________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 6 517 આરાધના અધિકતર શ્રેષ્ઠ છે. કારણ કે અતિચાર (દેવ) વિનાની અહિંસાની આરાધના કરવાથી જ પૃથ્વીકાયિક–જળકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, જળચર, થળચર, ખેચર અને ત્રાસ આદિ બધાય જાનું રક્ષણ થાય છે. માટે અહિંસાથી અતિરિક્ત બીજા બધાય ધર્મો શકિતસપન નથી. અહિ સરણ–ગગન આદિ જે ઉપમાઓ આપી છે, તેનાથી કદાચ હિત થાય કે ન પણ થાય! ત્યારે અહિંસાની આરાધના છેવટે મોક્ષપદની પણ પ્રાપ્તિ કરાવી આપે છે. “જે સ્થળે ગાયેની તૃષા મટે છે, તે સ્થળો બનાવનારના સાત ખાનદાને તરે છે. માટે જળાશ, વાવડીઓ, તળાવ બંધાવવા સારા છે.” આ પ્રમાણે લૌકિકોનું કથન ઠીક નથી. કેમ કે વિચાર કરતાં તરસ્યા પશુઓની તૃષા બુઝાવવી તે દયાને તેમના મતે ભલે અહિંસા કહેવાઈ હોય પણ તેના આશ્રયે રહેનારા પૃથ્વી, જળ અને ત્રસ જીની હત્યાનું શું થશે ? એક બાજુ દયાનું ધ્યાન રાખતા બીજી તરફ દયાદેવીના પગ જ કપાઈ જતા હોય તે કયે માર્ગ લે ? માટે અરિહંત પરમાત્માએથી પ્રરૂપિત સર્વવિરતી સ્વરૂપ અહિંસા જ એકાતિક અને આત્યંતિક ફળને આપનારી છે જેમાં કેઈનું પણ હનન નથી. ભગવતીઅહિંસાના આરાધકે કેણ કેણુ? આગળના સૂત્રોમાં સ્વરૂપ, પર્યાયે અને અહિંસાધર્મની સત્કૃષ્ટતા કહ્યા પછી સહજ શંકા થઈ શકે છે કે ભૂતપુર્વમાં આ ધર્મની આરાધના કોઈએ કરી છે? મહાપુરૂષોએ