Book Title: Rajratna Ambalalbhai Satsangi Sanjivani
Author(s): Mumukshu Gan
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 334
________________ RSS સત્સંગ-સંજીવની ) જૂઠાભાઈને પૂછતાં તેમની તબિયત ઘણી નરમ હોવાથી તે બાબતનો જુદો ખુલાસો મળ્યો નથી. માટે તે વિષે હું કાંઈ લખી શકતો નથી. તેઓ કોઈ સાથે બોલતા ચાલતા નથી. વળી તમને પણ અવકાશ હોય તો મુલાકાત સારૂ એક રાત આવી જશો. ને પ્રિય જૂઠાભાઈની તબિયત દિનપ્રતિદિન ઘણી જ અશક્ત થઈ ગઈ છે. તેથી તેઓએ કોઈની સાથે બોલવું ચાલવું બંધ કર્યું છે. કવિરાજ જૂઠાભાઈને ત્યાં જ ઉતર્યા હતા. આપનો આવેલો પત્ર આજરોજ જૂઠાભાઈને ધીમે ધીમે વાંચી સંભળાવ્યો, તેઓએ પણ બરાબર ધ્યાન દઈ સાંભળ્યો. પણ એ બાબત તેમણે કાંઈ ઉત્તર આપ્યો નથી. અમદાવાદથી લિ : છગનલાલ બેચરદાસના પ્રણામ. પત્ર-૩૬ અષાઢ સુદ ૯, ૧૯૪૬ સ્વસ્તી શ્રી ખંભાત બંદર મહા શુભ સ્થાને પૂજ્યારા ભાઈ અંબાલાલ લાલચંદ તથા શ્રી ત્રિભોવનદાસ | માણેકચંદ તથા ભાઈ સુંદરજી વિગેરે. | અમદાવાદથી શાહ છગનલાલ બેચરદાસના જુહાર વાંચશો. વિ. તમારો એક કાગળ પહોંચ્યો છે. તેમજ ભાઈ અંબાલાલનો આવ્યો તે પણ પહોંચ્યો છે. વળી કવિરાજના કાગળનો તરજુમો પ્રિય જૂઠાભાઈને હાથોહાથ ગઈકાલે રાત્રે આપ્યો હતો. | વળી લખવાની ઘણી દિલગીરી સાથે અફસોસ છું અને કલમ ચાલતી નથી તો પણ લખ્યા વિના છૂટકો નથી, માટે લખવાનું કે આપણો પ્રિયભાઈ જૂઠાલાલ આજરોજ સવારના સાડાદસ વાગતાના સુમારે દેવગત થયા છે, તે ઘણું માઠું થયું છે. આપની પ્રીતિના હક્કમાં ખરેખર ભંગાણ પડ્યું. વળી પ્રિયના જેવો સદ્ગણી માત્ર આ દુનિયામાં તો મળવો મુશ્કેલ. વળી તેઓ ભાઈની મરતાં સુધીની સહણા ઘણી જ સારી વૃત્તિમાં હતી. તેમની અંત સમયને વિષે અમોએ તમો બંને ભાઈઓ તરફથી તેમને વ્યવહારિક ભાતુ રૂ.૨/- ધર્મમાં વાપરવાનું તેમના કાને અમોએ કહ્યું છે, તો તે પ્રમાણે બંને ભાઈઓ વાપરશો. વળી આ બાબતની ખબર શતાવધાની કવિરાજને લખશો. વળી સગુણી જૂઠાલાલની નીતિ અને પ્રેમ આપણને કોઈ કાળે વિસરે તેમ નથી. તો આ પંચમ આરો ભગવંતે દુષમ જ્હયો છે, એ વાત સિદ્ધાંત છે. માટે પ્રિય જૂઠાલાલ તો નાની વયમાં તેમનું કાર્ય સાધ્ય કરી ગયા. ને ધર્મ કરશે તે સુખી થશે, માટે આપ બંને તે રીતે ધર્મકરણીનો ઉદ્યોગ કરશો. વળી બેન ઉગરીને નાની વયમાં રંડાપો જોઈ આખી જ્ઞાતિના લોકનું કોમળ હૈયું દાઝયું છે. પણ કાળ આગળ કોઈનો ઉપાય ચાલતો નથી. સગુણી જૂઠાલાલના ગુણ સંભારતાં કાગળમાં પાર આવે તેમ નથી. જે હૃદય, હૈયું ભરાઈ આવે છે, તેથી કલમ અટકાવું છે. પત્ર-૩૭ અષાઢ સુદ ૧૫ ગુરૂ, ૧૯૪૬ સ્વસ્તી શ્રી ખંભાત બંદરે મહા શુભ સ્થાને પૂજ્યારાધે ભાઈ શ્રી ત્રિભોવનદાસ માણેકચંદ તથા ભાઈ અંબાલાલ વિ. ની ચરણ વિષે અચળ હોજો. એતાન શ્રી અમદાવાદથી લિ. શાહ છગનલાલ બેચરદાસના ધર્મસ્નેહ વાંચશો. ૨૫૫

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408