________________
વિE REFERE) સત્સંગ-સંજીવની RER KEYS ()
છે
અજ્ઞાની ગુરૂ વિહાર કરીને આવે અને કોઈને ખબર પડવા ન દે અને જાય ત્યારે પણ ખબર પડવા ન દે. શ્રી જ્ઞાનગુરૂ પણ આમ પ્રવર્તન કરે. અજ્ઞાની જે પ્રવર્તન કરે તેમાં મુખ્ય માનનો હેતુ હોય છે કે જો હું આમ કરીશ તો મહાસ્ય દેખાશે. જ્ઞાનીગુરૂને તેમ હોતું નથી અને તેમ જો કરે તો જ્ઞાનમાં આવરણ થાય.
આ વાતથી સંશય થશે કે એમાં આપણને શી ખબર પડે ? એ ખબર તો ત્યારે પડે કે જ્યારે જ્ઞાની દ્વારાએ બોધ શ્રવણ થયો હોય અને તેના મૂળકારણ (લક્ષણ) જાણ્યાં હોય અને પછી અજ્ઞાની ગુરૂ મળે અને તેનો સમાગમ કરે તો જે રહસ્ય જે અપૂર્વ વાણી જ્ઞાનીની હોય છે અને રસ પડે છે તેવો રસ અજ્ઞાનીની વાણીમાં આવે નહીં અને બહુ વિચારે તો અજ્ઞાનીની વાણી એકાંત હોય. જ્ઞાનીની વાણી સ્યાદ્વાદ હોય. અજ્ઞાનીની વાણી સાંભળતાં અંતર જાગતું નથી અને જ્ઞાનીની વાણી સાંભળી અંતર જાગ્રત થતું હોય છે. આ જીવે અનાદિકાળથી કુગુરૂનો આશ્રય કર્યો અને તેથી રખડ્યો ત્યારે સંશય થશે કે બોધ તો વિતરાગના વચનનો કરે છે પણ જીવ તેમ ન કરે એમાં ગુરૂનો શો વાંક ? આ વાત વિચારીએ.....
‘અજ્ઞાની અંતર પરિણામી વ્યાખ્યા કરતા નથી તેથી કલ્પીત હોય છે. કારણ કે જે ચૈતન્ય સ્વરૂપ છે તે અંતર સ્વરૂપ છે અને જ્ઞાની અંતર પરિણામી વ્યાખ્યા કરે છે. જાગૃત જ્ઞાનીપુરૂષ તો બીજા જીવનો સહવાસ તે પ્રતિબંધરૂપ જાણે છે. અને અજ્ઞાની જેમ જેમ સમુદાય વધે તેમ તેમ બહુજ હર્ષાયમાન થાય છે. જ્ઞાનીપણ આનંદિત થાય પણ તેમાં તો જુવો આ દુઃખથી મુક્ત થશે તેજ અંતરલક્ષ હોઈ પ્રતિબંધરૂપ જાણી અંતરથી નિર્લેપ રહે છે. અજ્ઞાની તદ્રુપ થઈ જાય છે. આનો વિશેષ પુરાવો શ્રી ભગવતીસૂત્રમાં શ્રી જમાલીના અધિકારમાં છે.
જમાલી આજ્ઞાથી પતિત થયા અને શ્રી વર્ધમાનપ્રભુ પાસે આવ્યા હતા. પોતામાં કેવળજ્ઞાન માન્યું હતું અને છેવટ હઠ પોતે મૂક્યો નોતો. જમાલીના દેહ મૂક્યા પછી શ્રી ગૌતમસ્વામી શ્રી વીરપ્રભુને પૂછે છે કે હે પ્રભુ ? જમાલી અંતઆહારી, પ્રાંતઆહારી, લુકાઆહારી, તુચ્છઆહારી, અરસજીવી, વિરમજીવી, ઈત્યાદિ હતો તો તે કઈ ગતિને પ્રાપ્ત થયો ? પ્રભુએ કહ્યું કે, ‘તે તપોધન જમાલી લાંતક દેવલોકમાં ૧૩ સાગરોપમના આયુષ્યવાળો કિલ્વિષિક દેવતા થયો છે. ગૌતમે ફરીથી પૂછયું કે ‘તેણે મહા ઉગ્ર તપ કર્યું હતું, તથાપિ તે કિલ્વિષિક દેવ કેમ થયો? (હલકોદેવ)
શ્રી વીરપ્રભુ કહે-જે પ્રાણી ઉત્તમ આચારજવાળા ધર્મગુરૂ, ઉપાધ્યાય, કુળ, ગણ તથા સંઘનો વિરોધી હોય તે ગમે તેટલી તપસ્યા કરે તોપણ કિલ્વિષિક હલકી જાતિનો દેવતા થાય છે, જમાલી પણ તે દોષથી જ કિલ્વિષિક દેવ થયેલો છે. તેથી કોઈએ ધર્માચાર્ય વિ.ના વિરોધી થવું નહીં.
જ્યાં સુધી સ્વચ્છંદનામા દોષ વર્તે છે ત્યાં સુધી તે જીવ જ્ઞાનીની આજ્ઞા આરાધતો નથી.
પત્ર-૩૬
ૐ નમઃ સદ્ગુરૂ પરમાત્માને પ્ર.શ્રા. સં. ૧૯૫૭. ખંભાતથી શ્રી રાજનગર આત્માર્થી ભાઈશ્રી પોપટલાલ પ્રત્યે - કૃપાપત્ર ૧ મળ્યું. હૃદયની ઊગતી આવેલી ઊર્મિઓ પ્રદર્શિત કરી તે અવલોકી. મુક્ત થવાની જીજ્ઞાસા એ પણ એક ઉત્તમ છે. આપે સર્વથા નિવૃત્તિ લેવાને માટે જિજ્ઞાસા જણાવી અને
૨૨૦