________________
પગદંડીઓ
૧૦૧ ૬૯ ગુરુમહારાજની કેઈપણ આજ્ઞાને આત્મ-હિતકર માની
: હદયના ઉલ્લાસથી અમલી બનાવવા પ્રયત્ન કરે. ૭૦ પિતાની મરજી મુજબ ચાલનાર સાધુ કદીપણ સંયમની
મર્યાદાઓ જાળવી શકતો નથી. ૭૧ “મને આમ લાગે છે માટે હું તે આમ જ કરીશ” એ
કદાગ્રહ ન રાખતાં પૂજ્ય ગુરુદેવને જે યોગ્ય લાગે તે
રીતે જ કામ કરવાનો આગ્રહ રાખો. ૭૨ સ્ત્રી સાથે વાતચીત, બહુ કે વારંવાર વિગઈને વપરાશ
શરીરની શેભા-ટાપટીપ આ ત્રણે સાધુ માટે તાલપુટ - ઝેર સમાન ભયંકર છે. ૭૩ જે સંસારનો દુઃખથી અને પાપથી ભરેલો જાણી ત્યાગ * કર્યો, હવે તે સંસારની ફુલામણીમાં ફરીથી ન ફુલાઈ
જવાય તે માટે સાવધ રહેવું ઘટે. ૭૪ સાધુને જે સુખ સંયમના અનુભવથી મળે છે, તે દેવેન્દ્ર
કે ચક્રવર્તીને પણ નથી મળતું. ૭૫ સંયમમાં દુઃખ ઓછું સુખ વધારે ! સંસારમાં સુખ ઓછું - દુઃખ વધારે! આ એક નકકર હકીકત છે ! ભલે ! બાહા
દૃષ્ટિથી આપણને વિપરીત લાગતું હોય કે–“સંયમમાં દુઃખ વધારે છે અને સંસારમાં સુખ વધારે છે. ખરેખર આ બ્રમાત્મક અનુભવ છે.