________________
9XO
સાધુતાની ન્યાત ભક્તપિંડ, ઓળખાણ પિંડ, સદંતર ગ્રહણ ન કરવા આ અંગે સાધુઓને સજાગ રાખવા. સાધુઓને રોજ બપોરે ૨ થી ૩ એક કલાક વાંચના
જરૂર આપવી. ૭ પ્રશમરતિ, અધ્યાત્મકલપકુમ, વૈરાગ્યશતક-જ્ઞાનસાર,
શાંત-સુધારસ અધ્યાત્મસાર, અધ્યાત્મપનિષદુ, આદિ વિરાગ્ય-પોષક ગ્રંથનું વાંચન સાધુઓને જરૂર કરાવવું. ૮ પાંચ તિથિએ આયંબિલથી ઓછું પચ્ચક્ખાણ તથા
બાકીની તિથિએ એકાસણાથી ઓછું પચ્ચક્ખાણ તથા અન્ય દિવસમાં બેયાસણાથી ઓછું પચ્ચકખાણ ઉચિત નથી, પર્વાધિરાજ આદિ વિશિષ્ટ દિવસેએ નવકારશીને
ત્યાગ ઉચિત છે. ૯ વિગઈઓને અનલ–અમર્યાદિત ઉપયોગ તથા રસોડું ટેળી-જનશાળા-આદિને આહાર સંયમ ટકાવવા માટે ખૂબ જ ખતરનાક છે અને આયંબિલ ખાતાનું
પાણું સંયમને દૂષિત કરે છે. ૧૦ વ્યાખ્યાન સિવાય સાધ્વીએ કે શ્રાવિકા ઉપાશ્રયમાં
સદંતર ન આવે તે આજે સાધુઓ માટે ચારિત્ર-શુદ્ધિ
અંગે ખાસ જરૂરી છે. ૧૧ બહારગામથી વંદનાર્થે આવેલ શ્રાવકે સાથે વાત કરવા અન્ય
સાધુને પડખે રાખી વ્યાખ્યાન પછીના એક કલાકમાં મળવું. ૧૨ ગ્રહણ શિક્ષા-આસેવનશિક્ષા અને સામાચારીનું પાલન આ
ત્રણ બાબતે આજના સાધુ-જીવનમાં ખૂબ જ અત્યંત અગત્યની જરૂરી છે.