________________
માટે સલામતી
આ સંગ્રહે છે તો જ માગે છે.
વ્રત વિશેષ - ગુણપ્રાપ્તિ પ્રતિ
૧૧૮ પરિગ્રહની પાછળે અસલામતીનો ભાવ રહેલો છે. માણસ હંમેશાં સલામતી શોધે છે એટલું જ નહિ પણ કાયમ માટે સલામતી જળવાઈ રહે એવી વ્યવસ્થા કરવા માગે છે. પોતાની સલામતી માટે તે વસ્તુઓ સંગ્રહે છે તો પોતાની સુરક્ષા માટે સંબંધો વિકસાવે છે. જીવનમાં પારિવારિક સંબંધો જે સહજપ્રાપ્ય હોય છે તેને માણસ પકડી રાખે છે તો બીજી બાજુ વધુ સંરક્ષિત રહેવા માટે નવા નવા સંબંધો વિકસાવે છે. જીવ માત્ર આમ સલામતી માટે જે વ્યવસ્થા કરે છે અને પોતાની સુરક્ષા માટે સંબંધોની જે આડશ રચે છે તેમાં જ ખરેખર તો તે ફસાઈ જાય છે. સંબંધ એક પક્ષે કયારેય નથી હોતા. સંબંધનો એક છેડો આપણા હાથમાં હોય છે તો બીજો છેડો અન્યના હાથમાં હોય છે. સંબંધના એક જ સૂત્રથી પતિ અને પત્ની, પિતા અને પુત્ર, ગુરુ અને શિષ્ય, સાસુ અને વહુ ઇત્યાદિ બંધાયેલાં છે. દરેકના હાથમાં સંબંધની દોરીનો એક છેડો છે અને બીજાના હાથમાં બીજો છેડો છે. આપણને લાગે કે અન્યના સંબંધ આપણે સુરક્ષિત છીએ કે આપણી સગવડ સચવાય છે તો બીજે છેડે રહેલ વ્યકિત કંઈક જુદા જ ખ્યાલમાં પણ હોય. બે મિત્રો વચ્ચેના સંબંધોના પણ એ જ હાલ છે. કોણ કોને બાંધે છે અને કોણ કોની રક્ષા કરે છે તે કહેવું ઘણું મુશ્કેલ છે. એ જ રીતે આપણા સંબંધો ગામ, સમાજ અને રાજ્ય સાથેના હોય છે. આમ સંબંધોનો દોર મોટા ઘેરાવામાં ફરે છે. વાસ્તવિકતામાં સંબંધો આપણી રક્ષા કરે કે સગવડ સાચવે તેના કરતાં આપણા માટે વધારે મુશ્કેલીઓ સર્જે છે. સંબંધ ઘણી વાર ખતરો પણ બની જાય છે અને ઉપદ્રવનું કારણ બને છે. ખરેખર તો સંબંધોનો વિસ્તાર