________________
છ આવશ્યક - આચારસંહિતા
૭૫ પરિસ્થિતિમાં સમભાવ એ વિનયનું લક્ષણ છે. આમ ગુરુવંદના ઘણી મહત્ત્વની પ્રક્રિયા છે. તે વિનયના ભાવમાંથી જન્મે છે. વિનયથી પોષાય છે અને વિનયથી સમૃદ્ધ બને છે. વંદનમાં જે બાહ્ય ક્રિયા થાય છે તે શારીરિક છે પણ અંતરથી ગુરુચરણે સમર્પિત થઈ જવાય તે જ સાચાં વંદન. આવાં વંદનમાં બળ છે, વંદન જીવંત હોવાં જોઈએ. મોટે ભાગે આપણાં વંદન નિર્જીવ હોય છે, જે ભાગ્યે જ ફલદાયી નીવડે છે.
ગુરુવંદન કરવા માટે જે બાહ્ય ક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ વૈજ્ઞાનિક છે. વંદનમાં શારીરિક રીતે મૂકવાનું છે. પંચાગ પ્રણિપાત કરવાનો હોય છે. અંગના ઝૂકવા સાથે આપણી અમુક ગ્રંથિઓ ઉપર એક પ્રકારનું દબાણ આવે છે જેને પરિણામે એ ગ્રંથિઓમાંથી ઝરતા સ્ત્રાવોમાં ફેરફાર થાય છે, જે અભિમાનને દબાવે છે – નમ્રતા લાવે છે. શરીર મૂકવાની સાથે અહં પણ ઝૂકે છે. અંદર અહં' ઊભો હોય ત્યાં સુધી માણસ નમી ન શકે. શારીરિક વંદન કરતાં કરતાં પણ અંદરથી વંદન થવા માંડે અને ગુરુ પ્રત્યે અહોભાવ થયા વિના ન રહે. ગુરુ પ્રતિ અહોભાવ થયા વિના જ્ઞાન મળે નહીં કે જચે નહીં. ગુરુ પ્રત્યે બહુમાન ન હોય ત્યાં ગુરુ પાસેથી આલોચના લઈ શકાય નહીં. જ્યાં સુધી માણસ ‘અહીથી ભરેલો હોય ત્યાં સુધી ગુરુ પ્રત્યે સમર્પણનો ભાવ જાગી શકતો નથી. દરેક વ્યક્તિમાંથી તેની આકૃતિનાં તદાકાર વિકિરણો છૂટે છે તે ગુરુની વાણીનો સૂક્ષ્મ પ્રતિકાર કરતાં રહે છે પણ જેવું નમન થયું - વંદન થયું કે એ વિકિરણો ઓછાં થઈ જાય છે અને તેનો પ્રતિકાર ઘટી જાય છે કે શમી જાય છે. પછી તેને ગુરુ જે કંઈ કહે