________________
GRESS સત્સંગ-સંજીવની
)
સમીપમાં નિવાસ અને પરમકૃપાનુગ્રહ એ જ સમજાય છે. તો પણ તેવો યોગ પ્રાપ્ત થયે તેવો વખત આવ્ય, તે વખતે અત્યારથી જ્યારે તે દોષો વિશેષપણે વર્તે છે ત્યારે તેવા શુભ પ્રસંગે અત્યંતપણે વિશેષરૂપે વર્તવાનો સંભવ લાગે છે. તે માટે પ્રથમથી શું ઉપાયો લેવા કે જેથી તે દોષો વિષેશરૂપે પ્રવર્તી ન શકે એ માટે કેટલેક અંશે વિચાર રહ્યા કરે છે કે જે વિચાર આપ કૃપાળુદેવની અનંત કૃપાથી. ફળીભૂત થાઓ. તમારા
રાત્રિના સત્સમાગમમાં હાલમાં અધ્યાત્મકલ્પદ્રુમ વંચાય છે. લલ્લુભાઇ આદિ મુમુક્ષુઓ આવે છે અને વૈરાગ્ય પ્રાપ્ત થવાની વાતો ચર્ચાય છે. પ્રાત:કાળે યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ વાંચું છું. એક ફેરા વાંચી ગયો છું. ફરીથી વાંચું છું. વિચારવામાં વિશેષ મતિની ગતિ નહીં પહોંચવાથી અટકી જવાય છે. તોપણ યથાશક્તિ વિચારું છું. આ કોઇપણ પ્રકારે અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કે કોઇપણ પ્રકારનો દોષ મારા મન, વચન, કાયા કે આત્માના યોગાધ્યવસાયથી થયો હોય તો વારંવાર મસ્તક નમાવી ક્ષમાપના, ત્રિકરણ યોગે નમસ્કાર કરી ક્ષમાપના ઇચ્છું છું.
ભાઇ લાલચંદભાઇએ ચિત્રપટ એકની માગણી કરી હતી તે વિશે જેમ પવિત્ર આજ્ઞા થશે તેમ વર્તીશ. છોરૂ યોગ્ય કામ સેવાની પવિત્ર આજ્ઞા થવાથી અતિ આનંદમય, મંગળકારી લાભ પ્રાપ્ત થવા ઇચ્છું છું.
અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક પુનઃ પુનઃ નમસ્કાર પરમ પવિત્ર શુભ ચરણસેવામાં પ્રાપ્ત થાય.
(જવાબ વ. ૮૧૯)
પત્ર-૪૩
ખંભાત
અષાઢ વદ ૧૨, ગુરુ, ૧૯૫૨ સ્વયંભૂરમણ એકજ ભૂજાએ કરીને તરી ગયા છે એવા જે સ્વયં પ્રકાશક પ્રભુ રાજચંદ્રજી મહાનશ્રીને ત્રિકાળ નમસ્કાર.
સદા આનંદી, સર્વજ્ઞાની, સર્વધ્યાની, સહજ સ્વરૂપી, સહજાનંદી, સ્વસ્વરૂપ વિલાસી, સમ્યકજ્ઞાની, સમ્યક્દર્શી, શુભજ્ઞાની, શુભધ્યાની, શુભજોગી, શુભલેશી, સમભાવી, શીતળકારી, અધ્યાત્મસ્વરૂપી, શતાવધાની, સર્વાતિત-વિહારી, સર્વજ્ઞ નાથ, સર્વાત્મા સ્વરૂપ, સચિદાનંદ, સર્વોપરી, સલ્લુરુ, સદૈવ, સધર્મ, સદા ઉલ્લાસી, સામાન્ય કેવળી, સાક્ષાત્કાર સત્યરૂષશ્રી, સ્વરૂપ સુખમાં બિરાજમાન, મહાન શ્રી શ્રી શ્રી પ્રભુરાજ્યચંદ્રજી.
દીનદયાળ પ્રભુજીએ, દીન પ્રાણીઓ ઉપર પરમ દયા કરી અમૃત સાગરનું પાન કરાવવા, પરમ અમૃતમય, કૃપા પત્ર (વ. ૬૯૭) પાઠવ્યો. જે વાંચી દય સાથે અંગીકાર કરી પરમ પરમ આનંદ થયો છે. જે પત્રનું મનન કરવાથી પરમ કલ્યાણમય આપે તેવો યથાતથ્ય છે. એવી જ રીતે આ અનાથ પ્રાણીઓની દીનતા ઉપર દયા થવાની કૃપા થશે, તો પરમ મંગલકારી આનંદ પ્રાપ્ત થશે. હે કૃપાસાગર ! સ્વરૂપ સુખમાં લયલીન સદા આત્માના વિષે જે સાક્ષાત્કાર બ્રહ્મસ્વરૂપી પ્રભુએ જરાપણ સમાધિના અંકુરથી દયા કરી આ બાળક સામું જોઇ પત્ર પાઠવ્યો છે જેથી વારંવાર બહુ જ આનંદ થયો છે. પરમ પરમ સંતોષ થયો છે. આ
હે કૃપાવંત પ્રભુજી ! આ પરમ પુરુષોત્તમ પરમ પૂજ્ય દયાળુનાથ સમીપમાં આ દુષ્ટ લેખકે ઘણા જ દોષ
કર્યા છે, અને સન્મુરુષને છેતરવાના પ્રકાર ધારણ કર્યા છે તે એવા કે આવી રીતે વિનયાદિક કરવાથી અથવા IX આમ વર્તવાથી સત્યરુષને સારો કહેવાઉં અને સત્યરુષ પ્રત્યે અમદાસ્યભાવ રાખી પ્રવર્તો . અને જ્ઞાન પ્રાપ્તિ