________________
3
SS SS સત્સંગ-સંજીવની RERS
) (
પૂ. શ્રી અંબાલાલભાઇએ પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર ઉપર લખેલા પત્રો
|
મહાદિવ્યા ક્ષીરત્ન, શબ્દજિત વરાત્મજમ્ |
શ્રી રાજચંદ્રમહં વંદે તત્ત્વલોચન દાયકમ્ || પરબ્રહ્મ, આનંદમૂર્તિ, સહજાનંદ, પૂર્ણાનંદી, પરમશાંતિને આપનાર, પુરુષોત્તમ, નારાયણ, મહત્ કલિકાલના અંધકાર નિવારણ કરનાર, મહાયોગિશ્વર શ્રી કૃપાનાથ,
હાલમાં પત્ર નથી. આજ દિન પર્યત હે ભગવાન, અવિનય, આશાતના, અભક્તિ મન, વચન, કાયાથી થઇ હોય તો પુનઃ પુનઃ ખમાવું છું. પ્રભુ, અત્યંત પ્રત્યક્ષ છતાં તેને વિષે લય કેમ થતી નહીં હોય? એ મોટું આશ્ચર્ય છે. તે લય કરવા સમાગમ કરાવો એટલે આશાતના થવાનો વખત કોઈ પણ કાળમાં થાય નહિં.
જે પરમાત્માને પામવા યોગિયો મહેનત કરે છે તે મને સહેજે મળ્યા એવા પૂર્વના સંસ્કારને નમસ્કાર. લી. બાળના પુનઃ પુનઃ નમસ્કાર
પત્ર-૨
વૈશાખ વદ ૪, રવિ, ૧૯૪૮ પ્રભુશ્રીજીને ત્રિકાળ નમસ્કાર પરમકૃપાળુ કૃપાનાથ પરમ પૂજ્ય પ્રભુશ્રી,
હાલમાં આ બાળકોને આપના પવિત્ર હસ્તના લખેલ પત્રથી દર્શન લાભ થયો નથી. કૃપા કરી ટપાલ દ્વારા છોરૂની સંભાળ લેશો.
| વિચારસાગર હાલમાં રાતના સમાગમ વખતે વંચાય છે. પણ તે હિંદી ભાષામાં હોવાથી બરાબર સમજી શકતો નથી પણ કરસનદાસના વાંચવામાં બે એક વખત આવવાથી તેમની સમજણ પ્રમાણે સમજાવી શકે છે. તે વિદિત થવા લખ્યું છે. | કપાનાથશ્રી ! માયાની પ્રવૃત્તિ વિશેષ રહે છે, તેથી સત્સંબંધીના સંસ્કાર સ્થિત થતા નથી, તો આ અલ્પજ્ઞ છોરૂની શી દશા થશે? હે પ્રભુ ! માયાના પ્રપંચમાં રહી આ બાળક સુધરી શકે એ તો આપની પરમ કૃપા હોય તો જ બની શકે. બાકી આપની કૃપા વડે કરીને આપના ચરણ સમીપમાં સુધરી જવાનું બને ખરું. માટે હે દયાળુ નાથ ! આ એક પામર પ્રાણીને આપના સમીપમાં રાખશો.
માયા પ્રપંચરૂપ ભયંકર અગ્નિના તાપમાં આ અલ્પજ્ઞ આત્મા બળી જાય છે. તેને શીતલભૂત થવામાં એક આપનું જ શરણ છે. અને આપ જ છો.
દયાળુનાથ ! આપ દયાળુની આ દીન છોરૂ ઉપર કાંઇ થોડી દયા નથી. પણ કોઈ કેવાયે કર્મની પ્રબળતા
૧૩