________________
શિYS SE) સત્સંગ-સંજીવની GKS ESP
પત્ર-૨
માર્ગાનુસારી મુમુક્ષુને પ્રેમરસ પ્રાપ્ત કરવાની વિશેષ જીજ્ઞાસા રહે છે. તે પ્રેમરસ પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ તો ભક્તિ સમજાય છે. અને ભક્તિથી જ પ્રેમ ઉત્પન્ન થાય છે. અને તે ભક્તિ પ્રાપ્ત થવાનું કારણ સત્પષ મુખેથી પ્રાપ્ત થયેલો ઉપદેશરૂપ શ્રત ધર્મ અને તે શ્રતધર્મને વિષે, એક લયપણે, એક લીનપણે, એક ધ્યાનપણે, એક સ્મરણપણે વિચારવું કે જેથી અપૂર્વ એવું સત્યરુષનું માહાત્મ દૃષ્ટિગોચર થાય છે અને સદ્ગુરૂનું માહાસ્ય જ્યારે સમજાય છે ત્યારે આ દેહાદિકથી માંડીને ચૌદરાજ લોકના સઘળા પદાર્થો અમાહાલ્યવાન જેવા જ લાગે છે. અર્થાત્ તે તે પદાર્થોને વિષે માહાભ્યપણાનું ચિત્ત ઠરતું નથી. અને એટલા જ માટે જ્ઞાની પુરુષો વારંવાર કહે છે કે સત્સંગનો પરિચય કરવો અને અસત્સંગમાં ઉદાસીન થવું યોગ્ય છે. તેનો આશય એવો છે કે અસત્સંગ એટલે પરમાર્થને અપરમાર્થ માનનારા અને અપરમાર્થને પરમાર્થપણે માની લઈ પોતામાં અસગરૂપણું છતાં સદ્ગુરૂપણું મનાવતા એવા જીવોનો સંગ તે જ અસત્સંગ. સદ્ગુરૂમુખથી શ્રવણ થયેલો ઉપદેશરૂપ શ્રતધર્મ તે વિચારવામાં વિદ્ઘ કરાવનાર છે. અસહાયક રહેનાર એવો જગતદૃષ્ટિ જીવોનો સંગ તે પણ અસત્સંગ કહેવાય. પાંચ ઈદ્રિયોનું ઈચ્છાનુસાર મનોકલ્પિત સુખ એટલે ખાવાપીવા, સૂવા બેસવા, ઓઢવા પહેરવા, ચાલવા ઈત્યાદિકમાં જે તદાકારપણું તે પણ અસત્સંગ કહેવાય. દેહાદિથી માંડી જગતના પદાર્થ પ્રત્યે અલ્પ પણ જુજ એવા પદાર્થો પ્રત્યે તદાકારપણું થવું તે પણ અસત્સંગ કહેવાય. ઉપર જણાવેલા પ્રકારોમાં પ્રીતિ-સ્નેહ, મિથ્યાગ્રહ, કલ્પિત સુખ, કલ્પિત માહાસ્ય જે જે પ્રકારથી લાગે અર્થાત્ જે જે પ્રકારથી ઉત્પન્ન થાય એવા જે રાગ, દ્વેષ, મોહ, મત્સર, અહંકાર, અજ્ઞાન, હર્ષ, શોક, ભય, રતિ, અરતિ ઈત્યાદિક કારણોથી થાય તે પણ અસત્સંગ કહેવાય. ટૂંકામાં જે જે પરિણતિમાં એટલે એક આત્મા સિવાય અન્ય જે કાંઈ વિભાવ પરિણતિમાં પ્રણમવું તે અસત્સંગ કહેવાય. એ ઉપર જણાવેલા અસત્સંગાદિ ભાવોમાં ઉદાસીન થઈ એક સત્સંગ-આત્મવિચારમાં આવવું તે યોગ્ય છે. અને તે આત્મવિચાર પ્રાપ્ત થવા માટે એક સત્પષનો યોગ આરાધવો અને પ્રાધાન્યપણે ભક્તિ કરવી એ જ યોગ્ય છે.
- પરમકૃપાળુદેવશ્રી તરફથી એક પત્ર પ્રાપ્ત થવાથી પરમોત્કૃષ્ટ લાભ થયો છે. જેમાં “સદ્વર્તન, સદાચાર, સગ્રંથ અને સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી.” (વ.૭૯૧) એમ જણાવ્યું છે. જે સર્વ મુમુક્ષુઓએ પ્રસંગે પ્રસંગે અને સમયે સમયે સ્મરણમાં રાખવા યોગ્ય પરમ રહસ્ય છે.
અલ્પજ્ઞ અંબાલાલ
પત્ર-૩
પોપાબાઈનું રાજ્ય નથી. સમય સમયના લેખા તે જિનેશ્વરના શાસ્ત્રમાં કહ્યાં છે. અને તલતલના લેખા ગણી જીવને કર્મબંધુ ભોગવવાં પડે છે. જેવા જીવ કર્મ બાંધે છે તેવાં ભોગવવા પડશે. કોઈ જીવ આપણને દુઃખ દે તો તે ખમવાં અને સમતાભાવે સહન કરવાં. તો તેના ગુણ આપણને અવશ્ય મળશે. જો આપણા ઉપર કોઈ વિષમદૃષ્ટિએ ખેદ કરે તો તે આપણો ઉપકારી છે એમ સમજી સમતા, ક્ષમા કરવી. સર્વ દુ:ખ સહન કરવાં એ કર્તવ્ય છે. અમુકે આમ કહ્યું, અમુક આમ કહે છે તે મિથ્યા અજ્ઞાન છે. કોઈ વૈરી નથી, વૈરી તો દેહ, પાંચ ઈદ્રિયો અને મન છે. તેનો સમભાવ કરી આત્મભાવે વર્તીશું તો અવશ્ય સુખી થઈશું.
૧૯૩