Book Title: Rajratna Ambalalbhai Satsangi Sanjivani
Author(s): Mumukshu Gan
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 361
________________ {} સત્સંગ-સંજીવની જગતમાંથી ઊઠી, એક સત્પુરુષને વિષે ભક્તિમાં જોડાય તો કલ્યાણકારક છે. વ સર્વને વિષે અહંકાર અવગુણનો કર્તા છે. જૂઠો ધન, જૂઠી દેહમાં આસક્તિ માનવી એ મૂઢ આ પામરને અજ્ઞાને કરીને છે. કોઈ ભાગ્યના ઉદયે સત્પુરુષનો જોગ મળ્યો છે, તે રખે ચૂકતો. શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધતામેં કેલી કરે શુદ્ધતામેં થિર વહે, અમૃતધારા બરસેં. ધારશી કુશળચંદના પ્રેમપૂર્વક પ્રણામ. પત્ર-૭૨ જે દેહનું અજ્ઞાનપણે મમત્વ થયું હતું તે સમ્યક્ બોધ થવાથી યર્થાથ જાણપણું થયું કે આ દેહ મારો નથી. જ્યારે દેહ જ મારો નથી ત્યારે દેહને અર્થે માન પૂજા સત્કાર ઈત્યાદિક ઈચ્છવા યોગ્ય નથી. તે મુદ્રા કેવી છે ? જેને જગતરૂપ કાર્ય કાંઈ કરવું રહ્યું નથી. જેને પ્રીતિ નથી, અપ્રીતિ નથી. એક જ જ્યાં સ્થિતિ છે, એક જ જ્યાં આત્મા ભાસી રહ્યો છે, એક જ જાણપણારૂપ પરમ સ્થિતિ છે, દેહનો મમત્વ જ્યાં અતિશય છેદાયો છે, તેથી હવે તે કાયાને કોઈ પૂજો, અસ્તુતિ કરો, કોઈ એને છેદો, ભેદો, પણ તે વિષે તેને રાગે નથી, દ્વેષે નથી. એક સમસ્થિત ભાવ છે. આખા જગતના સર્વ પદાર્થ ઉપરથી જેની વૃત્તિ નિવૃત્તિ કરી એક જ આત્મભાવરૂપ સ્થિતિ કરી છે અને તે સ્થિતિ માનને અર્થે નહીં, પૂજાને અર્થે નહીં, આત્મશ્લાઘાને અર્થે નહીં, નિઃશંક કેવળ તે રૂપમાં અવ્યાબાધપણે રહેવાને અર્થે ભાવ કર્યો છે. એવું પરમ જ્યાં દઢત્વ ભાસે છે કે દેહ મારો એવી જ્યાં સ્ફુરણા થતી નથી. જે પદાર્થ અભેદ્ય છે, અખંડ છે, અવિનાશી છે, સહજાનંદ સ્થિતિ છે, અતિ સરળ છે, સત્ ચિદ આનંદરૂપ સ્થિતિ છે. તે જ સ્થિતિનો એક ચિતાર છે. તે સત્પુરુષાર્થ અનુભવમાં લેવા યોગ્ય છે. એમાં સ્થિતિ કરવા યોગ્ય છે. અને પ્રત્યક્ષ સત્પુરુષ પણ તે જ સ્થિતિમાં છે. બોલવામાં - બેસવામાં - સૂવામાં - જેને કાંઈ અભિમાનરૂપ ક્રિયાનો લેશ નથી. blog: FB એ અનુભવ માનવદેહમાં સત્પુરુષના યોગે થાય છે. પૂર્વે ઘણા સ૨ળ આત્માઓને થયો હતો, અને ભવિષ્ય અવશ્ય તેવા આત્માઓને થશે. એ આત્મરૂપ માર્ગ ધ્રુવ છે, નિશ્ચળ છે. અજ્ઞાનીની ક્રિયા કેવળ બંધનો હેતુ છે કારણ દરેક ક્રિયામાં અભિમાનરૂપે જ થાય છે. મહાત્માઓની ક્રિયા નિર્દભ હોય છે. એવી નિર્દભ દશા હે નાથ ! ક્યારે પ્રાપ્ત થશે ? અને એ જ સ્થિતિમાં ક્યારે અહોનિશ, વિચરવું થશે. ઉપયોગનું વિસ્મરણ થવાથી એમ સ્થિતિ થાય છે. તેને માટે અતિશય અતિશય વિચાર કરવો યોગ્ય છે. અને તેને માટે સંતની ભક્તિ અભેદભાવે ક૨વી યોગ્ય છે, ત્યાં સુધી કલ્યાણ થવું સંભવીત નથી. આત્મસ્વરૂપે સ્થિતિ છે જેની એવા મહાત્માઓને પુનઃ પુનઃ નમસ્કાર હો ! sis MP3] પત્ર નં-૭૩ 19 ખંભાતથી પરમકૃપાળુદેવ પ્રત્યે લખાયેલ અનામ પત્ર અનંત વ્યાધિના નાશ કરનાર, અનંત ભવના ક્ષય કરનાર પરમ હિતસ્વી, પરમ દયાનાથ, નિષ્કારણ કરૂણાશીલ, કરૂણાનાજ સાગર, એવા શ્રી પરમ પરમ શ્રીકૃપાળુનાથને ત્રણે કાળ નમસ્કાર. ખંભાતથી લખનાર મૂઢ અને પામર મોહાધિન બાળકના નમસ્કાર. ઓ ભગવાન ! આ ત્રિવિધ તાપરૂપ સંસાર જણાતા છતાં આ દુષ્ટ પરિણામી જીવ, કેમ સર્વ પ્રકારના ૨૮૦

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408