Book Title: Rajratna Ambalalbhai Satsangi Sanjivani
Author(s): Mumukshu Gan
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 364
________________ અને સત્સંગ-સંજીવની ) આ ચાર મૂળ પ્રકાર કહ્યા અને ઉત્તર પ્રકાર સોળ થાય છે. તે પણ બાધ કરનાર કારણ જાણી તેનો ત્યાગ કહ્યો છે. પણ પ્રથમના અનંતાનુબંધી ક્રોધાદિ પરમ બાધ કરનાર છે. જીવને બેભાન કરાવનાર છે. તે કષાયનું ભાન કરાવનાર સત્પષનો સમાગમ પરમ શ્રેષ્ઠ અને શ્રેયકારી છે. પત્ર-૭૫ જેઠ સુદ ૧૨, શનિ, ૧૯૫૩ શ્રી સાયલા સર્વ શુભોપમાલાયક જોગ ભાઇ શ્રી અંબાલાલ લાલચંદ શ્રી સાયલેથી લી. સોભાગ લલ્લુના પ્રણામ વાંચશો. આપનું પતું આવું તે પોંચ્યું. મારું શરીર નરમ રહે છે. તે ઉપરથી તમારે અત્રે આવવા નગીનદાસ સાથે સાહેબજીએ કહેવડાવેલ. તેથી તમે અત્રે આવા વિચાર કરેલ. પછવાડેથી તાર આવતાં આપ (આળસ્યા) તો હવે લખવાનું કે મારું શરીર દન દશ થઆં વિશેષ નરમ રહે છે. તેમ દન બે થઆં સાવ થોડું અનાજ ખવાય છે. અશક્તિ ઘણી આવી ગઇ છે. દન દન શક્તિ વિશેષ ઘટતી જાય છે. હવે આને લાંબો વખત ચાલે તેમ સંભવ નથી. તો હવે લખવાનું કે સાહેબજીની આજ્ઞા હોય અને આપને અત્રે આવતાં કંઇ હરકત ન હોય તો જરૂર પાંચ દહાડા આવવાનો વિચાર કરશો. એજ. કામકાજ લખશોજી. પત્ર-૭૬ અષાઢ વદી ૪, ગુરૂ, ૧૯૫૪ પરમ પૂજ્ય ભાઈ શ્રી અંબાલાલ પ્રત્યે, મું. ખંભાત વિજ્ઞપ્તિ કે આજ દિને શા. મૂળચંદ દીપચંદની બીદડી મધ્ય યુગપ્રધાનના યંત્રના પાના ૨૯ મોકલ્યાં છે. તે પોંચેથી પહોંચ ઇચ્છું છું. મેં કપાળુદેવ પ્રત્યે ફોટોગ્રાફ માટે પત્ર લખ્યો છે. તે આપના ઉપર આજ્ઞા આવ્યથી મોકલવા કપા કરશો. વિશેષ વનમાળીભાઈએ આપને તથા સત્સંગી ભાઈઓ તથા બેનોને નમસ્કાર લખાવ્યાં છે. હાલ એ જ. લિ. પોપટના નમસ્કાર, સત્સંગી ભાઈઓ બેનોને નમસ્કાર. પત્ર-૭૭ અમદાવાદ તા. ૭-૧-૧૯૦૩ મહા વદ ૧, વાર ગરેલ, ૧૯૫૯ ૐ નમઃ શ્રી ચંદ્રપ્રભુ જિનાય નમઃ ઘાતિ ડુંગર આડા અતિ ઘણાં, તુજ દરિશન જગનાથ,, - ધીઠાઇ કરી મારગ સંચરું, સેંગુ કોઇ ન સાથ. અભિનંદન જિન દરિશન તરસિએ. ૨૮૩

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408