવર્તાવવા ઉદ્યમી થવું હિતકર માની તેના માટે સતત સાવધ રહેવું. ૩૨. “એલા આછું, કરા વધારે!” ના સૂત્રને જીવનમાં વણી નાંખવા તાઢી-માપીને ખેલવાના ઉપયેાગ રાખવા, આવી રીતે ખેલેલા વચનને પ્રાણાંતે પણ નભાવવા માટે કટિબદ્ધ બન્યા રહેવું. ૩૩. આચાર, વિચાર અને ઉચ્ચાર ત્રણેની એકતા જ જીવનના પરમનિગૂઢ રહસ્યભૂત-તત્ત્વને પમાડી શકે છે, માટે બનતા પ્રયત્ને આ ત્રિપુટીને વિસવાદિત ન મનવા દેવી. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સાધુતાની જ્ગ્યાત ૩૪. મહુધા જગના પ્રાણીઓએ કરેલી પ્રશંસા એટલે ટાપટીપ-પોલીશ-સફાઇ કરેલ જૂઠાણાંના જ એક પ્રકાર હાય છે, માટે ભરતપુરી—લેાટાની જેમ અનિયત–લેાકપ્રશસાને પેાતાના કબ્યાનું માપયત્ર માની લેવાની રખે ! ભૂલ ન થાય, તે માટે સદા જાગૃત રહેવું. ૩૫. જગત્માં હજી કદાચ વિચારાનુસાર ઉચ્ચાર કરવાની શકયતા છે, છતાં ઉચ્ચારાનુસાર આચાર-વર્તન બહું દુઃશકય છે, માટે વિચારાનુસાર વર્તન કેળવવા પ્રયત્નશીલ અનવું. ૩૬. જીવનને આદર્શ બનાવવા માટે વધુ પ્રગતિ કદાચ ન સધાય, તે તે માટે શકય પસ્તાવા રાખવા ! પણ કાઈ જાતનું કલંક જીવનની સાધનાને કૃષિત ન બનાવે તેનુ પૂર્ણ ધ્યાન રાખવું ઘટે. L હિતશિક્ષા जावाउ सावसेसं, जाव थोवोवि अत्थि ववसाओ । ताव करेज्ज अप्प हियं, मा तप्पिह ! हा ! पुणो पच्छा ॥ શ્રી મહાનિશીથ સૂત્ર ( અધ્ય, ૬, ગા. ૪૧૧) હે ભવ્યાત્મા ! આયુની અર્વાધ પુર્ણ નથી થઈ અને ઘેાડીઘણી પ્રવૃત્તિ કરવાનું સામર્થ્ય ખૂટયુ નથી ત્યાં સુધીમાં આત્મહિત સાધી લે !!! પાછળથી વ્ય પશ્ચાત્તાપ ન કરતા !!! Page #23 -------------------------------------------------------------------------- ________________ સંયમ-પંથે ધપી રહેલા મુમુક્ષને કલ્યાણકારી પ્રેમાળ ઉદ્દબોધન!!! હે ભાગ્યશાલી !!! સંયમના પંથે આગળ ધપવાના ઉત્સાહને મેહની અટપટી કેડીએ સમી વૃત્તિઓનાં ગૂંચવાડામાં ગુમાવી ન દઈશ હો !!! જે !!! તારી પાસે ગુસમર્પણ અને નૈશ્વિક બ્રહ્મચર્યરૂપ અણમોલ શક્તિનો જ છે! -પછી કેણ તારું શું કરી શકે તેમ છે! –આ બન્ને વણમાંગી–અણમોલ સહાયક ચીજે મોક્ષના પંથે આગેકૂચ કરવામાં તને અત્યંત ઉપયોગી સમજાઈ જાય તો બિચારા મેહને ઉભી પૂંછડીએ ભાગ્યે જ છૂટકે ! બાપુ! આ બન્ને-ચીને ઉપગ સુસાધ્ય છે, તેમજ દુસાધ્ય પણ છે. સુસાધ્ય ત્યારે! જ્યારે કે– ગુરુસેવા-શાસ્ત્ર-સ્વાધ્યાય, ધ્યાન અને તપમાં તારી વૃત્તિએને અવાર નવાર જોડી રાખે તે– આવાંચીને બરાબર ઉંડુ મનન કરજે ! Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સાધુતાની જીત સૂક્ષ્મ–વિચારની સોયથી મનમાં કે સંસ્કારોની અટપટી ગૂંચમાં ઉડે પડી રહેલા શલ્યને તથા વિચાર-દોષના કાંટાને બહાર કાઢજે !!! – આને ખરો ભાવ તને સમજાશે અને તેના મર્મ સુધી તું પહોંચી શકીશ!!! છેલ્લે આટલું જરૂર યાદ રાખજે-“ઉત્ત-વૃત્તૌ રાજા બનવા પ્રયત્ન કરજે !!! અને “આપ ધ ” સૂત્રને લેક્ષમાં રાખી જેની નિશ્રાએ સંયમ–પંથે સંચરવા તૈયાર થયું છે, તે ગુરુદેવની આજ્ઞાને જીવન સર્વસ્વ માનીને ચાલજે !!! આ વાત જરા પણ વિસરીશ નહીં !!! ચેતવણી જે સંયમમાં અનાદિકાલીન સંસ્કાર અને ઇન્દ્રિયના વિષયને જીતવાનું મહત્વ છે, તે સંયમના નામે મળતા ખાન-પાન આદિથી પૌરાલિક-વાસનાઓને પિષવાની બાલિશ–પ્રવૃત્તિ ખરેખર જીવનશક્તિનું સદંતર દેવાળું કાઢવા જેવી છે. માટે સંયમ લીધા પછી સવેળા ચેતી જઈ ગુરુનિશ્રાએ વૃત્તિઓના નિગ્રહ માટે ઉદ્યમ કરવો જોઈએ !!! Page #25 -------------------------------------------------------------------------- ________________ સંચમની સાધનામાં ઉપયોગી હિતકર સૂચને. ૧ કલ્યાણ-મિત્રને સંસર્ગ રાખ. ૨ જિન-વચનનું શ્રવણ કરવું. ૩ સાંભળેલા વચનને સમ્યગ્ન પ્રકારે ધારી રાખવા. ૪ પરોપકાર કરવો. (પરમાર્થવૃત્તિ) ૫ પર–પીડાને પરિહાર કરે. ૬ વિષય-પ્રવૃત્તિના ત્યાગ માટે પ્રયત્ન કરો. ૭ ભવનું સ્વરૂપ નિરંતર ભાવવું. ૮ પૂજય વડીલ ગુણવાનું મહાપુરુષની પૂજા–સેવા-આદર બહુમાન માટે તત્પર રહેવું. ૯ કોઈની સાચી કે બેટી નિંદા ન કરવી! કે ન સાંભળવી. ૧૦ આપણું નિમિત્તે લોકે અધર્મ ન પામે તેનું પૂરું ધ્યાન રાખવું. ૧૧ ગુણનુરાગ કેળવવો. ૧૨ બીજાના દોષો પ્રતિ મધ્યસ્થભાવ કેળવ. ૧૩ કુશીલ-શિથિલાચારીનો સંસર્ગ વજે. ૧૪ પ્રયત્નપૂર્વક પ્રમાદ છોડવા પ્રયત્ન કરો. * ૧૫ અશુભ-વિકલને દૂર કરવા માટે ક્રોધાદિ–કષાયના ત્યાગ- પૂર્વક આત્મ-સ્વરૂપનું અવસર-અવસરે ચિંતવન કરવું. Page #26 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની જ્યોત ૧૬ “શરીર, ઘર, ધન, સ્વજન, મિત્રો, પુત્ર વિગેરે બધા પર દ્રવ્ય મારાથી–આત્માથી ભિન્ન છે. હું એનાથી ભિન્ન છું.” આવી ભાવના પગલિક–પદાર્થોના મેહ વખતે કેળવવી. ૧૭ નિત્ય, શાશ્વત, નિષ્કલંક, શુદ્ધ અને જ્ઞાન-દર્શનથી સમૃદ્ધ આત્માનું સ્વરૂપ છે. ૧૮ શુદ્ધ અને શાશ્વત જે મેક્ષરૂપ આત્માનું સ્થાન છે, તે જ ખરેખર ઉપાદેય છે. ૧૯ વધુ શું કહેવું? જેમ જેમ રાગ અને દ્વષ નાશ પામે-ઘટે તે રીતે વિવેક પૂર્વક ગુરુ-નિશ્રાએ શાસ્ત્રાજ્ઞા અને ગીતાર્થોની મર્યાદા પ્રમાણે પ્રવર્તવું. | (શ્રીયુત પૂ. ઉપા. યશોવિ. મ. પ્રણીત શ્રી ઉપદેશરહસ્ય ગા. ૧૯૪ થી ૨૦૧ ના આધારે) સંયમ-રથના ચક્રો, નિર્ભયતા, સ્વતંત્રતા અપરોપજીવીપણું, અનિશ્ચિતપણું મુક્તિપુરીમાં પહોંચાડનારા સંયમ-રથના ચક છે. જ્ઞાનથી નિર્ભયતા અને અભ્યાસથી શાસ્ત્રીય સાચું સ્વાશ્રયીપણું મેળવી શકાય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રગ્રહણ પછી યાદ રાખવા જેવા હિતકર સુચના !!! ૧. સસારના ત્યાગ-એટલે વાસ્તવિક રીતે વિષય અને કષાયને ત્યાગ કર્યો છે, એમ સમજવું કારણ કે વિષય કષાયની પ્રખલતા જ સંસાર છે. ર. સાધુ-જીવન આત્મકલ્યાણ માટે લીધું છે, એ વાત હરઘડી યાદ રહેવી જોઇએ. ૭. સાધુતા-આત્મસાત્ થયા વિના પરેાપદેશમાં પડવાથી પેાતાનું ગુમાવવાનું થાય છે. સાધુતા પ્રાપ્ત કરવા માટે— પાંચ મહાવ્રતા અને તેની પચીશ ભાવનાઓ, અષ્ટ પ્રવચન માતા, દેશવિધ સામાચારી, પ્રતિલેખના-શુદ્ધિ આદિ સાધુ–ક્રિયાનું સચાટ જ્ઞાન પ્રાપ્ત કરી એના આધારે જીવનનું ઘડતર કરવું જોઇએ. ૪. વિનય-એ જૈન શાસનના મૂળ પાયે છે, ગુરુ આદિ વડિલના બહુમાનપૂર્વક વિનય કરવા અને એના માટે દશવૈકાલિકનું નવમું અને ઉત્તરાધ્યયનનું પહેલું અધ્યયન જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવા. ૫. અનાદિકાલથી પ્રમાદનું જોર ખળવાન હાવાથી જીવનમાં ડગલે ને પગલે ભૂલ થવાના સંભવ છે. આવી સ્થિતિમાં પેાતાના ઉપકારી ગુરુમહારાજશ્રી તરફથી વારંવાર શિખામણુ મેળવવાની ઇચ્છા રાખવી. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સાધુતાની ન્યાત એમના ઉપાલંભ સાંભળતાં હર્ષ પામવા કે કેવા ઉપકારી છે ? જગતમાં મીઠું સંભળાવનારા તેા ઘણા છે, પણ ભૂલ તરફ ધ્યાન દોરનાર અને ભૂલ માટે ઠપકા દેનાર તા કાઇક જ હિતેચ્છુ મળે !!! ૫. વ્યાકરણ ન્યાય આદિના અભ્યાસ આપણા શાસ્ત્ર વાંચવા–વિચારવા માટે જરૂરી છે, પણ કર્મ ગ્રન્થાદિ-પ્રકરણા અને શ્રી દશવૈકાલિક-સૂત્રના અભ્યાસ ઘણા જરૂરી છે. એથી એના ઉપર ખૂબ ધ્યાન રાખવું. ન્યાય—વ્યાકરણ અને સાહિત્યના અભ્યાસ દ્વારા દુનિયામાં ઉપદેશક તરીકે બહાર આવવાની મનાવૃત્તિ ઉછાળા મારે એ આત્માને લુટાવવાના ધારી રસ્તા છે. આવી અનુચિત મહત્ત્વાકાંક્ષામાંથી ધીમે ધીમે પતન સાકાર અને છે. ૬. તપની આચરણામાં પણ બાહ્ય તપ તેમાંય પણ અણુસણુ ઉપર જ વધુ જોર અપાય છે, પણ વિગઇ—ત્યાગ, ઉનેાદરી, વિનય આદિ ઉપર એધુ' વજન અપાય છે. * ચેાગાદ્વહન એ આત્માને સાચા યાગી મનાવવાના રાજમા હતા, તે આજે વિકૃત થતા જાય છે, તે સબધી ગીતાની નિશ્રાએ ઘટતુ કરવુ જોઇએ. પેાતાના કેઈપણ તપ ગૃહસ્થથી અજ્ઞાત રહે, એની ખૂબ સાવચેતી રાખવી, પારણાનેા દિવસ પરિચિત-ગૃહસ્થા જાણે તેા લુંટાઈ જવાય એમ માનવું, * પારણામાં પણ ભાવથી તપ ચાલુ રહે, એની કાળજી રાખવી. લાલસા વધતી જતી હોય તે પહેલાં મનેામળને Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ચારિત્રગ્રહણહિતકર સૂચન અનુકૂળ અ-સ્વાદ તપને અનુભવ થાય, તે હળ તપ પસંદ કરો. * દેહની મમતા, વિગઈની આસક્તિ, જીભની લેલુપતા અને કષાય જેટલે અંશે કાબુમાં આવે તેટલી જીત સમજવી. ૭ શ્રી આવશ્યકસૂત્ર. શ્રી દશવકાલિકસૂત્ર. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર શ્રી આચારાંગસૂત્ર. શ્રી એાઘ-નિર્યુક્તિ. શ્રી પિંડ-નિયુક્તિ. શ્રી અનુગદ્વાર. આ સાત ગળે ચગદ્વહન દ્વારા ગ્યતા પ્રાપ્ત કરી ગુરુ મત્ર પાસેથી વાંચી લેવા કે સાંભળી લેવા, ૮ કમ–સાહિત્યને ઝીણવટથી અભ્યાસ કરવાથી આમાની જાગૃતિમાં ઘણી રાહત મળશે. અધ્યવસાચો નિર્મળ બનશે. ૯. આરાધય-અનુષ્ઠાનમાં છતી શક્તિએ પ્રમાદ ન કરવો. * અશક્ય લગતી આરાધનામાં પણ પુરુષાર્થ તે કરો જ! શુદ્ધાશયથી પુરુષાર્થ કરવા છતાં ફુલ ન મળે તે કર્મ જોરદાર છે! એમ માની પ્રયત્ન ચાલુ રાખવા ! પણ ફળની ઉત્સુકતા ન રાખવી. યત– महान्तं कार्यमुद्दिश्य, यो विधत्ते परिश्रमम् । तत्सिद्धौ तस्य लोपः, स्यादसिद्धौ वीरचेष्टितम् ॥ १ ॥ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સાધુતાની જ્યેત ૧૦. સ્વાધ્યાય અને તપ એ સયમીની બે ચક્ષુ છે. ૧૧. આવશ્યક અને સાધુક્રિયાના સૂત્રાનું અપૂર્વક ખૂબ ચિંતન-મનન કરવું. ૧૨. સમિતિ-ગુપ્તિ અને સામાચારીના જ્ઞાનને સમ્યક્ આચરણાદ્વારા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવા. ૧૩. કાઇપણ જ્ઞાનાભ્યાસ અને તપ ક્ષયે પશમ ન હેાવાના કારણે ન થઈ શકે તેા એની ચીવટ અવશ્ય રાખવી ! પણ ખેદ ન કરવા!!! ૧૪. ચાર દુઃખ શય્યા, ૧. વીતરાગના વચનમાં અશ્રદ્ધા. ― ૨. બીજાને મળતા લાભની ચાહના. ૩. સુદર શબ્દાદિ-વિષયની અભિલાષા. ૪. સ્નાન, શરીર મન, અને ધાવાની આકાંક્ષા. આ ચારને આધીન ખનેલા સાંચમી પરિણામે લક્ષ્યહીન અની દુ:ખી જ થાય છે. ૧૫. ચાર સુખશય્યા, ૧. વીતરાગના વચનાની શ્રદ્ધા. ૨. બીજાને મળતા લાભની ઇચ્છાના ત્યાગ. ૩. સારા વિષયેાની સ્પૃહાન ત્યાગ. ૪. શરીર-વિભૂષાના ત્યાગ. આ ચારનું પાલન કરનારે સયમી પેાતાનુ લક્ષ્ય જલ્દી સિદ્ધ કરી શકે છે. 卐 Page #31 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર જીવન જીવી જાણુવા માટે જરૂરીયાતા ૧. અનંત-જ્ઞાનીઓની આજ્ઞા માન્ય રાખવાના ધેારણ મુજબ ચાલવાનું મુખ્ય આદ-ધ્યેય રાખવુ'. તેની ર. સ્વચ્છંદી ઇન્દ્રિયાના ગુલામ નહિ બનવાનું ! પણ સામે મારચા માંડવાના. ૩. આપણે શા માટે નિકળ્યા છીએ ? અને શું કરવાનું છે? તેના નિરંતર ગુરુ-નિશ્રાએ વિચાર કરવા. ૪. કષાયની પકડમાંથી છુટવાને માટે હૈયાને કામળ અને નમ્ર મનાવવું. ૫. વિજાતીય સામે ઉંચી દૃષ્ટિથી જોવું નહીં, તેની સાથે વાત પણ ન કરવી. ૬. ગુરુના ચરણે પેાતાના આત્મા એકાકાર કરવા. એમની આજ્ઞા એજ આપણું જીવન! અને એમની ઇચ્છા એ આપણુ મન ! કદી પણુ સ્વતંત્ર બનવા ઇચ્છવુ નહિં. ૭. ગુરુની ભક્તિ–વિનયાદિ અહુ જ વિનીત અને નમ્રભાવે કેવલ આત્મ—કલ્યાણ માટે કરવા તત્પર રહેવું. ૮. જાણ્યે અજાણ્યે પણ વિરાધના ન થાય તેની જાગૃતિ રાખવી. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૬, સાધુતાની જ્યોત * મનને મારવાનું, વાણી પર ઘણું જ સંયમ લાવવાને અને કાયાને તપસ્યા વડે લુખી અને ભૂખી બનાવવાની! પછી કેઈપણ બીજી વસ્તુની તાકાત નથી કે તે તમારા આદર્શમાંથી તમને ચલાયમાન કરી શકે ? * ચારિત્રમાં દિનપ્રતિદિન વધવા માટે આત્માને સંવેગવૈરાગ્યમાં ઝીલતે બનાવો. ૯. ગમે તેવી ભૂલ થઈ હોય તે પણ ગુરુદેવ ને નિવેદન કરી દેવી. UF | વિવેકની પ્રતિષ્ઠા * જીવનમાં અખંડપણે સંયમ અને તપની જોડી કાર્યશીલ બની રહે, તેમાં સાધુપણાની સફળતા છે. * દરેક પદાર્થ અને આહારના સાધનોના ઉપયોગ વખતે આપણા શરીરથી થતી ધર્મ-સાધના અને મનથી થતી આધ્યાત્મિકસાધના નિરાબાધ રહે તે જ ખાસ જોવાનું છે, આવી વિવેકની. પ્રતિષ્ઠા સંયમીએ કરવી ઘટે. Page #33 -------------------------------------------------------------------------- ________________ સંયમે પચેાગી આંતનિરીક્ષણ સાથે જરૂરી કાય વ્યવસ્થા પત્રક સચમી-આત્માની દરેક પ્રવૃત્તિ જ્ઞાનીઓની આજ્ઞા— પ્રમાણેની હાય છે, પણ તેમાં સફળતાપૂર્વક પ્રયત્નની ભૂમિકા માટે આપણી શક્તિએ મન-વચન-કાયા દ્વારા કઇ માજુ વહે છે? તેની સાચી જાણકારી માટે નીચે નાના પ્રમાણમાં રૂપરેખા આપી છે. આ મુજબ ગુરુગમથી કરવાથી વિવેકી—આરાધકને મનેામળ, વાણી-સયમ અને શારીરિક સફળ પ્રવૃત્તિ આપેાઆપ વિકસે છે, → જ્ઞાનની સફળતા સેળ મિતિ પમાર્યા, તું નાનું નિકાસને જેના દ્વારા પ્રાણીમાત્ર સાથે મૈત્રીભાવ કેળવાય, તે જ્ઞાન જિનશાસનમાં માન્ય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સાધુતાની ન્યાત સંયમીનું કાય-વ્યવસ્થા પત્રક સવારે કેટલા વાગે ઉઠ્યા? આજે ગુરુ-વિનયમાં કયાં કેટલે જપ કર્યો? બેદરકારી? કેટલા ગ્લાક વાંચ્યા? ક્રિયાની શુદ્ધિ માટે દરકાર , , કંઠસ્થ કર્યો? ! રાખી? કેટલે વખત જ્ઞાન–ગણી કરી? પ્રતિમાં બાલ્યા? - 5 , મૌન રહ્યા? પડિ૦માં ,, , વિકારીભાવ વાંદણું ખમા ની મર્યાદા સાચવી? | ઉપજ્યા ? બીજાનું કામ પરમાર્થ–વૃત્તિથી | દ્રવ્ય કેટલા વાપર્યા? કર્યું કે નહિ? નિદ્રા-પ્રમાદ થયો? કેટલીવાર અસત્ય-ભાષણ? વિકથા કરી? , , માયા-પ્રગ? | પચ્ચકખાણ શું? ,, , કૈધ થયે? | સ્વાધ્યાય કેટલો? » » ચીડાયું? મુહપત્તીને ઉપયોગ રહ્યો? કેટલો સમય ફેગટ ગુમાવ્યો? ચાલવામાં ઇસમિતિ શાસ્ત્રનું વાંચન-શ્રવણ કર્યું? જળવાઈ? આજે ખાસ રીતે કયા ગુણની ગોચરીના ૪૨ દેષમાંથી ક્યા - કેળવણી કરી? દોષ લાગ્યા ? આજે ક્યા દેષને ટાળવાને માંડળીના પાંચ દોષમાંથી પ્રયત્ન કર્યો? કયો દેષ? Page #35 -------------------------------------------------------------------------- ________________ સંયમીનુ" કાર્ય –વ્યવસ્થા—પત્રક આજે કઈ કુટેવને તજવા સક્રિયતા થઈ ? આજે કુટેવને વવાના પ્રયત્નમાં સફળ કે નિષ્ફળ? આજે કઇ ઇન્દ્રિય સૌથી પ્રખળ ૨૯ પુજવા–પ્રમા વાના ખરાખર ઉપયાગ રહ્યો ? ગૃહસ્થ અધમ પામે તેવું વર્તન કર્યુ ? અવિનય–ઉદ્ધતાઇના પ્રસંગ : આ રીતે વ્યક્તિગત ગુણ-દાષાના પ્રશ્નો ઉભા કરી તેના ઉપર સૂક્ષ્મ ચિંતન કરવાથી સયમ-માગે સ્ફૂર્તિનું ખળ વધે છે. સયમી કેવા ? પર-૫ ચાતને છોડી પેાતાની જાતને આળખી કવ્યનિષ્ટ બનનારા અને લેાલ, ગુસ્સા અને વાસના પર વિજય મેળવનાર નિરૂપાષિક સંયમી સાધુ પૂર્ણ શાંતિના અનુભવ કરે છે. —શ્રી પ્રશમતિ ગાથા ૧૨૯. Page #36 -------------------------------------------------------------------------- ________________ સાધુ-જીવનની રૂપરેખા ૧ રાતના કેટલા કલાક નિદ્રા લીધી ? છ કલાકની નિદ્રા પૂરતી ગણાય. રાત્રે દશ વાગે સૂવું અને ચાર વાગે ઊઠવુ' જોઇએ. જરૂર કરતાં વધારે સૂવાથી જડતા વધે છે. અને મગજશક્તિ નખળી પડે છે. આરાધનામાં આગળ વધવા માટે નિદ્રાને ઘટાડતા જવું જોઈએ. નિદ્રા એ સઘાતી પ્રકૃતિ છે, એ ભૂલવું નહિ. ત્રણ ત્રણ માસે અડધા અડધા કલાક નિદ્રા ઘટાડવાથી ખાર માસ બાદ ચાર કલાકની નિદ્રા સુધી પહોંચી શકાય છે. શ્રી ઋષભદેવ સ્વામીએ ૧૦૦૦ વર્ષના છદ્મસ્થ કાળમાં અહેારાત્રિ અને વીર–પ્રભુએ સાડાબાર વર્ષના છદ્મસ્થ-કાળમાં અન્તમુહૂર્તની નિદ્રા હતી. આ વાત ખૂબ ચિંતવવી. સુતી વખતે મનમાં અમુક સમયે ઉઠવાના દૃઢ નિશ્ચય કરવાથી તેજ સમયે ઉઠી શકાય છે. ૨ સવારે કેટલા વાગે ઉઠેચા ? બ્રાહ્મ-મુહૂત્તમાં જાગૃત થઈ જવુ જોઈએ. શાસ્ત્રામાં સાધુ માટે એ પ્રહરની નિદ્રા કહેલી છે. તેમાં પસ્થાને એક પ્રહર નિદ્રા કહી છે. જાપ-ધ્યાન-સ્વાધ્યાદિ માટે બ્રાહ્મમુહૂત્ત જ સર્વોત્તમ તે સમયે છે. વગર-પ્રયત્ને શુભ–ધ્યાનમાં મન જોડાઈ શકે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ સાધુ-જીવનની રૂપરેખા ૩૧ તે સમયે શાંત વાતાવરણ હોવાથી શાશ્વત-જીવનને અનુભવવાનું સામર્થ્ય રહેલું હોય છે. ઉચ્ચ વિચારો તથા સંગોને પોતાના તરફ આકર્ષવાનું ખાસ રહસ્ય અને બળ પ્રભાતના સમયમાં રહેલું છે. ૩ કેટલો જાપ કર્યો? આ કલિયુગમાં જ૫ આત્મજ્ઞાન માટે સહેલામાં હેલો ઉપાય છે. જાપ સમાધિમાં પરિણમે છે.' વારંવાર નામ-સ્મરણ એ જા૫ છે. તેના ત્રણ પ્રકાર છે. વખરી (સ્પષ્ટ ઉરચારણરૂપ) ઉપાંશુ (અન્તર્જલ્પાકાર) રહસ્ય (માનસિક) જાપ માટે દરેકે ૧૦૮ પારાની માળા રાખવી જોઈએ. મનને ઈશ્વર તરફ વાળવા માળા એ ચાબુક છે. વૈખરી અને ઉપાંશુ-જાપ કરતાં માનસિક–જાપ દશ હજારગણું ફળ આપે છે. રોજ ૧૦૮ વાર શ્રી નમસ્કાર-મહામંત્ર જાપ કરવો જોઈએ. ભગવાનનું નામ લેવાથી વિકાસનો માર્ગ ખુલે છે. શરીર સાથેની એક્તાથી છૂટા થવાય છે. શુદ્ધભાવ અને પ્રેમભક્તિથી ભગવાનનું નામ લેનાર પ્રભુ સાથે એકત્તા અનુભવે છે. સૌથી શ્રેષ્ઠ માનસિક જાપ છે. જેમાં જીભ કે હોઠ હાલે નહિ. ૪ કેટલા લેકનું વાંચન કર્યું? શાસ્ત્રના વાંચનથી આત્મા તત્વને જ્ઞાતા બને છે. લાંબા વાંચનથી બહુશ્રુત થવાય છે, Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સાધુતાની જ્યોત અતિશય–જ્ઞાનીઓના વિરહમાં શાસ્ત્ર–વાંચન એજ આમેદ્ધારને પરમ માર્ગ છે. શાસ્ત્રનું વાંચન પંક્તિઓ લગાવવા પૂરતું ન રહેવું જોઈએ. પણ જીવનમાં વણી લેવું જોઈએ, રોજ ૫૦૦ શ્લેક–પ્રમાણ જરૂર વાંચવું. ૫ કેટલા લોક કંઠસ્થ કર્યા? શાસ્ત્રના શ્લોક યા ગાથા કે ગદ્ય કંઠસ્થ રાખવાથી વિરાગ્ય શુદ્ધ થાય છે. જ્ઞાનાવરણય-કર્મન લોપશમ થાય છે, છ મહિને પણ એક ગાથા થાય તે પણ ગોખવાનું જારી રાખવું રોજ ૧ કલાક તો ગોખવું. બપ્પભટ્ટસૂરિ રોજ ૭૦૦ શ્લોક ગેખતા હતા. ૬ કેટલે વખત સત્સંગ કર્યો? સત્સંગનો પ્રભાવ અચિંત્ય છે, જ્ઞાની, ધ્યાન, ત્યાગી કે યોગી એવા ગુણીજનને સમાગમ મહાન લાભ આપે છે. પુણ્યવાનને જ તેને સમાગમ થાય છે. સંગ થયા પછી પણ તેને લાભ થડા જ આત્માએ લઈ શકે છે. સત્સંગને એક ક્ષણ પાપી–આત્માને ઉદ્ધારનારો થાય છે. તેમની સેવા, વચન, ઉપદેશશ્રવણ કષાયથી સળગતાને શાંત કરે છે. તેવા સત્સંગને સાક્ષાત્ લાભ ન મળે ત્યારે તેમના પુસ્તકનું વાંચન-મનન પણ લાભદાયી છે. ૭ કેટલે વખત સદુપદેશ સાંભળ્યો? સદુપદેશ એ આત્માની આધ્યાત્મિક–પ્રગતિમાં અસાધારણ કારણું છે. હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં નિવૃત્તિ કરાવનાર સદુપદેશ છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ સાધુજીવનની રૂપરેખા આજે ઉપદેશ–શ્રવણના રસ ઉડતા 3.3 જાય છે, તે વ્યાજખી નથી. સદુપદેશમાં અનેક ગ્રન્થાનુ દાહન મળે છે, જ્યારે વાંચી જવામાં એક જ ગ્રંથનુ જ્ઞાન મળે છે. ૮ કેટલા વખત મૌન રહ્યા? નિરર્થક વાતા કરવાથી અને ગપ્પાં મારવાથી શક્તિના દુર્વ્યય થાય છે. મૌન રહેવાથી વિચારતુ ‘બળ વધે છે. તેમજ ખેાલ-ખેલ કરવાની કુટેવ ઉપર કાબુ આવે છે. બહુ મેટલનારથી અસત્ય કે સાવદ્ય પણ ખેાલાઈ જવાય છે. મૌન એ સત્યવ્રતના પાલનમાં અને કષાયના નિગ્રહમાં ઘણી જ મદદ કરે છે. રાજ એાછામાં ઓછું એક કલાક મૌન રહેવુ જોઈએ. મૌન કરતી વખતે ઉચ્ચ-વિચારા, જાપ, ધ્યાન સ્વાધ્યાય કરવા. હું કેટલા વખત માંડલીના કાય માં ગાળ્યા? માંડલીનું કામ એ પ્રત્યેકની ફરજ છે, તે કામ વેઠની જેમ નહિ કરવું, પણુ આત્મ-નિસ્તારનું કારણુ સમજી કરવુ. જોઇએ. ૧૦ પચ્ચક્ખાણ શું કર્યુ? ૧૫ એ નિરાનું પરમ અંગ છે. સશક્ત-સાધુએ ઓછામાં એછું એકાસણું કરવુ જોઇએ. એકાસણું કરવાથી સ્વાધ્યાયના ટાઇમ બહુ મળે છે. આત્માના સ્વભાવ અણુાહારી છે, અ વાતનુ સ્મરણુ એકાસણા સિવાય સાનુબંધ ન ટકે, Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સાધુતાની ચેત - ૧૧ કેટલી વાર અસત્ય બેલાયું? સત્ય જગતમાં વિજયવંત છે. સત્યવાદીને કેઈ ચિંતા હેતી નથી, તેનું મન હંમેશાં શાંત અને પવિત્ર રહે છે. તેને બધા પૂજ્ય તરીકે જુએ છે. બાર વરસ સતત સત્ય બલવાથી વાગૂલબ્ધિ અને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે. ક્રેધથી, લેભથી, ભયથી અને હાસ્યથી અસત્ય બેલી જવાય છે. માટે તેનાથી સદા દૂર ને દૂર રહેવું, મહારાજ કુમારપાળ ભૂલથી અસત્ય બોલવાનું પ્રાયશ્ચિત આયંબિલ કરતા હતા. ૧૨ કેટલી વાર ગુસ્સે થવાયું? શાંતિને શત્રુ ગુસ્સો છે. હૃદયમાં રાખેલી કામના પૂર્ણ ન થાય ત્યારે ગુસ્સો આવે છે. ક્ષમા, પ્રેમ, અહિંસા અને લઘુતાથી ગુસ્સે નાશ પામે છે. ક્ષમાદિ–ગુણો ઉકેરાલા-જ્ઞાનતંતુઓને શાંત કરે છે. ગુસે હોય ત્યાં સુધી કાંઈ પણ ખાવું-પીવું નહિ. પરમેષ્ઠિને જાપ કરવાથી ગુસ્સે શમી જાય છે. તેમ છતાં ગુસ્સો ન સમાય તે એ સ્થાનને થોડા સમય માટે ત્યાગ કરે અને એકાંતમાં જઈ પ્રભુની પ્રાર્થના કરવી. આથી ગુસ્સો જીતવાનું બળ પ્રાપ્ત થાશે, ગુસ્સાથી પ્રીતિને નાશ થાય છે. ક્રેડ પૂર્વ સુધી પાળેલ સંયમનું ફળ નષ્ટ થાય છે. આ ઉપરાંત નીચેની બાબતેનું પણ ઉંડાણથી ચિંતન કરવું Page #41 -------------------------------------------------------------------------- ________________ સાધુજીવનની રૂપરેખા ૧૩ કેટલા વખત આત્મચિંતન કર્યુ? ૧૪ કેટલા વખત ધ્યાન કર્યું ? ૧૫ કેટલી વખત નવ વાડનું ઉદ્ધૃધન કર્યું ? ૧૬ કઇ ઇંદ્રિયને આધીન થવાયુ ? ૧૦ કેટલી વાર ક્રિયામાં પ્રમાદ કર્યા ? ૧૮ કયા ગુણ મેળવવા પ્રયત્ન કર્યો ? ૧૯ કયા દુર્ગુણુ છેાડવા પ્રયાસ કર્યા ? ૨૦ કેટલી વાર એક-આસને બેઠા ? ૨૧ કેટલીવાર મીજાનુ` કામ કર્યું' ? ૨૨ કેટલીવાર જ્ઞાનની ભક્તિ કરી ? ૨૩ કેટલેા ટાઇમ વાતમાં ગધે ? ૨૪ કેટલીવાર દેવવંદન કર્યુ ? ૨૫ ગેાચરી લાવવામાં કેટલા ઢોષ લાગ્યા ? ૨૬ ગેાચરી વાપરવામાં કેટલા દોષ લાગ્યા ? ૨૭ ગેાચરી આપવા-લેવામાં કેટલી માયા કરી ? ૨૮ કેટલા દ્રવ્યના સક્ષેપ કર્યાં ? ૨૯ આહાર-પાણીની કેટલી ઉનાદરી કરી ? ૩૦ કેટલી વિગઈ ત્યાગ કરી? ૩૧ જરૂર વગરની કેટલી વિગય વાપરી ? ૩૨ દ્રવ્યાદિ-અભિગ્રહેા કયા લીધા ? ૩૫ ૩૩ જરૂરી વિગઈ વાપરતાં કેટલા રાગ કર્યાં ? ૩૪ વિગઈ વાપરતાં વડીલેાની આજ્ઞા લીધી કે નહિ ? ૩૫ પાત્રામાં આવ્યા પછી ભક્તિ કરી કે નહિ ? આવી જાતની સદ્વિચારણાથી સાધુજીવન ઉચ્ચકૈાટિનું અને છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ભવાસિનદીના લક્ષણ ધર્મની ક્રિયાનું આસેવન કરી સંસારના ક્ષણ–ભંગુર પદ્ગલિક-પદાર્થો ઉપર આસક્તિની હીનતા કરવાનું લક્ષ્ય દરેક મુમુક્ષુને હોવું જરૂરી છે, તેથી ભવ-સંસારનું અભિનંદીપણું માનસમાંથી ઘટયું છે કે કેમ? તેનું નિરીક્ષણ આરાધક-મુમુક્ષુએ નિરંતર રાખવું ઘટે. આ માટે નીચેના લક્ષણે ધ્યાનપૂર્વક વિચારવા જોઈએ. क्षुद्रो लाभरतिीनो, मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनंदी स्यानिष्फलारम्भसंगतः ।। | (શ્રી યોગદષ્ટિસમુરણ્ય લેક ૭૬ ) - ૧. શુદ્ર– તુરછ-સ્વભાવવાળા હોવું, સંસારના ક્ષણભંગુર તુચ્છ–પદાર્થોની પ્રાપ્તિથી મલકાઈ જવું, આદર્શોવિચારણએ પણ તુચ્છ, પામર અને શુદ્ર હેવી. ૨. લાભારતિ–લેભી–સંસારના મેહક–પદાર્થોની મમતાના ઘેનમાં ભાન ભૂલો બની પદગલિક–પદાર્થોની ઉત્તરોત્તર વધનારી તૃષ્ણાની પ્રબલતાથી ધાંધળિયું જીવન ગુજારવું. ૩. દીન–સાંસારિક–પદાર્થોની મેળવણી–સાચવણી આદિ માટે હંમેશાં માનસિક દીનતા દર્શાવવારૂપે પરમુખ-પ્રેક્ષા બન્યા રહેવું. ૪. મત્સરી–વિષયના ઉપભેગમાં જ જીવનની કૃતાર્થતા હેવાની માન્યતાના કારણે બીજા પાસે વધુ વિષપભેગની Page #43 -------------------------------------------------------------------------- ________________ ભવાભિનંદીના લક્ષણ ૩૭ સામગ્રી નિહાળી અદેખાઈ કરવી, બીજાની આબાદી કે ચઢતી દશા સાંખી ન શકવી, પુણ્યકર્મની વિચિત્ર-લીલા વિસરી જઈ પતા કરતાં બીજે કેમ વધુ આબાદી ભોગવે?” ઈત્યાદિ હલકટ-વિચારો પેદા થવા. ૫. ભયવાનૂ–સાંસારિક જડ–પદાર્થો પરની વધુ મમતાના કારણે “રખેને કેઈ આ લઈ ન જાય! કઈ લૂંટી ન લઈ જાય.” આદિ વ્યાકુલતાથી નિતાંત ભય-વિહલ દશા અનુભવવી તથા શુભાશુભ-કર્મના વિપાકનુસાર જગના પદાર્થોની પરિણતિ થવાનું ભાન ન હોવાના કારણે મળેલા જગતના પદાર્થોને આત્માધીન રાખવા નિરંતર વ્યાકુલતા થવી. ૬. શઠ-કર્મોના બંધનની વિષમતા ભૂલી જઈ ગમે તેમ જગતના પદાર્થો વધુ પ્રમાણમાં મેળવવા વિચાર, ઉચ્ચાર અને આચારમાં વિસંવાદી વતન રાખી ઠગબાજી–દંભપ્રપંચ-માયા આદિ સેવી મેહ-વાસનાને પૂર્ણ કરવા ધૂની પ્રવૃત્તિ કરવી, તથા જગતમાં બાહ્ય-દષ્ટિએ અધર્મી-પાપી તરીકે નહિ ઓળખાવવા સદગુણોને ઓળ–દેખાવ રાખવો. ૭. અજ્ઞ–અનાદિકાલીન મેહ-વાસનાને આધીન બની સુખ–શાંતિ પ્રાપ્ત કરવા માટે તનતોડ પ્રયત્ન, હાડમારી અને દેડધામ કરવા છતાં પરિણામે નિતાંત દુઃખ-દાયી કર્મોના બંધનમાં પોતે ફસાઈ જવું, આ જાતની પરિસ્થિતિ અજ્ઞાનદશા–સદુપાયની જાણકારી ન હેવી–ના કારણે જ ઊભી થાય છે, અને પોતાની પ્રવૃત્તિઓ પિતાને દુઃખી બનાવનારી નિવડે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સાધુતાની જાત ૮. નિફલ-આરંભી-તત્વાતવ-હેપાદેયને વિવેક નહિ હોવાના કારણે શુભાનુકાને કે વ્યાવહારિક–પ્રવૃત્તિઓ તમામ લગભગ “આંધળી દળે ને કૂતરું ચાટે”—ની જેમ નિષ્ફળ જેવી કરવી કે બનાવી દેવી, કારણ કે સન્માર્ગ કે સદુપાયની જાણકારીના બદલે મિથ્યા–ઉપાયમાં સદુપાયની બુદ્ધિ હોવાથી ફલતઃ તમામ પ્રવૃત્તિ કેવલ શ્રમ-ખેદ ઉપજાવનારી થાય છે. શુદ્ધ શ્રદ્ધાન-વિનાની ક્રિયા “છાર પર લીંપણ” જેવી હોઈ આશચ-શુદ્ધિના અભાવે સુંદર-પ્રવૃત્તિ પણ આભાસરૂપ જ નિવડે છે. ઉપર મુજબના ભવાભિનંદી-જીવની માનસિક-દશાને આછો ખ્યાલ આપનારા લક્ષણે વાંચી-વિચારી પ્રત્યેક આરાધક-આત્માએ યથાશક્ય-પ્રયત્ન મને-ભૂમિકામાંથી આમાંના કેઈપણ દૂષણને પહેલી તકે દૂર કરવા પ્રયત્નશીલ થવું જોઈએ. , * * વીય ફેરવણીની જરૂર તે આ જ શિરે જ frtવાજે –-પ્રભુની વાણીને સાંભળીને રાખી ન મુક્તી પણ વિલાસપૂર્વક જીવનમાં ઉતારવાને પ્રયત્ન કરે. શ્રી આચારાંગ સુત્ર અબ્બ, ૪ Page #45 -------------------------------------------------------------------------- ________________ પાંચ મહાવ્રત(રાત્રિભેજન વિરમણ સહિત)ના ૨૭૦ ભાંગા સાધુ કે સાધ્વીએ સંયમ ગ્રહણ કર્યા પછી અવિરતપણે પિતાની સઘળી શક્તિઓને પ્રભુ–આજ્ઞાનુસાર મર્યાદાશીલ જીવન માટે વાપરવા માટે ઉપયેગવંત બની રહેવાય, તે અંગે પાંચ મહાવ્રતનું નિરંતર ચિંતન-મનન કરવું ઘટે. તેમાં પણ તે તે મહાવ્રતોની ગંભીરતા–તેના તે તે પેટા ભેદની જાણકારીથી વધુ સમજવાની જરૂર છે. ૧ સવથા પ્રાણાતિપાત-વિરમણ મહાવત–ભાંગા ૩૬ પ્રાણાતિપાત ૪ પ્રકારે – સૂમ, બાદર, ત્રસ, સ્થાવર=૪ ૪ x ૩ (મનવચન-કાયાથી ત્યાગ)=૧૨ ૧૨ x ૩ (કરણ-કરાવણ-અનુમતિને ત્યાગ)=૩૬ ૨ સર્વથા મૃષાવાદ-વિરમણ મહાવ્રત–ભાંગા ૩૬ મૃષાવાદ ૪ પ્રકારે– ક્રોધથી, લેભથી, ભયથી, હાસ્યથી=૪ ત્રણ રોગથી ત્યાગ ૪+૪=૧૨ ત્રણ કરણાદિથી ત્યાગ ૧૨૪૩ ૩૬ ૩ સર્વથા અદત્તાદાન-વિરમણ મહાવત– ભાંગ ૮૧ અદત્તાદાન ૯ પ્રકારે Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૦. સાધુતાની જાત ગામ, નગર કે અરણ્યમાં=3 અલ્પ, બહુ, અણુ, સ્થૂલ=8 સચિત્ત, અચિત્તર ત્રણ રોગથી ત્યાગ ૯ ૪ ૩=૩૭ ત્રણ કેરણાદિથી ત્યાગ ૨૭ ૩=૮૧ ૪ સર્વથા મૈથુન-વિરમણ મહાવત–ભાંગા ૨૭ મિથુન ૩ પ્રકારે– દેવ સંબંધી, મનુષ્ય સંબંધી તિર્યંચ સંબંધી, ત્રણ યેગથી ત્યાગ ૩ * ૩=૯ ત્રણ કરણાદિથી ત્યાગ ૯૪ ૩=૨૭ ૫ સર્વથા પરિગ્રહ-વિરમણ મહાવ્રત–ભાંગા ૫૪ . પરિગ્રહ ૬ પ્રકારે– અલ્પ, બહુ, આણુ, સ્થૂલ, સચિત્ત, અચિત્ત ૬. ત્રણ રોગથી ત્યાગ ૬ ૪ ૩=૧૮ ત્રણ કરણાદિથી ત્યાગ ૧૮ ૪ ૩=૧૪ સર્વથા રાત્રિભેજન-વિરમણ વ્રત–ભાંગા ૩૬ રાત્રિભેજન ૪ પ્રકારે– : અશન, પાન, ખાદિમ, સ્વાદિમ=૪ ત્રણ વેગથી ત્યાગ ૪ x ૪=૧૩ ત્રણ કરણાદિથી ત્યાગ ૧૨ ૪ ૩૪૩૬ આ પ્રમાણે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૨૭૦ ભાંગા પહેલા મહાવ્રતના-૩૬ બીજા ના-૩૬ ત્રીજા ,, ના-૮૧ ચેથા મહાવ્રતના ૨૭ પાંચમાં ના-૫૪ છઠ્ઠા , ના-૩૬ ૨૭૦ ભાંગા થયા. શુદ્ધ-હૃદયથી આમ–સમર્પણપૂર્વક ગુરુ-નિશ્રાએ જીવન જીવવાની તત્પરતા સાથે ઉપર મુજબના ભાંગાએ ગુરૂગમથી સમજી-વિચારી યથાયોગ્ય જયણા પૂર્વક મહાવ્રતનું અણીશુદ્ધ પાલન કરવા માટે જાગૃતિ કેળવવી તે આજના પડતા-કાલમાં વિશુદ્ધ આરાધક-ભાવની કેળવણી માટે જરૂરી છે. :/}}} ni' સંયમીનું કર્તવ્ય सव्वं हासं परिच्चन्ज अल्लीणगुत्तो परिव्यए –સર્વ પ્રકારે હાસ્યાદિ-કુતૂહલને છોડી અંગોપાંગને સંયમ રાખી સાધુએ વર્તવું જોઈએ. Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદની વ્યાખ્યા અનંત પુણ્ય—રાશિએ મળેલી ધર્માંરાધન-સામગ્રીના સદુષ્યાગ કરી જીવન સલ મનાવવાની સાનેરી પળ ઘણી વાર આરાધક-આત્માએ ગુમાવી બેસે છે, તેમાં મુખ્યતઃ પ્રમાદ કારણભૂત હાય છે, પણ અહીં પ્રમાદ કથા સ્વરૂપમાં ધર્માભિમુખ થતા આપણા માનસને પાછું પાડવા આવી ઊભા રહે? તે જાણ્યા વિના વિવેકી-પ્રાણી યથાચિતપ્રવૃત્તિમાં ઉદ્યત થઇ શકતા નથી, માટે અહીં પ્રસાદના મુખ્યા જણાવી સામાન્યતઃ સુસ્તી-આળસ કરવારૂપનો પ્રચલિત-અને ધર્મારાધનામાં અ-પ્રસ્તુત જણાવેલ છે, ‘પ્રમાÌજ્ઞાન-સંરાય-વિષય-રાગ-દ્વેષ-સ્મૃતિભ્રંશ-ચાગदुष्प्रणिधान - धर्मानादर भेदाष्टविधः" (શ્રયાગશાસ્ત્ર વાપજ્ઞવૃત્તિ પ્ર. ૧. બ્લેા.રે, પા. ૩૯) પ્રમાદ એટલે જ્ઞાન, દર્શીન ચારિત્ર સિવાયની પ્રવૃત્તિમાં તત્પરતા દાખવવી. તેના આઠ ભેદ છે 66 ૧ અજ્ઞાન—હિતાહિત–વિવેચનશક્તિને અભાવ. ૨ સંશય-શુભ-પ્રવૃત્તિના આખરી-પરિણામમાં શકા. ૩ વિપય ય—ચેય—ઉદ્દેશ્યનું વિસ્મરણુ. ૪ રાગ-અનામ—પદાર્થો ઉપર આસક્તિ, ૫ દ્વેષ—પાગલિક-પદાર્થોના કારણે મને વ્યાક્ષેપ. Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદની વ્યાખ્યા ૬ સ્મૃતિભ્રંશ—માનસિક ધારણાનો અભાવ. ૭ યુગ-દુપ્રણિધાન-મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ. ૮ ધમનાદર–સાધવા લાયક હિતકારી પ્રવૃત્તિ તરફ બેદરકારી. ઉપર મુજબના પ્રમાદના પ્રકારે ધ્યાનમાં રાખી આત્મકલ્યાણની સાધના કે સંયમ જ્ઞાન-ધ્યાન-પ્રવૃત્તિમાં શારીરિકમાનસિક–સુરતી ઉપરાંત બતાવ્યા મુજબના વ્યાક્ષેપથી પ્રવૃત્તિમાં શિથિલતા ન આવે તેનું પૂર્ણ ધ્યાન રાખવું." આ સિવાય પ્રમાદના બીજા પણ પાંચ પ્રકાર ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. “મન્ન વિરાસાયા, णिद्दा विगहा य पंचमी भणिया। एए पंच पमाया, पाडंति घोरसंसारे॥" | (અંબેધસિત્તરી) - ૧ મધ–કોઈપણ પદાર્થનું વ્યસનરૂપે (તેના વિના ચાલે જ નહિ) ગાઢ-આસક્તિપૂર્વક સેવન. (માદક પદાર્થોને સમાવેશ તે આમાં છે જ, પણ તે ઉપરાંત-ઇંદ્રિય-વાસના-પષક પગલિક-પદાર્થોને પણ આવન–પ્રકારના આધારે સમાવેશ થાય છે.) ૨ વિષય–ઇદ્ધિની વૃત્તિને પિષણ કરવાની વૃત્તિ. Page #50 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની જ્યોત કષાય-કર્મોના બંધનને ગાઢ કરનારી મોહ–ઘેલછાભરી પ્રવૃત્તિ. ૪ નિદ્રા–ઇદ્રિય-મનની પ્રવૃત્તિઓની સુસ્તી-કાર્યવિરતિ. ૫ વિકથા-જ્ઞાન-ધ્યાનાદિ સિવાયની (કલ્યાણમાગને બાધક) તમામ પ્રવૃત્તિ. આ પંચવિધ પ્રમાદ અવિવેકી–પ્રાણુને કર્મોના બંધનમાં વધુ ફસાવી સંસારમાં રૂલાવે છે. આ પ્રમાણે પ્રમાદના આઠ અને પાંચ પ્રકારો ઉપયોગપૂર્વક જાણી ધર્માનુષ્ઠાનમાં યાચિત શક્ય-પ્રવૃત્તિ કરવાથી યથાર્થ આરાધકભાવ પ્રાપ્ત કરી શકાય છે. , HI - 7 XJ TS આરાધનાની કૂચી જેમ જેમ જ્ઞાનીઓના વચને અને ગીતાર્થોની મર્યાદાને વફાદાર રહી મન-વચન-કાયાને પ્રવર્તાવવામાં આવે, તેમ તેમ આપણું પ્રવૃત્તિઓ આરાધનારૂપ બનતી જાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ઇંદ્રિયના વિષયો અને વિકારે આત્માને ભેગવવી પડતી કર્મોની વિટંબાનું પ્રધાન કારણ પાંચ ઇન્દ્રિયની રાગ-દ્વેષમય પ્રવૃત્તિ છે, કેમકે અજ્ઞાની પ્રાણી સત્તાસ્વરૂપે પિતે ચિદઘનાનંદમય છતાં મેહનીય– કર્મના ઉદયથી ભાન–ભૂલે બની જગતના બાહ્ય-પદાર્થોના ભેગાદિદ્વારા ઇનિી ક્ષણિક-તૃપ્તિ માટે વ્યર્થ પ્રાય દોડધામપ્રવૃત્તિ કરી વિષમ કર્મોના બંધનમાં અનિચ્છાએ પણ જકડાઈ જાય છે. | માટે પાંચ ઈન્દ્રિયોના વિષયે ક્યા કયા છે? અને તેઓના વિકારો આત્માને કેવી રીતે સાન–સૂધ ભૂલાવી દીન-હીન બનાવી મૂકે છે? તે જાણવું જરૂરી હોઈ અહીં પાંચ ઈન્દ્રિયોના તેવીશ વિષયો અને બસો બાવન વિકારો જણાવ્યા છે. પાંચ ઈન્દ્રિયોના ર૩ વિષયો. ૧. પશનેનિદ્રયના આઠ વિષય૧ ગુરુ (ભારે) ૫ મૃદુ (પોચે). ૨ લઘુ (હલકે) ૬ કઠિન (કઠણ) ૩ શીત (63) ૭ સ્નિગ્ધ (ચેપડ્યો) ૪ ઉષ્ણ (ઉ) | | ૮ રૂક્ષ (લખે) ૨. રસનેન્દ્રિયના પાંચ વિષય Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સાધુતાની જ્યોત ૧ તિક્ત (કડવો) ૪ આસ્લ (ખાટે) ૨ કટુક (તી ) | ૫ મધુર (મીઠ) ૩ કષાય (કષાયેલ) ૩. ધ્રાણેન્દ્રિયના બે વિષય ૧ સુરભિ (સુગંધ) ૨ દુરભિ (ગધ) ૪, ચક્ષુરિન્દ્રિયના પાંચ વિષય૧ શ્વેત (સફેદ) | ૪ હરિત (લીલો) ૨ રક્ત (લાલ) [ પ કૃષ્ણ (કાળ) ૩ પીત (પીળો) ૫. શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષય– - ૧ સચિત્ત, ૨ અચિત્ત, ૩ મિશ્ર શબ્દ, - ઉપર મુજબના તેવીશ વિષયોમાંથી શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષયને બાદ કરતાં બાકીના વીશ વિષયને સચિત્તાધિ ત્રણથી ગુણતાં સાઠ, ફરી શુભ-અશુભથી ગુણતા એક વીશ, અને રાગદ્વેષથી ગુણતાં બસે ચાલીશ થાય. શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષયોને શુભ-અશુભથી ગુણતાં છે થાય, ફરી રાગ-દ્વેષથી ગુણતાં બાર થાય. આ બાર ભેદને ઉપરના બસે ચાલીશમાં ઉમેરતાં પાંચ ઈન્દ્રિયેના તેવીશ વિષયોના બસે બાવન વિકાર થાય. આ વિકારોને ગુરુગમથી જાણુ–સમજી યથાશક્ય-પ્રયત્ન વૃત્તિઓને વિકાસભિમુખ થતી અટકાવવા પ્રયત્નશીલ થઈ સંયમારાધનનું મધુર ફલ આરુવારી જીવન કૃતાર્થ કરવું ઘટે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪ સમય પરીક્ષા - સાધુ-જીવનમાં કરણય તરીકે નિર્દિષ્ટ સ્વાધ્યાય, પ્રતિલેખના, પચ્ચક્ખાણ પારવું વગેરે કામે નિયત-સમયે કરવાના હોય છે. તે અંગે શાસ્ત્રકાર–ભગવંતેએ ગૃહસ્થાદિ કેઈને પણ આધીન રહ્યા વિના પિતાની શાસ્ત્રાનુસારી બુદ્ધિના બળે સ્વતઃ સમજી શકાય તેવી સુંદર વ્યવસ્થા કરેલ છે. એટલે કે સવારના પ્રતિક્રમણ પછી પડિલેહણ કરતાં સૂર્યોદય થાય તે રીતે કરવાનું છે, ત્યાર બાદ છ ઘડી દિવસ ચઢે ત્યાં સુધી સ્વાધ્યાય કરવાનો છે, બાદ ત્યાં પારિસી ભણાવવાની છે, તે પિરસી કયારે ભણાવવી? તે અંગે વ્યવસ્થા નીચે મુજબ છે. ઉત્તર–સન્મુખ ઉભડક બેસી જમણે પગ સીધે ઉભે રાખી તે ઢીંચણની છાયાના માપે પિરસી ભણાવવાને સમય જાણો. કયા મહિનામાં કેટલા પગલે–આંગલે પિરસી આવે? તેનું કેષ્ટક નીચે મુજબ છે. પ્રાતઃ પિરસી મંત્ર. ૧ અસાડ પૂનમે-૨ પગલે ૨ શ્રાવણ , -૨ ) ૪ આંગલે ૩ ભાદરવા ) -૨ ) ૮ ) ૪ આસે , -3 , Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૫ કારતક પૂનમે-૩ પગલે ૪ આંગલે ૬ માગસર ૮ ૭ પાષ ૮ મા ૯ ફાગણ ૧૦ ચૈત્ર ૧૧ વૈશાખ ૧૨ જેઠ "" "" 99 36 99 66 "" -3 -x -3 -3 -3 "" "" "" "" ,, "" "" "" 99 "" 99 સાધુતાની ન્યાત ઉપરના કાષ્ટકથી સમજાશે કે દર મહિને ચાર આંગલની હાનિ–વૃદ્ધિ થાય છે, આ હિસાબે પંદર દિવસે એ આંગલ સાત દિવસે એક આંગલ અને રાજ એક આંગલના કઈક ઊણા સાતમા ભાગની હાનિ-વૃદ્ધિ સમજવી. વળી સ્વાધ્યાય માટે શાસ્ત્રકાર-ભગવંતાએ દિવસરાત્રિના પહેલા છેલ્લા પહેાર મળી ચાર પહેાર (કાળવેલા છેડી) નિયત કરેલ છે, એટલે તે અંગે વિશિષ્ટ કેાઈ વ્યવસ્થાની જરૂર નથી રહેતી પહેલા-છેદ્યા પ્રહરના ખ્યાલ સહજ આવી શકે તેમ છે. તથા પચ્ચક્ખાણ પારવા માટે તે તે મહિનામાં અમુક પગલાં પ્રમાણુ છાયાની વ્યવસ્થા નિયત કરી છે, તે ઉપરથી સહજ રીતે દરેક આરાધક-આત્માં કોઈપણ સાધનની અપેક્ષા રાખ્યા વિના પચ્ચક્ખાણુના સમય સમજી શકે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણ સમય-વ્યવસ્થા અવશ્વ સૂર્યોદય પછી - ૨૪ ધડી= નં. મહિને નવકારસી પિ. સાપે. પુરિટ પગલાં પગલાં પગલાં પગલાં ૧ કારતક ૪૦ ૨ માગશર ૩૯ાાં ૩ પેષ ૩૯ાા ૪ માહ ૩લા ૫ ફાગણ ४० ૬ ચિત્ર ૪૨ ૭ શાખ | ૪૩ ૪૪ ૯ અસાહ જપા ૧૦ શ્રાવણ ૪૪ ૧૧ ભાદરવા ૪૩ાા ૧૨ આસો | ૪૨ | ૯ લા - ૭ - ૦ ૦ ૦ ૮ + ૮ જ કલાક = = = • = = • 2 y ૭ • ૮ ૮ ઇ જ દ ૮ ૧ અને છે મિનિટ દર માસમાં જણવું. આ યંત્ર ઉપરથી મહિના-મહિનાની વ્યવસ્થા સહેલાઈથી સમજાય છે, તેવી રીતે રોજ, અઠવાડિયે કે પખવાડિયે કેટલી ઘટ–વધ થાય? તે ગુરુગમથી સમજી લેવું. આ મુજબ સાંજનું પડિલેહણ પણ છેલ્લી–પિરસીના નિયત સમયે કરવાનું. તે ચરમ–પોરસીને નિયત સમય નીચેના કેષ્ટકથી જાણવો. Page #56 -------------------------------------------------------------------------- ________________ પu સાધુતાની ચેત ચરમ-પારસી યંત્ર ૧ જેઠ-અસાડ-શ્રાવણ મહિને-૬ આંગલની છાયાએ. ૨ ભાદર-આસે-કારતક , ૮ ) ૩ માગસર–પષ–સાહ , ૧૦ , , ૪ ફાગણ-ચૈત્ર-વૈશાખ , ૮ , અહીં પણ ઉત્તર-સન્મુખ ઉભડક બેસી જમણ-પગને ઊભો રાખી ઢીંચણની છાયાનું માપ સમજવું. ઉપર જે કેષ્ટક બતાવ્યાં તે શ્રીઓઘનિયુક્તિ આદિ શાના આધારે બતાવ્યાં છે, તે ઉપરાંત બીજા પણ સામાન્યથી સમયને જણાવનારાં કેષ્ટક શાસ્ત્રમાં આવે છે. તે ઉપરથી જેલી કેટલીક સમયની કૂંચીઓ હવે બતાવાય છે. * વિચાર અને આચાર વચ્ચેનું અંતર ઘટાડવા માટે વિચારીને નિકાની ભૂમિકા પર સ્થિર કરવાની જરૂર છે. તેમજ આચારનું જોડાણ ફરજ અને કર્તવ્ય પાલન સાથે કરવું જરૂરી છે. આમ કરવાથી આચાર અને વિચાર વચ્ચેનું અંતર જલદી ઘટવા પામે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫ સમય જાણવાની-સ્કૂચી ૧ પિતાના શરીરની છાયા પગલાંથી ગણી તેમાં છ ઉમેરતાં તયાર થયેલ રકમથી ૧૨૧ ને ભાંગતાં જે જવાબ આવે તેટલી ઘડી અને વધેલી શેષ જેટલી પળે બાર વાગ્યા પહેલાં દિવસ ચલ્યો જાણો અને બાર વાગ્યા પછી દિવસ બાકી જાણ. . ૨ વેંતની છાયા આંગલથી માપી તેમાં સાત ઉમેરતાં તૈયાર થએલ રકમથી ૧૨૦ને ભાંગતાં જવાબ જેટલી ઘડી અને જેટલી પલ આવે તેટલો દિવસ ચલ્યો કે બાકી રહ્યો જાણવ• . . . ૩ સાત આંગલની સળીની છાયા આગલથી માપવી, તેમાં સાત ઉમેરતાં તૈયાર થએલ રકમથી નીચે બતાવેલ તે તે માસના ધ્રુવકેને ભાંગતાં જવાબ જેટલી ઘડી અને શેષ જેટલી પળ દિવસ ચઢ્યો કે બાકી રહ્યો જાણ. ૧ કારતક-૧૫૦ | ૫ ફાગણ-૧૫૦ [ ૯ અસાડ-૧૨૫ ૨ માગશર–૧૬૦ ૬ ચિત્ર-૧૪૪ | ૧૦ શ્રાવણ–૧૩૫ 2 પિષ–૧૭૦ | ૭ વૈશાખ-૧૩૫ ૧૧ ભાદરવો-૧૩૫ ૪ માહ-૧૬૦ { ૮ જેઠ-૧૩૦ | ૧૨ આસે-૧૪૪ Page #58 -------------------------------------------------------------------------- ________________ પર સાધુતાની ન્યાત - ૪ ત્રણ આંગળની સળીની છાયા આંગલથી માપી તેમાં ત્રણ ઉમેરતાં તૈયાર થયેલ રકમથી ૬૪ ને ભાંગતાં જવાબ જેટલી ઘડી અને શેષ જેટલી પલ દિવસ ચઢ્યો કે બાકી રહ્યો જાણ. આ પ્રમાણે દિવસે સમય જાણવાની પદ્ધતિ જાણવી, એમાં ઘડી–પળ જે આવે તેને અઢીથી ભાંગતાં કલાક આવે છે, કારણ કે અઢી ઘડીને કલાક થાય છે. આ મુજબ રાત્રે પણ સમય જાણવો હોય તે નીચે મુજબની પદ્ધતિ છે, રાત્રે આકાશ નીચે મેદાનમાં ઉભા રહેતાં માથા પર જે નક્ષત્ર આવે, તેને દૈનિક (સૂર્યના) મહાનક્ષત્રથી ગણતાં જેટલામું આવે, તેમાંથી સાત બાદ કરતાં બાકી વધેલ સંખ્યાને વિશથી ગુણી નવથી ભાંગવી. જવાબ જેટલી ઘડી શેષ જેટલી પલ સૂર્યાસ્ત પછી થઈ એમ સમજવું. આમાં નક્ષત્રોની ઓળખાણ-પરિચય માટે. ગુરુગમપૂર્વક છેડા અભ્યાસની જરૂર છે, પણ સાધુ-સાધ્વીને રાતના સમય જેવા-જાણવાની ખાસ જરૂર નથી હોતી, પ્રતિક્રમણ કરી સ્વાધ્યાય કરી સૂઈ જવાનું છે. સમય-મર્યાદાની જરૂર દિવસે પરચકખાણ પારવા આદિમાં જરૂરી હોય છે. આ મુજબ તે તે સંયમની ક્રિયાઓ નિયત સમયે કરવાના ઉપયોગની જાગૃતિથી વિધિપૂર્વક સધાતા વિદ્યામંત્રાદિની જેમ ક્રિયાઓ નિબિડતર કર્મોના બંધનમાંથી મુક્ત કરાવનારી થાય છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ સમય જાણવાની કુંચી ૫૩ સમય–વ્યવસ્થા જાણવા માટે ઉપર બતાવેલ શાસ્ત્રીય કેષ્ટકને વ્યવસ્થિત ઉપગ કરવાથી સંયમની મર્યાદાને ભંગ અને મોહનીયકમની વિચિત્ર પરિણતિની વિષમતાને ઉપજાવનારા ઘડીયાળ અને તેવા અદ્યતન સાધનોના ઉપયોગના અસદાચારમાંથી બચવાને લાભ મળે છે. જો કે ઉપરના શાસ્ત્રીય-મર્યાદાનુસારી કેષ્ટકના ઉપયોગમાં ચોમાસાના દિવસોમાં સૂર્યના તાપના અભાવે છાયા ન પામી શકવાથી કંઈક મુશ્કેલી પડે તેમ છે, પણ તે તો સંયમના ખપી મુમુક્ષુ-આત્માને તેટલી બાધાકર નથી નિવડતી. કારણ કે રોજના ચાલુ અભ્યાસથી વગર–છાયાએ પણ –સમયનું સાચું અનુમાન થઈ શકે છે. વર્તમાન–યુગના સાધનેના વિષમ ઉપયોગથી આપણી તેવી કલ્પના-શક્તિની યર્થાથતામાં હાસ આખ્ય છે, પણ શાસ્ત્રાનુસારી-જીવનના માર્ગ પર ચાલવા ઈચ્છનારને પુનઃ ડાક અભ્યાસથી તે શક્તિ પ્રાપ્ત થઈ શકે છે. તત્ત્વજ્ઞાન એટલે? - અઘાતી-કર્મ કરતાં ઘાતી-કર્મથી ડરતા રહેવું તે તત્વજ્ઞાનને સાર છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ - પૂ. સાધુ-સાઠવી મને સંયમી જીવન માટે ખાસ ઉપયોગી હિત-શિક્ષા-શતક (પૂ. આ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મ. શિષ્ય પૂ૦ મુનિ શ્રી લેયસાગરજી મ. ગણે સંપાદિત “સ્વાધ્યાય-સાગર” [ વિભાગ ૨ પૃ. ૭૫ થી ૧૧૦] માંથી સંકલિત કરીને ઉપયોગી ભાગ અહીં લીધે છે.) (૧) એક પ્રહર બાકી રહે ત્યારે શ્રી નમસ્કાર-મહામંત્રનું મરણ કરી જાગૃત થવું. નિદ્રા એ આત્મગુણને ઘાત કરનાર સર્વઘાતી પ્રકૃતિ છે. માટે નિદ્રાને ઘટાડતા જવું, આહાર અને ઉંઘ વધાર્યાં વધે અને ઘટાડ્યાં ઘટે, તેમજ આહાર વધારવાથી ઉંઘ પણ વધે છે. (૨) જે જગ્યાએ ઉંચા હોઈએ કે રાઈ-પ્રતિક્રમણ કર્યું હોય તે જગ્યાને સ્વામી શય્યાતર થાય, પરંતુ એક જગ્યાએ ઉંધ્યા અને બીજી જગ્યાએ રાઈ-પ્રતિક્રમણ કર્યું હોય તો બને જગ્યાઓના બંને સ્વામી શય્યાતર થાય. (૩) દરેક ક્રિયા પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ કરવી. (૪) ક્રિયા કરતાં સ્થાપના મસ્તકથી ઉપર અને નાભિથી નીચાણુમાં રાખવા નહિ. Page #61 -------------------------------------------------------------------------- ________________ હિત–શિક્ષા—શતક (૫) સ્થાપનાજી માટે તેના ઉપર રેશમી રૂમાલેા તેમજ આકષણ ભરેલા સુતરાઉ રૂમાલા રાખવા તે અસ'ચમરૂપ છે. (૬) કાઉસ્સગ્ગમાં જીભ અને હેાઠ તેમજ આંગળી પણ હલાવવી જોઇએ નહિં. ય (૭) કાઉસ્સગ્ગમાં સંખ્યા ગણવા ભૃકુટિ અથવા આંગળી ફેરવવામાં આવે તો “સમુહગુલી” નામના દોષ લાગે અને હુ ું કરે તા “ મૂક ”. નામના દોષ લાગે, તથા વાંદરાની જેમ આડુ' અવળું જોયા કરે અને હાઠ હલાવે તા ‘પ્રેક્ષ્ય’ નામનેા દોષ લાગે. (૮) પદ્યમા આગાહૈિં-આ વાકયમાં સત્ શબ્દથી બીજા પણ આગારા બતાવે છે. ૧ ઉહી-આગ વગેરે અગ્નિના ઉપદ્રવ હાય. ૨ પંચેન્દ્રિય જીવાની આડ પડતી હાય તથા છેદનભેદ્દન થતું હાય. ૩ રાજભય, ચારભય કે ભીંત પડવાના ભય હાય. ૪ સ્વ-પરને સર્પાદિ-દશના ભય હાય તેમજ ઈંશ દીધેા હાય આદિ આ ઉપર બતાવેલ કારણા વડે કાઉસ્સગ્ગમાં (પા-વિના) એક સ્થાનથી બીજે સ્થાને જાય તે પણુ કાઉસ્સગ્ગના ભંગ થાય નહિં અને ત્યાં જઇ અધુરા રહેલેા કાઉસ્સગ્ગ પૂર્ણ કરે. (૯) કાઉસ્સગ્ગમાં છીંક, બગાસું, એડકાર કે ખાંસી આવે તે મુખ આડી મુત્ત કે વસ્ત્ર રાખવું જોઇએ, અને તેમ કરતાં કાઉસગ્ગના ભંગ થાય નહિ. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સાધુતાની જયોત (૧૦) દેરાસરમાં કાઉસ્સગ કરતાં પ્રભુ ઉપર દષ્ટિ રાખવી અને ઉપાશ્રયમાં કાઉસ્સગ કરતાં નાસિકા ઉપર અથવા સ્થાપનાજી ઉપર દૃષ્ટિ શખવી. ' (૧૧) ઈરિયાવહીથી ભરહેશરની સઝાય સુધી કરી સ્વાધ્યાય અથવા ધ્યાન કરવું. (૧૨) રાત્રિમાં શિયલભંગ સંબંધી સ્વપ્ન (કુસ્વપ્ન) આવેલ હોય તે સારવાર સુધી નહિ તે (અથવા સ્વપ્ન આવેલ હોય તે) હેતુ નિયા સુધી ચાર લેગસને કુસુમિણને કાઉસ્સગ્ન કરે. (૧૩) કુસ્વપ્ન-રાગથી (મેહ-માયા-લેભથી) આવે. દુઃસ્વપ્ન-કેષથી (ધ-માન-ઈર્ચા-ખેદથી) આવે. (૧૪) કુસુમિણુને કાઉસ્સગ કર્યા પછી ઉંઘાય નહિ, જે ઉધે તે ફરીથી કુસુમિરને કાઉસ્સગ કરવો જોઇએ. (૧૫) પચ્ચકખાણ લેતા રહfમ અને રોહિfમ બોલવું. પચ્ચકખાણ આપતાં જણાવ્યા અને વાણિરૂ બોલવું અને પચ્ચકખાણ બીજાને આપતાં અને સાથે પિતે લેતા डाय तो पच्चक्खाइ-पच्चक्खामि भने वोसिरह-वोसिरामि એમ બંને બાલવું. (૧૬) ચૌવિહાર-ઉપવાસ સિવાય સવારના દરેક પચ્ચકખાણમાં સાથે મુદિરિયે પચ્ચ. લેવાનું ભૂલવું જોઈએ નહિ. કારણ કે મુ હર્ષ સાથે ન હોય તે પચ્ચકખાણને ટાઈમ થઈ ગયા પછી વિરતિનો લાભ મળે નહિ અને Page #63 -------------------------------------------------------------------------- ________________ હિત–શિક્ષા-શતક ૫૭ મુસિદિય સાથે લેતાં પચ્ચક્ખાણુ ઉપરાંત ગમે તેટલા ટાઈમ થઈ જાય તેા પણ વિરતિ (તપ)ના લાભ મળે. (૧૭) દરેક પચ્ચક્ખાણુ પારતાં મુઠી વાળીને પચ્ચક્ખાણુ પારવુ જોઇએ. મુઠી વાળ્યા વિના સીધેા હાથના પન્ને રાખી પચ્ચક્ખાણ પારવામાં આવે તે પચ્ચક્ખાણના ભંગ થાય. (૧૮) જગતને દેખાડનારા ઘણા માણસા હોય છે, પરંતુ પેાતાના આત્માને માટે જ્ઞાન-ધ્યાન અને ક્રિયામાં ઉદ્યમ કરનાર આ પૃથ્વી ઉપર ગણ્યા-ગાંઠ્યા જ હાય છે. (૧૯) વિવેકી સૌંચમીએ સતત વિચારવું ઘટે કે આયબિલ છે—અટ્ટમ-અટ્ઠાઈ આદિ ઘણા તપા કર્યાં, પરંતુ લાલસા અને આધાકર્મી આદિ કેટલા દાષા છેાડ્યા ? ઉપદેશ પણ આપ્યા! પણ પેાતાના આત્માને કેટલેા સમજાયે ! ભણ્યા ઘણું! પણ જીવનમાં કેટલું ઉતાર્યુ ? ઉગ્ર—વિહારી બન્યા ! પશુ ઈચૌસમિતિનું પાલન કેટલુ કર્યું` ? ધ્યાન કરતાં શિખ્યા! પણ પ્રતિકૂલ-સચાગેામાં મતા કેટલી રાખી ? મિચ્છામિદુક્કડ ના પડકાર કરનારા આપણા આત્માને પૂછ્યું*! કે તારૂ" મિચ્છામિ દુક્કડ કુંભારવાળું છે ? કે શ્રીમૃગાવતીજી જેવું છે? Page #64 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની જ્યાત (૨૦) પ્રભાત સમયે, પ્રભાત પછી પરસ્પર મુખ દેખાયે હાથની રેખા દેખાય ત્યારે પડિલેહણ કરવું, આ બધા મતાંતરા ખાટા છે. કારણ કે અંધારામાં ઉપાશ્રય હોય તે સૂર્યૌંદયે પણ ન દેખાય, તેથી ભદ્રબાહુસ્વામી જણાવે છે કે વિશા હેવન ખેલતાં અને હાલમાં જીત કલ્પથી પ્રતિક્રમણ કરીને તરત મુહપત્તિ-રજોહરણ–નીસેથીયુ – આધારીયું– ચાલપટ્ટો – કપડાકાંબળી–કાંબળીના કપડા–સથારા અને ઉત્તરપટ્ટો, આ દશ વસ્તુનું પડિલેહણ કર્યાં પછી કાો લેતાં સૂર્યોદય થાય તેવી રીતે પ્રતિક્રમણ અને પડિલેહણ શરૂ કરે. અથવા સૂર્યોદય પહેલાં પંદર મિનિટે પ્રતિક્રમણ પુરૂ થઈ જાય તેવી રીતે રૂપિયાન્તિ- ્છાથી પ્રતિક્રમણુ શરૂ કરે. વળી સૂર્યોદય પહેલાં ૧૫ મિનિટે પડિલેહણ શરૂ કરે. પરંતુ ઉપાશ્રયમાં સૂર્યના પ્રકાશ ખરાબર ન આવતા હાય કીડી-માંકડ જી' આદિ વસ્ત્રમાં દેખાય તેવું અજવાળું થાય ત્યારે પડિલેહણ કરવું. પડિલેહણુમાં ત્રુ નીકળે તેા કપડામાં અને માંકડ નિકળે તેા લાકડામાં, અકાળે ન મરે તેવી રીતે સુરક્ષિત એકાન્ત અને છાયાવાળી જગ્યામાં મૂકવા, કામળીના કપડા જુદો કરીને બન્નેનું જુદુ જુદુ‘ પિડે. લેહણ કરવુ જોઈએ. (૨૧) દેવદર્શીન; આહાર, નિહાર, વિહાર, માત્રુ અને ગુરુઆજ્ઞા આ છે કારણે ઉપાશ્રય બહાર જવાય. Page #65 -------------------------------------------------------------------------- ________________ હિત-શિક્ષા-શતક મ (૨) સુર્યોદય પછી વિહાર કરવા તે હિતકારી છે. સર્વાદય પહેલાં વિહાર કરવામાં ઈર્યાસમિતિનુ પાલન થાય નહિ, જ્યાં જયણા નથી ત્યાં ચારિત્ર નથી, (૨૩) ગાઢ કારણે કાળ વખતે અને વર્ષાદ વખતે ખુછ્યા આકાશમાં લઇ ગયેલા કાંબળી-તરપણી-કાચલી વિગેરે એક આજી મૂકી દેવા જોઇએ, અને પેાતાની મેળે સુકાઈ જાય ત્યાર પછીજ તે ઉપયેગમાં લઇ શકાય, અને કાળ વખતે લઇ ગયેલ કાંબળીની ૪૮ મિનિટ પછી ઘડી વાળી શકાય. તેના પહેલા ઘડી વાળીએ તા અપ્લાય અને કાયની વિરાધનાના દોષ લાગે. (૨૪) કાળ વખતે ખુલ્લા આકાશમાં કપડા સુકવાય નહિ. સૂકવેલા કપડાએ ના છેડાઓથી વાયુ વડે ઝાપટ લાગે નહિં, તે ધ્યાનમાં રાખવુ. તડકામાં કપડા સુકવાય નહિ (૨૫) છેલ્લી કેાટિના માગ ખેતરના, તે માર્ગે વધુમાં વધુ દોષ, તેનાથી સારા માર્ગ કેડીના, તે માગે તેનાથી અલ્પ દોષ રેલ્વેના ગાડાના 99 "" "" 29 35 ** સડક વિનાના મેટરના કાચી સડકના ડામરની સડકના "" ?? "" "" A "7 Page #66 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની ન્યાત (૨૬) ઈંટવાની ભૂમિ ૧૦૨ આંગળ સચિત્ત નિભાડાની , ચલાની ૪ ૩૨ ) તેર બાંધવાની ૨૧ , મળ-મૂત્રની , ઘરની છે. શેરીની રાજમાર્ગની , પણ (૨૭) ચોમાસામાં પિરિસી ભણાવી કાજે લેવો જોઈએ. (૨૮) ચોમાસા પછી પાંચ ગાઉમાં બે માસ સુધી કારણ વિના વસ્ત્ર–પાત્ર આદિ લેવા કપે નહિ. (નિચૂ૦ ઉ૦ ૧૦) (ર૯) વિહારમાં બનતા સુધી માણસ લે નહિ, પિતે જેટલી ઉપધિ ઉપાડી શકે તેટલી જ રાખવી, જેથી માણસ લે પડે નહિ. માણસ લેવામાં ઘણા દેને સંભવ છે. (૩૦) સાધ્વીઓએ વિહારમાં સાથે પાટલા માટે પુરુષજાતિને ન રાખવી. અને સાધુઓએ વિહારમાં સાથે પિટલા માટે સ્ત્રી જાતિને ન રાખવી. ના છૂટકે કઈ ગામમાં તેમજ બન્યું તો સાથે ચાલવું નહીં. (૩૧) પગ છૂટો કરવાને બહાને કે તીર્થ—યાત્રાના બહાને સમુદાયમાંથી છુટા પડી અનેક પ્રકારના દોષેનું સેવન કરીને સ્વતંત્ર વિહાર કરે તે ગ્ય નથી. Page #67 -------------------------------------------------------------------------- ________________ હિત-શિક્ષા-શતક કારણ કેઃ–સયમયાત્રા તે માટામાં માટી યાત્રા છે. (૩ર) વિહારનાં રસ્તામાં નદી કે ખાળ આવે તા તેને ઉપરના દંડાસણથી પગની પ્રમાર્જના પણ કરવી, નદી ઉતરતાં તે અર્ધી જાંઘથી નીચે પાણી હાય તેા ધીમે ધીમે પગ જલમાં મૂકે, પછી એક પગ ઉપાડી પાણી ઉપર અદ્ધર રાખે, પાણી નિતરી ગયા પછી તે પગ ધીમે-ધીમે જલમાં આગળ મૂકે, અને બીજો પગ ઉષાડી પાણી ઉપર અદ્ધર રાખે, પાણી નિતરી ગયા પછી તે પગ ધીમે-ધીમે જલમાં આગળ મૂકે, તેવી રીતે નદી ઉતરે, પરંતુ પાણી ડાળીને ઉતરે નહિ. સામે કાંઠે જઈ ની ઉતરતાં જે કાંઇ અવિધિ-દાષ લાગ્યા હાય તે ખદલ પ્રાયશ્ચિત્તમાં યિાવદિયા કરવી. નદી ઉપર પુલ હાય તા કરીને પૂલમાગે જવુ તે હિતકારી છે. ૧ (૩૩) સમણિ રહિત, ધીમે ધીમે વાતા કર્યાં વિના મૌન પણે સ્થ‘ડિલ-ભૂમિએ જઇને નીચે બેસી સ્થડિલને અનુરૂપ પત્થર, ઇંટ આદિના ટુકડા લઈ ખ'ખેરી છાયામાં મળ-ત્યાગ માટે બેસે, તડકા હાય અને છાયા ન હાય તે સ્થંડિલ ઉપર પેાતાની છાયા કરી બે ઘડી સુધી પોતે ત્યાં બેસી રહે, જેથી કરમીયા હાય તા સ્વયં પરિણામ પામી જાય, નહીં તે તડકાને લઈને તરત મરી જાય. (એ. નિ.) (૩૪) દિવસે પૂત્ર અને ઉત્તર દિશા સામે અને રાત્રે પૂર્વ ઉત્તર અને દક્ષિણ દિશા સામે તેમજ સૂર્ય ને પુઠ કર્યો વિના છાયામાં ત્રણવાર પવન, ગામ અને ચક્ષુથી ખરાખર Page #68 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની જ્યોત જોઈને “સTarદ શરૂe” (જેની જગ્યા છે તે, મને આજ્ઞા આપે) કહી મળત્યાગ કરી શુદ્ધિ કરી ત્રણવાર “જિ” કહી ઉભું થાય. | (ઓ. નિ.) - (૩૫) આહાર-નિહાર અને વિહાર વગેરેમાં રસ્તે ચાલતાં દ્રવ્યથી ચક્ષુ વડે દેખે, ક્ષેત્રથી સાડા ત્રણ હાથ સુધી દષ્ટિ રાખે, કાળથી ચાલવાના સમયે આડું અવળું ન જોતાં સ્થિર દષ્ટિ રાખે, : ભાવથી નિરીક્ષણ કરવાના ઉપયોગમાં તત્પર બને, ચાલતાં વાત કરવી નહિ, સ્વાધ્યાય કર નહિ, તેમજ ઝડપથી ચાલવું નહિ, અને સમણિએ ચાલવું નહિ, (૩૬) કાગળ કપડું જે દિવસે પાઠવવાનું હોય તે જ દિવસે કપડાના ટુકડા કરવા અને કાગળનો ઢગલો કરે પરંતુ પહેલેથી ટુકડા કે ઢગલે કરી બે-ચાર દિવસ પડી રાખવા નહિ; કારણ કે તેમાં જીવો પેસી જવાનો સંભવ છે. (૩૭) ગીતાથ મહાપુરુષોની મર્યાદા મુજબ લખેલા કાગળે-ટપાલ વગેરે ફડાય નહીં. જ્ઞાનાવરણીય કર્મ બંધાય. (૩૮) ભીની જગ્યા ઉપર માત્રુ–પાણ પરઠવતાં જીની ઉત્પત્તિ થાય, માટે એક જ જગ્યાએ ઢળવું નહિ, તેમજ પરઠવતાં અવાજ ન થાય તેવી રીતે નીચા નમીને જીવજતુ ન હોય ત્યાં ધીમે ધીમે પરડવવું, પરંતુ દૂર ઉભા Page #69 -------------------------------------------------------------------------- ________________ હિત–શિક્ષા-શતક ૬૩ ઉભા કે માળ ઉપરથી કે બારીમાંથી કે ઓટલા ઉપરથી ફેંકવું નહિ, તેમજ રસ્તા વચ્ચે પણ ન પરઠવવું. (૩૯) જગતમાં નિરર્થક વસ્તુને ત્યાગ તે બધાય કરે છે, પરંતુ સંયમી–આત્માની પ્રવૃત્તિ જયણાવાળી હોવાથી લોકોત્તર ફળ આપે છે, અર્થાત કમની નિર્જરા થાય છે. (૪૦) બનતા સુધી વધારે ઉપાધિ રાખવી નહિં. અને હેય તેમાં પણ મૂછ રાખવી નહિ, છતાં જે ઉપાધિ વધી ગઈ હોય તો પોતાની વસ્તુ આઠ માસથી વધારે વખત તે એક જગ્યાએ રાખવી નહિં. (૪૧) મેઘની ગર્જના, ઘોડાના પેટમાં રહેલ વાયુ, અને વીજળીની માફક દુર્વાહ્ય અને ગૂઢ હૃદયવાળી સાધ્વીએ પિતાની ઈચ્છા પ્રમાણે જે ગચ્છમાં આવ-જા કરે, છતાં કેઈ પણ સાધુ નિષેધ ન કરી શકે તે તે ગછ નહિં. પણ સ્ત્રી-રાજ્ય જાણવું. ભજન મંડળીના સમયે જે ગ૭માં સાધ્વીઓ આવ-જા કરે તે તે ગછ નહિ, સ્ત્રી રાજ્ય જાણવું (ગચ્છા.) (૪૨) શક્ય હોય ત્યાં સુધી એક વખત વાપરવાથી ચાલે તો બે વખત વાપરવું નહિ. એક વખત વાપરવાથી ન ચાલે તે બે વખત વાપરવું. બે વખત વાપરવાથી ચાલે તે ત્રણ વખત વાપરવું નહિ. (૪૩) સવારથી સાંજ સુધી ઢારની જેમ મોકળે–મોઢે ખાવાથી અનેક દોષો ઉત્પન્ન થાય છે. પાણી પણ ઠાંસી ઠાંસીને પીવું નહિં. (જન કરતાં પ્રથમ પાણી પીતાં અગ્નિ Page #70 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની ન્યાત મંદ થાય, વચ્ચે પાણી પીતાં રસાયન જેમ પુષ્ટિ કરે, અને અંતે ઘણું પાણી પીતાં વિષની જેમ નુકશાન કરે.) (૪૪) પારણા અને અત્તરવાયણામાં અજ્ઞાનીની જેમ મન લલચાવવું જોઈએ નહિં, તો ખરા તપસ્વી બનાય, તેમજ પારણા અને અત્તરવાયણાની ખબર ગૃહસ્થને ન પડવા દેવી, જે ખબર પડે તે અનેક દેશે ઉપજે. ખરા તપસ્વીને પારણામાં અને અત્તરવાયણામાં આનંદ (તાલાવેલી) ન હોય. તેને મન તો બનેમાં વિભાવદશા (પરાધીનતા) હોય, તે બન્નેને વિચાર સરખો પણ પિતાને ન આવે. (૪૫) ત્રણ ટાઈમ વાપરવાનો રિવાજ સાધુને નથી, પરંતુ સાધુને તે છ કારણે ભજન કરવાનું જ્ઞાની પુરુષોએ ફરમાવ્યું છે. (૧) ક્ષુધા સહન ન થાય ત્યારે. (૨) વૈયાવચ્ચ કરવા માંટે. (૩) ઇસમિતિનું પાલન કરવા માટે. (૪) સંયમનું પાલન કરવા માટે. (૫) દ્રવ્ય-પ્રાણ ટકાવવા માટે. (૬) સંકલ્પ-વિકલ્પ દૂર કરી શુભવિચાર કરવા માટે. આ છ કારણેમાંથી કેઈપણ કારણે ભોજન કરવું કલ્પ. (પિંડ નિર્યુક્તિ) Page #71 -------------------------------------------------------------------------- ________________ હિત શિક્ષા શતક ૬૫ (૪૬) નીચેના છ કારણે ભાજન કરવાના નિષેધ કરેલ છે. (૧) તાવ આદિ રાગ થાય ત્યારે. (ર) રાજા, સ્વજન, દેવ, મનુષ્ય, તિય ચે કરેલ ઉપસર્ગ સહન કરવા (૩) શીયલનું પાલન કરવા. (૪) વર્ષા-ધુમ્મસ અને જીવાના ઉપદ્રશ્ય વખતે જીવ-રક્ષા માટે. (૫) તપ કરવા માટે. (૬) અન્ત સમયે શરીર છેડવા માટે. ( પિંડ–વિશુદ્ધિ ) (૪૭) સુરસુર કે ચમચમ જેવા શબ્દો àાજન કરતાં ન થાય તે ધ્યાનમાં રાખવું, તેમજ પ્રવાહી–વસ્તુના સબડકા પણ લેવા નહિં. (૪૮) આયખિલ, નિવી, એકાસણું અને બેસણું વિ. ૪૮ મિનિટમાં પતાવી દેવુ જોઇએ. આ શાસ્ત્રીય નિયમ છે. આ નિયમનું પાલન થાય તેા દરરાજ એકાસણું કરનારને મહિને ૨૯ ઉપવાસનું ફળ મળે અને દરરાજ બેઆસણું કરનારને મહિને ૨૮ ઉપવાસનું ફળ મળે. બીજું કારણઃ—એંઠી કરેલી વસ્તુ અગર પાણી એક જ જગ્યાએ ૪૮ મિનિટથી વધારે ટાઈમ હુલાવ્યા વિના પડી રહે તા સમૂચ્છિમ-મનુષ્યાદિ જીવાની ઉત્પત્તિ થઇ જાય. ૫ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૬ સાધુતાની જ્ગ્યાત માટે ૪૮ મિનિટમાં પતાવી દેવુ જોઇએ. (૪૯) જે પાત્રથી પાણી પીધુ' હોય તે પાત્રને લૂછ્યા વિના કરી તેમાં પાણી લેવામાં આવે તે આખા ઘડાનુ પાણી એંઠુ થવાના સ ́ભવ છે. તેથી એ ઘડી પછી સચિત્ત થઈ જાય. કારણ કે—એઠા પાત્રમાં પાણી લેતાં કેાઇ વખત પાત્રમાંથી છાંટા ઉછળી ફ્રી પાછા તે ઘડામાં જાય. તેથી આખા ઘડાનું પાણી એ'ઠું થઈ જાય. (આ અનુભવની વાત છે.) માટે એક વખત પાણી પીધા પછી તે જ પાત્રમાં ક્રી પાણી લેવુ' હાય તેા તે પાત્રને વસ્ત્રથી ખરાખર લુછીને કાર્ કરી દેવુ જોઇએ અને પછી તેમાં ફરી પાણી લેવું જોઇએ, (૫૦) એંઠા મુખે ખેલવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. (૫૧) સાધુઓએ સૂચના આપી હેય કે ન આપી હાય પરંતુ ગૃહસ્થે। સાધુએના માટે સ્પેશિયલ જે.કઈ અનાવે તે આધાકર્મી કહેવાય. (૫૨) અણુાહારી વસ્તુ પણ ખાસ કારણ વિના લેવી નહિ. (૫૩) ચા–તમાકુ છીંકણી આદિનું વ્યસન રાખવું નહિ. (૫૪) સૂર્યાસ્ત-પહેલાંની એ ઘડી (૪૮ મિનિટ)માં ભેાજન પાણી વાપરનારને રાત્રિ-ભાજનના ઢાષ (અતિચાર) લાગે છે. માટે પેથડશા મંત્રીની માફક સાંજે એ ઘડી પહેલાં આહાર-પાણી વાપરવાનું બંધ કરી પચ્ચક્ખાણ કરી લેવું. Page #73 -------------------------------------------------------------------------- ________________ હિત-શિક્ષા-શતક " રાત્રિ–ભેજનના દેષને જાણનારે જે આત્મા દિવસની આદિમાં અને અંતમાં બે-બે ઘડીમાં ખાતે–પીતો નથી તે પુણ્યશાળી બને છે. . . . . (ચાગશાસ્ત્ર) આજે દરેક તપસ્વી આત્માઓ દિવસના આરંભમાં બે ઘડીનો ત્યાગ કરે છે, પરંતુ દિવસના અંતમાં બે ઘડીને ત્યાગ કરનારા ભાગ્યે જ જોવા મળશે. કેટલાકને આ વચનને ખ્યાલ પણ નહીં હોય, માટે દિવસના અંતે બે ઘડીમાં વાપરવાનું બંધ કરવા લક્ષ્ય રાખવું. (૫૫) અંધારામાં અને સાંકડા-મુખવાળા પાત્રમાં ભેજન કરવામાં કે પાણી પીવામાં આવે તે પણ રાત્રિ–ભોજનનો દોષ લાગે. . (ઉપ પ્રાસાદ) (૫૬) ગરમ પાણી ઠંડું કરતાં વરાળ નિકળે ત્યારે વાયુ કાય આદિના જ મરણ પામે છે. તે ધ્યાનમાં રાખવું. - (૫૭) વસ, ભજન, પાણી વિ. હોવા છતાં તેમજ પોતે નજરે દેખવા છતાં ગૃહસ્થ ન આપે તે તેમના ઉપર કે કરવો નહિં. તથા તેમની નિન્દા પણ કરવી નહીં, પરંતુ પિતાને લાભાંતરાય કમનો ઉદય છે, તેમ માનવું. તથા તપવૃદ્ધિ થશે એમ માની મનને સમભાવમાં રાખવું. (૫૮) ગોચરી-પાણું દૂર લેવા જવાથી તથા જ્યાં સાધુસાવી ઓછા જતાં હોય ત્યાં જવાથી ઘણું કર્મોની નિર્જ રા થાય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ६८ સાધુતાની જાત (૫૯) કઈ પણ વસ્તુને આગમથી અથવા અનુભવથી નિઈવને નિશ્ચય ન થાય ત્યાં સુધી તે વસ્તુને ઉપયોગ રાંચમીને થાય નહિં. (૬૦) તૈયાર ખડીયાની સહી સચિત્તને સંભવ હેવાથી અને અચિત્તની ખાત્રી ન હોવાથી સ્પર્શ પણ થાય નહિ, તે પછી વાપરવાનું તે પૂછવું જ શું? બોલપેનમાં પણ વિચારવા જેવું છે. (૬૧) કેવલીની દષ્ટિએ શુદ્ધ રહેલી વસ્તુમાં પણ અ-માયાવી છદ્મસ્થ–સાધુને શ્રુત-અનુસરે વિચાર કરતાં અશુદ્ધની શંકા આવે તો તે વ્યવહારમાં અશુદ્ધ ગણાય. તે અને કેવલીની દષ્ટિએ અ-શુદ્ધ રહેલી વસ્તુ પણ મૃતઅનુસારે વિચાર કરતાં શુદ્ધ જણાય તે તે વ્યવહારમાં શુદ્ધ જ કહેવાય.. કેવલી સ્વયં ગોચરી જાય તે અશુદ્ધ લાવે નહિ, પરંતુ અ-માયાવી છદ્મસ્થ-શિષ્યોએ ઉપગપૂર્વક શ્રતને અનુસારે શુદ્ધ જાણીને લાવેલી ગોચરીને કેવલીએ કેવલજ્ઞાન વડે અશુદ્ધ દેખે તે પણ વાપરે, જે ન વાપરે તે શાસ્ત્રો અપ્રમાણ થાય, અને વ્યવહાર નષ્ટ થાય, (૬૨) સંયમી સાધુ ઉત્સર્ગ માર્ગે દવા કરાવે નહિ, પરંતુ મન સમાધિમાં ન રહે અને આવશ્યક-અનુષ્ઠાનેમાં શિથિલતા આવે તે અપવાદ માર્ગે અનિચ્છાએ દવા કરાવે. (ઉત્ત) Page #75 -------------------------------------------------------------------------- ________________ હિત-શિક્ષા-શતક (૬૩) કોઈપણ કાર્યમાં આવીશ કે નહિ આવું, જઈશ કે નહીં જાઉં, વિ. કાર પૂર્વક (નિશ્ચયવાણી) બાલવું નહીં. કારણ કે આયુષ્યને ભરોસે નથી, ક્ષણે ક્ષણે વિચારો બદયા કરે છે. અને કાર્યો પણ ઘણા વિનવાળાં છે, માટે સાધુઓએ “વર્તમાન યુગ” (જે સમય) એમ બોલી વ્યવહાર ચલાવવો. (૬૪) ગૃહસ્થને આવો ! જાઓ! બેસે ! એમ કહેવાય નહીં. પક્ષીને ઉડાડાય નહીં. જાનવરને કઢાય નહીં. (દ. વે.) (૬૫) દેશાટન, વ્યાપાર, ઉદ્દઘાટન આદિ સંસારી–બાબતો માટે સાધુઓએ મુહૂત જેવાં નહિ. (૬૬) ગુરુપૂજન વર્તમાનકાલે કેઈએ પણ કરાવવું ઉચિત નથી. (૬૬) જ્ઞાનપૂજા કરવાના રિવાજના બદલે ગુરુપૂજા કરાવવાથી જ્ઞાનની પૂજા કરવાને નિષેધ જેવું થવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. (૬૭) સાધુ-સાધ્વીએ પોતાની પાસે રહેલ બામ, ઓઘાની જુની દશી વિ. કઈ પણ વસ્તુ ગૃહસ્થને આપવાને વ્યવહાર રાખ નહિ. કેમકે ધર્મલાભ આપેલી વસ્તુ ગૃહસ્થને ન અપાય, તે લક્ષમાં રાખવું, અન્યથા આપનાર અને લેનાર બંને દેષને ભાગી બને. Page #76 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની જાત (૬૮) દેરાસરમાં ભમતી હોય તે ત્રણ પ્રદક્ષિણ આપ્યા પછી ચૈત્યવંદન કરવું. ચિત્યવંદન કરતાં વચ્ચે કેઈને પચ્ચકખાણ આપવું નહીં અને પોતે પણ ચૈત્યવંદન કરતાં વચ્ચે પચ્ચકખાણ લેવું નહીં. (૬) કેઈ આડ ન પડે તેવી રીતે આપણે સ્તુતિચૈત્યવંદન કરવું જોઈએ. પરંતુ આપણે સ્તુતિ–ચત્યવંદન કરતાં હોઈએ ત્યારે બીજો કોઈ આપણને આડ પાડે તે આપણે કંઈપણ બોલવું નહીં અને મનથી જરાપણુ દુર્ભાવ ન થવા દેવે અને આડ પડે તે વખતે આંખે બંધ કરી હૃદયમાં ભગવાનને ધારણ કરી સ્તુતિ-ચૈત્યવંદનમાં લીન જ બની રહેવું, પણ ધ્યાન તેડવું નહિ. (૭૦) દેરાસરમાં મેલ ઉતારાય નહિ, ખણાય નહિ. પરસે લુંછાય નહિ, કપડાની ટાપટીપ થાય નહિ, આડુંઅવળું જોવાય નહિ અને કાંબળોની ગડી પણ કરાય નહિ, (૭૧) પૂજાઓ ભણાવવી કે પૂજામાં વાજાં સાથે સ્પેશીયલ બલવું આદિ યોગ્ય નથી, કેમકે તેમાં વાયુકાય આદિની વિરાધના અને મેહનીય કર્મને બંધ આદિ ઘણા દે છે. (૭૨) દાંડી અને દશીઓ મળીને રજોહરણ બત્રીસ આંગળનો જોઈએ, અને મુહપત્તિ એક બાજુ કીનારીવાળી તથા એક વેંત અને ચાર આગળ સમચોરસ જોઈએ. (૭૩) કેઈપણ વસ્તુ લેતાં અને મૂકતાં ચક્ષુથી દેખી એઘો અથવા ચરવળીથી પૂજીને પછી લેવી અને મૂકવી. Page #77 -------------------------------------------------------------------------- ________________ હિત–શિક્ષા-શતક ૭૧ (૭૪) ભગવાન મહાવીર ગૌતમસ્વામીને કહે છે કે “હે ગૌતમ! જે સાધુ-સાધવી મુંજ કે ખજુરીની સાવરણીથી ઉપાશ્રયમાં કાજે લે છે. તે સાધુ-સાધ્વીઓને જ ઉપર દયા નથી ! એમ તું જાણ!” (૭૫) માત્રાની કુંડી પૂજવા ઉનની જ ચરવળી ખાસ જુદી રાખવી, છાંટની ચરવલી કડક હોવાથી જીવહિંસા થવાને સંભવ છે. (૭૬) માત્રાની કૂંડી વાપરવામાં ઉપયોગ રાખવો, કારણ કે –વારંવાર વપરાતી હૂંડી સુકાતી ન હોવાથી સંમૂછિમ જી ઉત્પન્ન થાય. તેમજ વર્ષાદ આદિના ટાઈમમાં કુંડી બે ઘડીમાં સંપૂર્ણ સુકાતી નથી, માટે બરાબર નીતારવાને ઉપગ રાખો. . (૭૭) કુંડી મૂકવાની જગ્યા પણ પથ્થરવાળી હોય તે ત્યાં ઈંટ મૂકી અથવા રેતીનો ઢગલો કરી તેના ઉપર કુંડી મૂકવી, નહિ તે કીનારી ન સુકાવાથી તેમજ પથ્થર ઉપર માત્રાને છાંટો પડ્યો રહેવાથી જીવની ઉત્પત્તિ થાય. 1 કુંડી નીચે વસ્ત્ર ન મૂકવું, કારણ કે-વસ્ત્રની નીચે જીવે પિસી જાય અને કુંડી મૂકતાં મરી પણ જાય. (૭૮) પગલુંછણયા ઉપર પગ ઘસાય નહિ તથા તેના ઉપર ચલાય પણ નહિં. તેમજ ચટ્ટાઈને પણ ઉપગ કરાય નહિં. (૭૯) ખાંસી, છીંક, બગાસું આદિ આવે ત્યારે મુખ આગળ મુહપત્તિ કે વસ્ત્ર રાખવું જોઈએ, જેથી વાયુકાય અને સકાય આદિ જાની વિરાધના થતી અટકી જાય. Page #78 -------------------------------------------------------------------------- ________________ ર સાધુતાની ન્યાત (૮૦) ચલીઓ જીવડાં ખાય અને પછી પાણીમાં ચાંચ નાખી પાણી પીએ, તેથી પાણું અકથ્ય બનવાને સંભવ છે, માટે ઠંડું કરવામાં આવતાં પાણી ઉપર વસ્ત્ર ઢાંકવું ગ્ય છે. (૮૧) બપોરે પડિલેહણ કર્યા પછી પાણુ ગળવું જોઈએ, પાણું ગળીને તરત જ ગલાણું નીચાવવું નહીં, પરંતુ છાયામાં સુકવી દેવું (ઍને નાખવાનું પાણી પણ ગળવું જ જોઈએ.) | (૮૨) બહુ હેટા અવાજે હસવું અને દાંતથી ચાવીને નખ તેડવા આ કુટેવ છે. તેથી તે કુટેવને છેડી દેવી. (૮૩) રાત્રે દોરી બાંધી રાખવી નહીં. ગૃહસ્થોએ બાંધેલી હોય તે તે દેરી ઉપર રાત્રે કપડાં નાખવાં નહિ, કદાચ નાંખ્યા હેય ને ભૂલી ગયા તેમ જ તેના ઉપરથી લેવાં પણ નહિ, કેમકે માખીઓની હિંસા થાય. (૮૪) સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી દહેરાસર જવાય નહીં. (૮૫) સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં તથા વાડામાં ઈંડિલ બનતાં સુધી જવું નહિ (જવાય તે મોટું પ્રાયશ્ચિત્ત આવે) (૮૬) સ્થડિલ અને માથું પરઠવવા માટે ચોવીશ ભૂમિ અને કાલ-ગ્રહણની ત્રણ ભૂમિનું પડિલેહણ સૂર્યાસ્ત સુધીમાં કરી લેવું. હવે સુર્યાસ્ત પછીનું કર્તવ્ય બતાવતાં કહે છે કે – Page #79 -------------------------------------------------------------------------- ________________ હિત-શિક્ષા-શતક ગુરુમહારાજ વ્યાઘાત વિનાના હેયો સર્વ જણ માંડલીમાં પ્રતિક્રમણ કરે, પરંતુ શ્રાવકને ધર્મનું કથન કરવા વડે ગુરુ મહારાજ વ્યાઘાતવાળા હોય તે ગુરુ મહારાજ પાછળથી . માંડલીમાં આવી ભળે ત્યાં સુધી બધાએ માંડલીમાં જ બેસી . સ્વાધ્યાય કરો. (ઓ. નિ.) (૮૭) ચાલુ પ્રતિક્રમણમાં માત્રુ કરવા જનારે અતિચાર, પખીસૂત્ર સ્તવન વિ. જે કોઈ પણ સૂત્ર અધુરાં રહ્યા હોય તે બધાય સત્ર મનમાં બોલી જવાં જોઈએ, ન બોલવામાં આવે તે પ્રતિક્રમણ અધુરું રહે. (૮૮) પ્રતિક્રમણ કાયા પછીથી ત્રણ સ્તુતિ (નમેહુ. વિશાલલોચન.) સુધી માત્ર કરવા ન જવું, જવું પડે તેને ઉપગ રાખી માત્રાની શંકાનું નિવારણ પ્રથમથી જ કરી લેવું અથવા પાણી ઓછું પીવું. (૮૯) શરીરના કારણે માગું કરવા જવું જ પડે તેમ હોય તો છઠા આવશ્યક સુધી આગળ કરીને જવું. (૯૦) સાધુઓએ શ્રાવિકાઓને અને સાધવીઓએ શ્રાવકેને પ્રતિક્રમણ કરાવવું તે વ્યવહારનું ઉલ્લંઘન કરનાર છે. ભવિષ્યમાં અનર્થ કરનાર છે, આત્મ-ગુણઘાતક છે. ઉમાર્ગપ્રવર્તક છે. માટે તેનાથી દૂર રહેવું. (૯૧) સાંજે પ્રતિક્રમણ કર્યા પછી સ્વાધ્યાય અથવા ધ્યાન કરવું. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સાધુતાની ન્યાત . (૯૨) સૂર્યની ગેરહાજરી જ્યાં સુધી હોય ત્યાં સુધી તે અવશ્ય દંડાસણની ભૂમિ બરાબર પૂંછને જ પગલાં મૂકવાં જોઈએ. સૂર્યની હાજરીમાં પણ જ્યાં સુધી અંધારું હોય ત્યાં સુધી દંડાસણથી ભૂમિ પંજીને જ ચાલવું જોઈએ. (૯૩) દંડાસણની સેટી નરમ રાખવાથી કાને લેતાં દંડાસણ વળી જાય, તેથી કાજે બરાબર લઈ શકાય નહિ. ચાલતાં પણ સારી રીતે ભૂમિ પંજાય નહિ માટે સેટી કડક રાખવી. (૯૪) છ ઘડી રાત્રિ ગયા બાદ સંથારા-પેરિસી ભણાવવી અને એક પહાર રાત્રિ ગયા પછી શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી નિદ્રા લેવી. - (૫) રાત્રે દી રાખવાથી ત્રસ તથા સ્થાવર જીવોનો કચ્ચરઘાણ નીકળે છે. માટે દડાસણ રૂપી દીવાને ઉપયોગ કરી ધીમે ધીમે ચાલવામાં આવે તો દીવાની જરૂર પડે નહિ. " (૯૬) અંધ માણસે વગર-દીવે વગર-આંખે ગામમાં ફરે છે, તે કેવી રીતે ફરતા હશે? આપણને પણ ચારિત્ર પ્રત્યે સાચો પ્રેમ જાગે તે દીવા વિના પણ કામ ચલાવી શકાય. (૭) ઉપાશ્રયમાં વધુ અંધારું હોય તે સંથારાની જગ્યા બદલી નાખવી (સંથારે દ્વાર પાસે રાખ) જેથી થાંભલા આડી આવે નહિં અને દરવાજે શેધવા માટે ફાંફાં પણ મારવાં પડે નહિં. Page #81 -------------------------------------------------------------------------- ________________ હિત–શિક્ષા-શતક ૭૫ | (૯૮) જેન–શાસનમાં કેટલું કર્યું? તેની કિંમત ઓછી છે; પરંતુ કેવી રીતે કર્યું? તેની કિંમત વધારે છે, તેથી આગળ વધતાં કેવી રીતે કર્યું તેની જેટલી કિંમત છે તેના કરતાં સરવાળે કેટલા રાગદ્વેષ વધ્યા? તેની કિંમત વધારે છે. (૯) પિતાની દ્રવ્ય-કિયા વખાણવી નહિ–પરંતુ ભાવક્રિયાનું લક્ષ્ય રાખવું. બીજાની દ્રવ્ય-ક્રિયા વખોડવી નહીં. પરંતુ અંતરમાં વખાણવી અને તેને આગળ વધારવા ભાવક્રિયા સમજાવવી. (૧૦૦) બીજા ધર્મ ન પામે તેને વાંધો નહિ, પરંતુ આપણા નિમિત્તે દેવ-ગુરુ અને ધર્મની હીલના (નિન્દા) થાય કે બીજા લોકો અધર્મ પામે, તેનું વતન તે મનવચન અને કાયાથી ન જ કરવું. જીવન–શુદ્ધિ એટલેઆપણુ વૃત્તિઓની નિર્મળતા તેમજ લક્ષ્યની જાગૃતિને અનુરૂપ વૃત્તિઓનું ઘડતર ! ! ! Page #82 -------------------------------------------------------------------------- ________________ સંયમી જીવન નિર્મળ રાખવા મહાપુરુષોએ સ્વાનુભવમાંથી તૈયાર કરેલ. સચોટ નિયમાવલી – હિતશિક્ષા :* ફક્ત વેશ પહેરવાથી આપણું કામ સમાપ્ત થતું નથી, પરંતુ અંતરંગ-જીવનને સંયમના સંસ્કારોથી સુશોભિત બનાવવાનું છે. * ગુરુની આજ્ઞાનું પાલન કરવું, કેમકે– ચારિત્રદાતા ગુરુત, ચુવયાર ન થાય; ભવ કોટાકોટી કરી, કરતાં કેટી ઉપાય. (૧) છેદ-*-રણમ-ટુવા , મારા-માણસ માતા ગુરુવા, સતસંજારિયા મળિયા (૨) અર્થાત્ જેઓ છઠ-આઠમ આદિ યાવત માલખમણ સુધીની તપસ્યા કરે પણ ગુરુનિશ્રાએ ન વતે તેઓ અનંત સંસારી થાય છે. જ ગુરુ મહારાજને ઠપકો મળે એવું કાર્ય મન-વચન અને કાયાથી કરવું નહિ. * વડીલને વિનય સાચવ અને સામું બોલવું નહીં, * કઈ વખત લઘુ (સાધુ-સાધ્વી) બેસી જાય તો પણ સહન કરતાં શીખી લેવું. Page #83 -------------------------------------------------------------------------- ________________ સચેટ નિયમાવલી * આગંતુક (મહેમાન) સાધુ-સાધ્વી સાથે લેવા દેવાના તથા ભક્તિ અને વંદનને વ્યવહાર ગુરુની આજ્ઞાપૂર્વક કરવા. * ઉન્માર્ગે જતાં શિષ્યને ગુરુ અટકાવે અને હિતવચન કહે, ઉન્માગે જતાં ગુરુને શિષ્ય અટકાવે અને હિતવચન એકાંતમાં વિનયપૂર્વક કહે, તેવી રીતે સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકામાં પરસ્પર જાણવું, જેમકે એક શ્રાવિકા પણ ઉન્માર્ગે જતા ધ્રધર આચાય ને પણ હિતવચન કહી શકે છે. G * પરસ્પર સપ રાખવા, અને હળીમળીને રહેવુ, સ્વભાવ ચીડીયેા રાખવા નહીં, ઇર્ષ્યા અને નિન્દાના સદ'તર ત્યાગ કરવા. *છામિ ણમાસમળો અંત્રિક સૂત્રથી— હે ક્ષમાશ્રમણ ! હું આપને વંદન કરવાને ઇચ્છુ છુ. ખમા એટલે “ ક્ષમા રાખવી એ સાધુનું મુખ્ય કર્તવ્ય અતાવ્યુ છે. 27 >> આમાં * વૈયાવચ્ચ કરવામાં કાયર ન અનવું, કારણ કે મહાન પુણ્યના ઉદય હાય તા જ ભક્તિના લાભ મળે, અભ્ય તર ભક્તિ તેજ કહેવાય કે જે ગુરુનું ચિત્ત પ્રસન્ન રાખવુ અથવા ગુરુની આજ્ઞાનું પાલન કરવું. * નવરા બેસી રહેવું નહીં, પરંતુ ભણવું, અવિચારવા, વાંચવું. સ્વાધ્યાય કરવા, જાપ જપવા, ધ્યાન કરવું. અગર સેવા-ભક્તિ કરવી. * જ્ઞાનાવરણીયના ઉદયે જ્ઞાન આવું હશે તેા ચાલશે, શરીરની શક્તિના અભાવે તપશ્ચર્યા આછી કરશેા ા પણ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સાધુતાની ન્યાત ચાલશે, બેઠાબેઠા ક્રિયા કરશે તો પણું ચાલશે, પરંતુ “વ્યવહાર-શુદ્ધિ” પહેલી જોઈશે. કારણ કે એક વખત પણ ફક્ત વ્યવહાર બગાડ્યો તે પણ લેકે સદાયને માટે શંકાની દષ્ટિએ જોશે–આંગળી કરશે, અને દેવ-ગુરુ-ધર્મની નિન્દી કરી પાપના ભાગી બનશે, તેમાં નિમિત્ત આપણે બનીશું. # પ્રથમ વ્યવહાર બગડે પછી મન બગડે, પછી કાયા બગડે, પરંતુ વ્યવહાર બગડતે અટકાવીને વ્યવહાર-શુદ્ધિ રાખવામાં આવે તે મન બગડે નહિ, તથા મન બગડ્યું હોય તે પણ બગડતું અટકી જાય, અને કાયાથી તે સચોટ બચી જવાય. * વ્યાખ્યાન ચાલતું હોય તે બનતા સુધી વ્યાખ્યાન વખતે જ વંદન કરવા સાધ્વી ભગવંતોએ જવું, વ્યાખ્યાન ન હોય તે પણ ૯ થી ૧૦માં પુરુષોની હાજરીમાં જવું. એકલા સાધ્વીજીઓએ સાધુના ઉપાશ્રયમાં કે એકલા શ્રાવકે પૂ. સાધવીજીના ઉપાશ્રયમાં જવું નહીં. - સાધુઓએ રસ્તામાં બહેનો અને સાધ્વીઓ સાથે વાતચીત કરવી નહીં, તેમજ પચ્ચકખાણ પણ આપવું નહીં, સાધ્વીઓએ પણ રસ્તામાં પુરુ અને સાધુઓ સાથે વાતચીત કરવી નહીં, તેમજ પચ્ચકખાણ આપવું કે લેવું નહીં. * સાધુઓ સાથે સાધુઓએ અને સાધ્વીઓએ—સાધુઓ સાથે વસ્તુઓ લેવા–દેવા તથા વાત કરવાને ઉચિત . વ્યવહાર રાખવો. સાધુઓએ જ્યારે સાધુઓને કાગળ લખવો હોય ત્યારે તેમાં સાધ્વીઓ તથા શ્રાવિકાઓના સુખ-શાતાના સમાચાર લખવાની પદ્ધતિ રાખવી નહીં. Page #85 -------------------------------------------------------------------------- ________________ સચોટ નિયમાવલી ૭૯ * સાધ્વી કાગળ લખે ત્યારે તેમાં સાધુઓ તથા શ્રાવકના સુખશાતાના સમાચાર લખવાની પદ્ધતિ રાખવી નહિ. મલિન-વ્યવહારવાળા સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકાઓને ઘણે પરિચય રાખવો નહીં, ઉચિત જાળવવું. ત્યાંથી ખસી જવું. છેવટે ગામ છોડી દેવું. જ આપણું નિમિત્ત કોઈ અધમ પામે–પાપકર્મ બાંધે કે પતિત થતું હોય તે આપણી પ્રવૃત્તિ બદલવી જોઈએ જેમ કે ગામ છોડવું, તેવા સ્થાને જવું નહીં, સંસર્ગમાં ન આવવું. દૂર ખસી જવું. * દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રી સંયમની શુદ્ધિ અને આત્મગુણ (દર્શન-જ્ઞાન અને ચારિત્ર)ની વૃદ્ધિ થાય તે પ્રમાણે વર્તવું. જ સંસ્કારની ભૂમિ પલટાયા વિના સંસ્કારે નિષ્ક્રિય બનતાં નથી અને સંસ્કારેતી નિષ્ક્રિયતા એ જીવનશુદ્ધિનું પ્રથમ સોપાન છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ સયમ અને જીવનશુદ્ધિ માટે જરૂરી આત્મ નિ રી ક્ષ ણુ * દીક્ષા—ચારિત્ર સ્વીકારતી વખતે જે ઉચ્ચ કાટિના ભાવ–પરિણામા હતા, તેમાં વધારા થયા ? સ્થિરતા થઈ કે ઘટાડા થયા ? વધારા પ્રશસવા ચેાગ્ય છે, —સ્થિરતા અનુમાદન પાત્ર છે. પણ ઘટાડા કેમ ? અને શા કારણથી ? તેના વિગતવાર વિચારદ્વારા ~~~સ'ચમી જીવનની સાચી જવાબદારીએ અદા કરવા પ્રયત્નશીલ થવુ જરૂરી છે. * જેની નિશ્રાએ આરાધના કરાય છે, તેમની નિશ્રાની મહત્તા સમજાણી છે ? સમજાઈ હાય તા પણ આરાધનાના દૃષ્ટિકાણુથી ? કે આપણી વૃત્તિઓઇચ્છાઓને પપાળનાર અનુકૂળ વાતાવરણના દૃષ્ટિકાણુથી? ખૂબ ગભીરતા સાથે આ સંબંધી સાથે ઉંડુ વિચારવું. Page #87 -------------------------------------------------------------------------- ________________ આત્મ-નિરીક્ષણ & આરાધના આપણી સગવડે અને આપણા અનાદિકાલીન-સંસ્કારની ઘેરી છાયા-તલે થાય છે કે જ્ઞાની ગુરુ અને શાસ્ત્રની મર્યાદા અનુસાર થાય છે? * બીજ સંયમીઓના કાલ–સંજોગ-સાધનની વિષમ તાને આભારી શિથિલાચારની ઢાલ-આડે આપણી કૃવૃત્તિએને પોષવાની અક્ષમ્ય ભૂલ થાય છે ખરી? અનંત-જ્ઞાનીઓએ દીક્ષાની પ્રાપ્તિ અને પ્રભુ-શાસનની સંયમારાધના અતિદુર્લભ જણાવી ! તે કઈ રીતે ? આપણે દીક્ષા તે સહજમાં મેળવી લીધી છે. તે દુર્લભતા કઈ રીતે ? આહાર-વિહાર-વસ્ત્ર–પાત્રની શાસ્ત્રીય રીતે જે હાલમાં વિસરાતી જાય છે, તેને ધ્યાનમાં રાખીને કેટલી આચરણ થઈ રહી છે? સંયમ–શુદ્ધિ માટે જરૂરી અજ્ઞાત આહાર-પાણીની ગવેષણ અને અજ્ઞાત-વિહારની જરૂરીયાત સમજાય છે? ૨૯ શહેરે, પરિચિત ગામો અને તીર્થ –ધામમાં વધુ પડતા નિષ્કારણ–વાસની ટેવથી પંચાચાર અને સમિતિ–ગુપ્તિના પાલનમાં શિથિલતા કે મલિનતા પ્રવેશે છે, એ વાત ધ્યાનમાં છે ખરી? જ પૂર્વ–પરિચિત-ગૃહસ્થ કે સાંસારિક-કુટુંબીઓનો નિષ્કારણ પરિચય સંયમ-શુદ્ધિમાં બાધક લાગે છે ખરો? Page #88 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની ન્યાત * સયમ અને શાસ્ત્ર-સાપેક્ષ જીવન–શુદ્ધિના ધારણે વસ્ત્રાદિની સ્વીકારવાના મઢલે રાગભાવ—પેાષક વસ્ત્રાદિના પરિગ્રહ ખૂંચે છે ખરે ? ૮૨ પ્રવૃત્તિએ * જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાયની સયમ—પેાષક સિવાયની વિથા, છાપાં વાંચવાં આદિ પ્રવૃત્તિએ જીવન ને વિઘાતક સમજાઈ છે ? અન્ત:કરણ-બુદ્ધિના ઉપાચા * ખરાબ વાતાવરણથી દૂર રહેવું. * નિરર્થક વાતા કે વિચારાને ત્યાગ. * ખીજાનુ* અહિત કરનારી પ્રવૃત્તિને સદતર ત્યાગ * બહુ–દુરના ભવિષ્યના વિચાર ન કરવેા. * કાઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સબધે આપણા દષ્ટિકાણને વધુ મહત્ત્વ ન આપવું. * દરેક પ્રસંગેામાં હકીકત ઉપર પૂરતું લક્ષ્ય આપવું. 66 નિતં દિન ? મનો ત્તિ ચૈન äિ ! ! !” Page #89 -------------------------------------------------------------------------- ________________ સાધક મુનિની અંતરંગ આત્મ-વિચારણું (એકાંતમાં વાંચવા જેવી) વર્તમાનનું મ્હારૂં જીવન અને શાસ્ત્રમાં બતાવેલા મુનિના આચાર-વિચારે આ બે સામે નજર નાંખતાં હેજ પણ પરિણત–સાધુપણું મારામાં જણાતું નથી! હવે શાના મુનિપણાના આચારો સાથે મારા જીવનને મેળ કઈ રીતે મેળવો? વીતરાગ-પરમાત્માની આજ્ઞાના બંધારણમાં મારા આત્માને કઈ રીતે લાવો? સુખ-શીલીયાપણું વારંવાર આવી જાય છે? મનને સ્થિર રાખવાના પ્રયત્નમાં સફળતા મળતી નથી! કષાય અને એની આડમાં થઈ રહેલ વૃત્તિઓનું પિષણ કાતીલ-Qરીઓની માફક મારા આરાધનાના મર્મને ભેદી રહી છે !!! સંઘયણ-બળની ખામીના નામે મ્હારી નિર્બળતાઓનું થતું પિષણ મને મુંઝવે છે. શરીર વારંવાર આડાઈ કરીને રીસાઈ જાય છે. અનુકૂલતાની ઈચ્છા છાતી ઉપર વારંવાર ચઢી બેસે છે. પ્રતિકૂલતા તે સહેજ પણ ગમતી નથી. કર્મની નિર્જરામાં અને માર્ગની સ્થિરતામાં કલ્યાણમિત્રનું કામ કરનારા પરિષહ આવતાં પહેલાં રોકી દેવાનું મન થાય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સાધુતાની જ્યોત આખો સંસાર આંખો કાઢી ડરાવે છે. શાસ્ત્રીય-મર્યાદા સાથે જીવનના જોડાણમાં મેહરાજા ફાવવા દેતા નથી. વ્યવહાર-ધર્મ પણ જે જોઈએ તે પળાતે નથી, ત્યાં નિશ્ચયની વાત જ શી કરવી? આવી દશામાં– હારો આત્મા આગળના ગુણઠાણે કે સંયમની યત્તરશુદ્ધિમાં શી રીતે ચઢે? પરિણતિમાં નિર્મલતા ક્યાંથી આવે? અનુભવ-મિત્રનું જોડાણ ક્યાંથી થાય? શું લખું? કેને કહું?? શું વિચારું ??? –હારે ઘણે દૂર જવાનું છે ! પણ—હજી ડગલાં જ ભરાતાં નથી ! ક્યારે પહોંચાશે!! ગારના તોફાની-ઘડાઓ આત્માને વારંવાર વિકારની - ગર્તામાં હડસેલી મૂકે છે! આયુષ્ય તે દિવસે-દિવસે ઓછું થાય છે ! સાધવાનું ઘણું છે !!! સમય બહુ ટુકે છે!!! આરાધના શક્ય-રીતે પણ બરાબર થતી નથી ! ! ! માટે હવે મારે આ પ્રમાણે કરવું જોઈએ !! પિતામાં રહેલી ત્રુટિઓને બરાબર ઓળખી લેવી. પૂર્વના મહાપુરુષોના દષ્ટાનતે ઉપર દષ્ટિ રાખી એ આદશે પહોંચવા માટે પલેપલે પિતાની શક્યતાને વિચાર કરે. Page #91 -------------------------------------------------------------------------- ________________ આત્મ-વિચારણા ૮૫ * શાક્ત-મર્યાદાનુસાર સાધુપણું મેળવવા માટે શ્રી આચારાંગ, ઝી એઘનિયુકિત આદિ ગ્રંથનું વાંચન-મનન-પરિશીલન કરવું. એ આખાય દિવસનું અને રાત્રિના છેલ્લા-પહેલા પ્રહરનું - સમયપત્રક વ્યવસ્થિત કરવું. એક રત્નત્રયીને પિષક હોય તેવું વાંચન-વિચારો અને વાતે કરવી. આ મેહજનક વાત સ્વયં બોલવી નહિ અને સાંભળવી નહિ. એક રાત્રિએ સૂતાં-સૂતાં પણ એ વાતને વિચાર કરો કે આજે શું કર્યું? શું બાકી રહ્યું ? * અલ્પ–નિદ્રા લેવી. * નિદ્રા સર્વઘાતી પ્રકૃતિ છે, માટે તેમાં ઓછાશ થાય તે પ્રયત્ન કરે. જે શાસ્ત્રનું વાંચન જ્ઞાન મેળવવા માટે નથી, પણ જીવનમાં ઉતારવા માટે છે. જે જે વાતે જીવનમાં વણી લેવા જેવી લાગે, તેની નેધ કરી લેવી અને તેનો અમલ કરવા પુરુષાર્થ કરવો. * દેશ-કાળ અને દેખાદેખીથી આવી ગયેલી શિથિલતા પણ આ નભાવી લેવી નહિ. જ શક્ય દેખાતી શુભ-ક્રિયાઓમાં વિદ્યાસ ફેરવો. જીવનને બગીચે બનાવવા માટે માળી જેવા બની જવ: માળી બગીચાના બાડો ઉપર પાણી નાંખે છે. ના Page #92 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની જ્યોત થયેલો ભાગ કાપી નાખે છે નવા નવા સુગંધી છોડવાઓ બહારથી લઈ આવે છે. અને પોતાના બગીચાની શોભામાં વૃદ્ધિ કરે છે. તેમ હારે પણ મારા જીવનને સુંદર બગીચો બનાવે હોય તે શ્રદ્ધારૂપી પાણી નાંખતા જવું. અતિચારરૂપ ખરાબ ભાગ કાઢી નાખવે. અને ગુણરૂપી છોડવાઓ લાવી જીવનરૂપ બગીચાની શોભામાં વૃદ્ધિ કરવી જોઈએ. * વસતિ–વસ્ત્ર-અને આહાર પાણી આ ત્રણને ઉપયોગ સતત ચાલે છે, તેમાં જરૂર–સગવડ અને શેખ એમ દરેકના ત્રણ વિભાગ પડી જાય છે. જોકે મૂલ સ્વભાવે આત્માને ત્રણ પૈકી એકેયની જરૂર નથી, પણ વર્તમાનમાં એ ત્રણેયની જરૂર રહેવાની છે, માટે જરૂરી કામ ચાલી શકે તેવી સાત્વિકતા લાવવાના લક્ષ્ય સાથે સગવડ અને શેખથી બચી જવું, પણ આત્મા હજી તેટલો સાત્વિક નથી બન્યો. માટે બને ત્યાં સુધી જરૂરીયાત સાથે સ્વભાવિક મળી આવતી સગવડો સાક્ષેપ ઉપગ પણ બહુ મર્યાદિત કર. પણ એ તે નક્કી કરી લેવું કે નિરપેક્ષપણે સગવડોને અમર્યાદિત ઉપયોગ કે શેખના પ્રકારમાં ન ઉતરી જવાય. વસતિ આદિ ત્રણમાં જરૂર અને સગવડથી આગળ ન વધવું. * સગવડને પણ ઘટાડવા પ્રયત્ન કરવો. * જરૂરી વસ્તુના ઉપગમાં અનાસક્તિ જરૂર કેળવવી. Page #93 -------------------------------------------------------------------------- ________________ - સાધુની દિનચર્યા રાત્રિને છેલ્લો પ્રહાર શરૂ થતાં નિદ્રા છેડી પંચ–પરમેષ્ટિસ્મરણ, આત્મનિરીક્ષણ તથા ગુરુ-ચરણે નમસ્કાર કરો, પછી કુસ્વપ્ન-શુદ્ધિને કાયોત્સર્ગ કરવાપૂર્વક ચૈત્યવંદન અને સજઝાય કરી સ્વાધ્યાય-ધ્યાન કરવું. તે પછી પ્રતિક્રમણ કરી વસ્ત્ર-રજોહરણાદિની પ્રતિલેખના કરવી, એટલે સૂર્યોદય થાય પછી સૂત્રપેરિસમાં સૂવાધ્યયન કરી છ ઘડી દિન-ચઢયે પાત્ર પ્રતિલેખના કરવી. પછી દહેરે દર્શન–ચત્યવંદન કરી અર્થ-પરિસીમાં સૂત્રાથનું અધ્યયન કરવું. ગામમાં ભિક્ષાના અવસરે ગોચરી (ગાય કેઈને કિલામણું ન પહોંચાડતી ચરે એ રીતની ભિક્ષા) લેવા માટે જવું. એમાં ૪૨ દોષ ત્યજી અનેક ફરતા-ફરતા ઘરોમાંથી ભિક્ષા લાવી ગુરુને દેખાડતાં ગોચરી લીધાની વિગત રજુ કરવી. પછી પચ્ચક્ખાણ પારી સઝાય-ધ્યાન કરી આચાર્ય બાલ-લાન-તપસ્વી-મહેમાન વગેરેની ભક્તિ કરી રાગદ્વેષાદિરૂપ માંડલીના પાંચ દેષ ટાળીને આહાર વાપરો. પછી ગામ બહાર થંડિલ (નિજીવ એકાંત-ભૂમિએ) શૌચાર્ય જઈ આવી ત્રીજા–પહારના અંતે વસ્ત્ર–પાત્રાદિને વ્યવસ્થિત મૂકવા. પછી ચોથા પહેરે સ્વાધ્યાય કરી વસ્ત્ર–પાત્રાદિની પ્રતિલેખન, ગુરુવંદન, પચ્ચકખાણ કરીને રાત્રિના લઘુશંકાદિ અર્થે જવું પડે, તેની જગ્યા જોઈ પ્રતિક્રમણ કરવું. ' Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સાધુતાની ન્યાત ત્યારબાદ ગુરુની ઉપાસના કરી. રાત્રિના પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરીને સથારાપેારિસી ભણાવી શયન કરવું. આ ઉપરાંત સાધુ-જીવનના મુખ્ય કબ્યા નીચે મુજખ છે. ૧ સાધુ–જીવનમાં બધું જ ગુરુને પૂછીને કરવાનું હાય છે. ૨ બિમાર–મુનિની સેવા પર ખાસ લક્ષ્ય આપવાનું હોય છે. ૩ આચાર્યાદિની સેવા તથા ગુર્વેદિકને વિનય–ભક્તિ આદિ અત્યંત જરૂરી છે. ૪ દરેકેદરેક સ્ખલનાએનું શુરુ-આગળ ખાળ-ભાવે પ્રકાશન પૂર્ણાંક પ્રાયશ્ચિત્ત લેવું. ૫ શકયતાએ વિગઇઓના ત્યાગ કરવા. ૬ પર્વ-તિથિએ વિશેષ તપ કરવા. ૭ વર્ષમાં ત્રણ યા એ વાર કેશને હાથેથી લેાચ કરવા. ૮ શેષકાળમાં ગામા-ગામ વિહારની મર્યાદા જાળવવી. ૯ સુત્ર-અનુ ખૂબ ખૂબ પારાયણ-મનન વગેરે કરતાં રહેવું. ૧૦ મનને આંતર-ભાવમાંથી ખાદ્ઘભાવમાં લઈ જાય એવી કેાઈ વાણી, વિચાર કે વર્તાવ કરવાનેા નહિ, માટે જ ગૃહસ્થ–પુરુષાના પણ ખાસ સંસગ કરવા નહિ. ૧૧ સાધુ-જીવનમાં ઇચ્છાકાર આદિ દશ પ્રકારની સામાચારી મીજા અનેક પ્રકારનાં આચાર, અષ્ટ પ્રવચનમાતા (સમિતિ-ગુપ્તિ), સવર, નિર્જરા અને પંચાચારનું પાલન કરવાનું લક્ષ્ય રાખી ગુરુગમથી તેની જાણકારી મેળવવી. Page #95 -------------------------------------------------------------------------- ________________ સંયમપાલનની વિશિષ્ટ મર્યાદાઓ ૧ વિગઈ વાપરવી તે સાધુ માટે પાપ છે, કારણ કે ગુરુ મહારાજની અનુજ્ઞા મેળવીને પ્રમાણસર વાપરવા ઉપયોગ રાખવે. ૨ દિવસે ઉંઘવું તે સાધુ માટે દૂષણ છે. ૩ દેડવું કે જલદી ચાલવું તથા રસ્તે ચાલતાં હસવું કે વાત કરવી સાધુ માટે ઉચિત નથી. ૪ ભૂલ થઈ જાય તે સરલ–ભાવે ગુરુ મહારાજ આગળ નિખાલસથી ઈકરાર કરવો જોઈએ." ૫ કપડાંનો કાપ બહુ મેલા થયા પહેલાં ન જ કાઢવો. ૬ વારંવાર વાપરવું કે વાસના પોષવા ખાતર વાપરવું ઉચિત નથી. ૭ સારી વસ્તુ આપણી પાસે આવી હોય તો બીજા સાધુની ભક્તિ કરવી જોઈએ. ૮ ગુરુ મહારાજ આવે ત્યારે “મન્થ એણુ દામિ ? કહેતાં જ ઉભા થવું જોઈએ. ૯ પોતાની બુદ્ધિને ઉપયોગ ગુરુ આજ્ઞા થયા પછી કદી પણ ન કરો. - “બહુલ સંદિસાઉં” આદેશના મર્મને સમજવાની જરૂર છે Page #96 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની ન્યાત ૧૦ કેઈપણ ચીજ મંગાવવી હોય કે કંઈ પણ કામ કરવું હોય તે ગુરુ મહારાજને પૂછવું જોઈએ. ૧૧ બંને ટંકનું પ્રતિકમણ મર્યાદાપૂર્વક શુદ્ધ ઉચ્ચાર સાથે મનની એકાગ્રતાપૂર્વક કરવું જોઈએ. ૧૨ મુહંપત્તીને ઉપયોગ બરાબર જાળવ. ૧૩ શ્રાવકે-ગૃહસ્થને “આવો–જાઓ” “બેસે ” “આ કરે તે કરે.” એમ કહેવાય નહીં. ૧૪ રસ્તામાં ચાલતાં આડું અવળું જોવું નહિ, વાત કરવી નહિં, ભણવું, ગોખવું કે આવૃત્તિ પુનરાવર્તનાદિ પણ ન કરવું. ૧૫ ઈસમિતિનો ઉપયોગ બરાબર જાળવવો. ૧૬ કેઈની પણ નિંદા સાંભળવી કે બોલવી નહિ. ૧૭ સ્ત્રીને જાણી-જોઇને આંખથી ધારી જેવી નહિ. ૧૮ વાપરતાં પહેલાં પાતરામાં અને પડિલેહણ વખતે વસ્ત્રાદિ, બરાબર દષ્ટિનું-પડિલેલણ કરવું જોઈએ. - ૧૯ બીજા સાધુના પાતરા તરફ નજર ન કરવી કે-“એને શું આપ્યું?” કે “એણે શું વાપર્યું? આદિ. ૨૦ સાધુએ શરીરને અનુપયોગી ચીજો વાપરવાની ટેવ છેડવી જોઈએ. ૨૧ ઓછું, સાદું અને વૃત્તિ-સંક્ષેપપૂર્વક વાપરવાથી સારી ભાવનાઓ આવે છે. ૨૨ કેઈપણ સાધુ કામ બતાવે તે હર્ષપૂર્વક તે કામ કરવા તયાર થવું જોઈએ. ૨૩ સંયમના ઉપકરણો સિવાયની ચીજોને ઉપયોગ સાધુ માટે અનિષ્ટ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ મર્યાદાઓ ૨૪ “સારી વસ્તુ બીજાઓને ભલે મલે! મારે ગમે તેવી વસ્તુથી ચાલશે.” આવી ભાવના હૈયામાં નિરંતર રાખવી . ૨૫ વાપરતાં પહેલાં ગુરુ મહારાજને પૂછવું જોઇએ કે “આ * ગોચરી–પાણી વાપરું?” ૨૬ બિમારી આદિ આગાઢ કારણ વિના નવકારશીનું પચ ફખાણ સાધુ માટે ઉચિત નથી. ૨૭ સવારમાં ઉઠતાં જ શ્રી નવકાર મહામંત્રનું સમરણ કરવું જોઈએ અને ગુરુ મહારાજના ચરણોમાં મસ્તક ઝુકાવી આત્મ-સમર્પણને ભાવ કેળવવો જોઈએ.. ૨૮ સવારમાં દશ વાગ્યા સુધી કંઈપણ નવું આગમિક પ્રાકરણિક કે સૈદ્ધાત્વિક ગેખવું જોઈએ. ૨૯ સ્તવન, સઝાય આદિ સવારના દશ વાગ્યા પહેલાં ન ગેખાય. ૩૦ ક્રિયાઓમાં લોચા કે અવિધિ કરવાથી વિરાધનાનું ભયંકર પાપ બંધાય છે. ૩૧ સવારે રાઈપ્રતિક્રમણ સૂર્યોદયથી બે ઘડી પહેલાંની મર્યા દાએ કરવું, પણ ચાર વાગ્યે ઉઠી તે જવું, અને ચાર લોગસ્સનો કાઉસ્સગ્ગ–કરી ચત્યવંદન અને ભરફેસરની સક્ઝાય કરી મંદસ્વરે સ્વાધ્યાય અથવા વિવિધ કાઉ. સગ્ન કરવા. ૩૨ સવારે ચાર વાગ્યા પછી સંથારામાં પડી રહેવું સાધુને શેભે નહિ. ૩૩ સંયમના ઉપકરણે, ભણવાના પુસ્તકો આદિ સાચવીને વ્યવસ્થિત રાખવાં જોઈએ. Page #98 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની ચેત ૩૪ સારાં કપડાં કે સારૂં વાપરવાનું મળે, તે વિચાર પણ ન આવવા દેવ, સંયમે પગી શુદ્ધ યથા–સમયે જેવા મળે તેવા વસ્ત્ર–આહારથી ચલાવી લેવાની વૃત્તિ કેળવવી. ૩૫ વાપરવું એ સંયમી માટે વેકરૂપ છે, શરીરને નભાવવા માટે ન–છૂટકે કરવાની તે ક્રિયા છે, માટે તેમાં બે-ઘડીથી ઉપરાંત સમય ન થવા દેવે જોઈએ. ૩૬ આયંબિલનો તપ સાધુ માટે અમૃતરૂપ છે, વિગઈવાળે આહાર ઝેરરૂપ છે. આ વાત ધ્યાનમાં રાખી વગર કારણે મિષ્ટ પદાર્થો કે વિગઈઓને વધુ પડતો પરિભેગ સાધુએ ન કરવો જોઈએ. ૩૭ સંયમના સઘળા ઉપકરણ અને પુસ્તકો વગેરેનું સવાર સાંજ જયણા પૂર્વક પડિલેહણ કરવું જોઈએ. સાધુને કેઈપણ ચીજ પડિલેહણ કર્યા વિનાની વપરાય જ નહિ. ૩૮ સાધુની કેઈપણ ચીજ રસ્તામાં રખડતી કે જ્યાં ત્યાં પડી ન રહેવી જોઈએ, તેમ કરવાથી સંયમના ઉપકરણની અવહેલના–આરાધના તેમજ અયતના અધિકરણનો દોષ લાગે છે. ૩૯ રસ્તામાં સામેથી કોઈપણ સાધુ સામે મળે તે વિનય પૂર્વક હાથ જોડી મુખ આગળ મુહપત્તિ રાખી “મથએણ વંદામિ કહેવું ૪૦ સંયમની નાવમાં બેઠા પછી તેના કર્ણધાર–ખલાસીસમાં ગુરુમહારાજની આજ્ઞા અનુસાર વર્તન રખાય તો ભવસમુદ્રથી પાર પમાય અન્યથા સંભવ નથી. Page #99 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ મર્યાદાઓ ૯૩ ૪૧ સારૂ–સારૂ વાપરવાથી કે સારી ચીજોના ઉપયેાગ કરવાથી મારૂ પુણ્ય ખૂટે છે અને નવુ પાપ અંધાય છે. ૪૨ પાંચ-તિથિએ ચૈત્યપરિપાટી જરૂર કરવી. ૪૩ પતિથિ અને વિશિષ્ટ-દિવસેાએ ચાલુ દિવસ કરતાં કંઈક વધુ તપ કરવા. ૪૪ સાધુએ દુનિયાની સઘળી પ ંચાત મૂકી દઈ આપણા જીવનની શુદ્ધિના ખ્યાલ ખરાખર કેળવવે. ૪૫ બ્રહ્મચર્ય' સયમના પ્રાણ છે, તે વિના સંયમ મુડદા જેવું છે, માટે બ્રહ્મચયની નવ વાડાનું પાલન બરાબર કરવા માટે ઉપયેાગવંત રહેવું. ૪૬ સાધુએ એલવામાં કદી પણ 'જ' કારના પ્રયાગ ન કરવા. 卐 BOR ધર્મોપદેશની ચેાગ્યતા इत्थ मग्गदेसणाप ---શ્રમિનિવિનો -पडिवत्तिमित्तं किरिआरंभो ભાવાર્થ સન્માર્ગ ના ઉપદેશ સાંભળવાના પરિણામે કદાગ્રહના અભાવ, વિનયપૂર્વક સ્વીકાર અને યથાશકથ સુધારણાની પ્રવૃત્તિ આ પણ ત્રણ તત્ત્વ જેનામાં દેખાય તે ધર્મોપદેશની સફળ યાગ્યતાવાળા છે, એમ જાણવું. —શ્રી પાઁચસૂત્ર–સૂત્ર ૪ - Page #100 -------------------------------------------------------------------------- ________________ સંયમની સાધનારૂપ ૫ ગ દ ડી ઓ ૧ ગુરુ આજ્ઞા એ સંયમસાધનાનો મુખ્ય પ્રાણ છે, તે વિના કદી પણ આત્મકલ્યાણના પંથે પ્રયાણ શક્ય નથી જ ! ૨ ગુરુના ચરણોમાં આત્મ-સમર્પણ સંયમ સાધનાનું મુખ્ય અંગ છે. ૩ ગુરુ-મહારાજને ઉપકાર રેજ સ્મરણ કરવો જોઈએ કે મને ભવસમુદ્રમાં પડતે કે બચાવ્યો? અને બચાવવા હજી પણ નિષ્કારણ-કરૂણ વરસાવી રહ્યા છે. ૪ ગુરુમહારાજ કાંઈપણ કહે-આજ્ઞા કરે, ભૂલ થતાં તે સંબંધી ઠપકો આપે કે કદાચ કઠેર–સ્વરે તર્જનાદિ પણ કરે, પણ આ બધું મારા આત્માના એકાંત હિત. અર્થે છે. મારા ભાવગને હઠાવવા તેની તીવ્રતા આદિની અપેક્ષાએ મૃદુ-મધ્ય–તીવ્ર કે કડવા ઔષધના વિવિધ પ્રયોગોની પ્રક્રિયા પૂજ્ય ગુરુદેવ અપનાવી રહ્યા છે! ! આ જાતની શુભ ચિંતન વિવેકબળે ટકાવવી જરૂરી છે. ૫ પૂજ્ય અને ઉપકારી ગુરુદેવ કે વડિલની સામે કદી પણ જેમ તેમ અસત્ય ન બોલાય આ માટે પૂરતું ધ્યાન રાખવું. Page #101 -------------------------------------------------------------------------- ________________ પગદંડીએ હિપ ૬ શરીરને જેટલું ઈચ્છાપૂર્વક કષ્ટ આપીએ તેટલી વધુ પાપોની નિર્જરા થાય છે. ૭ પાંચ મહાવ્રતોનું પાલન પિતાના વહાલા પ્રાણની જેમ કરવું જોઈએ. ૮ કાઈપણ સાધુના દે આપણાથી જેવાય નહીં, બીજાના દોષ જેવાથી પોતાનો આત્મા દોષવાળ બને છે, કાળું જોવાથી મન કાળું બને છે, ઉજળું જોવાથી ઉજળું બને છે. ૯ બીજાના ગુણે જ આપણે જેવા જોઈએ. ૧૦ કેઈની પણ અદેખાઈ–ઈર્ષ્યા સાધુથી ન કરાય. ૧૧ બીજાની ચઢતી જેઈને રાજી થવું જોઈએ. ૧૨ “દરેકનું ભલું થાઓ આવી ભાવના નિરંતર રાખવી જોઇએ. ૧૩ પોતાના ઉપકારી ગુરુ-મહારાજના દોષે કે ભૂલો તરફ કદી પણ નજર ન જવા દેવી. ૧૪ શરીરની જ સંભાળ કરનાર સંસારી કહેવાય. આત્માની જ સંભાળ માટે સાવધ રહે તેનું નામ સાધુ૧૫ શું ખાઈશ? કયારે ખાઈશ? શું મળશે? અમુક ચીજ નહિ મળે તે? આદિ આદિ ક્ષુદ્ર વિચારણાઓ કરવી ઉચિત નથી. ૧૬ ગમે તેવો કડવો બેલ (શબ્દ) સહન કરે તે સાધુ૧૭ “હું” અને “મહારું ભૂલે તે સાધુ Page #102 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની ન્યાત ૧૮ “સારી વસ્તુઓ બીજાઓને ભલે મલો! હારે ગમે તેવી વસ્તુથી ચાલશે” આવી ભાવનાઓ વારંવાર કેળવવી. ૧૯ હસવું તે સાધુ માટે પાપ છે. ૨૦ કેઈની પણ મશ્કરી સાધુથી કરાય જ નહિ. ૨૧ ગમે તેવી કેઈની ખરાબ વાત સાંભળવી નહિ, કદાચ સંભળાઈ જાય તે પેટમાં જ રાખવી. ૨૨ કોઈની પણ નિંદા કરવી નહિ, તેમજ સાંભળવી પણ નહીં. ૨૩ સ્વભાવ શાંત રાખવો. ૨૪ “સંસાર દુખની ખાણ છે. અને સંયમ સુખની ખાણ છે આ વાત બરાબર યાદ રાખવી. ૨૫ કઈ પણ વાતને કદાગ્રહ ન રાખ. ૨૬ હંમેશાં સામા માણસના દષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરે. ૨૭ કેઈપણ વાતમાં “જકારનો પ્રયોગ ન કરે. ૨૮ ગુરુ-મહારાજ વાતમાં હોય કે કામમાં હોય ત્યારે કંઈ પૂછવું નહીં. ૨૯ ગુરુ–મહારાજની અનુકૂળતાએ સાચવવી, એજ સંયમ શુદ્ધિ માટે જરૂરી ગુરુ વિનયની પ્રાથમિક ભૂમિકા છે. ૩૦ આપણા હિતની વાત કરવી હોય તે પણ હસતે મુખે સાંભળવી. ૩૧ ઓછી ચીથી ચલાવતાં શીખવું જોઈએ. જરૂરીયાત ઘટાડવી એ સાધુતાની સફલતા છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ પગદંડીઓ ૭ ૩ર મરણ કયારે તેનું કંઈ ઘેરણ નથી, માટે શુભવિચારોને અમલી બનાવવામાં પ્રમાદી ન રહેવું. ૩ આપણી પ્રશંસા-વખાણ સાંભળી કુલાઈ ન જવું. તેમજ નિદા સાંભળી ક્રોધ ન કરવો. ૩૪ “આત્મામાં અનંત શક્તિ છે એ વિચારીને તેને બરાબર દઢ-રીતે કેળવી સંયમ-જ્ઞાન-ધ્યાન અને તપની પ્રવૃત્તિમાં વત્સાહપૂર્વક આગળ વધવા પ્રયત્નશીલ રહેવું. ૩૫ સંયમાનુકૂલ કેઈપણ પ્રવૃત્તિમાં કાયર કદી ન બનવું, કદાચ પરિસ્થિતિવશ આચારથી કાયરતા આવે તે પણ વિચારોથી કાયર કદી ન બનવું. ૩૬ અખ, કાન, જીભ વગેરે ઈન્દ્રિયે ડાકુ છે, તે આત્માનું બધું ધન લૂંટી લે છે, માટે ઇન્દ્રિય કહે તેમ ન કરવું, પણ જ્ઞાનીઓ જેમ કહે તેમ કરવું. ૩૭ ખાવાની સારી-મધુર ચીજે કે જોવા લાયક સુંદર પદાર્થો ખરેખર ઝેર છે, તેનાથી આત્માને અનંત જન્મ-મરણ કરવા પડે છે, માટે ઈન્દ્રિયનિગ્રહ માટે સાવચેત રહેવું. ૩૮ પર–સ્પૃહા એ મહાદુઃખ છે. તૃષ્ણને વિજય એ સુખની ચાવી છે, માટે જેમ બને તેમ મુનિએ નિસ્પૃહતા ખૂબ - કેળવવી જોઈએ. ૩૯ વિનય વગરના મેટા તપની કે ભણવાની કંઈ કિંમત નથી. ૪૦ સાધુ જે સંયમની પાલના આરાધક–ભાવથી કરે તો - મેક્ષની કે દેવલોકની પ્રાપ્તિ કરે છે, પણ વિરાધક-ભાવથી Page #104 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની ન્યાત - સંયમ દુષિત કરે તે નરક-તિય ચ આદિ દુર્ગતિ અવશ્ય મેળવે છે. ૪૧ ગુરુને અવિનય કરનાર કદી કલ્યાણની સાધના કરી ન શકે. ૪૨ શરીરને સુકમાલ ન બનાવવું. સંયમ–તપ અને સ્વાધ્યાદિ | પ્રવૃત્તિઓમાં યથાયોગ્ય રીતે પ્રવર્તી શરીરનો કસ કાઢવા લક્ષ્ય રાખે તે સાધુ. ૪૩ દીક્ષા લીધા પછી મા-બાપને કે સગા-વહાલાંને મોહ ન ' રખાય, તેમની સાથે ગુરુ આજ્ઞા વિના ધર્મની પણ વાતન થાય. ૪૪ સાપ કાંચલી ઉતારે તેમ સંસારથી અળગા થયા પછી સંયમીએ તપેલા લોઢાના ગેળાની જેવા તે ગૃહસ્થ સાથે [નિરપેક્ષ–રીતે કે સ્વછંદ-રીતે સંભાષણ, પરિચય કે પત્ર - વ્યવહારાદિ સર્વથા ન કરવું જોઈએ. ૪૫ સાચા સંયમી માટે ગૃહસ્થ સાથે પરિચય પાપ છે. ૪૬ પાપને બાપ લે છે, અને પાપની માતા માયા છે. ૪૭ નકામી વાત કરવી નહિ તેમજ સાંભળવી પણ નહિં. ૪૮ જ્ઞાન-દર્શન–ચારિત્રના પ્રયજન વગરની કેઈપણ પ્રવૃત્તિ સંયમીએ કરવી ન જોઈએ. ૪૯ વિચારોમાં ઉદારતા, સ્વાર્થ રહિતપણું અને પરાર્થવૃત્તિ કેળવવાથી સંયમની આસેવના આત્માને ઉજજવલતર બનાવવામાં વધુ એક્કસ રીતે ફેલવતી થાય છે. ૫૦ “હું જીવ માત્રને અભયદાન આપવાની વિશદ 'પદવીવાળા સંયમને અધિકારી છું” આ જાતની Page #105 -------------------------------------------------------------------------- ________________ પગદંડીઓ - જવાબદારી સતત જાગૃત રાખવી જોઈએ. જેથી હલકા વિચારે કે શુદ્ર સ્વાર્થ મૂલક પ્રવૃત્તિઓ સ્વતઃ ક્ષીણ થઈ જાય. ૫૧ સાધુને ચિંતા હોય તે એક જ કે “ભવભ્રમણથી શી રીતે બચાય? અને તે માટે જરૂરી સંચમની પાલના માટે ગુરુ-ચરણે પૂર્ણપણે સમર્પિત થઈ જવાની તમન્ના સાધુના માનસમાં અહોનિશ જાગતી હોય છે. પર દીનતા સાધુનું મોટામાં મોટું દૂષણ છે. પ૩ મોટા બેરિસ્ટરો કે વકીલ ગિની–સેનામહોરોના હિસાબે મિનિટની કિંમત વાત કરનાર અસીલ સાથે આંકતા હોય છે, તે તેના કરતાં પણ સંયમી-જીવનને એકેક ક્ષણ અમૂલ્ય છે, તેથી નિપ્રોજન વાત કે અનુપયોગી પ્રવૃત્તિ એમાં જરા પણ સમય વ્યર્થ ન ગુમાવવો જોઈએ. ૫૪ જે સાધુ ઈન્દ્રિયોના વિકારોને પિોષવામાં કપડાં શરીરની ટાપટીપ કે માનપાનમાં કૂળાઈ જાય તેનું જીવન અધે ગામી જ બને છે. પપ સાધુએ ખાસ કામ વિના આસનેથી ઉઠવું ન જોઈએ. નિપ્રયજન જ્યાં ત્યાં ફરવાની ટેવ સાધુને છાજતી નથી. ૫૬ સાધુએ ચંચલતા છાંડી દરેક ક્રિયામાં સ્થિરતા કેળવવી. ૭ ભણતી વખતે કે લખતી વખતે ટટાર બેસવું જોઈએ જેથી - શરીરમાં રોગ ન થાય. ૮ સવારમાં ચાર વાગ્યા પછી સૂવું ન જોઈએ, કેમકે તે વેળાએ મન ધર્મધ્યાનમાં જહદી વળી શકે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સાધુતાની ન્યાત ૫૯ સ્વાધ્યાય કે ખાસ જરૂરી કામ સિવાય મૌન રહેવા પ્રયત્ન કરવો. : ૬૦ સાધુની ભાષા મીઠી-મધુર, ન્યાયપેત, નિરવદ્ય અને પ્રભુની આજ્ઞાનુસારી હોવી જોઈએ. '૬૧ ગુરુ-મહારાજને ઠપકે મિષ્ટાન્ન કરતા પણ વધારે મીઠો ' લાગ જોઈએ. ૬૨ સારૂં બ્રહ્મચર્ય પાળનાર પ્રાયઃ રોગી બનતું નથી. ૬૩ બ્રહ્મચર્ય-મંગથી બાકીના ચાર મહાવ્રતને પણ ભંગ થઈ જાય છે ૬૪ સાધુને શરીર કરતાં આત્માની ચિંતા વધારે હેય, આ લેક કરતાં પરલોકની ચિંતા વધુ હોય છે. ૬૫ સાધુ-સાધુ વચ્ચે ખટપટો કરાવે કે નારદ-વિદ્યા કરી પિતાને હોંશિયાર માને તે સાધુ ન કહેવાય. ૬૬ દરેક ધર્મ–ક્રિયાઓ કરતાં ભગવાનને યાદ કરવા જોઈએ. કે-અહો ! નિષ્કારણ-કરૂણાલુ પરમાત્માએ ભ તારક ક્રિયાઓ કેવી સરસ નિર્દેશી છે! ૬૭ સવારમાં રાજ ઉઠતાં જ વિચારણા કરવી ઘટે કે-“ સાધુ છું! મારે પાંચ મહાવ્રતે પાળવાના છે! મારૂં કર્તવ્ય હું શું નથી કરતો? હે કેટલી સંયમની સાધનામાં પ્રગતિ કરી? તપમાં શક્તિ ગોપવું છું કે કેમ?” આદિ. ૬૮ ગુરુમહારાજની ઈચ્છાને અનુકુલ રહેવું તે સંયમીનું પ્રધાન કર્તવ્ય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ પગદંડીઓ ૧૦૧ ૬૯ ગુરુમહારાજની કેઈપણ આજ્ઞાને આત્મ-હિતકર માની : હદયના ઉલ્લાસથી અમલી બનાવવા પ્રયત્ન કરે. ૭૦ પિતાની મરજી મુજબ ચાલનાર સાધુ કદીપણ સંયમની મર્યાદાઓ જાળવી શકતો નથી. ૭૧ “મને આમ લાગે છે માટે હું તે આમ જ કરીશ” એ કદાગ્રહ ન રાખતાં પૂજ્ય ગુરુદેવને જે યોગ્ય લાગે તે રીતે જ કામ કરવાનો આગ્રહ રાખો. ૭૨ સ્ત્રી સાથે વાતચીત, બહુ કે વારંવાર વિગઈને વપરાશ શરીરની શેભા-ટાપટીપ આ ત્રણે સાધુ માટે તાલપુટ - ઝેર સમાન ભયંકર છે. ૭૩ જે સંસારનો દુઃખથી અને પાપથી ભરેલો જાણી ત્યાગ * કર્યો, હવે તે સંસારની ફુલામણીમાં ફરીથી ન ફુલાઈ જવાય તે માટે સાવધ રહેવું ઘટે. ૭૪ સાધુને જે સુખ સંયમના અનુભવથી મળે છે, તે દેવેન્દ્ર કે ચક્રવર્તીને પણ નથી મળતું. ૭૫ સંયમમાં દુઃખ ઓછું સુખ વધારે ! સંસારમાં સુખ ઓછું - દુઃખ વધારે! આ એક નકકર હકીકત છે ! ભલે ! બાહા દૃષ્ટિથી આપણને વિપરીત લાગતું હોય કે–“સંયમમાં દુઃખ વધારે છે અને સંસારમાં સુખ વધારે છે. ખરેખર આ બ્રમાત્મક અનુભવ છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્ય ભગવંતેએ નિયત કરેલ સંયમની મર્યાદા સાધુપણું મેળવીને લોકેત્તર પરમ-સૌભાગ્યશાલી બનેલ મુમુક્ષુ-આત્માને સંયમની આરાધના પ્રતિદિન વધતા વીલ્લાસ પૂર્વક કરવા માટે શાસ્ત્રકાર-ભગવતેએ નિયત કરેલ મન વચન-કાયાના વતનોનું અવલંબન લેવાની ખાસ જરૂર છે. તેથી પ્રાચીન–કાલમાં શાસ્ત્રકાર-ભગવંતે એ નિયત કરેલ સદ્દવર્તનેની મર્યાદાને પહોંચી ન વળવાના બહાને મુગ્ધાત્માએ મર્યાદાહન-જીવન જીવવા તૈયાર ન થઈ જાય, માટે દીર્ઘદશી વિવેકી પૂર્વાચાર્ય ભગવંતે સમયે સમયે ગ૭–વ્યવસ્થાના યેય બંધારણને વ્યવસ્થિત કરી તે તે અલ્પશક્તિ કે વિશ્વાસવાળાને પણ સંયમની ગ્ય મર્યાદામાં ટકી રહેવાની સુંદર વ્યવસ્થા કરતા હતા, તેની વ્યવસ્થા પ્રાચીન કાલમાં “સાધુ-મર્યાદા પટ્ટક નામે ઓળખાતી. તેવા ચાર પટ્ટમાંથી વર્તમાનકાલે અમલમાં મૂકી શકાય તેવી વ્યવસ્થાના કેટલાક નિયમ મુમુક્ષુ આત્માના ભાવ-વી બ્રાસની વૃદ્ધિ અર્થે ચૂંટી કાઢી અહીં આપવામાં આવે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ (૧) વિ. સં. ૧૬૪૬ પોષ વદ ૩ શુક્રવારે પાટણમાં - જગદગુરુ શ્રીવિજયહીરસૂરીશ્વરજી મહારાજે છે જણાવેલ પટ્ટકમાંથી ૧ રાજ (ઓછામાં ઓછી એક નવકારવાલી (બાંધી) ગણવી. ૨ હંમેશાં મેટાની સેવા-ચાકરી કરવી. છતી-શક્તિએ હંમેશાં દિવસમાં એક ગાથા અથવા છેવટે એક પદ પણ નવું ભણવું. ૪ પડિકમણું કાયા પછી “છામને સુધી અર્થાત્ છ આવશ્યક પૂરાં થતાં સુધી, તેમજ આહાર કરતાં કે ઉપધિનું પડિલેહણ કરતાં અને માર્ગે ચાલતાં બોલવું નહિં. ૫ બિમારી અને વિહાર વગેરે કારણ વિના હંમેશાં ઓછામાં ઓછું બિયાસણું કરવું. ૬ મોટા કારણ સિવાય દિવસે સૂવું નહિં કે રાત્રે પહેલી પિરસીમાં અર્થાત્ સંથારા-પરસી ભણાવ્યા વિના સૂવું નહિ ૭ ચોમાસીનો છઠ તથા સંવછરીને અઠમ મેટા કારણ - વિના મૂક નહીં. ૮ કિયા–સંબંધી અનુષ્ઠાન–વિધિ કરવાનો વિશેષ કરીને ખપ કરે. અર્થાત્ ક્રિયારુચિ થઈને ક્રિયા કરવામાં તત્પર રહેવું ૯ પડિલેહણ કર્યા વિનાનું વસ્ત્ર-કાંબલ ન વાપરવું. ૧૦ નીખારેલું (ખેળવાતું, ચમકવાલું કે રંગેલું) વસ્ત્ર હોય તે તેના રંગનું પરાવર્તન કરીને વાપરવું અર્થાત પાણીમાં નાંખીને રંગ-ચમક-ભભક ઓછો કરી નાંખીને વાપરવું. ૧૧ ગૃહ પાસેથી પાછા આપવાની શરતે ઉછીના વસ્ત્ર કે કાંબલ બિલકુલ લેવા નહીં. Page #110 -------------------------------------------------------------------------- ________________ (ર) સં ૧૬૭૭ વૈશાખ સુદ ૭ બુધવારે પુષ્યનક્ષ સાબલીનગરે પ્રીવિજયદેવસૂરિનિમિત મર્યાદાપદકમાંથી, ૧ માસકમ્પની મર્યાદાએ ગીતાર્થે વિહાર કરે. ૨ સમસ્તવ્યતિએ માંડલે પ્રતિક્રમણ કરવા આવવું, બાધાનું કારણ હોય તે ગુરુને પૂછળ્યા વિના સર્વથા ગેરહાજર ન રહેવું. ૩ રાત્રિએ પૂજ્યા વિના સર્વથા ન ચાલવું. ૪ ઉઘાડા-મુખે (મુહપત્તિ રાખ્યા વિના) સર્વથા કેઈ મુનિએ ન બોલવું. પ પ્રતિક્રમણ કર્યા પછી ત્યાં જ જે ગણવું હોય તે ગણવું અને સંથારાપારસી ભણાવ્યા પછી પોતાના સ્થાનકે જવું. ૬ પ્રતિક્રમણ કાયા પછી “છા સજુ સુધી પ્રતિક્રમણમાં ન બોલવું. ' ૭ પાંચ-પર્વો કેઈએ વસ્ત્ર ન ધોવા. ૮ આહાર કરતાં કેઈ એ ન બોલવું, બોલવાનું કામ પડે તે પાણી પીને બેસવું. ૯ સાબુએ સર્વથા વસ્ત્ર ન દેવા. (આ નિયમ જેમ બને તેમ છે કે મોડે કાપ કાઢ પડે તેવી જ્યણ રાખી અગર બહુ સ્વચ્છ બગલાની પાંખ જેવા ભપકાબંધ કપડા ન રાખવાને ઉપગ રાખી પાળી શકાય તેમ છે.) Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયદેવસૂરિ નિર્મિત પટ્ટક ૧૦.૪રરાજ એક ગાથાદિ કઈ પણ નવું ભણુવું. ૧૧ સ-મુનિઓએ બિયાસણું દરરોજ ફરવું શરીરાદિ ખાધાને કારણે ગુરુ કહે તેમ કરવું. ૧૫ ૧૨ કાઈ સાધુ-સાધ્વીએ કોઈપણ સ્થલે એકલા ન જવું, માટે કારણે વડા કહે તેમ કરવું. ૧૩ સાધ્વીએ વ્યાખ્યાનના વખત સિવાય મુનિ પાસે ન આવવું યતિએ પણ સાવી પાસે ન જવું. ૧૪ સ-યતિએ સાધ્વી કે શ્રાવિકા સાથે આલાપ-સલાપ ન કરવા ૧૫ યતિએ અ-પવિત્રતાદિ કારણ વિના પગ ન ધાવા. ૧૬ ઉજળા વસ્ત્ર સવથા કેાઈએ ન પહેરવાં. ૧૭ ખાલ, ગ્લાન અને વૃદ્ધ સિવાય બીજા સવ યતિઓએ પાંચમ, આઠમ, ચૌદશ સ॰થા ઉપવાસ ન મૂકવા, કારણે મૂકવા પડે તે વિગય ન લેવી. ૧૮ ષટ્ટુર્થીએ સાધુ-સાધ્વીએ વિગય ન લેવી. ચૌદ વર્ષ ઉપરાંતની વયવાળા શિષ્યને પણ ન આપવી, ચૌદ વષ ની અંદરનાને ભણતા હેાય તેા આપવી. ૧૯ દિવસે કારણ વિના સાધુ-સાધ્વીએ ન સૂવું. ૨૦ પ્રતિક્રમણમાં સ્તવન બેાલાતું હેાય ત્યારે માત્ર કરવા કારણ વિના ન જવું. ૨૧ યતિએ માંહેામાંહે ફ્લેશ ન કરવા અને ગૃહસ્થ દેખતાં કાઇએ એ ફ્લેશની વાત પણ ન કરવી. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સાધુતાની ન્યાત ૨૨ પડિહારુ (ગૃહસ્થ પાસેથી પાછા આપવાની શરતે ઉછીની લાવેલ ચીજ) સ′થા માટા કારણ વિના કોઇ સાધુએ ન લેવું. ૨૩ યતિએ કે સાધ્વીએ ઉપાશ્રયની બહાર ન બેસવુ. ૨૪ યતિએ શ્રાવિકાને કે સાધ્વીને ગીત-રાસ વગેરે ભણાવવા નહીં અને સ'ભળાવવા નહીં. ૨૫ વિહાર કરતાં સયતિએ–ઠાણા દીઠ ડડાસણ રાખવા, પુંજવા–પ્રમાવાના ખપ વિશેષ રાખવે. ૨૬ સયતિએ દિન પ્રત્યે ૧૦૦૦ સજ્ઝાય કરવી. તેટલી ન કરી શકે તેા ૫૦૦ સજ્ઝાય કરવી, અર્થાત્ તેટલી ગાથાઓ સભારી જવી, જીવન શુદ્ધિની-ચાવી પેાતાના ગુણાને છતા કે અ-છતા સ્વરૂપમાં એળખી-સમજીને જેટલા સ ંતેાષ અનુભવાય છે, તેના સે-મા ભાગે પણ ઢગલાબંધ રહેલા પોતાના દાષાને આળખી તેની ચિંતા જો રખાય તા માક્ષ–માની સિદ્ધિ હથેલીમાં જ છે, પરિણામે જીવન-શુદ્ધિની અદ્દભુત ચાવી આવે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ (૩) સ. ૧૭૧૧ માહા સુદ ૧૩ ગુરુવારે પુષ્યનક્ષત્રે પાટનગરે શ્રીવિજયસિંહસૂરિપ્રસાદીકૃત મર્યાદાપટ્ટકમાંથી. ૧ સુવિહિત-ગીતાની નિશ્રાએ સવ યતિઓએ વિહાર કરવા ૨ યથાશક્તિ નિત્ય ભણવા-ભણાવવાને, લખવા–લખી આપવાને, અર્થ ધારવા-કહેવાના ઉદ્યમ કરવા. જ્ઞાનાચારમાં છતી શક્તિ ગેાપવવી નહિં. ૩ ચેાગ વહ્યા વિના કેાઇએ સિદ્ધાંત વાંચવા નહીં. ૪ દિનપ્રત્યે આઠ થેાઇએ ત્રિકાલે દેવ વાંદવા, જઘન્યપટ્ટે એક વાર વાંઢવાં. ૫ વહેારવા જતાં કે સ્થાંડલ જતાં માર્ગ'માં સર્વથા કોઇએ ન ખેાલવું, કદાચિત્ ખેાલવાનું કાય પડે તેા બાજુ પર ઊભા રહીને ખેલવું, ૬ ઉઘાડે માંઢ ખેલવું નહિં તેમજ ક્રિયા કરતાં કે આહાર કરતાં ખેલવું નહિં, ૭ એષણાશુદ્ધિ યથાશક્તિ કરવી, તેમાં અસમ’જસપણુ' ન કરવું, ૮ એકલા ગેાચરી લેવા સર્વથા ન જવુ. ૯ ઉપધિપ્રમુખ પુજી-પડિલેહી ઊંચે મૂકવી કે લેવી. ઉપકરણ, પાત્રાં ઉભય ટંક ડિલેડવાં. ૧૦ તળિયા ઉપરાંત પગ ન ધેાવા. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ૧૧ વડાને દેખાડ્યા વિના આહાર ન લેવે. ૧૨ એકલી સ્ત્રી સાથે એકલા આલાપ ન કરવા. ૧૩ વસ્ર આધુ–પાછું બાંધી ન મૂકવું, માગે સુખે નિર્વાહ થાય (ઉપાડી શકાય), એ વાર પડિલેહણ થાય, અને પલિમથ (વધુ પડતા સમયના ભાગ જેની સાચવણી—પડિલેહણાદિમાં આપવા પડે) ન થાય તેટલું ને તેવું જ રાખવું. ૧૪ પુસ્તક ગૃહસ્થને ઘેર સીવીને ન મૂકવું, જ્ઞાનાદિક–વૃદ્ધિને અથૅ છૂટુ જ રાખવું, કે જેથી તેના લાભ ખીજા લઈ શકે. તેના પર મૂર્છા ન કરવી. સાધુતાની ન્યાત ૧૫ દિવસના બે ઘડી પડેલી ને બે ઘડી પાછલી આહારપાણી આશ્રી જાળવવી, વિશેષ કારણે પણ સૂર્યોદયાસ્ત વેળા જોવી. ૧૬ દિનપ્રત્યે છતી શક્તિએ માર્ગાદિ કારણ વિના એકાસણાદિ તપ કરવા. ૧૭ પાંચપર્વી વિગય ન લેવી. ૧૮. દરરેાજ કાંઈક પણ અભિગ્રહ કરવા. ૧૯ અનાચી વસ્તુ ન વહેારવી. શીતકાલ વિના ખજુર, દ્રાક્ષ વગેરે ન લેવાં. આર્દ્રા પછી કાચી ખાંડ ન વહેારવી. ૨૦ દિનપ્રત્યે છતી શક્તિએ ૧૦-૨૦ લાગસ્સના કાઉસ્સગ્ગ કરવા ૨૧ દશવધ–સામાચારી વિશેષ પ્રકારે પાળવી. . Page #115 -------------------------------------------------------------------------- ________________ (૪) સં. ૧૭૭૩ માહ સુદ ૨ સેમવારે ભગવંત શ્રીવિજયક્ષમાસૂરીશ્વર–કૃત મર્યાદાપકમાંથી. ૧ નિત્યપ્રતિ એકાસણાં કરવાં. કારણવિશેષે ઔષધાદિની જયણું ૨ બીજા સાધુને સક્ઝાય કીધા વિના ઈંડિલ–ભૂમિકાએ જાવા ન દેવા, કદાપિ જરૂર બાધા હોઈ તે પણ તેમની આજ્ઞા માંગીને જાવું. ૩ પાટે ગીતાથ બેસે. * ૪ કેટલાક ગીતાર્થો નગરપંડલીયા-દેશપંડલિયા (ઠેકેદાર) થઈ રહ્યા છે, તે સર્વ યતિઓને દેશ-પરાવત્ત કરવા, ૩ તથા ૭ વર્ષ દેશમાં રાખવા. પછી વળી દેશ-પરાવત્ત કરવા. ૫ સ્થાન-સ્થિરવાસની આજ્ઞા વૃદ્ધ હોય-વિહારશક્તિ ન હોય તેને આપવી. ૬ ગીતાથની સેવા અર્થે એક શિષ્ય પાસે રહે ૭ સાધુ સમસ્ત સંધ્યાએ કે અસૂરે સવારે ન નીસરવું. ઉપર મુજબના ચારે પટ્ટકમાંથી તારવી કાઢેલા ઉપગી મર્યાદાસૂત્ર વિવેકીએ અવશ્ય યથાશક્તિ ધ્યાનમાં રાખી જીવનને સંયમની પરિણિતિની સ્મરણતાવાળું બનાવવા પ્રયત્નશીલ થવું જોઈએ. FE HERE Page #116 -------------------------------------------------------------------------- ________________ શું કરવાથી પ્રાયશ્ચિત્ત આવે? વિતરાગ-પરમાત્માના શાસનમાં આરાધના કરનારાઓને સતત ઉપયોગપૂર્વક જાળવી રાખવા જેવા આરાધકભાવને ટકાવા રાખવા માટે જ્ઞાનાદિ-સાધક પ્રવૃત્તિમાં અનાગાદિકારણે થઈ જતા અ-સર્વત્તનેમાંથી પાછા હઠવાની જાગૃતિ પ્રધાનપણે જરૂરી વર્ણવી છે. તે અંગે સાધુ-જીવનમાં જે જે પ્રવૃત્તિઓ અસવનરૂપે જ્ઞાની–ભગવતેએ શાસ્ત્રોમાં વિસ્તારથી જણાવી છે, તેમાંની કેટલીક મુમુક્ષુ-આત્માને સાવધાની કેળવવા ઉપયોગી થઈ પડે, તે શુભ આશયથી જણાવાય છે. અ-સવનેની યાદી. ૧ રોજ ત્રિકાલ ચૈત્યવંદન (દહેરાસર-દર્શનાદિ, ન કરે તે. ૨ અ-વિધિથી ચૈત્યવંદન કરે તે. ૩ પિતાની શોભા પૂજા માટે ફલ-ફૂલ બીજાદિની વિરાધના કરે તે ૪ ચિત્યવંદન કે સ્વાધ્યાય કરતાં કે સ્તવન બોલતાં અંતરાય કરે તે ૫ પ્રતિક્રમણ ન કરે તે. ૬ બેઠા પ્રતિક્રમણ કરે તે. ૭ અનુપગથી પ્રતિક્રમણ કરે તે. ૮ પ્રતિક્રમણના સમયનું ઉલ્લંઘન કરે તે. ૯ સંથારામાં સૂતાં સૂતાં પ્રતિક્રમણ કરે તે. ૧૦ સંથારામાં બેસીને પ્રતિક્રમણ કરે તે. Page #117 -------------------------------------------------------------------------- ________________ શું કરવાથી પ્રાયશ્ચિત આવે ૧૧ માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તા. ૧ર સર્વ શ્રમણ-સંધની ત્રિવિધે—ત્રિવિધ ક્ષમાપના કર્યાં વગર પ્રતિક્રમણ કરે તેા એટલે કે કોઇની સાથે ક્યાયાદિ થયે હાય તેા તેની શાંતિ કર્યો વિના પ્રતિક્રમણ કરે તા. ૧૩ પદે—પદની ઉચ્ચારશુદ્ધિના ઉપયેાગ વિના પ્રતિક્રમણ કરે તે ૧૪ પ્રતિક્રમણ કર્યા વિના સથારામાં કે પાટ પર સૂઈ જાય તા. ૧૫ દિવસે સૂએ તા. ૧૬ અનુપયેાગે કે અ-વિધિએ ઉપધિ-વસતિનુ પડિલેહણ કરે તા. ૧૭ પડિલેહણ કર્યા વિનાની ઉપધિ વાપરે તા. ૧૮ પડિલેહણ કરી સથારાભૂમિએ કાજો ન લે તેા, અગર અ-જયણાએ કાજો પરવે તા. ૧૧૧ ૧૯ પડિલેહણ પછી થુકવા આદિની કુંડીની ભસ્માદિને ન પરઢવે તે અગર સૂર્યોદય—પહેલાં પરઢવે તે. ૨૦ વનસ્પતિ અને ત્રસ-જીવવાળી ભૂમિએ માત્ર' આદિ પાઠવે તા ૨૧ પરિક્ષાપનિકા–ભૂમિનુ' વિધિપૂર્વક પડિલેહણ ન કરે તેા. ૨૨ વગર–મુહપત્તિએ ક્રિયા કરે કે બગાસું કે વાચનાદિ સ્વાધ્યાય કરે તા. ૨૩ સાવરણીથી કાજો કાઢે તા. ૨૪ સૂર્યોદય પછી પહેલા પહેારમાં એક ઘડી બાકી રહે ત્યાં સુધી નવું ન ભણે તા અગર સ્વાધ્યાય ન કરે તે. ૨૫ દિવસના પહેલા પહેારે સ્વાધ્યાયને બદલે વિમ્યા કરે તે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સાધુતાની ન્યતા ૨૨ સ્વાધ્યાયાદિની શક્તિ ન હોય તે દિવસના પહેલાં ન પહોરે નવકારમંત્રનું સ્મરણ ન કરે તે. ૨૭ વ્યાખ્યાન ન સાંભળે તે અગર વાચનાદિ સ્વાધ્યાય કે - અર્થ ગ્રહણ ન કરે તે. ૨૮ પ્રતિક્રમણ-વાચના કે સ્વાધ્યાય કરતાં, ચાલતાં કે ઊભાં રહેતાં કે તેઉકાયની ઉજેહી પડતાં શરીરાદિને સંકેચ ન કરે તે. ૨૯ થઈ ગયેલ પાપની આલોચના કરી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત ન લે તે. ૩૦ પહેલી કે બીજી પિરસમાં ફરવાની દૃષ્ટિએ ઉપાશ્રય બહાર જાય તે. " ૩૧ ગૃહસ્થને ઘર પાસે અશુચિ કરે તે. ૩૨ રાત્રે ઠલે જાય તે. ૩૩ દિવસે જોઈ ન રાખેલ (વગર પડિલેહેલી ભૂમિએ રાત્રે .: ઠલે-માગું પરઠવે તો. ૩૪ પહેલા કે બીજા પહેરમાં સ્વાધ્યાયાદિ પડતું મૂકીને વિકથા, અનુપયેગી વાત કે આર્નાદિયાનને પિષક કથાઓ કરે કે ઉદીરે તે. પ ઉપાશ્રયમાંથી નિકળતાં “માસી ” ન બોલે તે. ૩૬ ઉપાશ્રયમાં પેસતાં “બિલિદી ” ન બોલે તે. ૩૭ વારંવાર ઉપાશ્રયમાંથી બહાર જાય તે. Page #119 -------------------------------------------------------------------------- ________________ શુ' કરવાથી પ્રાયશ્ચિત્ત આવે? ૧૧૩ ૩૮ ગુરુ-આજ્ઞાથી ગેાચરી આદિ માટે વસતિમાંથી બહાર ગયા પછી રસ્તા વચ્ચે ગમે ત્યાં કથા-વિકથાદિ કરે તા. ૩૯ (મેાજા' આદિ) પગરખાનેા ઉપયાગ કરે તે. ૪૦ વિચાર-પૂર્વક, મધુર, ઘેાડું કામ-પૂરતું, ગવ રહિત, તુચ્છકારરહિત, નિર્દોષ અને સ્વપર–હિતકારી ભાષા ન મેલે તા. ૪૧ સાવદ્ય ભાષા બેલે તા. ૪૨ વધારે મેલ માલ કરે તા. ૪૩ ‘જ’કારના પ્રયાગપૂર્વક ખેલે તે. ૪૪ કષાય કરે કે ઉદ્ભીરે તા. ૪૫ કષાયની શાંતિ કર્યા વિના વાપરે કે રાતવાસી કષાય રાખે તે ૪૬ મભેદી પરુષ કશ, અનિષ્ટ નિષ્ઠુર વચના મેલે તે. ૪૭ કચકચાટ, લડાઇ, ઝઘડા, ટટા કરે તા. અસભ્ય ભાષા કે અપશબ્દો મેલે તા. ૪૮ વડીલેાની અવલેહના કરે તેા. ૪૯ ગચ્છ-સધ કે માંડલીની મર્યાદાનુ ઉલ્લઘન કરે તે. ૫૦ અયેાગ્યને સૂત્રા ભણાવે કે અવિધિથી સારણા-વારાદિ કરે તા. ૫૧ બેસતાં કે ઊભા થતાં સંડાસા (સાંધા) એનું પ્રમાન ન કરે તેા. પર કોઇપણ ચીજને લેતાં-મૂકતાં પૂજવા–પ્રમાજ વાના ઉપ ચાગ ન રાખે તેા. જેમ તેમ લે–મૂકે તે. ૫૩ સંયમની સાધનાને અનુકૂલ ઉધિ જરૂર કરતાં વધારે રાખે તા. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સાધુતાની જીત પ૪ ઓઘાને ખભા પર કુહાડાની જેમ રાખે તે. ૫૫ કપડાં એ કે દાંડાને અવિધિથી ઉપયોગ કરે તે. પ૬ અંગોપાંગ દબાવવા-આદિ શરીરશુશ્રુષા કરાવે તે. ૫૭ બે–કાળજીથી કંઈપણ સંયમપકરણ ખેવાઈ જાય તે. ૫૮ જાયે-અજાણે વિજળી–વરસાદને સંઘટ્ટો થાય તે. પ૯ સ્ત્રીને પરંપરાએ પણ સંઘટ્ટો થાય તે. ૬૦ અક૯પ્ય–વસ્તુનું ગ્રહણ કરે તે. ૬૧ ગોચરી ગયે છતે કથા-વિકથાદિ કરે તે. ૬૨ ગોચરી જે રીતે જે કમથી વહેરી હોય તે રીતે ગુરુ પાસે ન આવે તે. ૬૩ પચ્ચક્ખાણ પાર્યા વિના ગોચરી વાપરે છે. ૬૪ સાધુઓની ભક્તિ કર્યા વિના ગોચરી વાપરે છે. ૬૫ વાપરતાં કે ગોચરી વહેચતાં દાણું વેરે તે. ૬૬ વિવિધ પ્રકારોથી રસેના આસ્વાદપૂર્વક ગોચરી વાપરે છે. ૬૭ સ્વાદિષ્ટ-વસ્તુમાં રાગ કરે છે. ૬૮ કાઉસ્સગ કર્યા વિના (ગુરુની સંમતિ લીધા વિના) વિગય વાપરે તે. ૯ બે વિગયથી વધારે વાપરે તે. ૭૦ નિષ્ણજન (સ્વાદદ્રષ્ટિથી) વિગઈ વાપરે છે. ૭૧ લાન-નિમિત્તની ચીજ ગ્લાનને આપ્યા વિના વાપરી જાય તે. ૭૨ ગ્લાનની ભક્તિ કર્યા વિના વાપરે તે. Page #121 -------------------------------------------------------------------------- ________________ શુ* કરવાથી પ્રાયશ્ચિત્ત આવે ? ૧૧૫ ૭૩ પેાતાના બધા કામ પડતાં મૂકી ગ્લાનની ભક્તિ ન કરે તે. ૭૪ ગ્લાનની ભક્તિના બહાને પેાતાના સ્વાધ્યાયાદિમાં પ્રમાદ કરે તા. ૭૫ ગ્લાનાવસ્થાના કારણે સેવવા પડેલ દાષાનું પ્રાયશ્ચિત્ત ન લે તેા. ૭૬ ગ્લાનનાં કહેતાંની સાથે જ તેનુ' કામ ન કરે તેા. ૭૭ ગેાચરીના એ'તાલીસ ઢાષાની યથાશકય જયણા ન રાખે તેા. ૭૮ ૭ કારણ સિવાય ગેાચરી વાપરે તા. ૭૯ વાપરતી વખતે સારી-ખરામ ચીજની કે તેના આપનારની પ્રશસા–નિંદા કરે તે. ૮૦ રસ-લાલુપતાથી પદાને વધુ સ્વાદિષ્ટ બનાવી વાપરે તા. ૮૧ હતી શક્તિએ આઠમ, ચૌદશ કે જ્ઞાનપાંચમે ઉપવાસ, ચામાસીના છઠ્ઠું કે સવચ્છીના અઠ્ઠમ ન કરે તેા. ૮૨ સચમના ઉપકરણેા વ્યવસ્થિત સભાળપૂર્વક ન રાખે તેા. ૮૩ પાત્રાં માંધતાં ઝાળીની ગાંઠ ન છેાડે તા. ૮૪ ગેાચરી વાપર્યાં પછી માંડલીનેા કાજો ન લે તેા. ૮૫ સાંજના પ્રતિક્રમણ કર્યા પછી ( પહેલેા પહેાર પૂરા ન થાય ત્યાં સુધી ) વિધિ પૂર્વક ઉપયાગ સાથે સ્વાધ્યાય ન કરે તા. ૮૬ પ્રથમ-પેારિસી પૂરી થયા વિના સંથારો પાથરે તા. ૮૭ સંથારા પાથર્યા વિના સૂઇ જાય તેા. ૮૮ વગર-પડિલેહેલી જગ્યાએ સંથારા કરે તે. ૮૯ અવિધિથી સથારા કરે તા. ૯૦ ઉત્તરપટ્ટો ન પાથરે તા. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સાધુતાની ન્યાત ૯૧ બેવડે ઉત્તરપટ્ટો પાથરે તે. ૯૨. સર્વ જીવ રાશિને સાચા દિલથી ક્ષમાપના કર્યા વિના સૂઈ જાય છે. ૯૩ આહાર, ઉપાધિ અને શરીરને સાગારિક-રીતે વોસિરાવ્યા વિના સૂઈ જાય તો. ૯૪ કાનમાં રૂના કુંડલ નાંખ્યા વિના સૂઈ જાય તે. ૫ સંથારામાં સૂતી વખતે ગુરુ પરંપરાગત–મંત્રાક્ષથી . આત્મ-રક્ષા કર્યા વિના સૂએ તે. ૯૬ અનિત્યાદિ બાર ભાવનાઓ વિચાર્યા વિના સૂએ તે. ૯૭ રાત્રે છીંક, બગાસું કે ઉધરસ ખાય, અગર તેની યોગ્ય જયણા ન સાચવે તે. ૯૮ ઉંઘ પૂરી થયા પછી પણ પ્રમાદાદિથી મર્યાદા ઉપરાંત સંથારામાં પડ્યા રહે તો. ૯૯ સચિત્ત–પૃથિવી આદિ છ કાયને જાણતાઅજાણતાં સાક્ષાત્ કે પરંપરાએ સંઘટ્ટો થાય . ૧૦૦ વાપર્યા પછીનું ચિત્યવંદન ન કરે તે. - ૧૦૧ શાસ્ત્રીય મર્યાદાનુસાર સંયમી જીવન જીવવા માટે બેદર કારી સેવે તે. આ મુજબ કેટલીક સંયમ-વિરુદ્ધ આચરણ જાણવી. તેના આસેવનથી સંય મારાધના દૂષિત થાય છે, માટે સદગુરુ પાસે તેનું ગ્ય પ્રાયશ્ચિત્ત લઈ સંયમની આરાધના નિર્મલ કરવા માટે જાગૃત રહેવું જોઈએ. આ નોંધ પરમપવિત્ર શ્રી મહાનિશીથસૂત્ર આદિ આગમિક-આચારગ્રંથેના આધારે તૈયાર કરી છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય સાધુ-સાધ્વી ભગવાએ વજ વાલાયક ૨૯. પ્રકારના પાપશ્રુત પાપકર્મના બંધ કરાવનારુ'શ્રુત તે પાપશ્રુત. તેના ૨૯ પ્રકાર છે. ૧–૨–૩ દિવ્યનિમિત્તશાસ્ત્ર સૂત્ર સૂત્ર વૃત્તિ અને વાર્દિક ૪-૫-૬ ઉત્પાનિમિત્તશાસ્ત્ર વૃત્તિ અને વાર્નિક ૭–૮–૯ અંતરીક્ષનમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાર્તિક ૧૦-૧૧-૧૨ ભૌનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાર્ષિક ૧૩–૧૪-૧૫ અનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાર્દિક ૧૬-૧૭-૧૮ સ્વરનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાર્તિક ૧૯-૨૦-૨૧ લક્ષણનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાર્રિક ૨૨-૨૩-૨૪ બ્ય’જનનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાકિ ૨૫ ગંધ =સંગીતશાસ્ત્ર. ૨૬ નટ નાટકશાસ્ત્ર. ૨૭ વાસ્તુ =શિલ્પશાસ્ત્ર. ૨૮ આયુર્વેદ=ચિકિત્સાશાસ્ત્ર. ૨૯ ધનુવેદ=શસ્ત્રાસ્ત્રશાસ્ત્ર. 5 Page #124 -------------------------------------------------------------------------- ________________ ગીતાથ–મહાપુરુષોની નિશ્રા અને આગમેના ગંભીર વાંચન-મનન દ્વારા મેળવેલી સંયમશુદ્ધિ માટે જરૂરી મહત્ત્વની વિચાર-કંડિકાઓ ૧ કેઈપણ નાની-મોટી ધર્મક્રિયા છતી જાણકારીએ-છતી શક્તિએ વિધિ-મુદ્રાના ઉપયોગ વિના વેઠ રૂપે કરવી ઉચિત નથી. ૨ પ્રભુ-શાસનની મર્યાદા પ્રમાણે સાધુ-જીવને જઘન્ય કક્ષાએ પણ આરંભ-સમારંભમાં સ્વતઃ પ્રવૃત્તિવાળું ન હેવું જોઈએ તેનો ખૂબ આગ્રહ હોવો જોઈએ. તેથી કાચું પાણી, તેઉકાય, ઉજેડી,નિગેદ, લીલોતરીની વિરાધના, ત્રસ–જીવોની વિરાધના અને સ્વચ્છંદ રીતે આરંભ–સમારંભની પ્રવૃત્તિની અનુમતિવાળા પ્રયત્ન ઉચિત નથી. ૩ ઘડિયાળ, ઈંડીપેન, ફેટાઓ, શેખની ચીજ, ફેશનેબલ ચીજો, વસ્ત્રની ટાપટીપ સાધુઓને ઉચિત નહીં. ૪ વ્યક્તિગત નિંદા બેલવી–સાંભળવી ઉચિત નહીં. ૫ ગમે તેવા ધર્મ–વિરોધી નાસ્તિક કે અનાચારીની પણ હલકા અસભ્ય શબ્દોથી નવાજવાની રીત ઉચિત નથી. ૬ સાધુઓ સવારે ૧૦ વાગ્યા સુધી નવું ભણે નહીં-પુનરાવર્તન ન કરે તે ઉચિત નથી. Page #125 -------------------------------------------------------------------------- ________________ વિચાર–ક'ડિકાઓ ૧૧૯ ૭ સાધુએ રાજ એછામાં ઓછી પાંચ ખાંધી માળા ન ગણે તે ઉચિત નથી. ૮ સાધુએ દેરાસરમાં ચૈત્યવંદન વિધિ–મુદ્રા જાળવવા સાથે આછામાં ૨૦ આછી મિનિટ ગાળવા સાથે ન કરે તે ઉચિત નથી. ૯ ચૈત્યવંદન પછી પ્રભુજી સમક્ષ આત્મ-જાગૃતિ માટે સાધુએ ન એસે તે ઉચિત નથી. ૧૦ સાધુ છાપાં વાંચે, નવલકથાઓ વાંચે તે ઉચિત નથી. ૧૧ સાધુએ ગૃહસ્થા સાથે વાતા, હસીને ખેલવાની ટેવ, શરીર—પની ટેવ ગૃહસ્થેાચિત મશ્કરીએ વગેરે કરે તે ઉચિત નથી. ૧૨ સવારે અજવાળું થવાની દરકાર રાખ્યા વિના-ખારી વગેરે ખાલવાની જયણા વિના પડિલેહણ કરે તે ઉચિત નથી. ૧૩ આઘા આંધવા વગેરેમાં અ–જયણા ઉચિત નથી. ૧૪ પડિલેહણની વિધિ-મર્યાદા આરસડા આદિ ૧૬ દેાષાની માહિતી વગેરે ન જાણે તે ઉચિત નથી. ૧૫ સૂર્યોદયથી એ ઘડીથી વહેલું પ્રતિક્રમણ ઉચિત નથી. ૧૬ સવારે ચાર વાગ્યા પછી સાધુએ સૂઈ રહે તે ચિત નથી, ૧૭ પ્રતિક્રમણ પછી સાધુએ સૂઇ જાય તે ઉચિત નથી. ૧૮ સાધુએ રાત્રે ઠેલ્લે જાય તે ઉચિત નથી. ૧૬ સાધુએ સ’ગીતના શૈાખીન-રસીયા અને તે ઉચિત નથી. ૨૦ સાધુએ સ’ગીતમાં ઘેલા અને તે ઉચિત નથી. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સાધુતાની ચૈાત ૨૧ સાધુએ લેાકર'જન માટે સ્તવન-સજ્ઝાયા મેલે તે ઉચિત નથી. ૨૨ સાધુએ પૂજાએ ગવૈયાની જેમ ભણાવે તે ઉચિત નથી. ૨૩ સાધુઓ ગવૈયાના પ્રાગ્રામ જુએ કે સાંભળે તે ઉચિત નથી. ૨૪ તીરની જેમ ધડાધડ વિહાર ઉચિત નથી. ૨૫ સાધુએ વાડામાં લે જાય તે ઉચિત નથી. ૨૬ ગ્રામાનુગ્રામ વિહારની પરિપાટી ભૂલાય છે, તે ઉચિત નથી. ૨૭ આચ્છવ-મહાચ્છવ-પ્રતિષ્ઠા-સધ આદિ કઇ કામ વિના વિહાર ન થાય તેા તે ઉચિત નથી. ૨૮ તીર્થયાત્રા માટે વિહાર ઉચિત નથી. ૨૯ ડાળીથી વિહાર ઉચિત નથી. ૩૦ દેવાની પરાધીનતા ઉચિત નથી. ૩૧ ડાકટર-વૈદ્યોની સાધુ-જીવનમાં મહત્તા ઉચિત નથી. ૩૨ સાધુ--જીવનમાં દવાનું સેવન ઉચિત નથી. ૩૩ કુદરતી આહાર ચર્ચાના અજ્ઞાનથી થનારા રાગેા માટે ગૃહસ્થ જેવું વર્તન ચિત' નથી. . ૩૪ વિષમ-રસ્તાના કારણ વિના માણસ લેવા ઉચિત નથી. ૩પ ખાસ તેવા આગાઢ કારણ વિના ફાનસ રાત્રે મૂકાવવું ઉચિત નથી. ૩૬ પાટલાં બાંધીને ગૃહસ્થના ઘરે રાખવા તે ઉચિત નથી. ૩૭ છાપેલ પુસ્તકાના સંગ્રહ કરવા ઉચિત નથી. ૩૮ જે માટે દીક્ષા લીધી છે, તે વૈરાગ્યની કેળવણીના પાયા મૂળથી ઢીલેા કરનારી દિનચર્યા કે રહેણી-કરણી ઉચિત નથી. Page #127 -------------------------------------------------------------------------- ________________ વિચાર-કંડિકાઓ ૧૨૧ ૩૯ વર્તમાન સાધુ-જીવનમાં વિકસી રહેલ સુખ–શીલતા ઉચિત નથી. ૪૦ રોજ ત્રણ ગાથા નવી અને ૫૦૦ને સ્વાધ્યાય ન કરે તે ઉચિત નથી. ૪૧ સાધુઓ પાલીની ખડબચડી કાંબળ સિવાય બીજી કાંબળઆ આસન કે ઘારીયાં વાપરે તે ઉચિત નથી. ૪૨ સાધુઓ પ્લાસ્ટીક, સનમાઈક-કચકડું–૨મ્બર આદિના મેહક સાધને રાખે-વાપરે તે ઉચિત નથી. અને ૪૩ સાધુઓ બાર તિથિ કાપ કાઢે કે લીલોતરી વાપરે તે - ઉચિત નથી. ૪૪ સાધુએ બાર તિથિ નવકારશી કરે તે ઉચિત નથી. ' ૪૫ સાધુઓ છતી શક્તિએ એકાસણું ન કરે તે ઉચિત નથી. ૪૬ સાધુઓ હા, ફરસાણ, ચટણી, મસાલા વિગેરે વાપરે તે ઉચિત નથી. ૪૭ સાધુઓ બપોરે સુએ તે ઉચિત નથી. ૪૮ સાધુઓ જ્ઞાન-ધ્યાનની પ્રવૃત્તિ સિવાય છોકરાં ભેગા કરવા આદિ પ્રવૃત્તિ કરે તે ઉચિત નથી. ૪૯ સાધુઓ પ્રૌઢ થયા પૂર્વે ગીતાર્થની સંમતિ વિના પેઈન્ટીંગ લેખન, કવિતા, આદિની પ્રવૃત્તિ કરે તે ઉચિત નથી. ૫૦ શક્તિ–સંપન્ન સાધુઓ આગમિક–અભ્યાસ ન કરે તે . ઉચિત નથી. . . . Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સાધુતાની ત ૫૧ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પાંચ કર્મગ્રંથ, સંગ્રહણી, ક્ષેત્ર સમાસ, તત્ત્વાર્થ સૂત્ર આદિન પ્રાથમિક–પાયાને અભ્યાસ છતી શક્તિએ સાધુઓ ન કરે તે ઉચિત નથી. પર તાત્વિક-અભ્યાસની શક્તિ ન હોય તો નવા નવા સ્તવન સક્ઝાય-ચૈત્યવંદન થેયે ન કરે તે ઉચિત નથી. ૫૩ સાધુઓ વર્ધમાન તપ ૨૫ સુધી વર્ષમાં ૩, ૫૧ સુધી વર્ષમાં ૨, પછી વર્ષમાં ૧ ઓળી ન કરે તે ઉચિત નથી. ૫૪ સાધુઓ નવપદજીની એળી ન કરે તે ઉચિત નથી. પપ છતી શક્તિએ પકૂખીને ઉપવાસ, ચોમાસીને છઠ્ઠ, પર્યુષણને અઠ્ઠમ, દિવાળીને છઠ્ઠ ન કરે તે ઉચિત નથી. પ૬ સાધુએ આવશ્યક-ક્રિયાના સૂત્રો, શ્રમણ સૂવ-પકુખી સૂત્રના અર્થો, દશવૈકાલિક સૂત્ર આપ્યું અર્થ સાથે ન ધારે કે તૈયાર ન કરે તે ઉચિત નથી. પ૭ સાધુઓ દીક્ષાના ત્રણ વર્ષના પર્યાય પૂર્વે વ્યાકરણાદિ ભણવાની શરૂઆત કરે તે ઉચિત નથી. ૫૮ સાધુએ દૈનિક–આલેચનાનું પ્રાયશ્ચિત્ત ન લે તે ઉચિત નથી. ૫૯ પાંચ મહાવ્રત, ૮ પ્રવચન-માતા, ૧૭ અસંયમ, ૪૨ ગોચરીના દેષની શબ્દથી પણ માહિતી મેળવી રોજ તે અંગે ગવેષણ ન કરે તે તે ઉચિત નથી. ૬ સાધુઓ આપવાદિક-કારણે સાબુ વાપરે તે ક્ષમ્ય, પણ પાવડર સફે ટીનેપલ-ગળી, બ્રશ વગેરે વાપરે તે ઉચિત નથી. Page #129 -------------------------------------------------------------------------- ________________ વિચાર-કડિકાઓ (૩ ૬૧ સાધુએ ધાતુના વાસણ કાપ કે ઉનાળામાં પાણી ઠારવા સિવાય વાપરે તે ઉચિત નથી. દર સાધુએ સૂર્યાસ્ત પછી દર્શન કરવા જાય તે ઉચિત નથી. ૬૩ દેરાસરમાં લાઇટ-રાશની થાય પછી સાંજે દર્શન કરવા જાય તે ઉચિત નથી. ૬૪ સાધુએ તીસ્થાનમાં એક કે બે દિવસથી વધુ રહે તે ઉચિત નથી. ૬૫ સેાજનશાળાની ગેાચરી અને આય.ખીલ-ખાતાનું પાણી વાપરે તે ઉચિત નથી. ૬૬ સાધુ ઉચિત નથી. સાધ્વી કે સ્ત્રીઓના પરિચય થાયા પણ કરે તે ૬૭ સાધુએ પેાતાના સગા-વહાલા સાથે એકલાં બેસે, ઠઠ્ઠા મશ્કરી, કે વાતા કરે તે ઉચિત નથી. ૬૮ સાધુઓ દીક્ષિત માતા કે બહેન કે સબધી સાથે વદનાઢિ -સુખસાતા સામાન્ય વ્યવહારથી વધુ વાતચીત કે પરિચય કરે તે ઉચિત નથી. ૬૯ ગુરુને પૂછ્યા વિના પરભારી ગૃહસ્થા સાથે કાઇ પણુ ચીજની લેવડ-દેવડ કરે તે ઉચિત નથી. ૭૦ સાધુએ ગૃહસ્થા સાથે આર્થિક-સંબંધ કરે તે ઉચિત નથી, ૭૧ ગમે તેવી પણ શાભા-મેાહ ઉપજાવે તેવી ચીજ ફેશન તરીકે સાધુએ રાખે તે ઉચિત નથી. ૭૨ સાધુએ જિન મદિર–ઉપાશ્રયેા મંદિર બનાવવાની યાજ Page #130 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની જ્યોત નાનું દસ્તર રાખે ચલાવે તે ઉચિત નથી. ૭૩ સાધુઓ ઉપધાન-ઉજમણ આદિ ઘાંચ-પાણી કરી ઉભા કરે તે ઉચિત નથી. ૭૪ સાધુઓ પોતાનું કામ ગૃહ પાસે કરાવે તે ઉચિત નથી. ૭૫ સાધ્વીઓ પાસે કાપ, પાત્રા રંગવાનું કામ વગેરે કરાવે તે ઉચિત નથી. ૭૬ સાધુઓ પાઠશાળાઓમાં જઈ ભણે તે ઉચિત નથી. ૭૭ આપવાદિક કારણ સિવાય સાધુઓ ગૃહસ્થ પાસે ભણે તે ઉચિત નથી. ૭૮ સાધુઓ શરીર-વસ્ત્ર પાત્રાની ટાપટીપમાં પ્રવતે તે - ઉચિત નથી. ૭૯ સંયમીએ પિતાના ગૃહસ્થ-કાળના ગામ-માતા-પિતા પતિનું આખ્યાન કરે તે ઉચિત નથી. ૮૦ ગુરુ-પૂજન થાય છે, તે ઉચિત નથી. ૮૧ સંઘ–પૂજન થાય છે, તે ઉચિત નથી. . ૮૨ બસથી કરાવાતી તીર્થયાત્રાને સંઘનું રૂપક અપાય છે, તે ઉચિત નથી. ૮૩ બસથી કરાવાતી તીર્થયાત્રાઓને સંઘમાળ પહેરાવવા દ્વારા ઉત્તેજન અપાય છે, તે ઉચિત નથી. ૮૪ વિચારણારૂપ કે પ્રેરણારૂપ ઔપદેશિક વ્યાખ્યાન-પદ્ધતિના : બદલે ભાષણ-પદ્ધતિ અને કટાક્ષ કે ફટવા મારવારૂપની જોશીલી વ્યાખ્યાન–પદ્ધતિ ઉચિત નથી. ૮૫ પરીપદેશે પાંડિત્યના નાટકરૂપ વ્યાખ્યાનો ઉચિત નથી. Page #131 -------------------------------------------------------------------------- ________________ વિચાર-ક'ડિકાઓ ૧૨૫ ૮૬ પ્રાચીન સ્તવન–સજ્ઝાયે પડતા મૂકી નવા જમાનાના ફિલ્મી-તજના સ્તવના ઉચિત નથી. ૮૭ જુના સ્તવનાની પણ દેશી ઢાળ બદલી માહકરૂપે નવા રાગમાં ગાવાની પદ્ધતિ ઉચિત નથી. ૮૮ શાંતિસ્નાત્ર કે અષ્ટોત્તરી માટે આઠે દ્વિવસથી આછા કાર્યક્રમ ઉચિત નથી. ૮૯ આપવાર્દિક સિદ્ધચક્ર-પૂજન સિવાય કાઈ પણ પૂજન ઉચિત નથી. ૯૦ વર્તમાન કાળે એચ્છવેામાં વધી રહેલ ભૌતિકવાદી વલણ ચિત નથી. ૯૧ લાઈટ-માઈકના ઉપયેગ કરવા સદ'તર ઉચિત નથી. હર બહેનેાની પૂજા ઉચિત નથી. ૯૩ કાઈપણ મંડળ કે મંડળીના કાર્યક્રમા ઉચિત નથી. ૯૪ કાઈપણુ મેળાવડા-સભા કે ઉજવણી ફકશના જાહેર વ્યાખ્યાન વગેરેની પ્રવૃત્તિ ઉચિત નથી. ૯પ મહેનેાના છે।કરીએના સ્વચ્છંદ વેષ-પરિધાન ઉચિત નથી. ૯૬ મહેનેા ઉઘાડા માથે ધર્મસ્થાનમાં આવે રહે તે ઉચિત નથી, ૯૭ ધર્મસ્થાનામાં પુરુષા પણ કડક પરિધાન કરે તે ઉચિત નથી. પેન્ટ કે ચુસ્ત વસ ૯૮ બહેનેાના પેન્ટ-શર્ટ વગેરે વેષ કે સાડી વગર એકલા ચણિયાના વેષ ઉચિત નથી. ૯૯ પ્રભુજીને વિકૃત અંગ-રચનાઓ થાય તે ઉચિત નથી. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સાધુતાની જ્યાત ૧૦૦ પ્રભુજીના અંગાને ઢાંકી પાટીયા પદ્ધતિ કે ખેાખા પર વિકૃત ડિઝાઈના ચીતરી પ્રભુની વીતરાગતા ઢાંકનારી આંગીએ ઉચિત નથી. ૧૦૧ પ્રભુજીની અંગ–રચનામાં પૂતળાં-રમકડાં-પાટીયાં–લાઈટ સલાઈટ વગેરે ઉચિત નથી. ૧૦૨ પ્રભુજીની પદ્માસન મુદ્રા ઢકાય તેવી આંગી ઉચિત નથી. ૧૦૩ સાધુએ વય, દેશ, કાળની અપેક્ષા વિના સ્વચ્છંદ પણે વિજાતીયનેા–સાવી કે સ્રીઓના પરિચય કરે તે ઉચિત નથી. ૧૦૪ ઉપધાન કે ચેાગ-વહનમાં કાળ-મર્યાદા, લેાક વ્યવહારના અતિક્રમે બ્રહ્મથય—ગુપ્તિનું પાલન ન થાય તે ઉચિત નથી. ૧૦૫ શાસ્ત્રામાં અતિવૃદ્ધ થયેલ ગીતાર્થીને પણ વિજાતીય સાથે નજર મેળવી વાત કરવાની તથા હસીને ખેલવાની સખત મનાઈ છે. આજે આ મર્યાદા ચઢતી જુવાનીવાળા સાધુ– સાધ્વીએ પણ પાળતા નથી, તે ઉચિત નથી. ૧૦૬ કપડાની ટાપટીપ, મુહપત્તી કે કપડામાં દ્વારા નાખવાની પદ્ધતિ પર પરાએ ચેાથા વ્રતને ધક્કો પહાંચાડનાર હાઈ આવું બધું સાધુએ કરે તે ઉચિત નથી. ૧૦૭ વયેવૃદ્ધ ઠરેલ અને ગીતા સાધુસિવાય કાઇપણ સાધુસાધ્વીઓ કે શ્રાવિકાઓ સાથે સીધા સપર્ક સ્થાપિત કરે કે રાખે તે ઉચિત નથી. ૧૦૮ લેાકેાપચારની જેમ દીક્ષિત કુટુબ-જના સાથે લૌકિક રીતે વાર્તાલાપની ટેવ સાધુએ રાખે તે ઉચિત નથી. Page #133 -------------------------------------------------------------------------- ________________ સચમમાં શિથિલતા લાવનારી ૧૨૫ મામતા ( શ્રમણ ભગવંત શ્રી મહાવીર–પ્રભુના સ્વ-હસ્ત–દીક્ષિત શિષ્ય પૂજ્ય શ્રી ધર્મદાસ ગણી મહારાજ રચિત શ્રી ઉપદેશ માલા (ગાથા ૫૪૪) ગ્રંથ (ગાથા ૩૫૪ થી ૩૮૧)માંથી મુમુક્ષુ સંયમપ્રેમી પુણ્યાત્માઓના હિતાર્થે ઉષ્કૃત કરી ગુજરાતીમાં અહીં રજુ કરી છે. જે વાંચી–વિચારી જ્ઞાની–ગુરુની નિશ્રાએ સચમને શિથિલ અનાવનારા વિકૃતતવેાથી અળગા રહી સંયમની સ્વ–પર હિતકારી સાધના માટે સુયેાગ્ય પ્રયત્ન કરવા હિતાવહ છે. ) —સપા′′ ( ગાથા ૩૫૪) ૧ એષણાના ૪૨ દાષના ઉપયેાગ ન કરે. ૨ ધાત્રી ીયાતર–પિંડની રક્ષા ન કરે. ૩ વારવાર આહારને ગ્રહણ કરે. ૪ દૂધ-ઘી આદિ વિગઇએ ઘણી વાપરે. ૫ ગાળ વિગેરે સન્નિધિ રાખી વાપરે. ( ગાથા ૩૫૫) ૬ સૂર્યાસ્ત સુધી વાપરે. ૭ માંડલીમાં સાધુઓની સાથે ન વાપરે. ૮ ગેાચરી ક્રવામાં પ્રમાદ કરે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ( ગાથા ૩૫૬) ૯ હીન–સત્વ ખની લેાચ ન કરાવે. ૧૦ મુદ્રાપૂર્વક કાઉસ્સગ્ગમાં શરમ રાખે. ૧૧ શરીરના મેલ ઉતારે. ૧૨ માર્ગમાં ચાલતાં પગરખાં પહેરે. ૧૩ કારણ વિના ચાલપટ્ટા પહેરે. (ગાથા ૩૫૭) ૧૪ ગામ દેશ કુલનું મમત્વ રાખે. ૧૫ શેષકાળમાં પાટ-પાટલા વાપરે. ૧૬ પૂર્વેના ગૃહ-ભુવન-સામગ્રીને સ્મરણ કચે છતે અત્યારે ‘હું તેના દ્વારા ખાલી છું' એમ વિચારી નિરાશ અને. ( ગાથા ૩૫૮) ૧૭ નખ-દાંત-કેશ-રામ ઉતારી શરીરની વિભૂષા કરે. ૧૮ હાથ-પગ ધાવામાં ઘણા પાણીને ઉપયાગ કરે. ૧૯ પાટ—પલંગ ખુરશીના ઉપયાગ કરે. ૨૦ સંથારા-ઉત્તરપટ્ટાં વધારે ઉપકરણ વાપરે. ( ગાથા ૩૫૯) સાધુતાની ન્યાત ૨૧ કાષ્ઠની જેમ આખી રાત ઉંઘે. ૨૨ સ્વાધ્યાય ન કરે. ૨૩ ઉપાશ્રયમાં-અંધકારમાં રજોહરણથી પ્રમાાઁ વિના પ્રવેશ કરે. ૨૪ નિસીહી–આવસહી ન મેલે. Page #135 -------------------------------------------------------------------------- ________________ સંયમમાં શિથિલતા લાવનારી ૧૨૫ બાબતે (ગાથા. ૩૬૦) ૨૫ વિજાતીય-પૃથ્વી બદલાતાં સચિત્ત રજથી ખરડાયેલા પગનું પ્રમાર્જન ન કરે. ૨૬ યુગ–પ્રમાણ ઈર્ચા–સમિતિનું પાલન ન કરે. ૨૭ પૃથ્યાદિનું નિરપેક્ષપણે–નિઃશંક પણે ઉપમદન કરે. (ગાથા. ૩૬૧). ૨૮ ઉપધિનું સંપૂર્ણ પડિલેહણ ન કરે. ૨૯ દિવસે સ્વાધ્યાય ન કરે. ૩૦ રાત્રિએ મેટા અવાજે બેલે. ૩૧ કલહ-પ્રિય હોય. ૩૨ તુછતા-લઘુતાવાળે હાય. ૩૩ ગચ્છના સાધુના ચિત્તને વિક્ષેપકરી ગરછ–ભેદ કરવાં તત્પર હોય. (ગાથા. ૩૬૨) ૩૪ ક્ષેત્રાતીત ભેજનાદિક કરે. કપ કાલાતીત ભજનાદિક કરે. ૩૬ ક્ષેત્રાતીત-કાલાતીત થાય તેવી ગોચરી આદિ કરે. ૩૭ જિનાજ્ઞા-વિરુદ્ધ સૂર્યોદય પૂર્વે આહારાદિ ગ્રહણ કરે. ૩૮ જિનાજ્ઞા-વિરુદ્ધ વસ્ત્રાદિ ગ્રહણ કરે. (ગાથા. ૩૬૩) ૩૯ ખાસ કારણવાળા સ્થાપના કુલના ગૃહ સ્થાપે નહિ. ૪. કારણ વિના સ્થાપના-કુલ–ગૃહમાં પ્રવેશ કરે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સાધુતાની જાત ૪૧ પાર્શ્વ સ્થા સાથે સંગતિ-મૈત્રી રાખે. ૪૨ નિત્ય આધ્યાનમાં રક્ત રહે. ૪૩ સદા દુષ્ટ-ચિત્તવાળો પ્રમાદથી પ્રેક્ષા–પ્રમાજના ન કરે. (ગાથા. ૩૬૪) ૪૪ જલ્દી ધબધબ ચાલે.' ૪પ ભોળાને તિરસ્કાર કરે. ૪૬ રત્નાધિકને તિરસ્કાર કરે. ૪૭ ટીકા–નિંદા કરવાવાળો હોય. ૪૮ પનિંદામાં રસ લેનાર . ૪૯ કર્કશ વચન બોલનાર હોય. ૫૦ વિકથા કરનાર હાય. ૫૧ સ્ત્રીઆદિ-કથામાં તત્પર રહે. (ગાથા. ૩૬૫) પર વિદ્યાઓની સાધનાની ખટપટ કરે. ૫૩ મંત્રની સાધના કરે. ૫૪ વનસ્પતિ, ચૂર્ણ વગેરેના ચમત્કાર કરે. પપ ગૃહસ્થની રેગના પ્રતિકાર રૂપ ચિકિત્સા કરે. ૫૬ ગૃહસ્થની આબાદી અર્થે કામણ-ટુમણ કરે. ૫૭ અક્ષર–તિષ્ય આદિ દ્વારા ગૃહસ્થનું ભાવી જુએ. ૫૮ પૃથ્વી આદિની હિંસા કરી આરંભ-પરિગ્રહવારી બને. (ગાથા. ૩૬૬) ૫૯ કારણ વિના નિપ્રયોજન અવગ્રહ રાખનારે. ૬૦ દિવસે નિદ્રા લે. Page #137 -------------------------------------------------------------------------- ________________ સંયમમાં શિથિલતા લાવનારી ૧૨૫ બાબતે ૧૩૧ ૬૧ સાધ્વીએ લાવેલી ગોચરી વાપરે. દર સ્ત્રીઓના સ્થાનમાં રહે. (ગાથા. ૩૬૭) ૬૩ અનુપગે થંડીલ (અજયણુએ) ત્યાગ કરે. ૬૪ અનુપયોગ માત્રુ (અજયણાએ) ત્યાગ કરે. ૬૫ અનુપયેાગે કફ (અજયણાએ) ત્યાગ કરે. ૬૬ અનુપયોગે મેલ અજયણુએ ત્યાગ કરે. ૬૭ સંથારામાં બેસીને પ્રતિક્રમણ કરે. ૬૮ ઉપધિ પર બેસીને પ્રતિકમણ કરે. ૬૯ કપડું એાઢીને પ્રતિ કરે. (ગાથા. ૩૬૮) ૭૦ પ્રાસુક–પાણીની ગવેષણ ન કરે. ૭૧ વગર કારણે પગમાં મોજાને ઉપયોગ કરે. ૭૨ ચાલુ વરસાદે બહાર ફરે. ૭૩ સુખશીલતાએ રહે. ૭૪ મેજ-શેખના સાધવાળા ક્ષેત્રમાં આસતિપૂર્વક રહે. (ગાથા. ૩૬૯) ૭૫ આસક્તિથી દૂધ-ખાંડ વિગેરેની સંજના કરે. ૭૬ પ્રમાણતિરિક્ત આહાર વાપરે. ૭૭ સારા આહારના વખાણ કરી વાપરે. ૭૮ ખરાબ આહારની નિંદા કરી વાપરે. ૭૯ શરીરના સૌંદર્ય-પુષ્ટિ માટે વાપરે. ૮૦ દંડાસણનો ઉપયોગ ન કરે. Page #138 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની ન્યાત (ગાથા. ૩૭૦) ૮૧ સંવત્સરીને અટ્ટમ, માસીને છઠ્ઠ અને પફખીને ઉપવાસ છતી શક્તિએ ન કરે. ૮૨ માસક૯૫ પૂર્ણ થયે પણ સુખશીલતાથી રહે. (ગાથા. ૩૭૧) ૮૩ હંમેશા એક-ઘરની ગોચરી વાપરે. ૮૪ એકલ-વિહારી બને. ૮૫ ગૃહસ્થને પરિચય અધિક રાખે. ૮૬ નિમિત્ત-શાસ, જતિષ, સંગીત આદિ પાપ-શ્રુત, કે તેમાં રસ ધરાવે અને અભ્યાસ કરે. ૮૭ સંયમાનુષ્ઠાનમાં રક્ત ન રહેતાં લેકના ચિત્તનું રંજન કરવા મહેનત કરે. | (ગાથા. ૩૭૨) ૮૮ ઉત-વિહારી સાધુને તિરસ્કાર કરે. ૮૯ જ્ઞાનાદિ શુદ્ધ-માગને છૂપાવે. ૯૦ સંયમની જયણા ભૂલી સુખશીલતામાં રાચ્ય રહે. ૯૧ સુસાધુને છોડીને દેષયુક્ત ક્ષેત્રમાં રહે. (ગાથા. ૩૭૩) ૨ મોટા અવાજથી સંગીતમાં મગ્ન બને. ૯૩ મુખ વિકૃત કરીને હસે. ૯૪ કામચેષ્ટાવાળા ચેષ્ટા મોકલે. ૯૫ કામ-ચેષ્ટાના વચનેથી બીજાને હસાવે. ૬ ગૃહસ્થને કાર્યની ચિંતા કરે. Page #139 -------------------------------------------------------------------------- ________________ સંયમમાં શિથિલતા લાવનારી ૧૨૫ બાબતો ૧૭૩ ૯૭ શિથિલાચારને વસાદિક આપે. ૯૮ શિથિલાચારીના વસ્ત્રાદિક ગ્રહણ કરે. (ગાથા. ૩૭૪) ૦ આજીવિકા માટે ધર્મકથાઓ ભણે. ૧૦૦ ઘેર ઘેર વાતેના ગપાટા મારતે ફરે. ૧૦૧ ગણના-પ્રમાણથી અધિક ઉપકરણ રાખે. (ગાથા. ૩૭૫) ૧૦૨ લઘુનીતિના, વડીનીતિના તથા કાળગ્રહણતા માંડલા બરાબર ન કરે. (ગાથા. ૩૭૬) ૧૦૩ આગમ-જ્ઞાતા ગીતાર્થને ત્યાગ કરીને જાય. ૧૦૪ મોક્ષાભિલાષી ગીતાર્થને છોડીને જાય. ૧૦૫ પોતાના ગુરુભગવંત-આચાર્યને છેડીને જાય. ૧૦૬ ગુરુભગવંતને અણપૂછે બીજાને વસ્ત્રાદિ આપે ૧૦૭ ગુરુ-ભગવંતને અણપૂછે બીજા પાસેથી વસ્ત્રાદિ ગ્રહણ કરે. (ગાથા. ૩૭૭) ૧૦૮ ગુરુ સંબંધી શિયા-સંથારો ગુરુએ ભેગવ્યા પછી પોતે ભેગવે “ગુરુ-ઉપાધિ વંદનીય છે” એ વાત ભૂલી જાય. ૧૦૯ ગુરુ બેલાચ્ચેથી કેમ –શું? શબ્દનો પ્રયાગ કરે. ૧૧૦ ગુરુને ટુકારાથી બોલાવે. ૧૧૧ ગુરુને અવિનય કરે. ૧૧૨ મેટાઈનું અભિમાન કરે. ૧૧૩ વિષયાદિમાં આસક્ત બને, Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સાધુતાની ચૈત (ગાથા. ૩૭૮) ૧૧૪ ગુરુ-તપસ્વી-ખાલ-ગ્લાન—ગચ્છનુ કા પૂછે નહિ અને કરે નહિ. ૧૧૫ આચાર–રહિત માત્ર વેષથી આજીવિકા ચલાવે. (ગાથા. ૩૭૯) ૧૧૬ આગમાક્ત રીતે માગ, ગમન, વસતિ, આહાર, સ્વપન, સ્થ’ડીલ, પરિષ્ઠાપન આદિની વિધિને જાણવા છતાં પણ ચેાગ્ય. ન આચરે. ૧૧૭ અથવા વિધિની જાણકારી ન મેળવે. ૧૧૮ સાધ્વીની સામાચારી જાણવા છતાં પણ ન આચારે અથવા જાણે નહિ. (ગાથા. ૩૮૦) ૧૧૯ ગુર્વાના વિના સ્વચ્છંદ-ગમનાદિ પ્રવૃત્તિ કરે. ૧૨૦ સ્વમુદ્ધિ-કલ્પનાએ આચરણ કરતા ક્રે. ૧૨૧ શ્રમણની જ્ઞાનાદિ-પ્રવૃત્તિને છેડી લેાકેાની અન્ય પ્રવૃત્તિ કરે. ૧૨૨ ઘણાં જીવાના આરંભ કરતા ફરે. (ગાથા. ૩૮૧) ૧૨૩ અતિ અભિમાનમાં રખડ્યા કરે. ૧૨૪ જ્ઞાન રહિત છતાં શરીરથી પણુ અક્કડ રહે. ૧૨૫ સ્વ-તુલ્ય જગતને ન દેખે, ન્યૂન માને. Page #141 -------------------------------------------------------------------------- ________________ સંયમી-જીવનના વિકાસ માટે અમલમાં મુકવા જેવી ૫૧ બાબતો. ૧ ઉઘાડે મુખે બોલવું નહિ. ૨ ઠઠ્ઠા મશ્કરી ફોગટની વાતે છાપા વિ. ને ત્યાગ. ૩ રોજ ત્રણ બાંધી માળા ગણવી. ઉનાળામાં ૩૦૦, શિયાળામાં ૧૦૦૦, ચોમાસામાં ૫૦૦ સ્વાધ્યાય કરે - માર્ગમાં કઈ સ્વાધ્યાય ન થાય. ૪ દહેરાસરમાં મુદ્રા સાચવવા પૂર્વક ચૈત્યવદન કરવું. ૫ પડિલેહણમાં બોલવું નહિ. ૬ નમુક્કારસી પહેલાં ગેચરી ન જવું. ૭ ૧૨ તિથિ કાપ ન કાઢો. ૮ ૧૨ તિથિ લીલોતરી ન વાપરવી. ૯ મોટી માંદગી સિવાય ફ્રુટ ન વાપરવું. ૧૦ હાથ, પગ દેવા, ટાપટીપ રાખવી એ સાધુપણું ડાળનાર છે, માટે ન કરાય. ૧૧ દેષિત ગેચરી ન વાપરવી. ૧૨ પાણીની ગષણ બરાબર કરવી. ૧૩ સ્તવમાં દેશી રાગને ઉપયોગ મર્યાદાસર કરો. ૧૪ નાટકીયા ઢબે મહત્પાદક પદ્ધતિ સ્તવનાદિમાં ન આદરવી. ૧૫ સંગીત ચારિત્ર–મેહની ઉદીરણ કરનાર છે. ૧૬ કાય દ્વારા સ્વચ્છતા-ચેખલીયા વૃત્તિ સાધુ જીવનમાં મહાષણ લગાડનારી છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સાધુતાની ન્યાત ૧૭ સે।ડા–સાબુનું પાણી ક્ષાર વાળુ હાય તેને પરવવા ખૂબ કાબુ રાખવા. ૧૮ સાડાથી ચાલતું હાય તા સાબુ વપરાય તેા પ્રાયશ્ચિત્ત આવે. ૧૯ સાબુ સિવાય ટીનેૉલ-સર્ફ વિ. પાવડરાના ઉપયેગ સર્વથા વર્જ્ય છે. ૨૦ આંધેલા વાડામાં લે ન જવું. ૨૧ પાટકુ આંધીને કાંય સામાન ન રાખવા. ૨૨ સાધુને વેશ સામાચારીને ચેાગ્ય હેાવે ઘટે. ૨૩ પ્રતિક્રમણના સૂત્રેા અર્થના ઉપયાગ સાથે સંહિતા પ્રમાણે નાખવા. ૨૪ સાધુએ ગાચરી પાણી કે સ્થંડિલ ભૂમિ કે દેરાસર એકલા ન જવું. ૨૫ દશવૈકાલિક સૂત્ર સક્ષેપથી પણ જ્ઞાની–ગુરુ પાસે ધારવું સયમ-શુદ્ધિ માટે જરૂરી છે. ૨૬ આખુ ન ધરાય તેા અધ્ય. ૬-૮-૧૦ બીજી ચૂલિકા દર મહીને દીક્ષા-દિને ધારવા. ૨૭ દિવસે સૂવું નહિ. ૨૮ શાખીન ચીજો અથાણું, ચેવડા, દહીંવડા, વિ. વાપરવા સાધુને ઉચિત નથી. ૨૯ વિગઇએ ઔષધની જેમ વાપરવી ખારાકની જેમ નહિ. ૩૦ દૂધ, ગળપણ, ઘી,ત્રણમાંથી એક વિગઇના ત્યાગ જરૂર રાખવા ૩૧ તેલ–કડા૦ દહીં એમાંથી એ વિગઇના જરૂર ત્યાગ કરવા ૩૨ આધા શરીરથી અળગેા ન રાખવા. Page #143 -------------------------------------------------------------------------- ________________ સંયમી-જીવનના વિકાસ માટે ૫૧ બાબતે ૧૩૭. ૩૩ માગું પરઠવવા સિવાય કામળી, દાંડા, વગર ઉપાશ્રયના અવગ્રહ બહાર ન જવું. ૩૪. સાધુ-સાધ્વીને લાઈટ કે તેની પ્રજામાં લખવું કે વાંચવું ઉચિત નથી. ૩૫ સ્થાપનાચાર્યના બહુમાનાથે સ્વ-આસન છેડી સર્વ ક્રિયા તેની પાસે જઈ કરવા આગ્રહ રાખવો. ૩૬ છતી શક્તિએ કોઈપણ નાની–મેટી ક્રિયા બેઠા બેઠા ન કરવી. ૩૭ દેરાસરમાં ખમાસમણા, અને મુખ્ય ગુરુને વંદન ૧૭ સંડાસા પૂર્વક દેવાનો પ્રયત્ન કરે. ૩૮ હંમેશા ૫૦૦ સ્વાધ્યાય ઓછામાં ઓછો કરવો જરૂરી છે. ૩૯ શ્રાવકના ઘરે કદાપિ વાત કરવા ઉભા ન રહેવું. ૪૦ સંયમની શુદ્ધિ માટે પકૂખીના દિવસે આલોચના આવવી ખાસ જરૂરી છે. ૪૧ વૃદ્ધ-લાન સિવાય દરેક સાધુ-સાધ્વીએ ૧૨ તિથિઓ નવકારશી ન કરવાનો પૂરો આગ્રહ રાખે. ૪૨ રોજ ઓછામાં ઓછું બે ઘડી પહેલા પાણું ચૂકાવવું. ૪૩ ખાસ કારણ સિવાય કદાપિ એકલા પ્રતિક્રમણ ન કરવું. ૪૪ કાંબળના કાળમાં અને કાંબળીન કાળની બાદ મુકામ પર આવ્યા પછી બે ઘડી સુધી ઘડીવાળવી નહિ. ૪૫ ઠલ્લાની તપણમાં વધેલું પાણી પાછું ન લાવવું અને તરપણું લાવીને લુંછી નાંખવાનો ઉપયોગ રાખવે. ૪૬ આગાઢ કારણ સિવાય હંમેશા જ્ઞાનને તથા પાંચ મહાવ્રતને પાંચ લેગસ્સને કર્મક્ષય નિમિત્ત ૯ લોગસ્સને નવપદ અને શ્રી નવકારને ૯ લોગસ્સનો કાઉસગ્ન અવશ્ય કરો. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સાધુતાની જીત ૪૭ નિદ્રા સિવાય હંમેશા ઓછામાં ઓછું બે કલાક મૌન રાખવાની ટેવ પાડવી. ૪૮ ઘડા, પાતરા, વિગેરે ખુલ્લા ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ૪૯ ચાલુ ક્રિયામાં ત્રણ ડગલાંથી અધિક ઠંડાસણથી જ ચાલવાને ઉપગ રાખો. ૫૦ યાત્રાથે સાધુ-સાધવીઓએ અભિગ્રહ રાખે તે ઉચિત નથી ૫૧ સાધુ જીવનમાં હંમેશા માટે આગમિક વાંચનને ઉપયોગ સૂત્રના વાંચન કંઠસ્થ માટે અભિગ્રહ રાખવો જરૂરી છે. ઉપરની બાબતેનું સંકલન નીચેના ગ્રંથમાંથી કરવા પ્રયત્ન કર્યો છે. ૧ શ્રી આવશ્યક સૂત્ર ૧ શ્રી પંચવસ્તુ ૨ શ્રી દશવૈકાલિકસૂત્ર ૨ શ્રી ધર્મસંગ્રહ ૩ શ્રી ઘનિર્યુક્તિ ૩ શ્રી લલિતવિસ્તરા ૪ શ્રી પિડનિયુક્તિ ૪ શ્રી ચૈત્યવંદનભાવ ૫ શ્રી આચારગ શૂર્ણિ , ૫ શ્રી પચ્ચકખાણ ભાષ્ય ૬ આવશ્યક ચૂર્ણિ, ૭ બૃહત્ કલ્પસૂત્ર, ૮ શ્રી વ્યવહાર સૂત્ર, ૯ શ્રી જીત,૯૫, ૧૦ શ્રી મહાનિશીથ સૂત્ર. જ્ઞાની-સદ્દગુરુના ચરણોમાં બેસી યથાશક્ય ઉપયોગની જગતિ રાખી સંયમ-શુદ્ધિ માટે ઉપરની બાબતેને અમલી બનાવવા પ્રયત્ન કરવાની જરૂર છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માના શાસનની આજ્ઞાને વફાદાર રહેવા માટે સંચમી-આત્માએ માટે જરૂરી હિતકર સૂચના (જિનશાસનના આરાધક આત્માર્થી એક સયમી મહા સુતિની અતરંગ ખાસ સ્વાધ્યાય-પેાથીમાંથી મુમુક્ષુઓના હિતાર્થે આ ખાખતા રજુ કરી છે. ) —સંપાદક ૧ આગમિક સ્વાધ્યાય કરવા-કરાવવા વૃત્તિને કેન્દ્રિત કરવાનું નિર્ધારું છું. આચ્છવ-મહેાચ્છવની પ્રવૃત્તિ ગૌણુ રાખી લેાકેામાં ધર્મ પ્રેમ-ધર્મક્રિયા સાથે આજ્ઞાનું બહુમાન અને ગીતા-પુરુષાની પર પરાને અનુસરતી ઈચ્છા – પૂર્વક સયમી તરીકેના જીવનના આગ્રહ વધુ રાખવા. ૨ શુદ્ધ શાસ્ત્રીય સચમ-જીવન કાયમી જયણાવાળુ, આરભ સમાર ભના કરાવણુ આદિ દોષ રહિત જીવવા માટે સતત ઉપયેગ રાખવા. સાથેના સાધુએ સંચમી મર્યાદાશીલ અને અજયણા-અસદારંભની શૂન્યતાવાળા અને તેવી વિશિષ્ટ જીવનચર્યાવાળા અને તેના સતત ઉપયાગ રાખવા ૩ દરેક સાધુને દશવૈકાલિક એઘનિયુક્તિ, ધમ સ ંગ્રહ ભાગ ૨, યતિદિનચર્યા, પાઁચવસ્તુ, ઉત્તરાધ્યયન (અમુકઅધ્યયના), મુક્તિના પથે' ને ચારિત્ર વિભાગ આટલુ ચેાક્કસપણે વંચાવી દેવું. 46 ૪ ગેાચરીની અનેષણા સંબંધી ખૂબ જ ઉપયાગ રાખવા. પ કારણ વિના કે નજીવા કારણે આધાકમ–નિત્યપિંડ કે Page #146 -------------------------------------------------------------------------- ________________ 9XO સાધુતાની ન્યાત ભક્તપિંડ, ઓળખાણ પિંડ, સદંતર ગ્રહણ ન કરવા આ અંગે સાધુઓને સજાગ રાખવા. સાધુઓને રોજ બપોરે ૨ થી ૩ એક કલાક વાંચના જરૂર આપવી. ૭ પ્રશમરતિ, અધ્યાત્મકલપકુમ, વૈરાગ્યશતક-જ્ઞાનસાર, શાંત-સુધારસ અધ્યાત્મસાર, અધ્યાત્મપનિષદુ, આદિ વિરાગ્ય-પોષક ગ્રંથનું વાંચન સાધુઓને જરૂર કરાવવું. ૮ પાંચ તિથિએ આયંબિલથી ઓછું પચ્ચક્ખાણ તથા બાકીની તિથિએ એકાસણાથી ઓછું પચ્ચક્ખાણ તથા અન્ય દિવસમાં બેયાસણાથી ઓછું પચ્ચકખાણ ઉચિત નથી, પર્વાધિરાજ આદિ વિશિષ્ટ દિવસેએ નવકારશીને ત્યાગ ઉચિત છે. ૯ વિગઈઓને અનલ–અમર્યાદિત ઉપયોગ તથા રસોડું ટેળી-જનશાળા-આદિને આહાર સંયમ ટકાવવા માટે ખૂબ જ ખતરનાક છે અને આયંબિલ ખાતાનું પાણું સંયમને દૂષિત કરે છે. ૧૦ વ્યાખ્યાન સિવાય સાધ્વીએ કે શ્રાવિકા ઉપાશ્રયમાં સદંતર ન આવે તે આજે સાધુઓ માટે ચારિત્ર-શુદ્ધિ અંગે ખાસ જરૂરી છે. ૧૧ બહારગામથી વંદનાર્થે આવેલ શ્રાવકે સાથે વાત કરવા અન્ય સાધુને પડખે રાખી વ્યાખ્યાન પછીના એક કલાકમાં મળવું. ૧૨ ગ્રહણ શિક્ષા-આસેવનશિક્ષા અને સામાચારીનું પાલન આ ત્રણ બાબતે આજના સાધુ-જીવનમાં ખૂબ જ અત્યંત અગત્યની જરૂરી છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સંયમી આત્માઓ માટે જરૂરી હિતકર સૂચને ૧૪૧ ૧૩ એગ્ય સંયમી-જીવનના ઘડતર વિના વૈરાગ્ય વૃત્તિને ટકાવવા-વધારવાના પ્રયત્ન વિના દેખાતી દીક્ષા શાસનની દષ્ટિએ સ્વ–પર અહિતકારી નિવડે એ અનુભવી. એને નિચોડ છે. ૧૪ રહેણી-કરણી, સેબત, દ, ઉપકરણે, પ્રદૂષક તો આદિથી ચોમેર ઝેરી વાતાવરણ ફેલાઈ રહ્યું છે, જેમાં વિશિષ્ટ વયસંપન્ન વ્યક્તિને પણ બ્રહ્મચર્ય નભાવવું મુકેલ થઈ રહ્યું છે તેમાં નાના બાળકોના બ્રહ્મચર્યની સુરક્ષા ખૂબ જ ભયપૂર્ણ છે. આજે ભૌતિકવાદનો જબર ઝપાટો આખા વિશ્વ પર છે. તેમાંય હોય તેનું જાય એ ન્યાયે ભારતીય–સંસ્કૃતિને મૂળમાં ઘા થાય તેવી ફૂટ નીતિથી આજે આહાર-વિહાર મકાને–શહેરના બાંધકામે-પહેરવેશ દિનચર્યા જીવનચર્યા આદિમાં ભૌતિકવાદ જમ્બર રીતે પગપેસારો કરી રહેલ છે. ૧૬ ધર્મસ્થાનકે પણ તેના અડ્ડા બની રહ્યા છે. સાધુ સંસ્થા પણ તેને શિકાર બની રહી છે. શાસ્ત્રીય મર્યાદા સુવિહિત પુરુષની આચરણ-સામાચારી જેવી ચીજ આજે ભૌતિકવાદી માનસના કારણે ઉપહાસ પાત્ર અને વેદિયા વેડાની ચીજ બની રહી છે. ૧૭ સાધુ-સાધ્વીના જીવનમાં ઉપકરણે અને તેની રીતભાતમાં ભૌતિકવાદે જમ્બર વર્ચસ્વ જમાવ્યું છે, પ્લાસ્ટિકસનમાઈકા-તૈયાર રંગના ડબ્બા, સાંધવાની સેલ્યુશનની ટયુબ આદિ ખતરનાક ભયંકર ચીજો આજે રાજમાર્ગ રૂપે ધરખમ રૂપે વપરાઈ રહી છે. હિત પુરાકાર બની બની રહ્યા છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ સચમાપયેાગી સાનેરી સુચના ૧ સથારામાં અધિકાપગરણ વાપરવું નહિ. ૨ નિદ્રા-પ્રમાદ પ્રહરથી વધુ સેવવા નહિ. ૩ પ્રમાજનાના સતત ઉપયાગ રાખવેા. ૪ પરિક્ષાપના ભૂમિએ માત્રુ વિધિપૂર્વક પરહેવું. ૫ ઇરિયાવહી–કુસુમિણ –કાઉસ્સગ્ગ વ્યવસ્થિત કરવા. ૬ પ્રતિક્રમણ-સૂત્ર પદ્ધતિસર ખેલવા. .૭ પ્રતિક્રમણમાં સ્થાને સ્થાને આસન, વસ્ત્ર આદિની મર્યાદા સાચવવી. ૮ પ્રતિક્રમણમાં બેલવું નહિ. ૯ પ્રતિક્રમણ ઉચિત સમયે કરવું, ૧૦ પ્રતિક્રમણ મંદ સ્વરે કરવું. ૧૧ પડિલેહણ વ્યવસ્થિત કરવું. ૧૨ પડિલેહણમાં ખેલવું નહિ. ૧૩ મુહપત્તિના સતત ઉપયાગ રાખવે. ૧૪ શરીરના સયમ જાળવવેા. ૧૫ સમયસર પ્રતિલેખના-પારસી ભણાવવી. ૧૬ ઉપધિ મર્યાદાસર રાખવી. ૧૭ પાત્ર-પ્રતિલેખના વ્યવસ્થિત કરવી. ૧૮ સચમાપકરણાનુ' બહુમાન જાળવવુ, ૧૯ ગાચરી-માંડળીની જયણા સાચવવી. Page #149 -------------------------------------------------------------------------- ________________ સંયમપયોગી સોનેરી સૂચને ૨. પાણીના ઘડા પાડ્યાં–તરપણી વગેરે ઉઘાડા ન રાખવા. ૨૧ વાપરતાં એંઠા માંટે ન બેસવું. ૨૨ વાપરતાં પગ ઉભો રાખ નહિ. ૨૩ વાપરતાં ડાબે હાથ બગાડ નહિ. ૨૪ દાણા વેરવા, છાંટા પાડવા આદિ અજયણા ન કરવી. ૨૫ ચબ ચબ આદિ અવાજ ન થવા દે. ૨૬ કોઈ ચીજ વડીલને છંદના કર્યા વિના વાપરવી નહિ, ૨૭ કઈ ચીજ નાનાને નિમંત્રણ કર્યા વિના વાપરવી નહિ. ૨૮ દહેરાસરમાં દશ-ત્રિકનું યથાસંભવ પાલન કરવું. ૨૯ દહેરાસરમાં ઉપયોગ પૂર્વક મુદ્રાઓ સાચવવી. ૩૦ દહેરાસરમાં ચૈત્યવંદનના સૂત્રો, સ્તવન, સ્તુતિ વિગેરે પદ્ધ તિસર બાલવા. ૩૧ દહેરાસરમાં થોડીકવાર અંતનિરીક્ષણ કરવું. ૩ર દહેરાસરમાં ડીવાર આત્મચિંતન કરવું. ૩૩ ભૂલને સ્વીકાર કરવો. ૪૪ ક્રોધની ક્ષમાપના કરવી. ૪૫ ગોચરીના દેષ સંબંધી જયણ રાખવી. ૪૬ આધક–શિક-નિત્યપિંઠ-સંસ્તવપિંડ આદિ મહત્વનો કેઈ દેષ લગાડવો નહિ. ૪૭ –મુહપત્તી શરીરથી અળગા રાખવા. ૪૮ એથે-મુહપત્તિ ચાલપટ્ટો ઉલ્લંઘચ્યા. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સાધુતાની ન્યાત ૩૯ લૂણાં—ગરણાં-કાલા-કાલી-પાકલુ છાણુ` કે દંડાસણ વગેરે ઠેબે ન ચઢાવવાં. ૪૦ અપેારે નિદ્રા ન લેવી. ૪૧ માંડલીનુ કાર્ય પેાતાને ફાળે આવેલું બરાબર સમયસર કરવું ૪ર વડીલનું વચન ન ઉત્થાપવુ. ૪૩. વડીલના પ્રત્યે બેદરકાર ન થવું. ૪૪ ધાતુના વાસણાના ઉપયાગ ન કરવા. ૪૫ કાળના સમયે આગાઢ કારણ સિવાય બહાર ન નીકળવુ. ૪૬ કાળના સમયે બહાર લઈ ગયેલ વસ્ર-પાત્રની જયણા સાચવવી. ૪૭ કાળના સમયે એઢેલ કાંમળીને જયણા પૂર્ણાંક રાખવી. ૪૮ રાજ ત્રણથી વધારે વિગઇ ન વાપરવી. ૪૯ દુધ, ઘી, ગળપણમાંથી એકને ત્યાગ કરવા. ૫૦ લૂણાં, સ્થ‘ડિલભૂમિની, તરપણીની વ્યવસ્થા જાળવવી. ૫૧ મુહપત્તિની અવહેલના ચુંથણી ન કરવી. પર આઘાનું બહુમાન જાળવવું. ૫૩ જ્ઞાન-ધ્યાનની પ્રવૃત્તિમાં પ્રેરણા મેળવવા પૂજ્ય ગુરુદેવ પાસે જવુ. ૫૪ સયમની મર્યાદાએની ઉચિત પરિપાલના કરવા માટે જયણા રાખવી. આરાધક ભાવ એટલે જીવન-શક્તિને આરાધ્યતત્વાના ચરણામાં જાત સમર્પિત કરવી. * આરાધક-ભાવને! વિકાસ થાય એટલે અહંભાવ અને સ્વછંદતા જાય અને આરાધનામાં આજસ આવે !!! Page #151 -------------------------------------------------------------------------- ________________ કાપ સંહિતા. સાધુ-જીવનમાં જરૂર પડે ત્યારે કપડાં ઘવાની વ્યાવહારિકપ્રવૃત્તિમાં પણ જિનશાસનની જયણ-મર્યાદાઓની ટુંકમાં રૂપરેખા વૃહ તુરુ પાસેથી મેળવીને અહીં આપી છે. ૧ સામાન્ય. જલદી કાપ કાઢવો નહીં, ઓછામાં ઓછા - ૧૫ દિવસે કાપ વ્યાજબી ગણાય. ૨ કાપ કાઢવાની શરૂઆત કરતાં પહેલા બધા કપડાનું દૃષ્ટિ-પ્રતિલેખન કરી લેવું જોઈએ. ૩ તે જગ્યા ઉપર કાજે લેવો જોઈએ. ૪ ડાલ, પરાત, તપેલું વગેરે તમામ ઉપયોગમાં લેવાની વસ્તુઓનું કાળજીપૂર્વક પ્રમાર્જન કરવું જોઈએ. ૫ તે જગા ઉપર ચૂને કે રાખ લાવીને રાખવી એઈએ; જેથી કદાચ માખી વગેરે એકાએક પડી જાય તો તેની આજુબાજુ તે વસ્તુ પાથરીને તેને બચાવી શકાય. ૬ કાપ એવો ન કાઢ જેથી “વિભૂષાની વૃત્તિને પિષણ મળે. ૭ વડીલેની વસ્તુ કાપમાં લીધી હોય તે તેને પ્રથમ લેવી. ૮ દોરી પહેલેથી બાંધવી અને સંધ્યા થતાં પહેલા અચૂક ' છેડી લેવી. ૯ પવનથી કપડાં એકદમ ઊડતાં રહે તે રીતે ન સૂકવવા, વસ્ત્ર તડકે ન સૂકવવાં. (“'ની વિરાધનાની તેમાં શક્યતા છે.) Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સાધુતાની જ્યોત ૧૦ દર ૪૮ મિનિટ પૂર્વે જમીન ઉપર બધે પિતું ફેરવી દેવું અન્યથા તે મેલા પાણીમાં સંમૂચ્છિમ જીવો ઉત્પન્ન થાય. ૧૧ બને તે એક જ બેઠકે કાપ પૂરે કાઢવો. ૧૨ કાપ કાઢતાં મૌન રહેવું અને કાપમાં જ ઉપયોગ રાખ. ૧૩ કાપના ચાલુ પાણીના હાથથી બાજુ ઉપર મૂકેલું * ચેખું પાણી ન લેવું. જે હાથ તે પાણીને અડી જાય તે તે પાણીને પણ બે ઘડી પૂર્વે વાપરી નાંખવું પડે. ૧૪ વધુ ફીણ બનાવવું નહિ. કદાચ મેલા પાણીની ડેલમાં ફિણ વધી પડે તો તે ડોલ પરઠવતા પૂર્વે ફીણ ઉપર થડક ચૂને ભભરાવી દેવો. ૧૫ પાણી લાવવાને ઘડો ખૂબ દૂર રાખવો, જેથી તેની ઉપર ચાલુ કાપના પાણીના છાંટા ન પડે. ૧૬ પાણી ખૂબ જ કરકસરથી વાપરો, પણ તે સાથે સાબુ વાળાં કપડાં રહી ન જાય તેની કાળજી પણ રાખો. ૧૭ પરાતે પછડાવી વગેરે અવાજ બનતા સુધી થવા ન દે. ૧૮ તમામ વાસણે ઢાંકેલા જ રાખવા. ખુલ્લાં રહે તે ફીણ વગેરેમાં માખી પડશે. ૧૯ ચૂનાના વધેલા પાણીથી કાપ કાઢવામાં અરુચિ ન દાખવો. તે જ દિવસના ગરમ પાણીમાં જ કાપ કાઢવાને નિષ્કારણ આગ્રહ ઉચિત ન ગણાય. ૨૦ જમીન લૂછતી વખતે જીવ-વિરાધના ન થઈ જાય, તેની ભારે કાળજી રાખો, Page #153 -------------------------------------------------------------------------- ________________ કાપ–સંહિતા ૧૪૭ ૨૧ નજીકની મારી વગેરેમાં પાણી વહ્યું ન જાય, તે માટે પરાતમાંથી પાણુ ઉછળવા ન દે અને વારંવાર જમીન લૂછવાની કાળજી કરો. ૨૨ વડીલોને કપડા સૂકવવા ન આપે; કે કા૫ અંગેનું કઈ પણ કામ ન સોંપો. ૨૩ કાપ કાઢી લીધા પછી ડોલ, પરાત વગેરે તમામ લુછીને મૂકે નહિ તે તેને નીતરતાં જે ત્યાં ટપકારૂપે પાણી પડશે તે બે ઘડીમાં ન સુકાય તે તેમાં જોત્પત્તિની શકયતા રહે. ૨૪ પરાને સાબુ વગેરેથી સાફ પેઈને મૂકવી, જેથી પાણી ઠારવાના ઉપગમાં પણ લઈ શકાય. ૨૫ લૂછણિયું બે ઘડીમાં સુકાઈ જ જાય તે રીતે સૂકવવા મૂકી દેવું. , ૨૬ કાપ કાઢ્યા બાદ તરત તેની નેધ પ્રાયશ્ચિત્તની ડાયરીમાં કરી લેવી. વડીલ વગેરેને કાપ કાઢયે હોય તે પણ કાપ કાઢનારે-લાભ-લેનારે રીતે તે નોંધ કરવી. " ૨૭ કાપ કાઢવાને શાસ્ત્રીય કાળ તે સામાન્યતઃ વર્ષાઋતુ બેસતાં પૂર્વે–એક જ વારને છે; પણ હાલ તે નિયમ ન પાળી શકાય તે છેવટે શક્ય અને ઉચિત તેટલા વધુ અંતરે અને વિભૂષાવૃત્તિ વિના કાપ કાઢો એટલું તે નકકી જ રાખવું. Page #154 -------------------------------------------------------------------------- ________________ જીના-ગ્રંથના આધારે સાધુની અવશ્ય કરણી ( પંદર મેલ ) ૧ પડિક્કમણું ન કરે તેા ઉઠામણું. ૨ બેઠાં પડિક્કમણુક કરે તેા ઉપવાસ. ૩ કાળવેળાએ પડિક્કમણું ન કરે તેા ચેાથભક્ત, ૪ સંથારા ઉપર પડિક્કમણું કરે તેા ઉપવાસ. માંડલે પડિમણુ ન કરે તેા ઉઠામણુ. ૬ કુશીલીયાને પડિક્સમે તેા ઉપવાસ. ૫ ૭ સંધને ખમાવ્યા વિના પડિમે તેા ઉઠામણુ. ૮ પારસી ભણાવ્યા વિના સૂએ તેા ઉપવાસ. ૯ દિવસે સૂએ તેા ઉપવાસ. ૧૦ વસ્તિ અણુપવેએ આદેશ માંગ્યા વિના સ્વાધ્યાય કરે તા ચેાથભક્ત. ૧૧ અવિધિએ પડિલેહણ કરે તે ઉપવાસ. ૧૨ નિત્ય પડિલેહણ ન કરે તે ઉપવાસ. ૧૩ અણુપડિલેહ્વા વસ્ત્ર વાપરે તેા ઉપવાસ.. ૧૪ કાજે અણુઉદ્ધવે પડિક્કમણુ કરે તેા ઉઠામણુ. ૧૫ ઇરિયાવહી આવ્યે છતે પડિક્કમ્યા વિના એસે તા ચેાથભક્ત. ઉપરના ૧૫ ખેલ શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યા છે. તા. કે. ઉઠમણુ શબ્દની પ્રાયશ્ચિત્તના ગ્રંથામાં પરિભાષા પ્રાય: નથી, સમજવા ખાતર મળેલું વૃદ્ધ-પુરુષાએ નિર્દેશેલ માંડલી–બહાર કરવાની મર્યાદાને જણાવનાર ઉત્થાપન શબ્દનું રૂપાંતર રુપ આ શબ્દ દેખાય છે. વિશેષ જ્ઞાની—ગુરુભગવંતા જે કહે તે ખરૂ | Page #155 -------------------------------------------------------------------------- ________________ સંયમપાગી જરૂરી મહત્વની હિતશિક્ષાઓ પ્રતિક્રમણ * પાપની આલોચનારૂપ આ ક્રિયામાં પૂર્ણ ઉપયોગ જાળવવો જરૂરી છે. તેનાથી મોહનીય કમ મંદ પડે છે, માટે પ્રતિક્રમણના સૂત્રે શુદ્ધ–સંહિતાની જાળવણું સાથે સ્પષ્ટપણે બોલવા. તેમાં જ્યાં જ્યાં જે જે મુદ્રા છે, તેને ઉપગ બરાબર રાખવે. * એ નાભિથી ઉપરના ભાગે અડવું ન જોઈએ તેનું પૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. એશે મુહપત્તિ ચાલુ કિયામાં શરીરને અડકીને જ રાખવાં. શરીરથી સહેજ પણ અળગા પડે તે તુર્ત ઈરિયાવહી કરવા. ઉજેહીની જયણ પૂર્ણપણે સાચવવી, કાંબલ આદિના ઉપગ માટે બેદરકારી ન રાખવી. * કાઉસગમાં જિનમુદ્રા ચિ-યવંદન-શુલ્લુણું, સ્તવનાદિમાં ગમુદ્રા જાવંતિ, જાવંત કવિ. જયવીયરાય માં મુક્તા થતિમુદ્રા, Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સાધુતાની જ્યોત સક્ઝાયમાં ઉત્કટિકાસન, છ આવશ્યકમાં યથાજાતમુદ્રા, શ્રમણ-સૂત્ર બોલતાં વીરાસન અથવા તેની મુદ્રા “fમ મંતે સાચરિચ-વાપ'માં અંજલિ મુદ્રાને તે ઉપગ રાખ. * પ્રતિક્રમણમાં પણ બીજાથી બોલાતા સૂત્રો મનમાં ધારવા અવ્યક્ત પણે બોલવા. « પ્રતિક્રમણમાં સૂત્રે બોલતી વખતે મુહપત્તિને ઉપયોગ બરાબર જાળવ. * ખમાસમણાની ૧૭ પ્રમાના, વાંદણાના ૨૫ આવશ્યક જાળવવા ઉપગ રાખો. - પદ્ય રૂપ સૂત્રો તે તે ગાથા આદિ છંદની પદ્ધતિથી બોલવા અને ગદ્યરૂપ સૂત્રો સંહિતાની પદ્ધતિથી બેલવાં. & એ ચરવળાની જેમ છેડા ભાગથી ન પકડવે, અર્થાત દેરીના ઉપરના ભાગે ન પકડ, પણ વચલી દેરી અને નીચલી દેરીના વચ્ચે પકડ, અને મુહપત્તિ અંગુઠાની આગળના ભાગે એવા સાથે પકડવી. * પ્રતિક્રમણમાં આવતા દરેક આદેશ માગવા ઉપગ રાખ. * તે–તે બોલાતા સૂત્રે યથાશક્ય ઉપયોગની જાગૃતિ સાથે શુદ્ધ ઉચ્ચાર–સંહિતાની જાળવણુ મુદ્રાની મર્યાદા આદિ સાથે બેલવાં. જ પ્રતિક્રમણમાં સંપૂર્ણ મૌન જાળવવું, તેમાં પણ છે આવ શ્યકમાં તો ખાસ. Page #157 -------------------------------------------------------------------------- ________________ મહતવની હિતશિક્ષાઓ - પ્રતિક્રમણમાં સ્થાપનાચાર્યની વિનય-મર્યાદા બાબર જાળવવી. એક પ્રતિકમણમાં સ્થાપનાચાર્ય હાલી ન જાય. કેાઇની આડ ન પડે તેને પૂર્ણ ઉપગ રાખ. . છ આવશ્યકમાં વિશેષ કરીને ધ્યાન રાખવું. સહસા કદાચ થઈ જાય તે ઈરિયાવહિયા પડિક્કમવા. * રાઈ પ્રતિક્રમણમાં મંદ-સ્વરે અત્યંત ધીમા-શાંત સ્વરે સૂત્રે બેલવાં. * સકલતીર્થ કે તપચિતવણી કાઉસ્સગ વખતે હે ઝાંખથયું અજવાળું થાય તેનું ધ્યાન રાખવું. પડિલેહણ પડિલેહણ કરતાં પહેલાં આપણી તમામ ઉપધિ એકત્રિત કરી લેવી. * ચાલુ પડિલેહણમાં જરાક પણ આઘાપાછા થવું નહિ, થવું પડે તે જવાને ખૂબ જ ઉપયોગ રાખો. ત્રણ ડગલાથી વધુ જવાના અવસરે દંડાસણથી પૂજવાની જયશું કરવી. પડિલેહણ કરાતી દરેક ચીજને લેતાં-મૂકતાં દષ્ટિ પડિ. - લેહણ અને ઘા-દંડાસણ કે મુહપત્તીથી પ્રમાવાને ઉપગ રાખવે. છે અત્યંત નાની ચીજ અથવા પવિત્ર સંયમ કે જ્ઞાનના ઉપકરણે તથા દેરા-દોરી-દાંડી, ઘાને પાટે, પિથીની પટ્ટી વગેરેને મુહપત્તીથી પ્રમાર્જિવા, Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સાધુતાની જાત * આસન કે સંથારીયું પાથરવાની ભૂમિ. વીટિયા. બધેલ - પિટકી કે પોથી, પાટ–પાટલા, દાંડ, દંડાસણ આદિની પ્રમાજના એવાથી કરવી. * સ્વાધ્યાય-ભૂમિ, પ્રતિક્રમણ-ભૂમિ, પડિલેહણ-ભૂમિ સંસ્તારક-ભૂમિ આદિની પ્રમાજને દંડાસણથી કરવી. આમાં વ્યત્યાસ-વિપર્યાય ન થાય તેનું પૂર્ણ ધ્યાન રાખવું. * પડિલેહણ કરેલ વસ્ત્રાદિ પડિલેહણા નહિં કરેલ વસ્ત્રાદિ સાથે મિશ્ર ન થાય તેનું પુરતું ધ્યાન રાખવું. * સૌથી પહેલા ભૂમિ પ્રમાઈ આસન પડિલેહી પાથરી તેના ઉપર પડિલેહણ વસ્ત્રાદિ મૂકવા. * વચ્ચેની પડિલેહણામાં વસ્ત્ર નીચે જમીનને ન અડે આપણા શરીરને પણ ન અડે તે રીતે ઉભડક પગે બેસી અદ્ધર પડિલેહવું. પડિલેહણ કરાતા વસ્ત્રાદિને ત્રણ ભાગ કરી ચક્ષુથી પડિલેહી (એક બાજુ) ફરી બીજી બાજુ પણ તે જ રીતે ત્રણ ભાગ કરી દષ્ટિપડિલેહણ કરી “સ્વ” પહેલી બાજુદૃષ્ટિ પડિલેહણ પછી “ અથ તત્વ કરી સહુ બીજી બાજુ દષ્ટિ પડિલેહણ કરીને બોલવું તેમજ પ્રથમ પ્રસ્ફટિક કરવો. પછી બીજો પ્રોટક જમણા હાથ ઉપર કરતાં “ સમ્યકત્વ મેહનીય બોલવું. કે ડાબા હાથ ઉપર પ્રર્ફોટક કરતાં “કામરાગ બાલવું પછી વસ્ત્ર અર્ધા ભાગે વાળી ભેગું કરી ડાબા હાથ ઉપર Page #159 -------------------------------------------------------------------------- ________________ મહત્વની હિતશિક્ષાએ ૧૫૩ પ્રમાતાં “સુદેવ આદિ મનદંડ સુધી બાલ બોલવા. જ દરેક આદેશ ઈચ્છાકારેણ થી ઉચ્ચસ્વરે આજ્ઞા માગવાના ભાવપૂર્વક માંગ. જ પડિલેહણ નીચેના ક્રમથી કરવું. ૧ કાંબલ પછી ૨ કાંબલને કપડાં યથાયોગ્ય બાકીની ૩ ઓઢવાને કપડા ઉપધિ. ૪ સંથારીયું (સંયમ–સાધક હોય તે) ૫ ઉત્તરપટ્ટો પછી સંયમને ઉપગ્રહ કરનાર અન્ય ઉપકરની પ્રતિલેખના, છેલ્લે દાંડાનું પડિ. કરી કાજે લે. * આદેશ મલ્યા પછી-ઈરછ કહેવું. જ પડિલેહણમાં કરાતી ઈરિયાવહી વગેરે બધા વ્યક્ત સ્વરે જ બોલવા. જે લેગસ્સ આદિ ગાથાબદ્ધ બેલવા. હ પડિલેહણ શરૂ કર્યા પછી કાજે લઈને સૂપડીમાં લઈ સિરાવી ઈરિયાવ ન કરાય ત્યાં સુધી –આસન પર ન બેસાય, કપડું ઓઢાય નહિ, તેમજ વચ્ચે બીજી કોઈ ક્રિયા-(કામ-કાજ) ન થાય. લેવાને કાજે ઓળંગ નહિ. Page #160 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની ન્યાત * એક સાથે એ જણાએ કાજો ન લેવા. * સાંજના પડિલેહણમાં કાજૂ વાસિરાવી પાણી ગાળી સુઝુન્ની પચ્ચક્ખાણ પાર્યા પછી પાણી વપરાય. વચ્ચે પાણી ન વપરાય. * સવારના પડિલેહણમાં એધેા સૌ પ્રથમ પડિલેહવે સાંજે અધી પડિલેહણા પૂર્ણ થયા પછી (કાજા પહેલાં) આઘે પડિલેહવા. — મેઘાના પડિલેહણુના ક્રમ ઃ— સવારે સાંજે ૧ નિષદ્યા (સૂતરાઉ) ૨ એધારીયુ (ઉની) ૩ દાંડી ૪ વચલી દ્વારી પાટાની પ્રમાના ૬ નીચલી ઢારી ૭ દશીઓનુ` પડિલેહણુ ” કાન્ને લેતી વખતે ઢાંડાની પડિલેહણા, માત્રકની પડિલેહણા, સંસ્તારક–ભૂમિ, પાટ-પાટલી વગેરેની પડિલેહણા કરવી. ૧ એઘારીયુ' (ઉની) ૨ નિષદ્યા (સૂતરાઉ) ૩ દાંડી ૪ વચલી દારી ૫ પાટાની પ્રમાના ૬ નીચલી દારી છ દશીઓનુ` પડિલેહણ * કાજો લીધા પછી સુપડીમાં ભેગે! કરી તપાસી પરઢવી જ્યાં ભેગા (કાજો) કર્યો હૈાય તે સ્થાને ઊભા રહી ઇરિયા પડિકા પછી સૂપડી—'ડાસણુ યથાસ્થાને મૂકવાં. O Page #161 -------------------------------------------------------------------------- ________________ મહત્વની હિતશિક્ષાઓ એક સાંજના પડિ માં કાજે સિરાવી ઈરિયાકિમી પાણી ગાળવા માટે ઘડો-ગરણું કાછલી અદ્ધિ એકત્રિત કરી ઈરિયાવ ડિકમી પડિલેહી પાણી ગાળવું. આ છ ઘડી દિન ચઢયે “બહુપડિપુણા પારસી” ભણાવતી વખતે બધાં પાતરાં, દેરા, તરપણું, લુણાં ગળણું વગેરે ભેગું કરી પછી ઈરિયાવ પડિકામવા. ઝોળી વગેરેની ગાંઠ-દોરાની આંટી બોલવી વગેરે. બધું - પ્રથમ કરી લેવું. પછી નીચેના ક્રમ પ્રમાણે પડિલેહણ કરવું – ૧ ઉપરને ગુચ્છક (કાંણાવાળા) ૨ ચરવળી (પાય કેસરીયા) ૩ ઝોળી ૪ પલ્લા ૫ રજસ્ત્રાણ ૬ પાત્ર–સ્થાપનક (નીચેને ગુચ્છ કરવો) ૭ પાતરાં પાત્રાનું પડિલેહણ આ રીતે :એ પ્રથમ પાતરાંની ઉપરની ફરતી લાલ કિનારી ઉપર ચરવલી ફેરવવી (પ્રમાજના કરવી) પછી પતરીને તે પતિ: લેહેલી કિનારીથી બરાબર પકડી-(જમીનથી ૪ આંગથી વધારે અદ્ધર નહિ) અંદર ચરવલીથી પ્રમાજના કરી હાર પ્રમાજને કરી નીચે ચરવલીથી પ્રમાર્જના કરાવી Page #162 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની ન્યાત આ પછી તરપણી-તને-કાછલ-કાછલીનું પડિલેહણ કરી દેરાઓનું પડિલેહણ કરવું પછી લૂણાનું. પડિલેહણ કરેલ પાતરાં, પાતરાને સામાન લૂણું ગળણું વગેરે વ્યવસ્થિત ગોઠવીને મુકવું (પાથરેલા આસન (ઉપર) (આસન પાથરીને જ આ બધી વસ્તુઓ મૂકવી.) જ ગેચરી વાપર્યા પછી પાતરાં વગેરે ઠેકાણે વ્યવસ્થિત . (માખી કે અન્ય કોઈ સંપાતિમ જીવની વિરાધના ન થાય તે રીતે બધા પાત્રોને) ઝોલીમાં વીંટાળી મૂકવા, તેમ શક્ય ન હોય તે છેવટે ઉપર કપડું ઢાંકી જયણા સાચવવી. જે બાદ માંડલીને કાજે ધઈ દાણું હોય તેની વ્યવસ્થા કરીને જ બીજું કામ કરવું. * ૧ણાનું પાણી તડકે ન પરવું તેમજ લૂણું તડકે ન - સૂકવવું. * દંડાસણ ઉભું ન મૂકવું. એક સાથે બે કે અધિક દંડાસણ ભેગાં ટીંગાડવા નહિ. જ પાટલે ઉભે મૂકવે નહિં. જ બળવણ-સાય-કાતર વગેરેની હાથે હાથ લેવડ દેવડ કરવી નહિં. જ કાજે લીધા વગરની સંથારા માટે કે ગોચરી માટે, - સવાધ્યાય કરવા કે બેસવા માટે ભૂમિ કામ ન લાગે. ઈરિયા કરી કાજે લીધા પછી વપરાય. Page #163 -------------------------------------------------------------------------- ________________ મહત્વની હિતશિક્ષાએ * અપડિલેહેલ વસ્ત્ર-પાત્રાદિ ઉપયાગમાં ન લેવા. * વાપરતાં, પ્રતિક્રમણ-પડિલેહણુ આદિ આવશ્યક ક્રિયા કરતાં, માત્રક હાથમાં હેાય ત્યારે, લઘુનીતિ–વડીનીતિ કરતાં એલાય જ નહિં. ૧૫૦ * વાપરતાં ખેલવાની જરૂર પડે તે મુખશુદ્ધિ કરીને જ એલવુ. * ગેાચરી-પાણી દૂર જવાથી, તથા જ્યાં સાધુ-સાધ્વી ઓછા જતાં હાય તેવા ઘરાએ જનારને ઘણી નિર્જરા થાય છે. * જ્યાં ઘણા સાધુ-સાધ્વીએ જતાં હોય તેવા ઘરામાં આગાઢ કારણ વિના ન જવું. * એક ઘરે એકથી વધુ વાર ગેાચરી માટે ન જવુ જોઇએ. * સમુદાયમાં રહેનાર સાધુએ સ્વ-કુટુંબ માફ્ક સ સાથે સાપેક્ષપણે દરેક કાર્ય પેાતાનુ' સમજીને હરખભેર કરવુ જોઇએ. * સ્વામી-જીવ–તીથ'કર-ગુરુઅદત્તના પ્રકારાનુ... રહસ્ય· ગુરુગમથી સમજી ત્રીજું વ્રત કૃષિત ન થાય, તેની કાળજી રાખવી. * સાધુ-જીવન સાદાઈથી બિન-જરૂરી વસ્તુના ઉપયેાગ સિવાચ ઓછામાં ઓછી ચીજથી નભાવી શકાય તેવું હાવું જોઇએ. * શાખની વસ્તુઓથી નવ ગજ દૂર રહેવુ.. * કાઈ વખત ઓછી કે અણુગમતી ચીજ આવી મળે તા મનમાં દુઃખ ન લાવવુ. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ - સાધુતાની ન્યાત ૯ ગૃહસ્થે આવા કપરા-કાળમાં પોતાનું જીવન કેવી રીતે નભાવે છે? તે વિચારી “રે મg fig” ના - મને સમજી વેરછાથી ત્યાગબુદ્ધિ કે વિરાગબુદ્ધિ કેળવવી. * દશવૈકાલિકનું સાર્થ વાચન નવદીક્ષિતાવસ્થા–દીક્ષા પછી ૧૮ માસ સુધી લગભગ અવારનવાર રેજ થોડું થોડું કરવું (૮ મું અધ્ય. ૧૦ મું અધ્ય. ખાસ) પછી મહિનામાં એકવાર દીક્ષાના બીજા ૧૮ માસ સુધી, પછી વર્ષમાં એક વાર આખું અખંડ દીક્ષા-તિથિના આગલા ૭ દિવસ અને પાછલા ૭ અને ૧ દીક્ષા તિથિ એમ પંદર દિવસમાં પૂરું કરવું. - રત્નાધિક સાધુની પડિલેહણ આદિ ભક્તિ, બાહ્ય વિનય પ્રતિપત્તિ કરવામાં જરાપણ ઉપેક્ષા ન કરવી. : 'વડિલ-ગુરુની ભક્તિ કે બહુમાનની પ્રવૃત્તિમાં ભણવાના જ બહાને કે બીજા કારણે ઓછાશ ન થવા દેવી.. “ મેટા બેલાવે કે તુ ગમે તે કામ પડતું મૂકી “જી સાહેબ” કરી ઉભા થવું. * નાના કે મોટા કેઈપણ કલાન–મુનિની સેવા ભક્તિ , વૈયાવચના કામમાં પ્રથમ લાભ મને કેમ મળે? એ ભાવ રાખવો! અને ગમે તે કામ પડતું મૂકી ગ્લાનની સેવા ખડે પગે પ્રથમ કરવી. કેમ કે તેમાં મહાલાભ- કર્મનિજને છે. ' જ દહેરાસરમાં શાંત-ચિત્ત શુભ ભાવના ઉલ્લાસ સાથે ચૈત્યવંદન કરવું. Page #165 -------------------------------------------------------------------------- ________________ મહત્વની હિતશિક્ષાએ ૧૫૯ દેરાસરમાં ખિલકુલ ઉતાવળ ન કરવી. આછામાં ઓછી ૨૦ મિનિટ તા દહેરાસરમાં ગાળવી જોઈ એ. * ખારી ખારણા બંધ કરતી વખતે આઘા કે દંડાસણથી તેના સાંધા અને તેના મિનગરાએને પુજવા, ખાદ ઉપયેગથી જયણા કરવી. કેમકે-જયા એ ધર્મની માતા છે. * સામાન્યતઃ પંદર દિવસ પહેલા કાપ ન કાઢવા. જરા જરા મેલા કપડાંને ચાખલીયાવૃત્તિ કે ટાપટીપ કરવાની વૃત્તિથી કે વાર વાર ધેાવાની ગૃહસ્થાપણાની ટેવને તિલાંજલી આપવી ઘટે. પાણી એક તેા પીવા માટે પણ વત્તમાનકાલે મહું વિચારણીય થઈ પડેલ છે, પ્રાસુક અચિત્ત નિર્દોષ પાણી બહુ દુર્લભ થઈ પડયું છે. પણુ જીવન નિર્વાહ અર્થે ન છૂટકે લેવું પડે, પણ શેાખ ખાતર કાપ માટે પાણીના ઉપયાગ તેમજ સાષુ–સેાડા આદિ ક્ષારવાળા પાણીને પરઠવવામાં પશુ બહુ વિરાધનાનેા સભવ છે. માટે કાપ માટે પુરતી જયણા રાખવી જરૂરી છે તે માટે જેમ બને તેમ ઉપયાગ રાખી કપડાં આછાં મેલા થાય કે અવારનવાર એકલા કથારેક સ્વભાવિક વધુ પડતાં પાણીના સયેગે પાણીથી સાફ કરતા રહેવાથી બહુ વિરાધનાના પ્રસગ નહિ આવે. Page #166 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની ન્યાત સાધુએ વચન પણ બહુ વિવેકપૂર્વક સયમને પેાષક તથા જાણ્યે-અજાણ્યે પશુ સાક્ષાત્ કે પરપરાએ સીધી યા આડકતરી રીતે અસંયમને પેાષણ આપનાર ન બને તેવું બહુ ઉપયાગ પૂર્વક ખેલવાનુ... હાય છે. • તેથી અગીતાને તેા મૌનમાં જ વધુ લાભ નિર્દેશ્યા છે. * ચાલુ ધારણ પ્રમાણે કામ કરવામાં કંઈ પણ અડચણુ હાય તા પૂછીને ફેરફાર કરવા, પણ પેાતાની મેળે ફેરફાર ન કરવા કે કામ પડતું મુકવુ નહિ. ચાલુ અભ્યાસ સિવાય ખીનું કંઈપણ વાંચતાં પહેલાં અતાવીને સ'મતિ મળે તા જ વાંચવુ. * પાતાની ઉપધિ–પુસ્તક વગેરે ચીજ સચમના ઉપકરણ તરીકેના બહુમાન સાથે વ્યવસ્થિત રાખવી, તેમ ન કરવાથી સચમના ઉપકરણાની અવહેલના કરવારૂપ આશાતના લાગે. શ્રમણ-સૂત્રમાં બોસદીળું ' નામની શ્રુતની આશાતના જણાવી છે, માટે તે તે સૂત્રેા મનમાં ખલવાં કે ગેાખવા હું અગર મન–મરજી પ્રમાણેની શૈલીથી ખેલવા તે શ્રુતજ્ઞાનની આશાતનારૂપ છે માટે મુહુપત્તી રાખી બહુ ઉચ્ચ સ્વરે નહિ પણ સ્પષ્ટ ઉચ્ચાર અને તે તે મર્યાદાપૂર્વક ખેલવા જરૂરી છે. દૈનિક આલેાયણા નોંધવામાં પ્રમાદ ન કરવા. Page #167 -------------------------------------------------------------------------- ________________ મહત્વની હિતશિક્ષાએ ૧૬૧ * સયમને પેાષક વૈરાગ્ય-ભાવનાને સમર્થક થેાડુ' પણુ વાંચન વડિલને પૂછીને તેઓ જણાવે તે પ્રમાણે જરૂર કરવું. * ગોચરીના ૪૨ દાષા વગેરે જરૂરી સંયમ-સાધક મહત્વની ખાખતા વિગતવાર રાજ જાગૃતિ કાયમ રહે, તે રીતે સમજી લેવી જરૂરી છે, તેમાં બેદરકારી ન રાખવી. ગાચરી * ગાચરી-માંડલીના નિયમાનુ પાલન બરાબર કરવા માટે તત્પર રહેવુ. જેમકે— ૧ વડિલના આવ્યા વિના કે તેની આજ્ઞા વિના વાપરવુ' નહિં ૨ કાઈપણ ચીજ માંગવી નહિં, માંગીને લેવુ" નહિ. શરીરાદિની અનુકૂળતા ન હેાય તેા ગેચરી પહેલાં અગર અન્ય-સમયે ગુરુને વાત કરી દેવી. ૩ પર્યાયે ડિલ હાય તેમના જ હાથે કાઇ પણ ચીજ લેવી. ૪ સ્વતંત્ર આપણા હાથે કાઈ પણ ચીજ ન લેવી. ૫ નિયમાનુસાર ગેાચરીની વધ-ઘટે સહકારી–ભાવથી વર્તવું. ૬ ઉણાદરીના લક્ષ્યપૂર્વક વાપરવાના ધ્યેયને પ્રસંગે માંડલીની વ્યવસ્થા–મધારણને અનુકૂલ રહી જાળવવા પ્રયત્નશીલ રહેવું ૭ થાડું ઓછું હેાય તે ચલાવી લેવાની અને ઘેાડું વધુ હાય તા કચવાટ કર્યા વિના નભાવી લેવાની ટેવ કેળવવી. ૮ દાણા વેરવા, એંઠા હાથથી લેવડ-દેવડ, એઠા માંઢ ખેલવુ, પગ ઉભા કરવા, ભીંતના કે હાથના ટેકા લેવા, ચમચખ અવાજ કે સબડકા મારવા આદિ જયણા તેમ જ સ્વાદ-વૃત્તિઓથી ઘણા પાત્રાના ઉપયાગ-આદિ માંડલીના દૂષણેા યથાશકન્ય-પ્રયત્ને વવા ઉદ્યેાગવંત રહેવુ. ૧૧ Page #168 -------------------------------------------------------------------------- ________________ સાધુ-જીવનની સારમયતા મુમુક્ષુ આત્માને વ્યક્તિગત-કલ્યાણની સાધના પ્રધાન હોય છે, તેની સાચવણ-ખીલવણને સાપેક્ષ રહીને સર્વ કાર્યો કરવાનાં હોય છે, માટે મુમુક્ષુ આત્મા અનંત-પુણ્યરાશિના અતિપ્રકર્ષના પરિણામે મેળવેલ પ્રભુશાસનના લકત્તર-સંયમની આરાધનાને અનુકૂળ સાધનની સફળતા યથાયોગ્ય શી રીતે મેળવી શકાય? તે અંગે શ્રી આચારાંગ-આદિ શાસ્ત્રમાં નાના પ્રકારનું વર્ણન છે, જેમાનું કંઈક આ ગ્રંથમાં વર્ણવવા અલ્પ પ્રયાસ કર્યા છે, પણ આ બધું માર્ગદર્શન મુમુક્ષુ-આત્માને સહજ રીતે મળી રહે તેવું કંઈક અહીં બતાવાય છે. ૧ પ્રથમ તે સાધુ-સાધ્વીએ દીક્ષાને પરમાર્થ સમજી, બાહા-જીવનમાંથી આંતરિક-જીવન જીવવા માટેની પૂર્ણ તૈયારીવાળા જીવન જીવવા માટેની પિતાની જવાબદારી ધ્યાનમાં રાખીને, પરમ–હિતકર જ્ઞાની-ભગવંતના વચનને પૂર્ણ વફાદાર રહેવું ઘટે, તે વચને પણ પોતાની બુદ્ધિની તુચ્છતાના કારણે સંપૂર્ણ યથાર્થ ન સમજાય, તેવા પ્રસંગે પણ સાક્ષાત્ ઉપકારી પિતાના ગુરુભંગવંત પ્રતિ પૂર્ણ વિનયભાવે નમ્રતા દાખવવી. પિતાના આત્મિક-વિકાસ માટે પૂર્ણ જાગૃત રહેવું ૨ દીક્ષા લીધા પછી રાજની ઉપયેગી ક્રિયાઓની શુદ્ધિ અને જયણાપૂર્વક પાલન થાય, તે માટે વિધિનું સંપૂર્ણ જ્ઞાન મેળવી યથાશક્ય પ્રયત્ન કરી વિધિપૂર્વક પાલન માટે નિરંતર દયાન રાખવું. Page #169 -------------------------------------------------------------------------- ________________ સાધુ-જીવનની સારમયતા ૧૬૩ ૩ આવશ્યક-સૂત્રોના અર્થો સામાચારીની નિર્મલતા, આવશ્યક–ક્રિયાની સમયાદિ-વ્યવસ્થાપૂર્વક નિયત-વ્યવસ્થા અને આચાર–પ્રધાન સાધુજીવન જીવવા આદિની તત્પરતા માટે શક્તિસંપન્ન-આત્માએ પ્રયત્નશીલ રહેવું જોઈએ. ૪ દીક્ષા લીધા પછી પહેલી તકે નીચે જણાવ્યા મુજબ પ્રાથમિક અભ્યાસ કરવો જરૂરી છે, કે જેનાથી આત્મા સંયમ વિવેકની મહત્તા સમજી વ્યક્તિગત આમિક કલ્યાણની સાધનાને સાધવા ઉદ્યત થઈ શકે. ૧ આવશ્યક-ક્રિયાના સૂત્રે (અર્થ સાથે) શકય હોય તે સંહિતા, પદસંધિ. સંપદા અને ઉચ્ચારશુદ્ધિની એગ્ય કેળવણી મેળવવી જરૂરી છે. ૨ શ્રીદશવૈકાલિક સૂત્ર (અર્થ સાથે) સંસ્કૃત ન જાણનારે પણ ગુરુમુખે આખા ગ્રંથને અર્થ ધારી તેમાંથી ધ્યાન રાખવા લાયક નોંધ કરી. રાજ તે સંબંધી યોગ્ય–ઉપયોગની જાગૃતિ રાખવા પ્રયત્ન સેવવો. - આખા દશવૈકાલિક સૂત્રને વેગ ન બને તેમ હોય તે પણ પહેલા પાંચ અધ્યયને, આઠમું, દશમું અને છેલ્લી બે ચૂલિકાએ ખાસ ગુરુગમથી અર્થ સહિત ધારવી, તેમજ દશવૈકાલિક સૂત્રના દશ અધ્યયનની સઝ ગુરુગમથી ધારવી અને બને તે ગોખવી. ૩ શ્રી ઘનિયુક્તિ ગ્રંથની વાચના ગુરુમુખે લેવી અને તેમાંથી વિહાર, ગોચરી, પડિલેહણ સ્વાધ્યાય, થંડિલ ભૂમિ, રોગચિકિત્સા, પાત્રલેપ આદિ સંબંધી જયણા આદિની નોંધ કરવી. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સાધુતાની જાત ૪ વૈરાગ્યવાહી-ગ્રંથેનું વાંચન-મનનાદિ જેમકે શ્રી અધ્યાત્મ- કલપક્રમને બીજે પાંચ આઠમ, નવમે, અગિયારમે, તે રમે, અને પંદરમે અધિકાર, શ્રી પ્રશમરતિ, શ્રીજ્ઞાનસાર, શ્રી અધ્યાત્મ સાર, શ્રીઉપદેશ માલા, શ્રી શાંતસુધારસગ્રંથ, શ્રીરત્નાકરપચીશી, શ્રી હૃદયપ્રદીપ-છત્રીશી, શ્રી કુમારપાલ ભૂપાલ રચિત સાધારણજિન સ્તવન વગેરે ગ્રંથો. ૫ દ્રવ્યાનુયોગને પ્રાથમિક અભ્યાસ ચારે અનુગમાં પ્રધાન ચરણ-કરણાનુગની મહત્તાસફલતા દ્રવ્યાનુયેગની સાપેક્ષ-વિચારણા પર અવલંબે છે, માટે પ્રાથમિક-કક્ષામાં વત્તતા બાલ-જીવોને માટે ચરણકરણનુયોગ અમુક-ક્રિયાઓના શુભ આસેવનના બલે આમિક સંસ્કારોના ઘડતરની ભૂમિકા તૈયાર કરે છે, પણ સાધુજીવનમાં તો તે તૈયાર થયેલું પ્રાથમિક-ભૂમિકા ઉપર ગ્ય–સંસ્કારોનું મજબૂત મંડાણ કરવાનું હોય છે, તેથી દ્રવ્યોનુગની સાપેક્ષ પ્રધાનતા (પોતાના માટે) જરૂરી છે. માટે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ (શક્તિ-ક્ષપશમ આદિની અનુકૂળતા હોય તે છ કર્મગ્રંથ, નહિ તે પાંચથી સામાન્ય ખ્યાલ આવી રહે છે.) શ્રીતનવાર્થ સૂત્ર, શ્રીનકણિકા શ્રી પ્રમાણુનયતત્ત્વાકાલંકાર અને શ્રી દ્રવ્યગુણપર્યાયને રાસ, સમકિતના ૬૭ બેલની સઝાય - દષ્ટિની સજઝાય વગેરે તાત્વિક–વિચારના પ્રાથમિક-ગ્રંથનું અધ્યયન જરૂરી છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ સાધુ-જીવનની સારમયતા ૧૬૫ અંમાંના કેટલાક ગ્રંથે સંસ્કૃત ભાષા અને શાસ્ત્રીય જ્ઞાનની પ્રૌઢતા માંગે છે, છતાં સંસ્કારરૂપે યતકિંચિત્ અશે પણ ગુરુગમથી બુદ્ધિનું પરિકર્મણ કરવા ઉપયોગી હોવાથી તેવાં ગ્રંથે પણ આમાં જણાવ્યા છે. ૬ ઉપર મુજબનું પાયાનું તાત્ત્વિક–શિક્ષણ મળ્યા બાદ શક્તિ-સંપન્ન આત્માએ સ્વકલ્યાણની સાધનાને અનુકૂલ સર્વ સાધનોને સંપૂર્ણ વ્યવસ્થિત ઉપગ જયણ–પ્રધાન જીવન જીવવારૂપે કર્યા બાદ વધેલી શકિતને પર-કલ્યાણમાં ઉપયોગ કરી કર્મનિજેરાના માર્ગે જલદી આગળ વધી શકાય, તે માટે સંસ્કૃતભાષાને અભ્યાસ કQા પ્રયત્નશીલ થવું ઉચિત છે, નહિ તે દીક્ષા લીધી અને દીક્ષાના વાસ્તવિક-ભાવાર્થને જીવનમાં ઉતારવારૂપે સ્વ-કલ્યાણને અનુકૂળ અધ્યવસાય-શુદ્ધિના સાધન તાત્વિક–શિક્ષણ દ્વારા મેળવ્યા ન હોય અને પર–કલ્યાણની ભાવનામાં સંસ્કૃત–ભાષા આદિના અભ્યાસથી પડી જવાય, તે જીવનમાં પડેલા અનાદિ કાલના સંસકારો માનઅભિમાન, જનરંજન, બહિર્ભાવની વૃત્તિ આદિ સ્વરૂપે આત્માને સંયમના મૂલ ધ્યેયથી ખસેડી મૂકે તેમ પણ બનવા સંભવ છે. આમ છતાં ઉપર જણાવેલ બાબતમાં ગ્ય ગીતાર્થજ્ઞાની ગુરુ ઔચિત્યાનૌચિત્યને વિચાર કરી યોગ્ય રીતે પ્રવર્તી શકે છે, પણ સામાન્યતઃ સ્વેચ્છાથી પ્રવનારા આત્માને શુભ ભાવના હોવા છતાં કેટલીકવાર વિપરીત અવસ્થામાં મૂકાઈ જાય છે. માટે ઉપર જણાવ્યા મુજબ સાધુપણાના સારરૂપે સ્વકલ્યાણની સાથે અન્ય આત્માઓના હિતને સાધવારૂપને લાભ મેળવવા પ્રાથમિક ઘડતર માટે ઉપયોગવંત થવાની જરૂર છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ આલોચના-દીપિકા જ્ઞાનાચાર ૧ અકાળે સ્વાધ્યાય કરેકાળે સ્વાધ્યાય ન કરે. ૨ કાજે લીધા વિનાની જગ્યાએ સ્વાધ્યાય કરે. ૩ વિદ્યાગુરુને અપલાપ કરે. ૪ ગુરુની આજ્ઞા સિવાય બીજા પાસે ભણે. ૫ સૂવાદિ વેગ કર્યા સિવાય તે સૂત્ર આદિ ભાણે. ૬ એંઠા મેં બેલે. ૭ માત્રાની કુંડી હાથમાં હોયને બોલે. ૮ માત્રુ, ઠલે કાગળ ઉપર કરે કે પરઠવે. ૯ પુસ્તક, નવકારવાળી આદિ પડી જાય કે પગ લાગે. ૧૦ તેતડા, બેબડા આદિની મશ્કરી કરી. ૧૧ અધિક જ્ઞાનવાળાની અવજ્ઞા–ઈર્ષા કરે. * ૧૨ ભગવંતના વચન ઉપર શંકા કે અશ્રદ્ધા કરે. ૧૩ પુસ્તક આદિ જ્ઞાનના સાધને ઉપર થુંક, પરસેવે, લેષ્મ આદિ લાગે. ૧૪ ઉઘાડા મેએ સ્વાધ્યાય કરે. દશનાચાર ૧ દહેરાસરે ચિત્યવંદન કરવું રહી જાય. ૨ દહેરાસરમાં વા-છૂટ થાય. Page #173 -------------------------------------------------------------------------- ________________ આલેચના દીપિકા ૧૬૭ ૩ શત્રુંજયાદિ તીર્થ સ્થાન ઉપર માગું–ઠલ્લે કરે, શ્લેષ્મ નાંખે કે થુંકે. ૪ સાધ્વીને તીર્થસ્થાન કે દહેરાસરમાં અડચણ આવે. ૫ પ્રતિમાજીને શ્વાસ લાગે કે થુંક લાગે. ૬ સ્થાપનાચાર્યજી નીચે પડી જાય. ૭ પવતિથિએ ચૈત્યપરિપાટી ન કરે. ૮ ગોચરી વાપર્યા પછી ચિત્યવંદન કરવું રહી જાય. ૯ મિથ્યાત્વીના દર્શનની કોઈ વસ્તુની ઇરછા કરે. ૧૦ પ્રવચનની હીલના કરે. ૧૧ આચાર્ય કે ગુર્વાદિ પ્રત્યે અરૂચિ કરે, જુગુપ્સા કરે, અવિનય કરે કે કર્કશ શબ્દો બોલે. ૧૨ ગુરુનું વચન તહત્તિ ન કરે. ૧૩ ગુરુની મુહપત્તિ આદિ વસ્તુ વાપરે. ૧૪ વડિલના આસન વગેરેનો સંઘદ્દો થાય, પગ મૂકે કે બેસે. ૧૫ ગુવદિકને થુંક લાગે કે આશાતનાદિ કરે. ચારિત્રાચાર ૧ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અષ્ટ પ્રવચન-માતાને ભંગ કરે. ૨ ઉપાશ્રયની બહાર જતાં “આવસ્યહી પ્રવેશ કરતાં “નિસિહી” કહેવી રહી જાય. ૩ ૧૦૦ ડગલા ઉપરથી આવ્યા પછી કે કેઈપણ પરિઝા પનિકા કર્યા પછી ઈરિયાવહી કરવી રહી જાય. ૪ સૂતી વખતે કાનમાં કુંડલ નાખવા રહી જાય. * પતિ ન જાણ કરી છે જ અભિ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સાધુતાની જ્યોત ૫ પડિલેહણ કરતાં વાતચીત કરે કે બેલે. ૬ પડિલેહણ કરતાં પચ્ચક્ખાણ આપે. ૭ પડિલેહણ બરાબર ન કરાય, બેલ બેલવા રહી જાય. ૮ દોર, દાંડે, દંડાસન, કામલી, ઢાંકણું લૂણું આદિની પડિલેહણ કરવું રહી જાય. ૯ પડિલેહણ કર્યા સિવાયની વસ્તુ વાપરે. ૧૦ આધાકર્મી આદિ દોષવાળે આહાર વાપરે. ૧૧ જરૂર કરતાં વધારે ઉપધિ વાપરે. ૧૨ શય્યાતરના ઘરને આહાર, વસ્ત્ર પાત્ર આદિ વાપરે. ૧૩ નિદા, વિકથા કરે. ૧૪ પિતાને ઉત્કર્ષ કરે. ૧૫ દુર્ગાન કરે. ૧૬ ગૃહસ્થની વસ્તુ ભાંગે-તેડી નાખે, કે ખોઈ નાખે કે - વાપરવા લાવેલ પાછી ન આપે. ૧૭ શરીર ઉપર મેલ ઉતારે. ૧૮ શરીરની શોભા માટે વિભૂષા કરે–ટાપટીપ કરે. ૧૯ સનાન કરે, વિભૂષા ખાતર હાથ પગ ધૂવે કે મેંઢા ઉપર - ભીને હાથ લગાડે, શરીર ઉપર ભીનાં કપડા વગેરેનું પિતું ફેરવે. ૨૦ દર્પણમાં ઈરાદાપૂર્વક જુએ. પ્રથમ મહાવ્રત ૧ વિકસેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય) જીવની વિરાધના. Page #175 -------------------------------------------------------------------------- ________________ આલેચના દીપિકા ૨ વિકસેન્દ્રિય જીવને કિલામણા. ૩ કપડા, ઉત્તરટ્ટા આદિ ઉપર જીવ મર્યાના ડાઘ. ૪ બાંધેલી દેરી સાંજે છોડવી રહી જાય. પૃથ્વીકાય ૫ સચિત્ત પૃથ્વી-માટી, ભીની રેતી કે ખારવાળી આદિ જમીન ઉપર ચાલે, પગ આવે સંઘો થાય. ૬ ગામમાં પ્રવેશ કરતાંકે નિકળતાં તથા એક જાતની ભૂમિ માંથી બીજી જાતની ભૂમિ ઉપર જતાં પગ પૂજવા રહી જાય. ૭ નદી કે પાણી એળગતા પગ ન પુંજે. ૮ સચિત્ત પાણી–અપકાય ઉપર પગ આવે કે સંઘો થાય લઘુનીતિ, વડીનીતિ, ગોચરી, પાછું આદિ માટે જતાં આવતાં કે બારી-બારણું બંધ કરતાં કે ઉઘાડતાં Sજવાની જયણું ન રાખવી. અપૂકાય ૧૦ વરસાદના છાંટ લાગે–ભીંજાઈ જવાય. ૧૧ પાને વહેળે, નહેર આદિ ઉતરે. ૧૨ વિહાર આદિમાં નદી ઉતરે. (પગલાંની ગણતરી નહિ પણ ઉંડાણ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આવે છે.) અર્ધી જાંઘ જેટલું પાણી હોય તે સંઘટ્ટ કહેવાય. નાભિ-પ્રમાણુ પાણી હોય તે લેપ કહેવાય. નાભિથી વધારે પાણી હોય તે લેપ પરિ કહેવાય. જે પ્રકારની નદીમાં ઉતર્યા હોય તેનું નામ આચનામાં જણાવવું જોઈએ. ૧૨ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સાધુતાની જાત ૧૩ નાવમાં બેસીને નદી આદિ ઉતર્યા. ૧૪ ભૂલથી સચિત્ત પાણી આવી ગયું, કે અચિત્ત પાણીમાં સચિત્ત પાણું ભેગું થઈ ગયું, તે પાણી ભીનાશવાળી જગ્યાને બદલે કેરી જમીન કે રેતીમાં પરઠવે. ૧૫ ધુમસ પડતી હોય ત્યારે બહાર નીકળે, રસ્તામાં જતાં આવતાં ધુમસ પડતી હોય તો પણ ગમનાગમન કરે. ૧૬ વસ્ત્ર, લૂણું આદિ વસ્તુ સચિન પાણીમાં વનસ્પતિ ઉપર કે નિમેદ કે લીલકુલ ઉપર પડે. તેઉકાય ૧૭ દી કે વીજળીની ઉજેહી લાગે કે કામળી આવ્યા સિવાય આવ જાવ કરે. ૧૮ સળગતી બીડી, અંગારા આદિ ઉપર પગ આવી જાય. ૧૯ ચૂલા આદિને સંઘટ્ટો થાય કે હાલે. ૨૦ પાણી, વસ્ત્ર આદિ અગ્નિમાં પડે. ૨૧ દહેરાસર વગેરેમાં દીવા વગેરેને કપડા આદિની ઝાપટ લાગે વાયુકાય ૨૨ ઉઘાડે મુખે-મુખ આગળ મુહપત્તિ રાખ્યા વિના બોલે. ૨૩ હવામાં ઉડતાં કપડાં વગેરેને સંકેચે નહિ. ૨૪ દેરી, ખીંટી આદિ ઉપર સૂકવેલા કે રાખેલા કપડા હવાથી ફરફર થતા હોય તેને ઉપગ કરે નહિ. ૨૫ ફુક મારે. ૨૬ ગરમી લાગતાં કપડું-પૂંઠું આદિથી પવન નાંખે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ આલોચના દીપિકા વનસ્પતિકાય ૨૭ લીલફુલ, નિગોદ, થડ, ફળ, ફુલ, છાલ, બી, વૃક્ષ, છોડ વગેરેને સંઘટ્ટો થાય, ઉપર ચાલે કે બેસે. ' ૨૮ ઉપર મુજબમાંથી કોઈને પણ પરંપરાએ સંઘદો થાય. ૨૯ સચિત્ત અનાજ, લીલોતરીને સંઘટ્ટો થાય. ૩૦ સચિત્ત અનાજનો પરંપરાએ સંઘો થાય. ૩૧ વિહાર આદિમાં લીલોતરી ઉપર ચાલવામાં આવે કે સંધટ્ટો થાય. તેમાં પગ નીચે, અડખે-પડખે, સચિત્ત કે મિશ્ર વનસ્પતિને દોષ જાણો. આમાં ગાઉં, ખેતર, પગલાંની નેંધ રાખવી. ૩૨ નિગદ-લીલકુલ કે પાણીવાળી જમીન ઉપર ચાલવામાં આવે ૩૩ પાણીમાં ચૂને નાંખવો રહી જાય કે મેડો નાખે. ૩૪ લીંટ, બલખે રસ્તા ઉપર નાંખી ઉપર ધૂળ આદિ ન નાંખે. ૩૫ માગું, કાપડનું પાણી આદિ બે ઘડી ઉપર પડી રહે. ૩૬ કાગડાં, ચકલાં, આદિ ઉડાડવા, કૂતરાં આદિ હાંકી કાઢવાં ત્રાસ પમાડવાં, બાળકને ભય પમાડવા. ૩૭ સાંજે માત્રુ પરઠવવાની તથા ઠલે જવાની જગ્યા જેવાની રહી જાય અને ઉપયોગ કરે. ૩૮ વાડામાં કે તડકામાં ઠલે બેસે. ૩૯ કાચા દૂધ, દહીં છાસવાળા પાત્રાનું લૂણું કઠેળવાળા પાત્રાને કર્યું. ૪૦ કઠોળવાળા પાત્રાનું લૂણું, કાચા દૂધ, દહીં છાસવાળા પાત્રાને કર્યું ૪૧ વાપરેલું લૂણું સાફ કર્યા વગરનું રહી જાય. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સાધુતાની ચેત દ્વિતીય મહાવ્રત ૧ ક્રોધ, લોભ, ભય, હાસ્યથી જાણીને જુઠું બેલે. ' ૨ ક્રોધ, લોભ, ભય, અજાણતાં જુદું બેલે. ૩ જાણીને માયાપૂર્વક જુઠું બોલે. ૪ ઉઘાડા-મુખે બોલે. ૫ સાવદ્ય-ભાષા કે “જ” કાર પૂર્વક ભાષા બોલે. ૬ બીજા ઉપર ખેટા આળ મૂકે. ૭ ગુરુ આદિ વડિલે પૂછયાનો સાચે જવાબ ન આપે. ૮ ગુરુની સામું બેલે. તે છડાઈપૂર્વક બેલે. ૯ બીજાની નિંદા વગેરે કરે. તૃતીય મહાવ્રત ૧ માલિકની રજા સિવાય વસ્તુ લીધે. (સ્વામીઅદત્ત) ૨ સચિત્ત વસ્તુ વાપરે. (જીવ અદત્ત) ૩ આધાકર્મી આદિ દેલવાળી વસ્તુ વાપરે (શ્રીતીર્થકર અદત્ત) ૪ ગુરુની રજા સિવાય કઈ વસ્તુ આદિ મંગાવે. (ગુરુઅદત્ત) ૫ ગુરુની રજા સિવાય ગોચરી વાપરે. ૬ ગુરુને બતાવ્યા સિવાય ગોચરી વાપરે. ૭ ગુરુને પૂછયા સિવાય વસ્તુને અદલે બદલે કરે. ૮ ગુરુની રજા સિવાય કોઈ કામ કરે. ૯ રજા લીધા સિવાય ઉપાશ્રય-મકાન, આદિમાં ઉતરે. ચતુર્થ મહાવ્રત ૧ સાધુ-સાધ્વી કે સ્ત્રીને અને સાધ્વી સાધુ કે પુરૂષને રાગ પૂર્વક કે મિથુન-દષ્ટિથી જુવે. Page #179 -------------------------------------------------------------------------- ________________ આલોચના દીપિકા ૧૭૩ ૨ બ્રહ્મચર્યની નવ વાડમાંથી કેઈપણ વાડનું ખંડન કરે. ૩ પૂર્વની કામક્રીડા આદિનું સમરણ કરે. • ૪ વિલાસી વાંચન, ચિત્રદશન કે વિચાર કરે. ૫ સૃષ્ટિ-વિરૂદ્ધ કર્મ કે હસ્તકર્મ આચરે. સાધુને સાધ્વી, સ્ત્રી કે તિર્યંચને સંઘટ્ટો અનંતર કે પરંપરાએ થાય. સાવીને સાધુ, પુરૂષ કે તિયચનો સંઘો અનંતર કે પરંપરાએ થાય. ૭ નિષ્કારણ પ્રણીત આહાર કે અધિક આહાર વાપરે. ૮ સાધ્વી કે શ્રાવિકા સાથે હસીને વાતો કરે. ૯ છોકરાં રમાડે. ૧૦ પુરૂષ કે છોકરાના શરીરને સ્પર્શ કરે. પંચમ મહાવ્રત ૧ ઉપકરણ વસ્ત્ર-પાત્રાદિ ઉપર મૂછ રાખે. ૨ ગૃહસ્થને ઘેર વસ્ત્ર–પાત્રાદિ રાખી મૂકે. ૩ જરૂર ન હોવા છતાં વસ્તુ રાખે. ૪ પિતા થકી દ્રવ્ય રાખે-૨ખાવે. ષષ્ઠ બત ૧ પડિલેહણ કર્યા સિવાયના પાત્રાદિમાં ગોચરી પાણી લાવે. ૨ પડિલેહણ કર્યા સિવાયના પાત્રાદિમાં ગોચરી પાછું વાપરે. ૩ સૂર્યોદય પહેલાં પડિલેહણ કરેલ પાત્રાદિમાં ગોચરી પાણી | લાવે કે વાપરે. ૪ સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી આહાર-પાણે વાપરે. ૫ તિવિહારનું પચ્ચકખાણ કર્યા પછી કે સાંજે પચ્ચકખાણ પછી મુખમાંથી દાણે નીકળે. Page #180 -------------------------------------------------------------------------- ________________ १७४ સાધુતાની જાત ૬ પચ્ચકખાણ કર્યા બાદ કે રાત્રે ઉલટી થાય. ૭ પચ્ચકખાણ કર્યા બાદ કે રાત્રે આહારના ઓડકાર આવે. ૮ ગોચરી વાપરતાં સ્વાદ માટે વસ્તુને ભેગી કરીને વાપરે, પ્રશંસા કરે, નિંદા કરે કે વિના કારણે વાપરે. ૯ પહેલી પરિસીનું લાવેલું ત્રીજી પરિસી થઈ ગયે વાપરે. ૧૦ એક સ્થાનેથી વહોરેલું બે કેસ (કા માઈલ) દૂર ગયે વાપરે. ૧૧ ઔષધ આદિ રાત્રે સંનિધિ, પિતાની પાસે રાખે કે વાપરે. ૧૨ ઝળી પડતાં આદિ આહારાદિથી ખરડાએલાં રહી જાય, સાંજ પહેલાં ન ધુવે. તપાચાર ૧ શક્તિ હોવા છતાં પર્વ તિથિએ ઉપવાસ આદિ તપ ન કરે. ૨ ઉદરી ન રાખે. ૩ વૃત્તિ સંક્ષેપ ન કરે. ૪ વિગઈને ત્યાગ ન કરે. પ દ્રવ્યાદિ–અભિગ્રહ ન રાખે. ૬ પચ્ચક્ખાણ ભાંગે. ૭ રેગાદિ સમ્યક્ પ્રકારે સહન ન કરે. ૮ પ્રાયશ્ચિત્ત ન લે. ૯ પ્રાયશ્ચિત્ત પુરૂં ન કરે. વીર્યાચાર ૧ વિના કારણે બેઠા બેઠા પ્રતિકમણ કરે. ૨ ખમાસમણું વગેરેની વિધિ બરાબર ન સાચવે. ૩ વિનય–વૈયાવચ ન કરે. Page #181 -------------------------------------------------------------------------- ________________ આલોચના દીપિકા ૧૭૫ ૪ ગુર્નાદિક–રત્નાધિકને બરાબર વંદન-વિધિ ન સાચવે. ૫ માંડલીમાં પ્રતિક્રમણ ન કરે. ૬ સવારે કે સાંજે પ્રતિક્રમણ ન કરે. ૭ સવારે પ્રતિક્રમણ કર્યા પછી સૂઈ જાય. ૮ સંથારા-પિરિસિ ન ભણાવે. ૯ કારણ વિના દિવસે સૂવે. ૧૦ પુંજવા-પ્રમાવાને ઉપયોગ ન રાખે. જ ૧ ઓઘાની પડિલેહણ બે વાર ન કરે. ૨ પરિસી ભણાવવી રહી જાય. ૩ પચ્ચકખાણ પારવું રહી જાય. ૪ મુઠ્ઠસી પચ્ચકખાણ ભાંગે. ૫ અભિગ્રહ ભાંગે. ૬ કાઉસ્સગ્ગ ભાંગે. ૭ ઠલો-માનું આદિ પાઠવતાં પહેલાં “અણુજાણહ જસુસ. ગહે” અને પછી ત્રણ વાર “સિરે ન કહે. ૮ કાપ આખે કે અડધે કા. ૯ પ્રતિક્રમણ-માંડલી કે ભેજન-માંડલીમાં ગુરૂના આવ્યા પછી આવે. ૧૦ અપરાધને મિચ્છામિ દુક્કડ ન આપે. ૧૧ વાચનાચાર્યનું આસન ન પાથરે કે સ્થાપનાજી ન પધરાવે. ૧૨ પક્ખી આદિના દિવસે વિંટલાદિની પડિલહેણ ન કરે કે રહી જાય. Page #182 -------------------------------------------------------------------------- ________________ આલોચના દીપિકા ૧૭૬ ૧૩ રાત્રે ઠલે જાય. સક્ઝાય કર્યા પહેલા કે અંધારામાં ઠલે જાય ૧૪ ઉપકરણ આદિ ખવાઈ જાય ૧૫ સંથારા ઉપર ઉત્તરપટ્ટો પાથર્યા સિવાય સૂઈ જાય. ૧૬ રાત્રે ઉંચા સ્વરે બોલે કે છીંક બગાસું ઉધરસ ખાતી વખતે જયણા ન રાખે. ૧૭ બારી-બારણાં બંધ કરતાં કે ઉઘાડતાં પ્રમાર્જના ન કરે. ૧૮ પાત્રાદિ પડી જાય કે તૂટી જાય. - ૧૯ એ શરીરથી અળગે થાય કે મુહપત્તિની આડ પડે કે ખવાઈ જાય. આ સિવાયના આચનાના સ્થાને પિતાની સામાચારી મુજબ જાણ લેવા. સંસ્કારને ક્ષીણ કરવાને ઉપાય. સંસ્કારોને પરવશ થયેલા આત્માઓ જ્ઞાનીઓના વચનનું રહસ્ય સમજી શકતા નથી. - તેથી સંપૂર્ણ સમર્પણ ભાવપૂર્વક જ્ઞાતિ મહાપુરુષની નિશ્રાએ ધર્મ ક્રિયાઓ વિધિપૂર્વક કરવી જરૂરી છે. જેથી સંસ્કારની શક્તિ ક્ષીણ થાય અને જ્ઞાનીઓના વચનનું રહસ્ય પારખવાની શક્તિ વિકાસ પામે. Page #183 -------------------------------------------------------------------------- ________________ શુ કરવાથી પ્રાયશ્ચિત આવે વીતરાગ–પરમાત્માના શાસનમાં આરાધના કરનારાઓને સતત ઉપયેાગપૂર્વક જાળવી રાખવા જેવા આરાધકભાવને ટકાવી રાખવા માટે જ્ઞાનાદિ સાધક પ્રવૃત્તિમાં અનાભાગાદિ કારણે થઈ જતા અસતનામાંથી પાછા હઠવાની જાગૃતિ પ્રધાનપણે જરૂરી વર્ણવી છે. તે અંગે સાધુ–જીવનમાં જે જે પ્રવૃત્તિએ અસનરૂપે જ્ઞાની–ભગવંતાએ શાસ્રામાં વિસ્તારથી જણાવી છે. તેમાંની કેટલી મુમુક્ષુ આત્માને સાવધાની કેળવવા ઉપયાગી થઈ પડે તે શુભ-આશયથી જણાવાય છે. અસત નાની યાદી ૧ રાજ ત્રિકાલ ચૈત્યવંદન (દહેરાસર-દર્શનાદિ)ન કરે તા અવિધિથી ચૈત્યવદન કરે તા. પેાતાની શાભા–પૂજા માટે લ-ફૂલ-ખીજાદિની વિરાધના કરે તા. 3 ૪ ચૈત્યવંદન કે સ્વાધ્યાય કરતાં કે સ્તવન ખેલતાં અંતરાય કરે તા. ૫ પ્રતિક્રમણ્ ન કરે તા. ૬ બેઠા પ્રતિક્રમણ કરે તેા. ૭ અનુપયેાગથી પ્રતિક્રમણ કરે તા. ૮ પ્રતિક્રમણુના સમયનું ભ્રૂ'ધન કરે તા. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સાધુતાની જીત ૯ સંથારામાં સૂતાં સૂતાં પ્રતિકમણ કરે તે. ૧૦ સંથારામાં બેસીને પ્રતિક્રમણ કરે તે. ૧૧ માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તો. ૧૨ સર્વ શ્રમણ-સંઘની ત્રિવિધે-ત્રિવિધ ક્ષમાપના કર્યા વગર પ્રતિક્રમણ કરે તે. (એટલે કે કોઈની સાથે કષાયાદિ થયો હોય તે તેની શાંતિ કર્યા વિના પ્રતિક્રમણ કરે તે. ૧૩ પદે પદની ઉચ્ચાર-શુદ્ધિના ઉપયોગ વિના પ્રતિક્રમણ કરે તે. ૧૪ પ્રતિક્રમણ કર્યા વિના સંથારામાં કે પાટ પર સૂઈ જાય તે. ૧૫ દિવસે સૂએ તે. ૧૬ અનુપયોગે કે અતિથિએ ઉપધિ-વસતિનું પડિલેહણ કરે તે. ૧૭ પડિલેહણ કર્યા વિનાની ઉપાધિ વાપરે તે. ૧૮ પડિલેહણ કરી સંથારાભૂમિએ કાજે ન લે તે અગર અજયણુએ કાજે પરઠવે તે. ૧૯ પડિલેહણ પછી થુંકવા આદિની કુડીની ભસ્માદિને ન પાઠવે તે, અગર સૂર્યોદય પૂર્વે પરઠવે તે. ૨૦ વનસ્પતિ અને વ્યસ-જવવાળી ભૂમિએ માગું આદિ પરઠવે તો. ૨૧ પારિષ્ઠાપનિકા-ભૂમિનું વિધિપૂર્વક પડિલેહણ ન કરે તે. ૨૨ વગર મુહપત્તિએ કિયા કરે છે કે બગાસું કે વાચનાદિ સ્વાધ્યાય કરે તે. ૨૩ સાવરણીથી કાજો કાઢે તે ૨૪ સૂર્યોદય પછી પહેલા પહોરમાં એક ઘડી બાકી રહે ત્યાં સુધી નવું ન ભણે તે અગર સ્વાધ્યાય ન કરે તે. Page #185 -------------------------------------------------------------------------- ________________ અસદવતનની યાદી ૧૭૬ ૨૫ દિવસના પહેલા પહોરે સ્વાધ્યાયને બદલે વિકથા કરે તે. ૨૬ સ્વાધ્યાયાદિની શક્તિ ન હોય તે દિવસના પહેલા પહોરે નવકારમંત્રનું મરણ ન કરે તે. ૨૭ વ્યાખ્યાન ન સાંભળે તો અગર વાચનાદિ, રવાધ્યાય કે અર્થ–ગ્રહણ ન કરે તે. ૨૮ પ્રતિક્રમણ, વાચના કે સ્વાધ્યાય કરતાં, ચાલતાં કે ઉભા રહેતાં તેઉકાયની ઉજેહી પડતાં શરીરાદિને સંકોચ ન કરે તે. ૨૯ થઈ ગયેલ પાપની આલેચના કરી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત - ન લે તે. ૩૦ પહેલી કે બીજી પિરસમાં ફરવાની દૃષ્ટિએ ઉપાશ્રય બહાર જાય તે. ૩૧ ગૃહસ્થના ઘર પાસે અશુચિ કરે તે. ૩૨ રાત્રે ઠલે જાય તે. ૩૩ દિવસે જઈ ન રાખેલ (વગર પડિલેહેલી) ભૂમિએ રાત્રે ઠલ્લો-માગું પરઠ તે. ૩૪ પહેલા કે બીજા પહોરમાં સ્વાધ્યાયાદિ પડતા મૂકીને વિકથા, અનુપયોગી વાત કે આર્નાદિ-ધ્યાનને પિષક કથાઓ કરે કે ઉદીરે તે. ૩૫ ઉપાશ્રયમાંથી નિકળતાં “માણસ” ન બેલે તે. ૩૬ ઉપાશ્રયમાં પેસતાં “બિસિદી” ન બોલે તે. ૩૭ વારંવાર ઉપાશ્રયમાંથી બહાર જાય તે... ' ૩૮ ગુરુ-આજ્ઞાથી ગોચરી આદિ માટે વસતિમાંથી બહાર ગયા પછી રસ્તા વચ્ચે ગમે ત્યાં કથા-વિકથાતિ કરે તે Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સાધુતાની જ્યાત ૩૯ (મેાજા' આદિ) પગરખાંના ઉપયોગ કરે તા. ૪૦ વિચાર–પૂર્વક, મધુર, ઘેાડુ', કામપુરતું, ગવ રહિત, તુચ્છકારરહિત, નિર્દોષ અને સ્વ-પરહિતકારી ભાષા ના આલે તા. ૪૧ સાવદ્ય-ભાષા ખેલે તા. ૪૨ વધારે માલ-મેલ કરે તા. ૪૩ ‘જ' કારના પ્રયાગપૂર્વક ખેલે તા ૪૪ કષાય કરે કે ઉદીર તા. ૪૫ કષાયની શાંતિ કર્યા વિના વાપરે કે રાતવાસી કષાય રાખે તા. ૪૬ મમભેદી, પુરૂષ, કર્કશ, અનિષ્ટા, નિષ્ઠુર વચના મેાલે તા. ૪૭ કચકચાટ, લડાઈ, ઝગડા, ટટા કરે તેા.અસભ્ય ભાષા કે અપશબ્દો મેલે તા. ૪૮ વડીલેાની અવહેલના કરે તા. ૪૯ ગચ્છ, સંઘ કે માંડલીની મર્યાદાનુ ઉલ્લુ ધન ક૨ે તા. ૫૦ અયેાગ્યને સૂત્રા ભણાવે કે અવિધિથી સારણા-વારણાદિ કરે તા. ૫૧ એસતાં કે ઉભા થતાં સંડાસા (સાંધા)એનું પ્રમાન ન કરે તા. પર કોઈપણ ચીજને લેતાં-મૂકતાં પૂજવા-પ્રમા વાના ઉપયેાગ ન રાખે તેા. જેમ તેમ કાઇ પણ ચીજ લે–મુકે તા. Page #187 -------------------------------------------------------------------------- ________________ અસહવર્તનની યાદી ૧૮૧ ૫૩ સંયમની સાધનાને અનુકુળ ઉપધિ જરૂર કરતાં વધારે રાખે તો. ૫૪ ઘાને ખભા પર કુહાડાની જેમ રાખે તે. ૫૫ કપડાં, ઓ કે દાંડાને અવિધિથી ઉપયોગ કરે તે. ૫૬ અંગોપાંગ દબાવવા-આદિ શરીર-શુશ્રુષા કરાવે તે. ૫૭ બે–કાળજીથી કાંઈપણ સંયમપકરણ ખેવાઈ જાય તે. ૫૮ જાયે-અજાણ્યે વિજળી–વરસાદને સંઘદો થાય તે. ૫૯ સ્ત્રીને પરંપરાએ પણ સંઘો થાય તે. ૬૦ અકપ્ય–વસ્તુનું ગ્રહણ કરે તે. ૬૧ ગોચરી ગયે છતે કથા-વિકથા આદિ કરે તે. ૬૨ ગોચરી જે રીતે જે ક્રમથી વહેરી હોય તે રીતે ગુરુ પાસે ન આવે તો. ૬૩ પચ્ચખાણ પાર્યા વિના ગોચરી વાપરે છે. ૬૪ સાધુઓની ભક્તિ કર્યા વિના ગોચરી વાપરે છે. ૬૫ વાપરતાં કે ગેચરી વહેંચતાં દાણું વેરે તે. ૬૬ વિવિધ-પ્રકારથી રસેના આસ્વાદપૂર્વક ગોચરી વાપરે છે. ૬૭ સ્વાદિષ્ટ–વસ્તુમાં રાગ કરે તે. ૬૮ કાઉસ્સગ્ન કર્યા વિના (ગુરુની સંમતિ લીધા વિના) વિગઈ વાપરે તે. ૬૯ બે વિગઈથી વધારે વાપરે છે. ૭૦ નિષ્ણજન (સ્વાદ–દષ્ટિથી) વિગઈ વાપરે છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સાધુતાની જ્ગ્યાત ૭૧ ગ્લાન–નિમિત્તની ચીજ ગ્લાનને આપ્યા વિના વાપરી જાય તા. ૭૨ ગ્લાનની ભક્તિ કર્યા વિના વાપરે તા. ૭૩ પેાતાના બધા કામ પડતા મૂકી ગ્લાનની ભક્તિ ન કરે તેા. ૭૪ શ્લાનની ભક્તિના બહાને પોતાના સ્વાધ્યાયાદિમાં પ્રમાદ કરે તા. ૭૫ ગ્લાનાવસ્થામાં કારણે સેવવા પડેલ દાષાનું પ્રાયશ્ચિત્ત ન લે તા. ૭૬ ગ્લાનનાં કહેતાંની સાથે જ તેનું કામ ન કરે તેા. ૭૭ ગેાચરીના ખેંતાલીસ ઢાષાની યથાશકથ જયણા ન રાખે તા. ૭૮ ૭ કારણ સિવાય ગેાચરી વાપરે તેા. ૭૯ વાપરતી વખતે સારી-ખરાબ ચીજની કે તેના આપનારની પ્રશ'સા-નિંદા કરે તા. ૮૦ રસ-લાલુપતાથી પદાથ ને વધુ સ્વાદિષ્ટ બનાવી વાપરે તા. ૮૧ છતી શક્તિએ આઠમ, ચૌદશ કે જ્ઞાન-પાંચમે ઉપવાસ, ચેામાસીના છઠ્ઠું કે સંવત્સરીના અઠ્ઠમ ન કરે તેા. ૮૨ સચમના ઉપકરણા વ્યવસ્થિત સભાળપૂવર્ણાંક ન રાખે તા. ૮૩ પાત્રાં ખાંધતાં ઝાળીની ગાંઠ ન હેાડે તા. ૮૪ ગાચરી વાપર્યા પછી માંડલીને કાજો ન લે તેા. ૮૫ સાંજના પ્રતિક્રમણ કર્યા પછી વિધિપૂર્વક ઉપયાગ સાથે સ્વાધ્યાય (પહેલા પહોર પૂરા થાય ત્યાં સુધી) ન કરે તા. Page #189 -------------------------------------------------------------------------- ________________ અસદુવતોની યાદી ૧૮e ૮૬ પ્રથમ પિરસી પૂરી થયા વિના સંથારો પાથરે તે. ૮૭ સંથારો પાથર્યા વિના સૂઈ જાય તે. ૮૮ વગર–પડિલેહેલી જગ્યાએ સંથારે કરે તે. ૮૯ અવિધિથી સંથારે કરે તે. ૯૦ ઉત્તરપટ્ટો ન પાથરે તે. ૯૧ બેવડો ઉત્તર પટો પાથરે તે. ૯૨ સર્વ જીવરાંશિને સાચા દિલથી એમાપના કર્યા વિના સૂઈ જાય તે. ૯૩ આહાર-ઉપાધિ અને શરીરને સાગારિક રીતે વોસિરાવ્યા વિના સૂઈ જાય તો. હ૪ કાનમાં રૂના કુંડલ નાખ્યા વિના સૂઈ જાય તો. ૫ સંથારામાં સૂતી વખતે ગુરુ-પરંપરાગત મંત્રાક્ષથી આત્મરક્ષા કર્યા વિના સૂએ તો. ૯૬ અનિત્યાદિ બાર ભાવનાઓ વિચાર્યા વિના સૂએ તો. ૯૭ રાત્રે છીંક, બગાસું કે ઉધરસ ખાય, અગર તેની ગ્ય જયણ ન સાચવે તો. ૯૮ ઉંઘ પૂરી થયા પછી પણ પ્રમાદાદિથી મર્યાદા ઉપરાંત સંથારામાં પડ્યા રહે તે. ૯ સચિત્ત, પૃથિવી આદિ છ કાયાને જાણતાં-અજાણતાં સાક્ષાત્ કે પરંપરાએ સંઘદો થાય તે. ૧૦૦ વાપર્યા પછીનું ચિત્યવંદન ન કરે તે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સાધુતાની ન્યાત ૧૦૧ શાસ્ત્રીય-મર્યાદાનુસાર સંયમી-જીવન જીવવા માટે બેદરકારી સેવે તો. આ મુજબ કેટલીક સંયમ-વિરૂદ્ધ આચરણાઓ જાણવી. તેના સેવનથી સંયમારાધના દૂષિત થાય છે. માટે સદગુરુ પાસે તેનું યોગ્ય પ્રાયશ્ચિત લઈ સંયમની આરાધના નિર્મલ કરવા માટે જાગૃત રહેવું જોઈએ. આ નેધ પરમ પવિત્ર શ્રી મહાનિશીથસૂત્ર આદિ આગમિક-આચારગ્રંથોના આધારે તૈયાર કરી છે. આરાધકનું કર્તવ્ય વિચારની સમતુલા જાળવવી જરૂરી છે. તે કરતાં પણ વૃતિઓમાં સમર્પણ ભાવ જાળવવો વધુ જરૂરી છે. આરાધકની ફરજો. વિચારો અને તેની પરિણતિ એ બન્નેનું મિશ્રણ આપણું અંતર શક્તિઓને અજવાળે છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ PREFEREFEREFFEREFE સાગરનાં મોતી # સોનું, ચાંદી કે ઝવેરાતની જેટલી કિંમત મગ જમાં છે તેના કેડમેં ભાંગે પણ ધર્મની કિંમત સમજાય તો ધર્મની પ્રવૃત્તિમાં ઉલ્લાસ જાગે. કેઈની ટીકા કરવાના બદલે તેના કામની પ્રશંમાં કરો! જેથી તેને ઉલ્લાસ વધે ! આપણા પ્રતિ આદરભાવ સામાને ઉત્પન્ન થાય તેવું વાતાવરણ કેળવવું જરૂરી છે કે જેથી તેની છતી –ભૂલોને કરાતો નિર્દેશ પોતાની મેળે ઓળખી દોષ–મુક્ત બનવા પ્રયત્ન કરી શકે ! જ વચનને ઉપગ બીજાના ઉલ્લાસની જાગૃતિ કેળવવા કરવો જરૂરી છે. * દરેક માણસ પોતાની પ્રશંસા અને મહત્વ ઈચ્છે છે, પણ દુઃખની વાત એ છે કે આ બન્ને ચીજ બીજાને આપવા તૈયાર નથી, તે આપ્યા વિના શી રીતે મળે? એ પણ ખાસ વિચારણીય છે. * બીજાની ટીકા કરનારો માણસ અણસમજથી પણ દુશ્મનાવટની ખરીદી કરે છે. FEEEEEEEEEEEEEEEEEEEEE Page #192 -------------------------------------------------------------------------- ________________ பேபபபபபபபபது. દરેક પૂજ્ય સાધુ-સાઠવીજીઓએ આ પુસ્તિકાનો અચૂક સદુપયોગ કરવો આત્મ શુદ્ધિ માટે અંતરની ચક્ષુથી ભૂલોનું યથાર્થ દર્શન જરૂરી છે, आलोचना परिणतो हि साधुः આલોચના વિધિપૂર્વક નિખાલસપણે ગુરુસમક્ષ ભૂલની કબૂલાત ગુરુ તે જે આત્મ-શુદ્ધિનો રાહ ચીંધે ! ર લ શિષ્ય તે જે આત્મશુદ્ધિ માટે મથે ! ચક * ગુરુભગવંતને વિનયપૂર્વક આચના આપવી Sત * ગુરુભગવંત પાસેથી શુદ્ધ ચિત્ત-પ્રાયશ્ચિત લેવું. ભરત પ્રિન્ટરી દાણાપીઠ પાછળ તળાવ, પાલીતાણા