________________
RSS સત્સંગ-સંજીવની ) GK
પત્ર-૭૨ તે ધર્મરાજ શીતળચંદ્ર પ્રભુ પ્રત્યે પુનઃ પુનઃ નમસ્કાર હોજો..
આપ પ્રત્યે મારી વિનંતી જે આપનો જેટલો સત્સંગ મને થયો છે ને આપશ્રીએ કૃપાદષ્ટિએ જે બોધ અપાવ્યો છે તે ધારણ કરવાને હું પાત્ર નથી. છતાં કવચિત ધારણ થયો છે તે આપના વચનામૃત-પત્રોથી આપનું મને જેટલું ઓળખાણ થયું છે તેટલો જ આપ મારાં હ્મયમાં પ્રકાશ કરો છો. બાકી હું અંધારે અથડાઉં છું. હું અંતરમાં આશા-ઉમેદ રાખું છું કે – પૂરેપૂરો સત્સંગનો યોગ બને ને મને કવચિત્ સુખ પમાડે.
મારાં પૂરવોપારજીત ઘણા જ દુષ્કૃત મને લાગે છે. બીજું વિનંતી જે હું ઉપદેશ દેવાને યોગ્ય નથી થયો, ધારણ કરવા જેવું પાત્ર પણ નથી થયો. તેમ છતાં હું લોકોને બોધ આપું છું. પણ શું કરું ? આ પ્રતિબંધ તોડવાને લોકભયને લીધે હું કાયર છું. આગળ જતાં જે બને તે ખરૂં. ઘણી રીતે તો હું ડરતો રહું છું. ને જ્ઞાનીઓના વચન મારા આત્માને બોધ જાણીને ગ્રહું છું. તેમ છતાં અહંભાવમાં પ્રવેશ કરીને બંધાતો પણ હોઇશ. તે તમે જાણતા હશો.
આ વખત મને જેટલું સૂઝયું તેટલું લખું છું. દ: દેવકરણના પુનઃ પુનઃ નમસ્કાર
પત્ર-૭૩ શ્રી સહજાત્મસ્વરૂપને નમઃ
દીન સેવકની વિનંતી કે હે સંશનિવારક પરમગુરૂ ! મને જિનાગમ માંહે કહેલા વચનો પર કાંઇ ઘણી શંકા આપ પસાથે કરી નથી, પણ હું આપના દેહાદિ અંગ-ઉપાંગ અંતરદષ્ટિએ જોઉં છું ને પછી આપની અખંડ વૃત્તિ, એકાગ્રતા અને સ્વરૂપ સ્થિતિ પર દષ્ટિ દઉં છું. અને મારા દેહમાં રહેલા અનંત દોષિત આત્માના સ્વરૂપને વિચારું છું ત્યારે એકતારૂપ સ્વરૂપ ભાસે છે એમાં મને કાંઇ બાધ આવે છે કે કેમ ? તે કૃપા દષ્ટિથી લખવા કૃપા કરશો. પ્રશ્ન - એકલું તમારા સ્વરૂપને જોયા કરું, વિચારૂં ? કે આ દેહમાં સ્વરૂપને વિચારું ?
એ બેમાં મને વધારે હિતકારી શું છે ? દઃ દીન શિષ્ય દેવકરણના નમસ્કાર. (જવાબ વ. ૭૯૦)
પત્ર-૭૪
મું. નડીયાદ શ્રી પરમપુરુષ પ્રત્યક્ષ સગુરૂદેવ ચરણાય નમઃ
અત્ર ગુરૂ કૃપા વડે આનંદ મંગળ વર્તે છે. તેમાં વળી વિશેષ ઉદાસી આવે છે તે એ જે - આપનો પ્રથમ સમાગમ મુંબઇમાં આપ નિવૃત્તિ સ્થળ - આપના એકાંત સ્થળમાં બિરાજમાન હતા. તે વખતે શ્રી લલ્લુજી મહારાજ સાથે હતા. તે વખતે આપે મને પૂછયું : સ્ત્રી દષ્ટિએ પડતાં પરિણામ ચળે છે ? તથા વ્યાખ્યાનમાં અહંભાવ ફુરે છે ? એ આપે પૂછયા થકાં મેં યથાતથ્ય જેવા ભાવ વર્તતા હતા તેવા કહ્યા. ને તે જ વિચારવાનો આપે પ્રથમ બોધ કર્યો હતો. તે હું અહંકાર વડે દ્રવ્યત્યાગના અભિમાન વડે જાણતો નહતો. અને સાધુપણું માની
૭૯