________________
સંયમની સાધનારૂપ
૫ ગ દ ડી ઓ ૧ ગુરુ આજ્ઞા એ સંયમસાધનાનો મુખ્ય પ્રાણ છે, તે વિના
કદી પણ આત્મકલ્યાણના પંથે પ્રયાણ શક્ય નથી જ ! ૨ ગુરુના ચરણોમાં આત્મ-સમર્પણ સંયમ સાધનાનું
મુખ્ય અંગ છે. ૩ ગુરુ-મહારાજને ઉપકાર રેજ સ્મરણ કરવો જોઈએ કે
મને ભવસમુદ્રમાં પડતે કે બચાવ્યો? અને બચાવવા હજી પણ નિષ્કારણ-કરૂણ વરસાવી રહ્યા છે. ૪ ગુરુમહારાજ કાંઈપણ કહે-આજ્ઞા કરે, ભૂલ થતાં તે સંબંધી ઠપકો આપે કે કદાચ કઠેર–સ્વરે તર્જનાદિ પણ કરે, પણ આ બધું મારા આત્માના એકાંત હિત. અર્થે છે. મારા ભાવગને હઠાવવા તેની તીવ્રતા આદિની અપેક્ષાએ મૃદુ-મધ્ય–તીવ્ર કે કડવા ઔષધના વિવિધ પ્રયોગોની પ્રક્રિયા પૂજ્ય ગુરુદેવ અપનાવી રહ્યા છે! ! આ જાતની શુભ ચિંતન વિવેકબળે ટકાવવી
જરૂરી છે. ૫ પૂજ્ય અને ઉપકારી ગુરુદેવ કે વડિલની સામે કદી પણ જેમ તેમ અસત્ય ન બોલાય આ માટે પૂરતું ધ્યાન રાખવું.