________________
ઉRS RSS સત્સંગ-સંજીવની
)
(
4
)
માટે તે પ્રકારે આયુષ્ય તૂટે એમ કહે છે. તો બંધ જ તેવા પ્રકારનો કે શી રીતે ?, કયા ,
કૃ. દેવે ખુલાસામાં દોરડીનું દૃષ્ટાંત આપી સમાધાન કર્યું હતું. “તૂટે છે તે વાત ખરી છે. તે શિથિલ આયુષ્યમાં ગણવું. નિકાચિતમાં નહીં.” એ સિવાય બીજાઓએ પ્રશ્ન પૂછેલું તેનું સમાધાન ક. દેવે સારી રીતે કરેલું જેથી હમો સર્વેને ભક્તિનો આવિર્ભાવ થયેલો. તે વખતે એક કલાક બેસી ત્યાંથી ગયા હતા.
ત્યાર પછી તે બધા ભાઇઓ ફરીથી જ્યારે પરમકૃપાળુદેવ વડવા મુકામે પધાર્યા ત્યારે આવ્યા હતા. વડ નીચે લલ્લુજી મહારાજ તથા દેવકરણજી વગેરે હતા ને ત્યાં વ્યાખ્યા ચાલતી હતી. તે વખતે પ્રેમમાં આવી જવાથી લલ્લુજી મહારાજ તથા દેવકરણજી મહારાજે સાષ્ટાંગ નમસ્કાર કર્યા હતા. વડવે એક દિવસનો સમાગમ થયો હતો.
ત્યાર પછી ૧૯૫૨ના આસો માસમાં હું તથા શંકરભાઇ દેવચંદ બંને જણા રતલામ કામ પ્રસંગે જતા હતા ત્યાં આણંદ મુકામે ખબર મળી કે સાહેબજી ધર્મશાળામાં છે. તેથી અમો બંને જણા દર્શન કરવા ગયા. ખંભાતથી આણંદ સુધી ગાડામાં બેસીને ગયા. ત્યાંથી રતલામ જવાની ટ્રેન હતી તેથી રોકાવું પડે તેમ હતું ત્યાં આણંદમાં કાવિઠાવાળા તરફથી જમણ હતું ને રાત્રે બાર વાગતા સુધી વ્યાખ્યા ચાલી હતી.
તે વખતે જિન પ્રતિમાજી પર પુષ્પ ચડાવવા સંબંધી પ્રશ્ન કર્યો કે ફૂલમાં ઘણા જીવો છે અને ચડાવવામાં પાપ લાગે કે કેમ ?
ત્યારે ખુલાસામાં સાહેબજીએ જણાવ્યું કે “જે તમો જો કદી સર્વ પ્રકારે ત્યાગી થયા હોય તો ભલે ન ચડાવો પણ પરમાત્માને ફૂલ ચડાવવામાં પાપ ગણો છો અને વ્યવહારના પ્રસંગમાં તો વાપરો છો. માટે એકાંતે ભક્તિના પ્રેમમાં રહી ચડાવવાથી લાભ છે.
પ્રશ્ન કર્યો તે વખતે પરમ કૃપાળુદેવ કોચ પર બિરાજ્યા હતા. અને હું એકલો જ હતો. આ પ્રશ્નનો ખુલાસો થવાથી મને ઘણો જ સંતોષ થયો હતો. ત્યાર બાદ મુંબઇ બે ત્રણ વખત સમાગમ થયો હતો. ત્યાં વ્હોરાના માળામાં છટ્ટે માળે પાયધૂની આગળ રાતના ગયેલો, ત્યાં નમસ્કાર કરી બેઠો હતો. સંવત ૧૯૭૪ના ફાગણ વદ ૦)) ને ગુરૂવારે વડવા મુકામે ઉતારો કરાવેલ છે.
- પૂ. સુખલાલભાઇ જયમલ સાણંદવાળા
ભાઇ સુખલાલ જયમલ સાણંદવાળાએ જણાવેલ શ્રીમદ્ રાજચંદ્ર સાથેના પરિચયની હકીકત - ભાઇ પોપટલાલ મહોકમચંદને શ્રીમનો પરિચય સમાગમ સંવત ૧૯૫૪માં થયો. પોપટલાલભાઇનો ઘણા વર્ષ થયાં મારે સહવાસ છે......
એટલે મને પણ પરિચય કપાળુદેવનો તે સાલમાં થયો. ૧૯૫૪ના ભાદ્રપદ તથા આશ્વિનમાં શ્રીમદ્ વસો હતા. ત્યાં હું પોપટલાલભાઇની સાથે ગયેલ..... ત્યાંના બે પ્રસંગ જણાવું છું. આ
શ્રીમદ્ જ્યાં ઉતર્યા હતા તે સ્થાનના મેડામાં જવાની બે નિસરણીયો હતી. એક અંદર અને બીજી બહાર પથ્થરની હતી. હું એક વખત પથ્થરની નિસરણીયેથી અંદર જતો હતો. ઉપરનું બારણું બંધ હતું. અંદર શ્રીમ, અંબાલાલભાઇ લાલચંદ, પોપટભાઇ ગુલાબચંદ તથા રૂક્ષમણીબેન વિગેરે હતા. હું ઉપર જવાનો છું એ કોઇને
૧૨૮