Book Title: Rajratna Ambalalbhai Satsangi Sanjivani
Author(s): Mumukshu Gan
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 359
________________ સત્સંગ-સંજીવની જોગે મોકલવા પરમ કૃપા કરશો. અહોહો ! તે નિરાગી ભગવાનની શી કૃપા કે આ દીન દાસ ગરીબ, અબુધ, સેવકને મહાવાક્યો સાથે બે વખત પત્ર પ્રાપ્તિ કરાવી, તે જ પ્રભુજીનો વારંવાર ઉપકાર માનવા યોગ્ય છે. ધન્યવાદ, તે દેવ પ્રભુજી નિરાગી ભગવાન બાપાજીની સમીપમાં રહી ઉપાસના કરનાર મુમુક્ષુને કે જેઓ પરમ લાભની પ્રાપ્તિને પામ્યા છે, પામે છે, અને પામશે. હું તો એક કંગાળ, દીન, ગરીબ, તે દેવ પ્રભુજીના ચરણનો ભિખારી છું. છવાયો છે ઇન્દ્રિયરૂપી ધુર્તોએ, તેથી મૂકાવવા જેણે કર્મરૂપ શત્રુને જીતીને વિજય કર્યો છે એવા નિરાગી ભગવાન શિવ-શંકર-જગતના ઈશ્વર, અરિહંત દેવ જ સમર્થ છે. માટે તે નિરાગી, પરમ ગુરૂની ઉપાસના હવે કહી નહીં જ મૂકું. વિશેષ શું લખું ? યોગ્યતા પ્રમાણે તે દેવનો વિશ્વાસ છે. વળી એમ જ ઈચ્છું કે તે પ્રેમમાં વૃદ્ધિ થાઓ. કામ સેવા ફરમાવશો. પત્ર વટામણ લખવા કૃપા કરશો. ht તે બાપાજીના પ્રતાપથી આનંદ છે. મોટો સુંદર વિલાસ હું અમદાવાદથી લાવ્યો છું. તે સેવામાં વિદિત થાઓ, પરમ મિત્ર, પરમ સાધર્મિ વિગેરે શુભોપમાયુક્ત તમે જ છો. અમારા જેવા ખાલી ડોળ બતાવી તે રસ્તાનું સેવન નહીં કરે તો અધોગતિનું પાત્ર અવશ્ય થાશે. તે અધોગતિનું પાત્ર નહીં થવામાં તમારી જ સહાયતા છે. લિ. વટામણવાળા દીન કંગાળ દાસના પુનઃ પુનઃ નમસ્કાર હો ! SDS Fis પત્ર-૬૮ શ્રીમદ્ પરમ ગુરૂભ્યો નમઃ પરમ પૂજ્ય પવિત્રાત્મા શ્રી અંબાલાલભાઈની સેવામાં છે $3 વિનંતી જે શ્રીનાથજીની કૃપાએ પુસ્તકોની પ્રાપ્તિ થઈ છે. તે પરમ પવિત્ર પરમ દયાના ધણી દયાળુ સાહેબજીના એક વચનનો પણ યથાવિધિ વિચાર કરવાની ગરીબ દાસમાં શક્તિ નથી. આપને યોગ્ય લાગે તો ‘મોક્ષમાર્ગ પ્રકાશ’ ગ્રંથ આવેલા માણસ સાથે આપવા કૃપા કરશો. પરમકૃપાળુદેવ પ્રભુજીશ્રીની ઈડર ક્ષેત્રે ક્યાં સુધી સ્થિતિ થાય તેમ લાગે છે તે લખશો. કારણ પત્ર ક્યાં લખું ? ઉપદેશ પત્રોની પણ ઈચ્છા છે. જેમ યોગ્ય લાગે તેમ કરશો. આપનો લખેલ સુદ બીજનો પત્ર મને મળ્યો. શ્રીમદ્ પરમગુરુભ્યો નમઃ પવિત્ર ધર્માત્મા પૂજ્ય સાહેબ શ્રી અંબાલાલભાઈ સાહેબની પવિત્ર સેવામાં. ૨૭૮ 319585 આપની તરફથી એવા અમૂલ્ય વચનો નિઃસંદેહ ને સત્ય વાક્ય - આપદા વખતે મળે તે હે પ્રભુ ! સાચા પુરૂષોનું શરણ, સાચા પુરુષોનો સાથ, હું નિરંતર ઈચ્છું છું. શોચ વિશેષ ગણતો નથી. પરંતુ જેટલી ઉપાધિ પાત્ર હતો તે ઉપાધિનો આ વખતે વધારો થયો. માટે દિલગીરી કોઈ વખત રહે છે. હે ભગવાન ! વખતોવખત મહાત્મા પુરુષોની એ જ રીતે સહાય ઈચ્છું છું. આપ જેવા પવિત્ર પુરુષોની જોગવાઈ અને સમાગમ કરવા હું બહુ ઈચ્છતો હતો. પણ ઉંમર નાની - થોડો વખત - દુનિયા તથા સંબંધીનો વ્યવસાયના કારણને ટાળી શક્યો નહીં તે મારી ઘણી જ ભૂલ છે. લિ. દીનદાસ મગનના સાષ્ટાંગ નમસ્કાર પત્ર-૬૯ મહા સુદ, સંવત ૧૯૫૫

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408