________________
આચારસંહિતા
દરેક ધર્મને પોતાનો આગવો આચાર વિભાગ હોય છે. ધર્મને કોઈ જીવંત રાખી શકતું હોય તો તે તેના આચારો. વિચાર વિભાગ જે મુખ્યતયા દાર્શનિક હોય છે જેનો અધિકારી વર્ગ ઘણો નાનો હોય છે. વળી જે વિચારોને આચારોનો આધાર ન મળે તે મોટે ભાગે ઝાઝું ટકી શકતા નથી. ધર્મનો વિચાર વિભાગ એટલે તત્ત્વનિરૂપણ. એ કરવાનું અને તેને યર્થાથ રીતે સમજવાનું ગજું બહુ ઓછા માણસોનું હોય છે. ઋષિઓ-મુનિઓ-આચાર્યોદ્રષ્ટાઓ જેવા મહાન આત્માઓ તત્ત્વનિરૂપણનું કાર્ય કરે છે. તીર્થંકરો અર્થથી જ્ઞાન પ્રબોધે જેને ગણધર ભગવંતો સૂત્રમાં ગૂંથી લે જેથી તે યુગોપર્યંત ટકી રહે અને ભાવિના દ્રષ્ટાઓને સુલભ બની રહે. એ સૂત્રો ઉપર ભાષ્યો લખાય છે. ટીકાઓ, નિર્યુક્તિઓ અને ચૂર્મીઓથી તેનો વિસ્તાર થાય પણ ધર્મને ધબકતો રાખે તેનો આચાર વિભાગ.
૨. છ આવશ્યક
-
જૈન આચારોને ટકાવી રાખવાનો યશ જૈન સાધુઓની અવિચ્છિન્ન પરંપરાને આપવો પડે. આમ જોઈએ તો દરેક ધર્મમાં આચાર વિભાગ એક કે બીજી રીતે નિહીત છે - સમાયેલો હોય છે પણ જૈન ધર્મનો આચાર વિભાગ વધારે સુગ્રથિત અને સુરક્ષિત રહેલો છે. વળી જૈન ધર્મમાં સાધુઓ અને શ્રાવકો બંને માટે
૩૮