________________
S SSS સત્સંગ-સંજીવની ) SSA ()
સદ્ગ૩ ઉત્તર :- જે ચક્ષ આદિ દષ્ટિનો પણ દૃષ્ટા છે અથવા તેને પ્રકાશનાર છે અને સર્વ દૃશ્ય પદાર્થોને બાધ કરતાં કરતાં જે કોઇ પ્રકારે બાધ ન કરી શકાય એવો અનુભવ બાકી રહે છે. તે જીવનું સ્વરૂપ છે. માટે જીવ છે એમ હે શિષ્ય! તું જાણ.
બીજો પ્રશ્ન :- “હો સ્વરૂપ તે જીવનું, પણ એ નહીં અવિનાશઃ આપે કહ્યું તે કદાપિ જીવનું સ્વરૂપ હો તો ભલે હો પણ તે સ્વરૂપ અવિનાશ, ત્રિકાળ રહેવાવાળું સંભવતું નથી. દેહના જન્મ સાથે તે જન્મે છે અને | દેહના વિયોગે તે નાશ પામે છે એવું તે જીવનું સ્વરૂપ ભાસે છે.
ઉત્તર :- જે જે સંયોગો દેખીએ છીએ તે તે અનુભવ સ્વરૂપ એવા આત્માના દૃશ્ય એટલે આત્મા તેને જાણે છે, અને તે સંયોગનું સ્વરૂપ વિચારતાં એવો કોઇ પણ સંયોગ સમજાતો નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય છે, માટે આત્મા સંયોગથી નહીં ઉત્પન્ન થયેલો એવો છે.
શિષ્ય શંકાઃ- કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ,.......” ઉત્તર :- હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ, પ્રહાય તે નિજરૂપ નહીં, કર્મ અનાદિ ભર્મ.
નિજસ્વરૂપના ભાનમાં, કર્તા નિજસ્વભાવ; વર્તે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. પાંચમું પદ શંકા :- હે ભગવાનું! કર્મનો કર્તા અને કર્મનો ભોક્તા જીવ હો એવી પ્રતીતિ કર્યાથી પણ તેનો મોક્ષ થાય છે, એવી આશંકા જતી નથી, અને તે મોક્ષ થવો સંભવતો નથી. કેમકે અનંત કાળ વીત્યો પણ હજા સુધી તે દોષ એટલે કર્મનું કર્તાપણું વર્તે છે તેથી એમ સમજાય છે કે તેથી મોક્ષ થતો નહીં હોય.
- ઉત્તર :- હે શિષ્ય! જેમ શુભાશુભ કર્મ થવાનાં અને ભોગવવાના તે પ્રમાણે કરીને સફળ જાણ્યા તેમ તે કર્મ નહીં કરવાથી અને પૂર્વે નિબંધન થયેલાં હોય તે ભોગવ્યેથી તે કર્મોની નિવૃત્તિ થવી જ જોઈએ, એમ તું તે કાર્યને પણ સફળ સમજીને તે વિચારવાન ! મોક્ષની પ્રતીતિ કર. - છઠ્ઠ પ્રશ્ન :- હે ભગવન્ ! કદાપિ મોક્ષપદ છે એવી પ્રતીતિ થાય પણ તેનો અવિરોધ ઉપાય એટલે જેથી તે પદમાં અવશ્ય સ્થિતિ થાય તેવો કોઇ ઉપાય સંભવતો નથી. કેમકે અનંતકાળનાં કર્યો છે. અને મનુષ્યાદિ આયુષ્ય અલ્પ છે, વળી ઘણા વ્યવસાયમાં સ્થિતિ છે, તેથી એવું કોઈ સાધન મને દેખાતું નથી કે જેથી કરીને એવી પ્રતીતિ થાય કે અનંતકાળના કર્મો છેદયાં જશે.
કદાપિ કોઈ સાધન છે એમ માનીએ તો તે પણ સમજાવું બને તેમ જણાતું નથી. કેમકે મત અને દર્શન ઘણા છે. અને તે અનેક પ્રકારે મોક્ષમાર્ગ કહે છે અને સહુ પોત પોતાને સાચા કહે છે, અને એકબીજાથી વિવાદ કરે છે. તેથી એમાંથી કયો મત, કયું દર્શન સાચું જાણવું એ વિવેક બને એવું દેખાતું નથી. કેમકે શાસ્ત્રો ઘણા, તર્કનું અસ્થિરપણું, અલ્પ આયુષ્ય, વિધિ નિષેધ અપાર તેથી મોક્ષ સાધન હોય તો પણ સમજાય તેવો દેખાતો નથી.
આત્મબ્રાંતિ સમ રોગ નહીં, સદ્ગુરૂ વૈદ્ય સુજાણ;
ગુરૂ આશા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન.” સંક્ષેપાર્થઃ- પોતાનું સ્વરૂપ શું છે એ જાણવામાં નથી અને દેહાદિને વિષે પોતાપણાની માન્યતા છે, એ ભ્રાંતિ જેવો બીજો કોઈ રોગ નથી, જેણે તે સ્વરૂપ યથાતથ્ય જાણ્યું છે, તથારૂપ સ્વભાવમાં વર્તે છે એવા સાચા ગુરૂ તે સમાન તે ભ્રાંતિરૂપ રોગનું ઔષધ કરવાને કોઇ ડાહ્યા વૈદ્ય નથી, અને તેવા સદ્ગુરૂની આજ્ઞાનું ત્રણે
૬૭