Book Title: Rajratna Ambalalbhai Satsangi Sanjivani
Author(s): Mumukshu Gan
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 342
________________ સત્સંગ-સંજીવની ) કહેલી ભલામણ જ્ઞાનીપુરુષોએ તે મળે છ પદની દેશના પ્રકાશી છે તે અમોએ હાલ મોંઢે કરી છે. તેનો વિચાર અલ્પબુદ્ધિએ કર્તવ્ય છે. તે વિષે આપેસ્મૃતિ આપી તેથી મને બહુ પ્રેમ આનંદ થયો, ધન્ય છે.કૃત કૃત્યને જે પરમાર્થે દયા લાવી કોઈ શુદ્ધ માર્ગના ઈચ્છકને સ્મૃતિ આપો છો, આજે પત્ર સાથે શ્રીજીના પત્ર બે અમોએ મોકલ્યા છે, તે વિષે આપથી જે સમજાય તે કૃપા કરી મને પત્રથી જણાવશો. અમોએ શ્રી ઉપર પત્ર લખ્યા હતા. તે જોગ મળે તો બીજું કાંઈ કામ નથી માટે એક દિવસ પણ અમારે જેમ દર્શન તે પુરુષના થાય તેમ કરશો. તો જીવને નિરાંત થાય. નીકર કળ પડતી નથી. ઘણું શું લખું? મૂંગે ખાધો ગોળ. તેમ મુને મૂઢને કાંઈ તે પુરુષને પ્રશ્ન કરું તેવા વચન આવડતા નથી. નહિ તો એક ઘડીમાં અહિં આવે એવું થાય. જો વધારે લખું તો બંધાઈ જાઉં છું. માટે તે વિષે આપ મુને અગાઉથી લખી જણાવશો. વિનંતી વિષે જો અજુગતું લાગે તો જણાવશો. સંભાર્યા છે પ્રભુ ત્રિકાળ નમસ્કાર. આપણી ચઢતી વૈરાગ્યવાળી દશા અમોએ સાંભળી, અત્યંત આનંદ થયો. તમારું વહેલું વહેલું કલ્યાણ થજો. તમારી દિન દિન પ્રત્યે વધતી શ્રેણી થજો, તે અમારો આશિર્વાદ છે. હે આર્ય, મારું હૃદય પ્રફુલ્લિત થઈ રહ્યું છે. આપણું કલ્યાણ વહેલું વહેલું થજો, હે પ્રભુ, અલ્પજ્ઞનો આશીર્વાદ છે. શ્રીજી ઉપર અમોએ એક પત્ર લખ્યો છે. તેમાં મુનિ દેવકરણજીએ પોતાનો અહંકાર જવા તે સત્પરુષ ઉપર વિનંતી કરી નમસ્કાર જણાવ્યા છે. અમોએ સુંદરવિલાસનો ગુટકો ત્રિભોવનભાઈ સાથે મોકલ્યો છે. તે આપ તેમની પાસેથી લેજો. સંવત ૧૯૫૨, કાર્તિક વદ ૧૨ આત્મસ્વરૂપે નમસ્કાર. પત્ર-૪૭ પરમપૂજ્ય પ્રભુને ત્રિકાળ નમસ્કાર. આર્યમાર્ગાનુસારી અંબાલાલભાઈ પ્રત્યે વિનંતી. શ્રીજીનો પત્ર કાર્ડથી આજે એક આવ્યો છે. તે આપને હું ઉતારી મોકલી આપીશ. હાલ તો કોઈ પૂર્વકર્મના અંતરાયથી પરમ સત્સંગની અંતરાય આવી પડી છે, પણ આપના સમાગમની ઈચ્છા રહે છે. હું મૂઢ અલ્પબુદ્ધિને એવો સમાગમ રહે તો જરા આત્માનું કલ્યાણ છે. અને જ્યાં એની રૂચિ તેનું વચન પ્રિય લાગે છે. તે મનાય છે, પ્રતીતિ આવે છે. કોઈ વચન ખૂંચતું નથી. અને એમ જ રહે છે, જે આત્માના દોષો અનંત છે. પણ સન્માર્ગે જીવ આવે તેને તે દોષની સ્મૃતિ આપનાર મુમુક્ષુનો સમાગમ ઘણો રહે તો બહુ હિત છે. એવા પુરૂષની પણ બલિહારી છે. માટે આપને મળવાને ઈચ્છા રહ્યા કરે છે. અનાદિકાળનો જીવ અવળે માર્ગે બહુ ચાલી જાય છે. એને નીચો ઢાળ ઢળવાનું સ્વભાવ છે. જો જરા ઢીલો મૂકીએ તો માન મોટાઈમાં ચઢી ચિત્તની ભ્રમણતા થયા કરે. જીવનું ભૂંડું કરી નાંખે માટે તેને તો વારંવાર સ્મૃતિ અપાય અને ક્ષણે ક્ષણે દોષ જોવાય તો જ સારુ છે. માટે હે આર્ય, આપનો સમાગમ કરવા મન પ્રફુલ્લિત થઈ રહ્યાથી આપની તરફ (ખંભાત) આવવું થાય છે. | સત્યરુષ પરમ પૂજ્યનું લખવું એ જ થાય છે જે બાહ્ય તથા લોકસંગ ત્યાગ, સર્વસંગ પરિત્યાગ કરો. ને જ્ઞાની પુરુષોનો સંગ તેની યોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામ્ય હિત છે. આ. સ્વરૂપ નમસ્કાર મુનિ દેવકરણજીની મરજી જેમ અમારી હોય તેમ કરવાની છે. અને તે સત્ મહાત્માના પ્રભાવથી ૨૬૩

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408