________________
જૈન આચાર મીમાંસા દર્શનાચાર :
જૈન શાસનમાં દર્શન અને જ્ઞાન બંનેને અલગ ગણાવ્યાં છે. વળી જૈન પરિભાષા પ્રમાણે દર્શનનો અથ શ્રદ્ધા પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે દર્શનનો અર્થ “જેવાથી વધારે કંઈ કરવામાં નથી આવતો. વળી તેને “જ્ઞાનરથી એટલું અલગ પણ પાડવામાં નથી આવતું. જૈન તત્ત્વધારામાં ‘દર્શન’ને મોટે ભાગે શ્રદ્ધા સાથે જોડવામાં આવે છે કારણ કે વસ્તુને જ્યાં સુધી આપણે જોતાં નથી ત્યાં સુધી આપણે તેને પૂર્ણ રીતે માનતા નથી અને તેના ઉપર શ્રદ્ધા કરતા નથી. જે વસ્તુ કે વાત જાણવા આપણે તત્પર હોઈએ અને તે માટે કેટલાય જણને પૂછતા હોઈએ, કેટલાંય પુસ્તકો વાંચતા હોઈએ તે એક વાર નજરે ચડી જાય પછી તે બાબત આપણને ઝાઝું પૂછવા જેવું રહેતું નથી. વસ્તુને જોયા પછી આપણને તેની ઉપર સહેજમાં શ્રદ્ધા થઈ જાય છે. દર્શનથી જુની જે ઝાંખી થાય છે તે વસ્તુનું સામાન્ય જ્ઞાન આપે; તેનાથી વિશેષ જ્ઞાન ન થાય તે વાત ખરી પણ દર્શન જ જ્ઞાન તરફ દોરી જાય છે. દર્શન વિના શ્રદ્ધા થતી નથી. જ્ઞાનથી માન્યતા ઊભી થાય છે. પણ શ્રદ્ધા તો દર્શન વિના થતી નથી. દર્શનની આગળ ઉપર થયેલું જ્ઞાન પુષ્ટ બને છે અને જ્ઞાન માટેની ખાતરી થઈ જાય છે
આમ દર્શન” એટલે શ્રદ્ધા. દર્શનથી શ્રદ્ધા પેદા થાય; દર્શન વિના જ્ઞાન પુષ્ટ ન થાય તે વાત ખરી પણ દર્શન કોનું કરવાનું અત્યારે તીર્થકરની હાજરી નથી હાલ તીર્થર આપણા પૃથ્વીપટને પાવન કરતા વિચરતા નથી ત્યારે તેમની ગેરહાજરીમાં તીર્થકરની પ્રતિમા કે જિનમંદિર દર્શનનું પ્રથમ સ્થાન છે. વીતરાગની પ્રતિમાનું