________________
O SERS WEREસત્સંગ-સંજીવની SRESPERS (
લિ. અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર. | (જવાબ વ. ૬૯૭)
પત્ર-૧૮
ખંભાત
બીજા જેઠ વદ ૯, ભોમ, ૧૯૫૨ શ્રી સદ્ગુરુ પ્રભુ રાજચંદ્રજી શરણં મમ: આ અનિત્ય અને અશરણ એવા ત્રાસરૂપ સંસારમાં એક સગરનું આપ પવિત્રનાથનું જ શરણ સત્ય છે.
સુશભાઇ ખુશાલદાસ ગઇ કાલે સોમવારની રાતના આઠ વાગ્યાના સુમારે આ ભૂમિનો ત્યાગ કરી ચાલ્યા ગયા છે. મરણાંતની બે મિનિટ અગાઉ સુધી સાવધાનથી પોતે ભક્તિમાં લક્ષ રાખ્યો હતો. યુવાવસ્થાના પહેલા ભાગમાં પોતે દેહનો ત્યાગ કરી ચાલ્યા ગયા. એવો પ્રત્યક્ષ બનાવ જોઇ આ આત્માને દઢત્વ થતું નથી અને પોતે તો મરવું જ નથી એવો દઢ નિશ્ચય રાખેલો છે. પ્રત્યક્ષ, બાળ, યુવાન અને વૃદ્ધ એવા સેંકડો મરણ નજરે જોતાં છતાં આ લેખકની છાતી પીગળતી નથી. એ જ આ લેખકની અનંત અનંત મૂઢદશાની અજ્ઞાનતા છે. વિશેષ શું કહ્યું. આ જીવ જ દિશામુઢ રહેવા ઇચ્છે છે. તેવા પ્રકાર સેવે છે, તેવા કારણ ઉપાર્જન કરે છે, અને તેમાં જ પ્રીતિ રાખે છે, એ જ ધિક્કારવાયોગ્ય આ આત્માની મૂઢતા છે.
હાલ એ જ. અલ્પેશ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર.
પત્ર-૧૯
ખંભાત અષાઢ સુદ ૧, શની, ૧૯૫૨
શ્રી સદ્ગુરુભ્યો નમો નમ:
પરમકૃપાળુ પરમદયાળુ, સહજાનંદી, પૂર્ણ બ્રહ્મસ્વરૂપી, સદા સ્વરૂપવિલાસી, નિસૃહિ એવા જગ_રૂ પરમાત્મા શ્રી રાજચંદ્રજીને પરમોલ્લાસથી ત્રિકરણયોગે ત્રિકાળ નમસ્કાર.
- પરમ પવિત્ર પરમકૃપામય પત્ર મળ્યો. વાંચી અત્યાનંદ થયો. ફરીથી પત્ર મળશે એમ ધારી લખવામાં થયેલા વિલંબની ક્ષમાપના ઇચ્છું છું. | ભાઇ ખુશાલદાસના મરણના દિવસે સોમવારે બલખા નીકળવાના બંધ થયા હતા, અને સહજ શાતા જણાતી હતી. ભાઇ કલાભાઇ તથા નગીનભાઇ તરફથી પંદર દિવસ આગમનથી એમની સમીપમાં રહેવાનું અને રાત્રે સૂવાનું રાખ્યું હતું. સોમવારે શ્રી વચનામૃતોના પત્રો વાંચવાનું વિશેષ ચાલ્યું હતું. તે જ દિવસ જરા શ્વાસની ઉત્પત્તિ વધારે હતી. પણ પંચેન્દ્રિયો સાવધાનપણે સારી હતી. ત્રણ વાગ્યાના સુમારે કીલાભાઇ વાળુ કરવા ગયા, તે વખતે સહજ ઘરવાળાએ સ્વાર્થી ગરબડ કરી મૂકી. અને સ્ત્રીઆદિકને કંઇ કહેવા કરવા વિશેની વાત તે લોકો તરફથી નીકળવાથી, ખુશાલદાસનું ચિત્ત એમાં પરોવાયું હતું. જે એક કલાક એ વાતનો પ્રસંગ રહ્યો હતો. કલાભાઇનું ચાર વાગે આવવું થયું હતું. તે વખતથી પ્રથમની વાતનું સમાધાન કરી છ પદનો પત્ર
-
૨૫