Book Title: Rajratna Ambalalbhai Satsangi Sanjivani
Author(s): Mumukshu Gan
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 344
________________ O GORI ) સત્સંગ-સંજીવની ) (2/3) (SC) ખેડેથી ભાવસાર મગન તથા મનસુખ એ બંને જણા શ્રીમદ્ પરમકૃપાળુ સમીપે દર્શન ઈચ્છાએ ઈડર ગયેલા તેમાં મગન ખેડે આવ્યા છે. તેમણે મારા ઉપર સંદેશો મોકલાવ્યો છે કે ભૂલે ચૂકે ત્યાં જશો નહીં. અમને દર્શન થયાં તે કેવી રીતે થયાં તે કહી શકાતું નથી માટે જશો નહીં, કારણ કે પોતે ડુંગરોમાં ક્યાં કોતરોમાં વિચરતા ફરે છે, તે પત્તો લાગતો નથી. મુનિઓ કેટલા દિવસથી ગયેલ છે. તેમને પણ ઠપકો મળ્યો છે. ત્રણ મુનિઓને દર્શન થયાં છે. બાકી બીજા મુનિઓને દર્શન થવાની આશા થોડી લાગે છે. એટલે સંદેશ આવ્યો છે તે સાંભળીને તુરત આ પત્ર લખ્યો છે. લિ. સેવક મોતીના પ્રણામ. પત્ર-૫૦ ભરૂચથી સુખલાલ છગનલાલ આપે આ બાળ ઉપર નિષ્કારણ કરૂણા કરેલ છે. આત્મહિત થાય તેવું લખાણ સત્પષોનું આપને પ્રાપ્ત થાય છે. તેમાંથી પ્રસાદરૂપે જે કરૂણા કરો છો, તેનો બદલો ક્યો જીવ આપી શકશે ? તે ભાષાંતર થોડું વાંચ્યું છે, તેની અપૂર્વતા વિચારી જોતાં તો આ ત્રિલોક તેની આગળ તુચ્છ ભાસે છે. એવા ભક્તના ઘરે પ્રભુ પાણી ભરે, શાંતસ્વરૂપ પ્રગટાવે એમાં કાંઈ આશ્ચર્ય નથી. અમે તે ભક્તને, તેની ભક્તિને, તેના ચરણને, પ્રભુ પહેલાં નમસ્કાર કરીએ છીએ. વારંવાર વંદીએ છીએ. તેનું ધ્યાનસ્વરૂપ વિચારીએ છીએ. કારણ કે પ્રભુએ તો માત્ર ચૈતન્યને ચૈતન્યમય, શુદ્ધસ્વરૂપ કરી દીધું છે. પણ આ ભક્ત તો હદ કરી છે. કારણ કે આ ભક્ત તો સર્વ અર્પણ કરી દઈ, મારું ન માની, પ્રભુના શરીરની, પ્રભુના વિચારને, અરે ! તેના વિચાર, તેનું સ્વરૂપ અને તેના જ્ઞાનમાં જે સમાયું છે તે સર્વને એક પ્રભુરૂપ સ્વીકારી આત્માના શુદ્ધ સ્વરૂપમાં ગાળી, એક ચૈતન્યસ્વરૂપ, પરમપ્રેમરૂપ અખંડપણે સ્વીકાર્યું છે. એક અભેદભાવે ભક્તિ કરનાર તે પરાભક્તિના પાત્ર ભગવાનના અનન્ય સ્વરૂપને વંદીએ છીએ. આ ભક્તિ અંતરના શુદ્ધ, સર્વોત્તમ પ્રદેશમાંથી ઉત્પન્ન થાય છે. અને તેવા ભક્તને વીરલા પારખી શકે છે. કંઈ બહારથી તે ભક્તો ઉદય અનુસાર વેદતાં જણાય છે, પણ લોકની દૃષ્ટિ તેની અંતર ઉચ્ચતા ઉપર નથી હોતી. તેથી જગતને દૃશ્યમાન ભાગ્યે જ થાય છે. તેથી જ ભવ્ય જીવોમાં જે જે અંશે ભક્તિ ઉગી છે, તેમને વંદન કરું છું. શ્રી મહાવીર દેવને ઘણી અનુકંપા હતી કે ગોશાળા જેવો એક જીવ સમજ્યો હોત તો બીજા અગિયાર લાખ જીવોને માર્ગ પમાડવાનું નિમિત્ત થાય. તેમ છતાંયે અનંતી અનંતી કરૂણા રાખી હતી. અને તે અનુકંપાનું માહાભ્ય તેથી મહાવીર પ્રભુ પ્રત્યે અંતરંગથી નિશ્ચય હતો તો પ્રાયે સમ્યકત્વ પામ્યો. શ્રી દિગંબરીય પુસ્તકમાં જણાવેલ છે કે શ્રી પાર્શ્વનાથ પ્રભુ ધ્યાનમાં આરૂઢ હતા. જંગલમાં તે વખતે કમઠ દેવતાએ ઉપસર્ગ કર્યો હતો અને ધરણેન્દ્રદેવે રક્ષણ કરેલ છતાં બંને પ્રત્યે સમાનભાવ હતો. તે ઉપસર્ગમાં આઠમે દિવસે પ્રભુશ્રી પાર્શ્વનાથને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને કમઠદેવને વેરભાવ પૂરું થયેલું. તે પ્રભુના પ્રભાવથી તે જ વખતે કમઠદેવે શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણમાં નમસ્કાર કર્યો હતો. તે વખતે સમ્યક્દર્શન પ્રાપ્ત થયું હતું. જો સટુરુષનું માહાત્મ અને તે પ્રભુનું કરૂણાપૂર્ણ માહાસ્ય અપૂર્વ અપૂર્વ, અપાર અપાર, અનંત અનંત કરૂણાના સાગર તે પ્રભુનું માહાભ્ય છે. જેના દર્શનમાત્રથી નિર્દોષપણું પ્રાપ્ત થાય તેવા અલૌકિક માહાભ્યના ધણીની વ્યાખ્યા કરવા આ બાળ અસમર્થ છે. લેના હો તો લેલે વાલા, ફીર પીછે પસ્તાવેગા, તેમ આ આત્માને લાગે છે. ૨૬૫

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408