________________
O GSSSB) સત્સંગ-સંજીવની (PARK EXAM
મૂઢ સેવકની વખતોવખત ખબર લેશો. કારણ આ કળિકાળનું જોર ઘણું પ્રવર્તે છે. અને આ અનાથ બાળકને સત્સંગનો વિયોગ ચાલ્યો છે. માટે દયાવંત થઈ સેવકની ખબર લેશો એવી આશા છે.
- પ્રિય ભાઈ, આ દેહે કરી હજુ આત્માનું કલ્યાણ કરવાનું છે. માટે તબિયત સાચવતા રહેશો. ને તંદુરસ્તી દિન પ્રતિદિન સુધરતી આવતી હશે તે દયા કરી જણાવશો. આ મૂઢ અને અવગુણી બાળકના લખાણમાં અયોગ્ય અને દોષિત હોય તો કૃપાવંત થઈ સુધારી વાંચવા તસ્દી લેશો. - લિ. વિયોગી સેવકના પ્રણામ.
આપના પ્રેમયુક્ત પત્ર બે આવ્યા તે પહોંચ્યા છે. વાંચી આનંદ થયો છે. આપે લખ્યું કે જ્યાં ત્યાંથી આત્મહિત કરવું તે ઘણું જ સારું. પરંતુ કૃપાળુ જેવા સદગુરૂ મળ્યા છે, ને વળી તેમને મૂકીને બીજા સદ્ગુરૂ ખોળીએ ? કદાચ બીજા મલે તો કાંઈ પાત્રતા વિના હિત કરે નહિ. ને એકને મૂકી બીજાને વળગવું ને બીજાને મૂકી ત્રીજાને વળગવું, એમ આમથી તેમ ફર્યો કાંઈ હિત થાય નહીં. માટે કૃપાળુ સરૂ મળ્યા છે તે જ સાચા છે, અને તે જ હિત કરશે. ને તેમની જ ઉપર અચળ શ્રદ્ધા રાખી બેઠા છીએ. વળી કોઈ માણસને ઘણી તૃષા લાગી છે ને કદી પાણી મળે તો તે ઢોળી દે ? તેમજ કૃપાળુ જેવા સરૂ મળ્યા છે તેમને મૂકીને બીજાને ખોળે તે મુર્ખ માણસ જાણવો. ને વળી આપ લખો છો કે મહાન પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તો ને ચરણ સમીપ થવાની ઈચ્છા રાખ્યા જ રહો. તો હે ભાઈ ! ચરણ સમીપ રહેવાની તો ઘણી જ ઈચ્છા છે, પરંતુ તે પાર પડી નથી. ને વળી કૃપાળુ ઉપર પત્ર લખું છું પણ તેમનો બિલકુલ પત્ર નથી તે સહેજ આપને વિનંતી કરું છું. શ્રીને મારા પ્રણામ કહેશો. અને આવી જ રીતે સેવક ઉપર પત્ર લખશો તો આપની આ સેવક ઉપર ઘણી જ કૃપા છે એમ જાણીશ. ને કોઈક દિવસ હિત થવાનું છે એમ જાણીશ.
પત્ર-૬૦
સંવત ૧૯૪૭ ધર્મેચ્છકભાઈ,
કુશળતામાં છું. આપની આરોગ્યતાનું પત્ર ગયા બુધવારે પહોંચ્યું છે. વાંચી આનંદ થયો છે. એવી જ રીતે સેવક તરફ પત્ર દ્વારાએ દર્શન દેશો.
(ઉગરી)બેનને તાણ મટી ગઈ છે ને શરીરે થોડું થોડું કળતર થાય છે ને હાડમાં તાવ આવે છે, તે સહજ વિદિત કરું છું. [ આ સંસારમાં અનેક પ્રકારના દુ:ખ છે. તેવા જ આપે દર્શાવ્યાં છે. તેવી જ રીતે આ સેવક તરફ ફુરસદની વખતે બોધ લખશો. હે ભાઈ ! ઉદય કર્મને અબંધ પરિણામ ભોગવાય, તે શ્રેયકારી કથન આપે વારંવાર ધ્યાનમાં રાખવા લખ્યું તો તે પ્રમાણે વર્તાય છે, તે સહજ વિદિત કરું છું. બેન હાલમાં માસ એક, દોઢ રહેવાના છે. આપે જવાબ મંગાવ્યો તો નીચે પ્રમાણે.
ભવિષ્યની ઈચ્છા આત્મહિત પ્રગટ કરવા તરફ છે. ધર્મનો લક્ષ ઘણો સારો છે. જે વર્તમાન ચર્યા, પરચૂરણ થોકડાં વાંચવામાં તથા સામાયિકો કરવામાં જાય છે. તે જેમ બને તેમ શોક નિવારે છે તે જાણવું.,
પ્રિય ભાઈ, અમારા બાબત શ્રી કપાળુનાથને ભલામણ કરશો. તો તેમનું ધ્યાન અમારી તરફ ખેંચાશે. તો કોઈક દિવસ અમારું હિત થશે, પ્રિય ભાઈ, આ સવાલનો ઉત્તર ફુરસદ વખતે લખશો. મન, વચન, કાયાના
૨૭૧