________________
સાધક મુનિની અંતરંગ આત્મ-વિચારણું
(એકાંતમાં વાંચવા જેવી) વર્તમાનનું મ્હારૂં જીવન અને શાસ્ત્રમાં બતાવેલા મુનિના આચાર-વિચારે આ બે સામે નજર નાંખતાં હેજ પણ પરિણત–સાધુપણું મારામાં જણાતું નથી!
હવે શાના મુનિપણાના આચારો સાથે મારા જીવનને મેળ કઈ રીતે મેળવો? વીતરાગ-પરમાત્માની આજ્ઞાના બંધારણમાં મારા આત્માને કઈ રીતે લાવો?
સુખ-શીલીયાપણું વારંવાર આવી જાય છે? મનને સ્થિર રાખવાના પ્રયત્નમાં સફળતા મળતી નથી!
કષાય અને એની આડમાં થઈ રહેલ વૃત્તિઓનું પિષણ કાતીલ-Qરીઓની માફક મારા આરાધનાના મર્મને ભેદી રહી છે !!!
સંઘયણ-બળની ખામીના નામે મ્હારી નિર્બળતાઓનું થતું પિષણ મને મુંઝવે છે.
શરીર વારંવાર આડાઈ કરીને રીસાઈ જાય છે. અનુકૂલતાની ઈચ્છા છાતી ઉપર વારંવાર ચઢી બેસે છે. પ્રતિકૂલતા તે સહેજ પણ ગમતી નથી.
કર્મની નિર્જરામાં અને માર્ગની સ્થિરતામાં કલ્યાણમિત્રનું કામ કરનારા પરિષહ આવતાં પહેલાં રોકી દેવાનું મન થાય છે.