________________
માટે આવા સમન્વયની ખૂબ જ આવશ્યકતા છે. આનો સાર એ છે કે - “જીવનના વાસ્તવિક રહસ્યને સમજવા માટે અધ્યાત્મવાદની ઉપયોગિતા અનિવાર્ય છે.”
અધ્યાત્મવાદ જ જીવનનું સાચું મૂલ્યાંકન કરે છે. જીવન શું છે? જગત શું છે ? આત્મા શું છે ? જગત અને આત્માનો શું સંબંધ છે? જીવનમાં ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ શકે છે ? બંધન શું છે ? મોક્ષ શું છે ? પરતંત્રતા શું છે ? સ્વતંત્રતા શું છે ? - આ બધા જ પ્રશ્નોનું સમાધાન અધ્યાત્મ જ આપી શકે છે. તેથી જૈન ધર્મે સમગ્રતાના સાથે અધ્યાત્મનાં વિવિધ પાસાંઓનું યથાર્થ નિરૂપણ કર્યું છે. અધ્યાત્મના ઉપાસકો અને મુમુક્ષુ આત્માઓના અનુગ્રહ માટે જૈન તત્ત્વ-ચિંતકોએ જે માર્ગો પ્રદર્શિત કર્યા છે, એનો યત્કિંચિંતુરૂપ આગળનાં પૃષ્ઠોમાં અંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
એ નિર્વિવાદ છે કે જૈનદર્શન-તત્ત્વજ્ઞાનના આજ સુધી શતાધિક ગ્રંથો પ્રકાશમાં આવી ચૂક્યા છે, છતાં પણ આ પ્રયાસ પોતાનું અલગ જ મહત્ત્વ રાખે છે. એનું કારણ એ છે પ્રસ્તુત ગ્રંથમાં જૈનદર્શનની વિહંગમ વિવેચના ઉલ્લેખિત થઈ છે. જૈનદર્શનના આદિ મંત્રમહામંત્રથી લઈને મહાનિર્વાણ સુધીનું સર્વાગપૂર્ણ વિવેચન આ ગ્રંથમાં સમાવિષ્ઠ છે. અસ્તુ. આ ગ્રંથ જૈનદર્શનના અથથી લઈને ઈતિ સુધીનો સામાન્યાવબોધ આપે છે અને આ જ દૃષ્ટિથી આ જનસામાન્ય તથા વિદ્વજ્જન બંને માટે ઉપયોગી ગ્રંથ કહી શકાય છે.
( મહામંગલ મહામંત્ર નવકાર)
પ્રત્યેક ધર્મ, દર્શન અથવા સંસ્કૃતિના પોતાના વંદનામંત્ર હોય છે, જેમાં એ ધર્મ અથવા દર્શનનો સાર-સંક્ષેપ સમાયેલો હોય છે. વંદના-મંત્ર ભલે કોઈપણ સંસ્કૃતિ અથવા ધર્મસંપ્રદાયનો હોય, એક પ્રતીકાત્મકતા માટે હોય છે. અને એની પોતાની મહત્તા પણ હોય છે, પરંતુ જૈનદર્શનના વંદના-મંત્ર પોતાની સાર્વભૌમતાના કારણે પોતાનું સર્વાધિક મહત્ત્વ ધરાવે છે. આ મંત્ર વ્યક્તિમત્તા પર પ્રતિષ્ઠિત ન થતાં ગુણવત્તા પર પ્રતિષ્ઠિત છે. “નિ: સર્વત્ર પૂજ્યન્ત 'ના સિદ્ધાંતાનુસાર આમાં વિશ્વના સમસ્ત મહાપુરુષો-લોકોત્તર વ્યક્તિત્વોને નમસ્કાર કરવામાં આવ્યા છે.
અન્ય કોઈપણ ધર્મ અથવા સંસ્કૃતિના વંદના-મંત્રને લો, એમાં કોઈ ને કોઈ વ્યક્તિસત્તાને નમસ્કાર કરવામાં આવ્યા છે, ગુણાત્મકતાને નહિ. જ્યારે જૈનદર્શનના પરમ માન્ય આ વંદના-મંત્રમાં જેને મહામંત્ર પણ કહે છે, કોઈપણ વ્યક્તિને નહિ, ગુણવત્તાને નમસ્કાર કરવામાં આવ્યા છે. સીધા શબ્દોમાં કહીએ તો જૈનદર્શનનો આ આદિ-મંત્ર વ્યક્તિપૂજાથી ઉપર ઊઠીને ગુણપૂજાને પ્રતિષ્ઠિત કરે છે. ( ૪ ) SO DOOR
TO DOOK જિણધમો)