________________ 518 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કરી છે કે સામાન્ય પુરૂષોએ ? આના જવાબમાં આ ત્રીજુ સુત્ર તે તે આરાધક મહાપુરૂષેના નામ લઈને ખૂબ જ વિસ્તૃત પ્રકારે કહી રહ્યું છે. તે આ પ્રમાણે - (1) અપરિમિત (અક્ષય અને અનન્ત ) જ્ઞાન-દર્શનને ધરનારા, શીલગુણ, વિનય, તપ અને સંયમને પોતાના જીવનમાં અને પરજીમાં સ્થાપન કરનારા, સપૂર્ણ સંસારના પ્રત્યે વાત્સલ્યભાવ રાખનારા, ત્રિલેકમાં રહેનારા, દેવ-દેવેન્દ્રો નાગેન્દ્રો અને નરેન્દ્રોથી પુજાયેલા, સામાન્ય કેળળીઓમાંજિનેમાં ચન્દ્ર જેવા શ્રી તીર્થંકર પરમાત્માઓએ પિતાને અનન્ત જ્ઞાનથી ભગવતી અહિંસાને સ્વરૂપથી, કાર્યથી તથા તેના પ્રયોગથી સારી રીતે દેખીને નિશ્ચિત કરી છે. કેમ કે તેઓએ રાગ, દ્વેષ, કામ, ક્રોધ આદિ આત્મિય દૂષણેનું સારી રીતે ઉમૂલન કર્યું છે. શીલ અને વિનયાદિ ગુણેનું ઉપદેશ દ્વારા બીજા જમા સ્થાપિત કર્યું છે. ઉત્કૃષ્ટતમ ભાવ અને દ્રવ્ય દયાની આરાધનાથી જગત પર વાત્સલ્યભાવ કેળવ્યું છે. જન્મ-દીક્ષાજ્ઞાન અને મુક્તિના સમયે બધાય દેવ-દેવેન્દ્રોથી પૂજાયેલા તેવા તીર્થકરોએ અહિંસાની આરાધના પૂર્ણરૂપે કરી છે અને જીવમાત્રના જીવનમાં તેની સ્થાપના કરી છે. મન-વચન-કાયાથી કરણ-કરાવણ અને અનુમોદનથી પણ આરાધાયેલી અહિંસાના કારણે જ તેમને કેવળજ્ઞાન અને દર્શનની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી ત્રીજા ભવે “સંસારના સર્વે અને હું મારી જેમ કમ મેલ વિનાના બનાવું.” તેવી ભાવદયાથી ઉપાર્જિત તીર્થકર નામકર્મને ઉદય થતાં જ