________________
શાસામાં એ માટે આંધળા અને પાંગળાનું એક પ્રસિદ્ધ દૃષ્ટાન્ત છે.
એક ગામમાં એકાએક આગ લાગવાથી ગામના બીજા બધા માણસો તે પોતાનો જીવ બચાવવા માટે ભાગી છૂટયા. પણ એક આંધળે હતા તે આંખે દેખી નહિ શકવાથી અને એક પાંગળો હતો તે પગ નહિ હેવાથી આગનું સ્થાન છેડી શક્યા નહિ અને બંને આગમાં બળી ગયા. જે તેઓ પરસ્પર મળી શક્યા હેત અને આંધળાએ પાંગળાની આંખની તેમજ પાંગળાએ આંધળાના પગની મદદ લીધી હોત તે બંને બચી શક્યા હોત.
આ દષ્ટાતને સાર એ છે કે ક્રિયા વગરનું જ્ઞાન પાંગળું છે અને જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે. એ બેને પરસ્પર સંયોગ ન થાય અર્થાત્ બંને પરસ્પર સાપેક્ષ ન બને તે અવશ્ય નાશ પામે અર્થાત્ એકલા ક્રિયાવાનને કે એકલા જ્ઞાનવાનને આ સંસારરૂપી આગમાં નાશ થયા વિના રહે નહિ.
વસ્તુ સ્થિતિ આવી હોવા છતાં એકલા જ્ઞાનને કે એકલી ક્રિયાને પક્ષપાત જીવને શાથી થાય છે તેનાં પણ કારણે છે, અને તે એ છે કે, શાસ્ત્રોમાં જ્ઞાનનો મહિમા ગાતી વખતે ક્રિયાને મહિમા નહિવત્ હોય છે અને ક્રિયાને મહિમા ગાતી વખતે જ્ઞાનને મહિમા પ્રધાન ગૌણ ભારે હોય છે.
૫૬ ]
જૈન તત્વ રહસ્ય