________________
६८
સાધુતાની જાત (૫૯) કઈ પણ વસ્તુને આગમથી અથવા અનુભવથી નિઈવને નિશ્ચય ન થાય ત્યાં સુધી તે વસ્તુને ઉપયોગ રાંચમીને થાય નહિં.
(૬૦) તૈયાર ખડીયાની સહી સચિત્તને સંભવ હેવાથી અને અચિત્તની ખાત્રી ન હોવાથી સ્પર્શ પણ થાય નહિ, તે પછી વાપરવાનું તે પૂછવું જ શું? બોલપેનમાં પણ વિચારવા જેવું છે.
(૬૧) કેવલીની દષ્ટિએ શુદ્ધ રહેલી વસ્તુમાં પણ અ-માયાવી છદ્મસ્થ–સાધુને શ્રુત-અનુસરે વિચાર કરતાં અશુદ્ધની શંકા આવે તો તે વ્યવહારમાં અશુદ્ધ ગણાય. તે અને કેવલીની દષ્ટિએ અ-શુદ્ધ રહેલી વસ્તુ પણ મૃતઅનુસારે વિચાર કરતાં શુદ્ધ જણાય તે તે વ્યવહારમાં શુદ્ધ જ કહેવાય..
કેવલી સ્વયં ગોચરી જાય તે અશુદ્ધ લાવે નહિ, પરંતુ અ-માયાવી છદ્મસ્થ-શિષ્યોએ ઉપગપૂર્વક શ્રતને અનુસારે શુદ્ધ જાણીને લાવેલી ગોચરીને કેવલીએ કેવલજ્ઞાન વડે અશુદ્ધ દેખે તે પણ વાપરે, જે ન વાપરે તે શાસ્ત્રો અપ્રમાણ થાય, અને વ્યવહાર નષ્ટ થાય,
(૬૨) સંયમી સાધુ ઉત્સર્ગ માર્ગે દવા કરાવે નહિ, પરંતુ મન સમાધિમાં ન રહે અને આવશ્યક-અનુષ્ઠાનેમાં શિથિલતા આવે તે અપવાદ માર્ગે અનિચ્છાએ દવા કરાવે.
(ઉત્ત)