________________
ગીતાથ–મહાપુરુષોની નિશ્રા અને આગમેના ગંભીર વાંચન-મનન દ્વારા મેળવેલી સંયમશુદ્ધિ માટે જરૂરી મહત્ત્વની
વિચાર-કંડિકાઓ ૧ કેઈપણ નાની-મોટી ધર્મક્રિયા છતી જાણકારીએ-છતી
શક્તિએ વિધિ-મુદ્રાના ઉપયોગ વિના વેઠ રૂપે કરવી ઉચિત નથી. ૨ પ્રભુ-શાસનની મર્યાદા પ્રમાણે સાધુ-જીવને જઘન્ય કક્ષાએ પણ આરંભ-સમારંભમાં સ્વતઃ પ્રવૃત્તિવાળું ન હેવું જોઈએ તેનો ખૂબ આગ્રહ હોવો જોઈએ. તેથી કાચું પાણી, તેઉકાય, ઉજેડી,નિગેદ, લીલોતરીની વિરાધના, ત્રસ–જીવોની વિરાધના અને સ્વચ્છંદ રીતે આરંભ–સમારંભની પ્રવૃત્તિની અનુમતિવાળા પ્રયત્ન ઉચિત નથી. ૩ ઘડિયાળ, ઈંડીપેન, ફેટાઓ, શેખની ચીજ, ફેશનેબલ
ચીજો, વસ્ત્રની ટાપટીપ સાધુઓને ઉચિત નહીં. ૪ વ્યક્તિગત નિંદા બેલવી–સાંભળવી ઉચિત નહીં. ૫ ગમે તેવા ધર્મ–વિરોધી નાસ્તિક કે અનાચારીની પણ
હલકા અસભ્ય શબ્દોથી નવાજવાની રીત ઉચિત નથી. ૬ સાધુઓ સવારે ૧૦ વાગ્યા સુધી નવું ભણે નહીં-પુનરાવર્તન ન કરે તે ઉચિત નથી.