Book Title: Jain Tattva Rahasya
Author(s): Bhadrankarvijay
Publisher: Premji Korshi

View full book text
Previous | Next

Page 276
________________ જગતના જીવા દૃશ્યમાન કે અદૃશ્ય જે કોઈ સુખ ભાગવે છે, બધુ એક ન્યાયવૃત્તિનું જ ફળ છે. ન્યાયવૃત્તિથી મળેલા ન્યાય સ’પન્ન વૈભવ અન્યાય વૃત્તિને નાશ કરી મનશુદ્ધિ દ્વારા આત્માને પણ પવિત્ર બનાવે છે, કર્માથી સુક્ત કરે છે. જ્ઞાનીઓએ ધનની દાન-ભાગ અને નાશ એ ત્રણ ગતિ કહી છે. પણ તેમાં દાન એકજ તેની સદ્ગતિ છે. આ દાનમાં ન્યાયેાપાર્જિત વૈભવનું મહત્ત્વ છે. અન્યાયપાર્જિત દ્રવ્યના દાનની કિંમત નહિવત્ છે. અલ્પ માત્ર દાનના પણ વિશિષ્ટ અને અગણિત ફળે મળ્યાના વિવિધ જે દાતા શાસ્ત્રોમાં છે તે પ્રાયઃ ન્યાયસ‘પન્ન વૈભવના દાનના (ન્યાયવૃત્તિનાં) છે. ન્યાયસ પન્ન વૈભવની એક વિશેષતા એ છે, કે તે તેના માલિકને લેશ પણ ચિંતાનું કારણ ખનતું નથી, તે સ્વયં પેાતાનું રક્ષણ કરે છે. તેને કોઇ ચારી શકતુ નથી. ચારનાર પાતે ચારાય છે. અગ્નિ કે પાણીના ઉપદ્રા પણ તેને નડતા નથી. રાજા તેનું હરણ કરી શકતા નથી. કાઈ માનવી અજ્ઞાનથી તેનુ' હરણ કરે, તા તેની બુદ્ધિ શુદ્ધ થાય છે અને તે પાછુ આપવા પ્રેરાય છે. સાચા શેઠની પાંચશેરી-એ કહેવત તેના દૃષ્ટાન્ત રૂપે સર્વત્ર પ્રચાર પામેલી છે. તે તેના માલિકની પણ રક્ષા કરે છે. તેની બુદ્ધિમાં ઔદાય, સંતાષ, નીતિ, સદાચાર જૈન તત્ત્વ રહસ્ય [૨૩ •

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282