________________
અભ્યાસ, માત્ર જ્ઞાનવૃદ્ધિ માટે જ છે. એમ ન કહેતાં ચિત્ત–સમાધિ માટે છે. એમ કહ્યું છે.
સ્વાધ્યાયથી વૈરાગ્ય.
વૈરાગ્યથી શુભ ધ્યાન,
શુભ ધ્યાનથી ચિત્ત-સમાધિ,
ચિત્ત સમાધિથી સદ્ગતિ એ જ્ઞાન અભ્યાસનુ (અનંતર અને પરપર) ધ્યેય છે,
વિજ્ઞાનની જેમ ધાર્મિક જ્ઞાનને પણ જે આપણે વિશ્વ વસ્તુઓની માહિતી મેળવવાનું જ એક સાધન માનીએ, પણ તે વડે ચિત્ત-સમાધિ અને સદ્ગતિ મેળવવાનુ` ધ્યેય ન સ્વીકારીએ, તે તત્ત્વજ્ઞાન ભણવા ખાસ કેાઈ કારણ રહે નહિ.
પદાર્થ વિજ્ઞાનની ભુખ તે આજની ભૌતિકવાદની કેળવણીથી સ તાષાય છે. તત્ત્વજ્ઞાન મેળવવા પાછળ એટલા સ'કુચિત હેતુ નથી, પણ ઉદાત્ત હેતુ છે. અને તે મનુષ્યને મળેલા કરણાની (મન-વચન-કાયા—આંખ-કાનજીભ હૃદય આદિ) શુદ્ધિ કરવા માટેના અને પરિણામે આત્માની શુદ્ધિ કરવા દ્વારા પેાતાની જાતના માલિક બનવા માટેના છે.
ક્રિયાના સૂત્રાની સાથે તત્ત્વજ્ઞાનને અંતરંગ સબંધ છે. ક્રિયા એ સાધ્ય છે. તત્ત્વજ્ઞાન તેનુ સાધન છે અને એ બંનેનુ... સાધ્ય કેવળજ્ઞાન અને મેાક્ષ છે.
ન તત્વ રહસ્ય
[ ૩૧