________________
પરમ કૃપાળુદેવના ચરણકમળની પ્રત્યાકૃતિ
શ્રી સદ્ગુરુચરણાર્પણમસ્તુ શ્રી ધરમપુરમાં પૂ. શ્રી રણછોડભાઈના ઘેર તેમની વિનંતીથી સં. ૧૯૫૬માં ચૈત્ર માસમાં પરમકૃપાળુદેવશ્રીએ સ્થિરતા કરી હતી તે વેળા પૂ. શ્રી મણીબા (રણછોડભાઈના ધર્મપત્નિ)ની આગ્રહભરી ભાવનાથી કરૂણાસભર ઊભા ઊભા પ.કૃ.શ્રીએ પોતાના ચરણ સ્થાપન કરેલ - તેની જ આ સચવાઈ રહેલ પ્રત્યાકૃતિ છે. જે પ્રતિકૃતિ હાલ પુણ્યાત્મા પૂ. શ્રી જવલબાના સુપુત્ર શ્રી મનુભાઈ બી. મોદીના ઘેર ચાંદીથી મઢીને દર્શનાર્થે સુરક્ષિત રાખેલ છે. આજ પગલાં ઉપરથી આરસની પ્રત્યાકૃતિ બનાવરાવી શ્રી ધામણ ગામમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે.