________________
સત્સંગ-સંજીવની હો
માયામાં તદાકારને લીધે સત્પુરૂષનાં વચન, સત્પુરૂષનું ચિત્રપટ, મુમુક્ષુઓનો સમાગમ એ વેઠ જેવો લાગે છે. જેથી આવી માઠી દશા હજી રહી છે. નહીંતો માર્ગ સુલભ છે. હજુ હું ઈદ્રિય વિષયનો લાલચુ છઉં, મહાનીચ છું, દુષ્ટ છઉં, અધમ છઉં, સંકલ્પ વિકલ્પથી રહિત નથી એવા દુષ્ટને તમારા ભાઈઓના ચરણજ પ્રત્યે સદાય પ્રેમ રહો એ ઈચ્છું છઉં.
FDM
હે ભાઈઓ ! સર્વત્ર અહંકાર પૂંઠેને પૂંઠે લાગ્યો રહે છે. આ વાતને ગુપ્ત રખાવનાર પણ અહંકારનો પુત્ર માયા કપટ છે તો હવે તેને ફજેત કર્યા વિના ખસે તેમ નથી એમ જાણી સર્વ ભાઈઓ સમક્ષ આ વાત સ્પષ્ટ જણાવી છે. અહંકારતો બહુ બહુ પ્રકારે છેતરે તેવો છે અને શ્રી હરિ મટાડે તો મટશે કારણકે શ્રી હરિએ અહંકારનો નાશ કર્યો છે જેણે નાશ કર્યો છે તે જ નાશ કરાવશે, ભાઈઓ ! શું લખું ?
લી. અહંકાર આધિન થયેલો બાળકના સર્વ દયાળુભાઈને નમસ્કાર.
''
19-192P
18
the line opin TAD=BACHU
૨૯૫
Th