________________
ફિREFERER) સત્સંગ-સંજીવની SKEREYER (
છે. આજના કળિયુગના મહિમાથી તથા અલ્પ આયુષ્યથી અને પુરૂષાર્થ શક્તિ નહિ હોવાને લીધે હાલ સર્વથા 5 મોક્ષ નથી.
બીજો પ્રશ્ન સંદેશરના જીવાભાઈએ એવો પૂછયો કે મહારાજ ! ઈશ્વરનું રૂપ કેવું છે ? તથા ઈશ્વર કોને કહેવાય ? કૃપાળુદેવે તેને અત્યંત વિવેચન કરીને દર્શાવ્યું. આઠ કર્મના ઉદયભાવે જીવ વર્તમાનમાં વર્તે છે, માટે એટલો નિશ્ચય કરવો કે “જીવનો શિવ થાય છે.” જેમ પાષાણમાંથી સોનું, તેમ કર્મ રહિત દશા તે ઈશ્વરનું રૂપ છે.
હે ભાઈ ! હું પામર હૃદયમાં શું ધારી શકું. જેમ વરસાદની ધારાની પેઠે, આશરે કલાક દોઢ કલાક સુધી આ બોધ ચાલ્યો હતો. દરેક પ્રશ્નનું સ્વરૂપ પૂલદષ્ટિએ દર્શાવાય તેમ કહેતા હતા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન સુણાવવાળા 5 ઉમેદભાઈએ એવો પૂછયો કે હે કૃપાળુદેવ, અનંતાનુબંધીનું સ્વરૂપ શું હશે ? તે દર્શાવો.
કૃપાળુદેવે મૂળરૂપે એમ કહ્યું કે કુળાગ્રહ તથા મતાગ્રહી જીવોને જ્યાં જ્ઞાની પુરુષો મોક્ષમાર્ગ દર્શાવતા જ હોય ત્યાં તે જીવોને દર્શન મોહનીય કર્મના ઉદયે કરી મતાગ્રહી કુળગુરૂઓનો દર્શાવેલો બોધ તેના હૃદયમાં નિશ્ચય હોવાથી સત્કાર્ગના બોધ પ્રત્યે વિષમભાવ વર્તે, અને તેમાં જે કષાયરૂપે આત્મા વર્તે તે કષાયનું નામ, અનંતાનુબંધી કષાય કહેવાય.
આવી રીતે ઘણું સ્વરૂપ દર્શાવ્યું હતું, કૃપાળુદેવની પાસે ઉત્તરાધ્યયન તથા બીજા એક પુસ્તકનું અવલોકન (D કરતા હતા તે પડ્યું હતું. તેમાંથી એક મુનિની પાસે વિદ્યાધરે આવી પોતાને પ્રગટેલા વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું, ત્યાર પછી યથાર્થ મોહનો ક્ષય કેમ થાય ? તેનો હે મુનિ બોધ કરો એમ તે વિદ્યાધરે કહ્યું. આ પ્રસંગ અમોને સાહેબજીએ { S} વાંચી સંભળાવ્યો હતો. - બીજે દિવસે કૃપાળુનાથે એવો પ્રશ્ન પૂછયો કે જ્ઞાની પુરુષો આહાર કરે છે, લૂગડાં પહેરે છે, વિહાર કરે છે ? આદિ ક્રિયાઓથી કર્મબંધ લાગે કે નહિ ? કેમ કે રાગ વિના વસ્તુ પકડાય નહિ, અને રાગ હોય ત્યાં કર્મ સંભવે જ.
પછી મેં (મુનદાસ) એવો ઉત્તર આપ્યો કે પૂર્વના ઉદયભાવે આહારાદિક ક્રિયા કરે છે. પણ અંતરંગ પ્રેમભાવથી નહિ. પછી કૃપાળુદેવે તેનું વિશેષ કારણ દર્શાવ્યું કે જેમ ગાડીનો ડબ્બો ચાલતી ગાડીના વેગથી જેમ આંકડો કાઢી નાંખીએ ને માઈલ સુધી તેના બળથી જાય છે પછી એની મેળે ઉભો રહે છે, તેમ જ્ઞાનીપુરુષને આહારાદિક ક્રિયા પૂર્વકર્મના જોરે કરીને થાય છે, માટે તે અબંધ છે.
પછી ઉત્તરાધ્યયન સૂત્રનું બત્રીસમું પ્રમાદ અધ્યયન યથાર્થ વાંચી દર્શાવ્યું હતું. કૃપાળુદેવે કહ્યું તમારે આનંદઘન ચોવીશી મુખપાઠે કરી વિચારવી. તથા પ્રકરણ રત્નાકર બીજા ભાગમાં છપાયેલો શાંત સુધારસ ગ્રંથ વિચારવો. મોક્ષમાર્ગ ગ્રંથ મુનિ પાસે સાંભળવો. હું પામર અલ્પજ્ઞ શું કહી કે લખી શકું ? બીજો ઉપદેશ ઘણો ચાલ્યો હતો.
અમે સાંજે સાત વાગે બહાર નીકળ્યા તે જ અવસરે કાવિઠાવાળા ઝવેરભાઈ તથા રતનચંદ અને એક પાટીદાર મળી ત્રણ જણ દર્શન માટે આવ્યા હતા. પણ રાતની વેળાથી અંદર જવાનો પાસ ન મળ્યો. પછી તે આણંદમાં જઈ સૂઈ રહી, સવારે કૃપાનાથ તે જ દિવસે સ્વદેશ જવાના હતા, તે અંદરમાં પાસ લઈ અંદર દીઠા, પણ અંતરાયથી બહાર સમાગમ થયો નહીં. પછી અમે બંને સંદેશર આવ્યા. અને કાવિઠાવાળા કાવિઠે ગયા. તે જ વખતે તમારો પત્ર સંદેશર મળ્યો હતો. ને પછી સુણાવ આવ્યો હતો.
૨૪૬