________________ પ૨૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જ્યારે મન:પર્યવજ્ઞાન મનુષ્યલેકમાં રહેલા મનુષ્યના કેવળ મનેભાવને જાણે છે. ઋજુમતિને માલિક “અમુકે ઘટ ચિંત છે” એટલું જ જાણે છે. ત્યારે વિપુલમતિ ઘટના આકાર વિશેષને પણ જાણવા માટે સમર્થ બને છે અને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરાવ્યા પછી નિવર્તિત થાય છે. માટે ઋજુમતિથી વિપુલમતિ સ્પષ્ટ અને વિશેષગ્રાહી છે. આ જ્ઞાન સંયમધારી 14 પૂના જ્ઞાતાઓને હોય છે. જેમાં અહિંસાની આરાધના દ્વારા અપ્રમતભાવને પ્રાપ્ત થયા હોય છે. તપ, શિયળ. સમિતિ અને ગુપ્તિની આરાધનાના મૂળમાં અહિંસાની આરાધના જ સમાયેલી હોવાથી આવા ઉત્કૃષ્ટતમ મહામુનિરાજેએ પણ પોતાના છાઘસ્થિક જ્ઞાનવડે અહિંસાને સ્વરૂપથી તથા પ્રાગથી જાણી છે અને જે પ્રમાણે જાણે છે તે પ્રમાણે જ આરાધી છે. (4) જેઓ ઉત્પાદ નામના પ્રથમ પૂર્વથી લઈને 14 પૂર્વેના પૂર્ણ અભ્યાસી હોય છે તેવા પૂર્વ ધરે, જેઓ ઉત્કૃષ્ટ સંયમધારી, અહિંસાની આરાધનામાં ત્રિકરણગે એકાગ્ર થયેલા મહા મુનિરાજોએ પણ અહિંસાની સાધના સાર્વત્રિક કરેલી છે. કેવળજ્ઞાની મેરેમમાં પૂર્ણ અહિંસક છે જ્યારે પૂર્વધરને તેની આરાધનામાં પૂર્ણ સાવધાની રાખવાની છે. | (5) ઉક્રિય લબ્ધિથી લઈને વિદ્યા લબ્ધિના માલિક બની ચૂકેલા મુનિરાજેએ અહિંસાની આરાધના દ્વારા અથવા અહિંસાની આરાધના સિવાય બીજા એકેય માર્ગથી પ્રાપ્ત ન થઈ શકે તેવી લબ્ધિઓને પ્રાપ્ત થયેલા હોય છે.