________________
સચોટ નિયમાવલી
૭૯ * સાધ્વી કાગળ લખે ત્યારે તેમાં સાધુઓ તથા શ્રાવકના સુખશાતાના સમાચાર લખવાની પદ્ધતિ રાખવી નહિ.
મલિન-વ્યવહારવાળા સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકાઓને ઘણે પરિચય રાખવો નહીં, ઉચિત જાળવવું. ત્યાંથી ખસી જવું. છેવટે ગામ છોડી દેવું.
જ આપણું નિમિત્ત કોઈ અધમ પામે–પાપકર્મ બાંધે કે પતિત થતું હોય તે આપણી પ્રવૃત્તિ બદલવી જોઈએ જેમ કે ગામ છોડવું, તેવા સ્થાને જવું નહીં, સંસર્ગમાં ન આવવું. દૂર ખસી જવું.
* દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રી સંયમની શુદ્ધિ અને આત્મગુણ (દર્શન-જ્ઞાન અને ચારિત્ર)ની વૃદ્ધિ થાય તે પ્રમાણે વર્તવું.
જ સંસ્કારની ભૂમિ પલટાયા વિના સંસ્કારે નિષ્ક્રિય બનતાં નથી અને સંસ્કારેતી નિષ્ક્રિયતા એ જીવનશુદ્ધિનું પ્રથમ સોપાન છે.